<?xml version="1.0" encoding="UTF-8"?><!-- generator="wordpress.com" -->
<rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	>

<channel>
	<title>અધ્યાત્મ-ફિલોસોફી &amp;laquo; WordPress.com Tag Feed</title>
	<link>http://wordpress.com/tag/અધ્યાત્મ-ફિલોસોફી/</link>
	<description>Feed of posts on WordPress.com tagged "અધ્યાત્મ-ફિલોસોફી"</description>
	<pubDate>Tue, 14 Oct 2008 00:30:12 +0000</pubDate>

	<generator>http://wordpress.com/tags/</generator>
	<language>en</language>

<item>
<title><![CDATA[અનામિકાને પત્ર: 12]]></title>
<link>http://gujarat1.wordpress.com/2006/11/15/anamika12/</link>
<pubDate>Wed, 15 Nov 2006 11:39:13 +0000</pubDate>
<dc:creator>હરીશ દવે</dc:creator>
<guid>http://gujarat1.gu.wordpress.com/2006/11/15/anamika12/</guid>
<description><![CDATA[આ પત્ર-શ્રેણીનું સ્થાનાંતર: “અનામિકા]]></description>
<content:encoded><![CDATA[<p><strong>આ પત્ર-શ્રેણીનું સ્થાનાંતર: “અનામિકા” બ્લોગ પર</strong></p>
<p>આ પત્ર-શ્રેણીમાં આ બાર(12)મો પત્ર તે મધુસંચય પરનો આખરી અનામિકા-પત્ર છે.<br />
હવે આપ “અનામિકાને પત્રો” મારા નવા બ્લોગ “અનામિકા” પર વાંચી શકશો. નીચે ક્લિક કરો:<br />
<strong><a TITLE="અનામિકા" HREF="http://gujarat2.wordpress.com" TARGET="_blank">અનામિકા</a></strong></p>
<p><strong>* * * * * * * * * * * * * * * * *</strong></p>
<p>.</p>
<p>પ્રિય અનામિકા,</p>
<p><strong>હરમાન હેસ</strong>ની નવલકથા <strong>“સિદ્ધાર્થ” </strong>વિષે તું જાણવા ઈચ્છે છે.</p>
<p>એક વાતનો સ્વીકાર કરું? મહાન સર્જકોની અમર કૃતિઓને નાનકડા પત્રોમાં સમાવવી પડકારરૂપ કાર્ય બની જાય છે. વળી આ કૃતિઓ વાંચ્યે ત્રણ દાયકાથી વધુ સમય વીતી ગયો છે. છતાં હું મારી યાદદાશ્ત તથા સમજ પ્રમાણે ન્યાય આપવા પ્રયત્ન કરતો રહું છું. કદાચ મારા પ્રયત્ન તને તે ઉત્તમ કૃતિઓ વાંચવા પ્રેરણા આપે!</p>
<p><strong>હરમાન હેસ(Hermann Hesse 1877-1962)</strong> મૂળે તો જર્મન. શાંતિપ્રિય, અધ્યાત્મવાદી. ભારતીય ફિલોસોફીથી તો ભારે પ્રભાવિત. હિંદુ ધર્મ તથા તત્ત્વજ્ઞાનનો ઊંડો અભ્યાસ. જીવનને તાત્ત્વિક દ્રષ્ટિથી જીવવાનો તેમનો સંકલ્પ. 1921માં વતન છોડ્યું. <strong>સ્વિટ્ઝરલેંડ</strong> જઈ શેષ જીવન વીતાવ્યું. મઝાની વાત એ કે ફ્રેંચ સાહિત્યકાર <strong><a HREF="http://gujarat1.wordpress.com/2006/08/25/hsd3/" TARGET="_blank">રોમાં રોલાં</a></strong> પણ સ્વિટ્ઝરલેંડમાં વસેલા. હરમાન હેસ તથા રોમાં રોલાંને મૈત્રી હતી.</p>
<p>1923માં તેમની “સિદ્ધાર્થ” નવલકથા સાથે હરમાન હેસની ખ્યાતિ ઓર વધી ગઈ.</p>
<p>“સિદ્ધાર્થ”ની કથા હિંદુસ્તાનની પૃષ્ઠભૂમિ પર આલેખાઈ છે. બ્રાહ્મણપુત્ર સિદ્ધાર્થ આ નવલકથાનો નાયક છે. ધીર, ગંભીર, બુદ્ધિમાન. તેવો જ સમજદાર તેનો મિત્ર ગોવિંદો છે. બંને મિત્રો જીવનને ગંભીરતાથી લે છે. બંનેને જીવનના, અસ્તિત્વના અર્થની ખોજ કરવી છે.</p>
<p>બંને મિત્રો ગૃહત્યાગ કરી જીવનનાં રહસ્યોને પામવા નીકળી પડે છે.</p>
<p>ગોવિંદો બૌદ્ધ ભિક્ષુસંઘના સત્સંગથી <strong>ભગવાન બુદ્ધ </strong>ના માર્ગથી પ્રભાવિત થાય છે. તે બૌદ્ધ ધર્મની દીક્ષા લઈ ભિક્ષુ બની જાય છે. બંને મિત્રોના રસ્તા ફંટાઈ જાય છે. એકલો પડેલો સિદ્ધાર્થ પોતાની ખોજમાં આગળ વધે છે.</p>
<p>સિદ્ધાર્થને સૌંદર્યવાન વારાંગના કમલાનો પરિચય થાય છે. સિદ્ધાર્થ કમલા પાસેથી પ્રેમના આનંદની અપેક્ષા રાખે છે. પણ તે રહી વારાંગના! એક અકિંચન યુવાન વારાંગનાને શું આપી શકે? વિચારણાને અંતે સિદ્ધાર્થ પોતાની કવિતાના બદલામાં કમલા પાસેથી એક ચુંબનની યાચના કરે છે.</p>
<p>અને યૌવનાના અંતરતલમાંથી પ્રગટેલું તે પ્રગલ્ભ ચુંબન સિદ્ધાર્થના તપ્ત હૃદયને શાતા આપે છે. સાથે સાથે તે કમલાના અતૃપ્ત સ્ત્રી હૃદયને તૃપ્ત કરે છે. કમલા સિદ્ધાર્થના સંતાનની માતા બને છે.</p>
<p>સિદ્ધાર્થ પ્રેમતૃપ્તિને હૃદયમાં ભરી ફરી ભ્રમણ પર નીકળી પડે છે.</p>
<p>વર્ષો વીતી જાય છે.......</p>
<p>ગોવિંદો ભિક્ષુજીવન ગાળતો દેશાટન કરતો રહે છે. ફરતા ફરતા એક ગામ પહોંચે છે. તેને જાણવા મળે છે કે નદીકિનારે ઝૂંપડીમાં એક વૃદ્ધ નાવિક રહે છે. સંતપુરૂષ સમ નિર્મળ જીવન ગાળે છે. સંતની પ્રતિષ્ઠા દૂર-સુદૂર ફેલાઈ છે. ગોવિંદો તેમને મળવા પહોંચે છે.</p>
<p>અરે! આ તો સિદ્ધાર્થ!</p>
<p>બંને મિત્રો હૃદય ખોલીને વાતો કરે છે. સિદ્ધાર્થની સાદગી, જીવનની સરળતા અને વિચારોની ગહનતા ગોવિંદાને પ્રભાવિત કરે છે. સિદ્ધાર્થ કહે છે: આ નદીને નિહાળો ... તેની માફક જીવનપ્રવાહમાં મુક્તપણે વહેતા રહો ... ધ્યેયપ્રાપ્તિની દોડ તમને બંધનમાં નાખશે .... શબ્દોના ભ્રમમાં ન ફસાઓ ... શબ્દોની માયાજાળમાં ઘણી વાર સત્ય છુપાઈ જાય છે ... ભગવાન બુદ્ધના શબ્દોને જ નહીં, તેમના પ્રેમમય જીવનને સમજો .. પ્રેમ જીવનનો આધાર છે ... અસ્તિત્ત્વને સમગ્રતાથી પ્રેમ કરો ...</p>
<p>ગોવિંદો અવાક છે. તેને પોતાના વર્ષોના ભિક્ષુજીવનની યથાર્થતા વિષે મંથન જાગે છે. સિદ્ધાર્થ તેનાથી મૂઠી ઊંચો છે તેવું તેને લાગે છે.</p>
<p>ગોવિંદો વૃદ્ધ સિદ્ધાર્થને એક ચુંબનની વિનંતી કરે છે. સિદ્ધાર્થ પ્રેમપૂર્વક ગોવિંદાને એક ચુંબન કરે છે ...</p>
<p>અને આ શું ચમત્કાર? ગોવિંદા સમક્ષ અલૌકિક કાંતિયુક્ત અનેકાનેક તેજસ્વી ચહેરા પ્રગટ થાય છે ... ચહેરાઓની બહુવિધતામાં કોઈક અનુપમ ઐક્ય જણાય છે..... તેમાં ભગવાન બુદ્ધની દિવ્ય આભા પ્રગટ થતી હોય છે... પરિશુદ્ધ પ્રેમના દિવ્ય સાક્ષાત્કારથી ગોવિંદાનું હૃદય અવર્ણનીય આનંદથી પરમ તૃપ્તિ પામે છે.</p>
<p>કેવી સુંદર કથા! અનામિકા! હોલિવૂડના ફિલ્મ ડાયરેક્ટર કોનરાડ રુક્સે હરમાન હેસની “સિદ્ધાર્થ” પરથી અંગ્રેજીમાં એક ફિલ્મ બનાવેલી. તેમાં જાણીતા અભિનેતા શશી કપૂરે સિદ્ધાર્થ તરીકે તથા અભિનેત્રી સીમી ગરેવાલે કમલા તરીકે અભિનય આપેલો.</p>
<p>સપ્રેમ આશીર્વાદ.<br />
.</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[શ્રી સુંદરમ્ ની અધ્યાત્મદ્રષ્ટિ]]></title>
<link>http://gujarat1.wordpress.com/2006/09/21/sundaram/</link>
<pubDate>Thu, 21 Sep 2006 12:47:33 +0000</pubDate>
<dc:creator>હરીશ દવે</dc:creator>
<guid>http://gujarat1.gu.wordpress.com/2006/09/21/sundaram/</guid>
<description><![CDATA[.
શ્રી ત્રિભોવનદાસ લુહાર સુંદરમ્ માટે ]]></description>
<content:encoded><![CDATA[<p>.</p>
<p><strong>શ્રી ત્રિભોવનદાસ લુહાર સુંદરમ્ </strong>માટે કાવ્યસર્જન તેમની  અધ્યાત્મયાત્રાનો એક ભાગ બન્યું હતું. તેમની અધ્યાત્મદ્રષ્ટિ તેમના એક કાવ્યની નીચેની પંક્તિઓમાં ઝલકે છે:</p>
<p>મંજરીએ મંજરીએ મીઠું મ્હોરેલું,<br />
કોકિલના કંઠે ફોરેલું,<br />
ગ્રીષ્મની અટારીએ ઘૂંટી ઘૂંટીને,<br />
છૂટ્ટે હાથે એ વેરેલું.</p>
<p>હો ગીત કોણ ગાતું ઘેલું?<br />
.............<br />
-  <strong>ત્રિભોવનદાસ લુહાર સુંદરમ્</strong></p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[શ્રી અરવિંદ: ધ ડિવાઈન લાઈફ]]></title>
<link>http://gujarat1.wordpress.com/2006/09/21/aravind_divinelife/</link>
<pubDate>Thu, 21 Sep 2006 12:02:37 +0000</pubDate>
<dc:creator>હરીશ દવે</dc:creator>
<guid>http://gujarat1.gu.wordpress.com/2006/09/21/aravind_divinelife/</guid>
<description><![CDATA[.
મહર્ષિ અરવિંદની ફિલોસોફીનો એક અંશ: “]]></description>
<content:encoded><![CDATA[<p>.</p>
<p><strong>મહર્ષિ અરવિંદની ફિલોસોફીનો એક અંશ: “ધ ડિવાઈન લાઈફ”માંથી</strong></p>
<p><a HREF="http://gujarat2.wordpress.com/2007/11/15/anamika32/" TARGET="_blank" TITLE="Shree Aurobindo"><strong>મહર્ષિ અરવિંદ</strong></a> વિષે લખવા બેસીએ તો દિવસો લાગે! તેમની ફિલોસોફીને વ્યક્ત કરવા ગ્રંથો ઓછા પડે!</p>
<p>મહર્ષિ અરવિંદની ફિલોસોફી તેમની વિવિધ  કૃતિઓમાં તેમજ વ્યાખ્યાનોમાં વ્યક્ત થયેલ છે. તેમનો એક મનનીય ગ્રંથ છે: “<strong>ધ ડિવાઈન લાઈફ</strong>”. તેમાંના એક અંશનો ગુજરાતીમાં <strong>ભાવાનુવાદ</strong> પ્રસ્તુત છે:</p>
<p>“અજ્ઞેયનું પ્રકટીકરણ આપણી સમક્ષ બે સ્વરૂપે થાય છે: સૃષ્ટિ તથા વ્યક્તિ સ્વરૂપે. તે બે સ્વરૂપોથી આપણે અજ્ઞેયને પામવાનું છે. ઈન્દ્રિયગમ્ય બીજાં રૂપો પણ સૃષ્ટિ અને વ્યક્તિને જ આભારી છે......  પરમ સત્યનું અવતરણ દિવ્ય છે. <strong>દિવ્ય ચેતનાનું અવતરણ</strong> થતું જાય છે અને મનુષ્યની જીવનયાત્રા <strong>ઉર્ધ્વગામી</strong> બને છે. ... મનુષ્યત્વની આપણી આજની ભૂમિકા વચગાળાની છે ... આપણા દૈવી મનુષ્યત્વનું સર્વોચ્ચ લક્ષ્ય <strong>અતિમનસ</strong> – સુપરમાઈન્ડ – છે; સુપરમાઈન્ડ એ જ <strong>સુપરમેન</strong>ની પહેચાન છે. આપણી ઉર્ધ્વગામી યાત્રામાં મનની પેલે પાર, ઉચ્ચતર ભૂમિકા પર પહોંચવાનું છે. મનુષ્યના અસ્તિત્વનો યથાર્થ હેતુ છે <strong>દિવ્ય જીવન </strong>પ્રતિ યાત્રા.”<br />
.</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[“ગીતાંજલિ”માંથી]]></title>
<link>http://gujarat1.wordpress.com/2006/09/17/gitanjali/</link>
<pubDate>Sun, 17 Sep 2006 02:52:28 +0000</pubDate>
<dc:creator>હરીશ દવે</dc:creator>
<guid>http://gujarat1.gu.wordpress.com/2006/09/17/gitanjali/</guid>
<description><![CDATA[.
ગુરૂદેવ રવીન્દ્રનાથ ટાગોર નોબેલ પ્ર]]></description>
<content:encoded><![CDATA[<p>.</p>
<p>ગુરૂદેવ <strong>રવીન્દ્રનાથ ટાગોર</strong> નોબેલ પ્રાઈઝ મેળવનાર પ્રથમ ભારતીય હતા.<br />
અમર કૃતિ <strong>“ગીતાંજલિ”</strong> માટે 1913માં <strong>કવિવર ટાગોર</strong>ને <strong>નોબેલ પ્રાઈઝ </strong>એનાયત થયું હતું.</p>
<p>મારા ઘણા વિદ્યાર્થીઓએ-પરિચિતોએ  ગુરૂદેવ ટાગોરની “ગીતાંજલિ” વાંચી જ નથી. “ગીતાંજલિ”ની એક ઝલક પણ તેમના હૃદયમાં એક ચમકારો કરી જશે!</p>
<p>નીચેની સુંદર પંક્તિઓ ગુરૂદેવ ટાગોરની અમર કૃતિ <strong>“ગીતાંજલિ”</strong>માંથી લીધેલ છે:</p>
<p>The song that I came to sing remains unsung to this day.</p>
<p>I have spent my days in stringing and unstringing my instrument.<br />
……….</p>
<p>I have not seen his face, nor have I listened to his voice; I have heard his gentle footsteps from the road before my house.</p>
<p>The livelong day has passed in spreading his seat on the floor; but the lamp has not been lit and I can not ask him into my house.</p>
<p>I live in the hope of meeting with him; but this meeting is not yet.</p>
<p>સાભાર: <strong>“ગીતાંજલિ”</strong>માંથી ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોર.</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[અનામિકાને પત્ર: 8]]></title>
<link>http://gujarat1.wordpress.com/2006/08/25/hsd3/</link>
<pubDate>Fri, 25 Aug 2006 13:02:22 +0000</pubDate>
<dc:creator>હરીશ દવે</dc:creator>
<guid>http://gujarat1.gu.wordpress.com/2006/08/25/hsd3/</guid>
<description><![CDATA[.
પ્રિય અનામિકા,
તારી જીવનધારા નિર્વિઘ]]></description>
<content:encoded><![CDATA[<p>.</p>
<p>પ્રિય અનામિકા,</p>
<p>તારી જીવનધારા નિર્વિઘ્ને વહી રહી છે, તે આનંદની વાત છે. જીવનની વ્યસ્તતામાં પણ તું  વિવિધ પ્રવૃત્તિઓ માટે યત્કિંચિત્  સમય ફાળવવા પ્રયત્ન કરે છે તે તો ઓર ખુશીની વાત્!</p>
<p>તેં શ્રી <strong>રામકૃષ્ણ પરમહંસ</strong>નો જીવન પ્રસંગ લખ્યો તે મનનીય છે. પરમહંસની વાત નીકળે અને જો <strong>શ્રી “મ”</strong>  તથા <strong>રોમાં રોલાં</strong>ને ન સ્મરીએ તો અન્યાય જ કહેવાય. ક્યારેક શ્રી ”મ” વિષે જરૂર લખીશ. આજે રોમાં રોલાંની વાત કરું?</p>
<p>વિશ્વસાહિત્યમાં <strong>ફ્રેંચ સર્જક રોમાં રોલાં(1866-1944)</strong>નું નામ સુવર્ણ અક્ષરે લખાયેલ છે. તેમનો ફ્રાંસમાં જન્મ. પેરિસમાં રહી ઈતિહાસમાં વિશારદ થયા. રોમમાં કલા તથા શિલ્પશાસ્ત્રમાં તલસ્પર્શી જ્ઞાન મેળવ્યું.  નાટક તથા સંગીતનો ઊંડો અભ્યાસ કર્યો. જીવન અધ્યાપન અને લેખનને સમર્પિત કર્યું.</p>
<p>અનામિકા! રોમાં રોલાંને મહામાનવ જ કહેવાય! સાચા અર્થમાં માનવપ્રેમી મહાપુરુષ! પ્રથમ વિશ્વયુદ્ધમાં રેડ ક્રોસ સાથે રહી ઘાયલ સૈનિકોની તેમણે સ્વયં સેવા કરી. ફ્રાંસ છોડી <strong>સ્વિટ્ઝર્લેંડ</strong>માં સ્થાયી થયા. <strong>“સિદ્ધાર્થ”ના લેખક હેરમાન હેસ</strong> તેમના પાકા ચાહક-મિત્ર.</p>
<p>રોલાં <strong>ટોલ્સ્ટોય</strong>, <strong>ગાંધીજી </strong>અને અન્ય ઘણા મહાનુભાવોના સંપર્કમાં રહ્યા. ગાંધીજી તો <strong>બીજી ગોળમેજી પરિષદ</strong>(1931)માંથી પાછા ફરતાં ચારેક દિવસ રોલાંના મહેમાન બનીને તેમની સાથે રહ્યા હતા. <strong>આલ્પ્સ</strong>ની બર્ફીલી પહાડીઓ વચ્ચે, રમણીય સરોવરને તીરે, પ્રકૃતિની ગોદમાં વિલ્યનોવ(વિલ્નોવ) ગામે આ બે વિશ્વવિભૂતિઓનો સત્સંગ કેવો અનોખો હશે!</p>
<p>રોમાં રોલાં બહુમુખી વ્યક્તિત્વ ધરાવતા હતા. જીવનમાં કલા અને સૌંદર્યદ્રષ્ટિના ઉપાસક હતા. જીવનના એક એક ક્ષેત્રમાં કલાત્મક સર્જકતા ખીલવવાની તેમનામાં અદભુત શક્તિ હતી. <strong>શેક્સપિયર</strong>ના પ્રશંસક. <strong>બિથોવન</strong>ના આશિક. સ્વયં સંગીતના ઊંડા અભ્યાસી. તેમણે બિથોવન, <strong>ચિત્રકાર માઈકલ એંજેલો</strong>, લિયો ટોલ્સ્ટોય વગેરેનાં રસપ્રદ જીવન ચરિત્રો લખ્યાં છે.</p>
<p>રોલાં પ્રખર અધ્યાત્મવાદી હતા. <strong>ભારતીય સંસ્કૃતિ </strong>તથા <strong>ભારતીય દર્શન</strong>માં તેમને અખૂટ શ્રદ્ધા હતી. ભારતીય તત્ત્વજ્ઞાનનો તેમણે તલસ્પર્શી અભ્યાસ કરેલો. તેમણે <strong>રામકૃષ્ણ પરમહંસ</strong>, <strong>વિવેકાનંદ </strong>તથા ગાંધીજીના ચિંતનીય જીવનચરિત્રો લખ્યાં છે.</p>
<p>તને યાદ હશે, અનામિકા! તારી સાથે <strong>મહર્ષિ અરવિંદ</strong>ના પ્રબુદ્ધ શિષ્ય <strong>દિલીપકુમાર રાય </strong>વિષે ઘણી વાર ચર્ચા કરી હતી.  રોમાં રોલાં પ્રત્યે મોકળા મને આદરનાં પુષ્પ વરસાવ્યાં હોય તો દિલીપ કુમાર રાયે. દિલીપ કુમાર તેમને સ્વિટ્ઝરલેંડમાં છ વખત મળેલા. આ મુલાકાતોનું ભાવવાહી વર્ણન તેમનાં પુસ્તકોમાં છે. <strong>“જાઁ ક્રિસ્તોફ”</strong>થી તો દિલીપકુમાર ભારે પ્રભાવિત હતા. આ બધા વિષે ફરી ક્યારેક વાતો કરીશું?</p>
<p>સંભાળીને, જીવનના ઘટનાક્રમને સમજીને રહેશો .... સપ્રેમ આશીર્વાદ.</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[મેટ્રિક્સ અને ભારતીય ફિલોસોફી]]></title>
<link>http://gujarat1.wordpress.com/2006/06/28/%e0%aa%ae%e0%ab%87%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b0%e0%aa%bf%e0%aa%95%e0%ab%8d%e0%aa%b8-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%ad%e0%aa%be%e0%aa%b0%e0%aa%a4%e0%ab%80%e0%aa%af-%e0%aa%ab%e0%aa%bf%e0%aa%b2%e0%ab%8/</link>
<pubDate>Wed, 28 Jun 2006 02:32:18 +0000</pubDate>
<dc:creator>હરીશ દવે</dc:creator>
<guid>http://gujarat1.gu.wordpress.com/2006/06/28/%e0%aa%ae%e0%ab%87%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b0%e0%aa%bf%e0%aa%95%e0%ab%8d%e0%aa%b8-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%ad%e0%aa%be%e0%aa%b0%e0%aa%a4%e0%ab%80%e0%aa%af-%e0%aa%ab%e0%aa%bf%e0%aa%b2%e0%ab8/</guid>
<description><![CDATA[.
‘મેટ્રિક્સ’ ( Matrix ) રસપ્રદ ફિલ્મ છે: ખાસ ]]></description>
<content:encoded><![CDATA[<p>.</p>
<p>‘મેટ્રિક્સ’ ( Matrix ) રસપ્રદ ફિલ્મ છે: ખાસ કરીને પ્રથમ ભાગ.</p>
<p>પાંચ-છ વર્ષ અગાઉ પ્રથમ વખત ફિલ્મ જોઈ ત્યારે જ મેં માર્ક કરેલું કે આ ફિલ્મ પર ભારતીય ફિલોસોફીની, વિશેષ તો આપણા વેદાંતની ખાસ્સી અસર છે.</p>
<p>ફિલ્મ જોતી વેળા જ સ્પષ્ટ થઈ ગયું કે ફિલ્મની પ્રેરણા, તેનો આધાર જ ‘માયા’ના કંસેપ્ટ પર છે. મોર્ફિયસનું પાત્ર ગહન રીતે આ કંસેપ્ટ સમજાવે છે. ‘મેટ્રિક્સ’ એટલે જ માયા. ફિલ્મમાં વૈજ્ઞાનિક પ્લોટ ડેવલપ કરવા આ માયાને નવી કહાણીને અનુરૂપ નવા સ્વરૂપમાં રજૂ કરી છે.</p>
<p>ફિલ્મનો નાયક નિઓ જે કંપનીમાં કામ કરે છે, તે કંપનીના નામ વિષે વિચાર કર્યો છે? તે કંપનીનું નામ છે “Metacortex”.</p>
<p>તેનો ગર્ભિત અર્થ થાય છે: બુદ્ધિની મર્યાદાથી ઉપર ઊઠવું, તમારા ભૌતિક અસ્તિત્વની સીમાથી ઊંચે જવું, સ્થળ અને કાળના બંધનોથી પર થવું.</p>
<p>વેદાંત પણ આમ જ કહે છે ને? ફિલ્મ પૂરી થઈ ત્યારે અંતિમ ભાગ પર તો હું સ્થિર થઈ ગયેલો.. આપણા એ પ્રાચીન, અમર મંત્રોએ તમારા સૌનું ધ્યાન પણ જરૂર ખેંચ્યું હશે.</p>
<p>હું તો જ્યારે જ્યારે આ ફિલ્મ જોઉં છું, કાંઈક નવું ચિત્ર ઉપસે છે. મઝા આવે છે.</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[અધ્યાત્મ  અને   મૌન ]]></title>
<link>http://gujarat1.wordpress.com/2006/06/28/%e0%aa%85%e0%aa%a7%e0%ab%8d%e0%aa%af%e0%aa%be%e0%aa%a4%e0%ab%8d%e0%aa%ae-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%ae%e0%ab%8c%e0%aa%a8/</link>
<pubDate>Wed, 28 Jun 2006 02:23:34 +0000</pubDate>
<dc:creator>હરીશ દવે</dc:creator>
<guid>http://gujarat1.gu.wordpress.com/2006/06/28/%e0%aa%85%e0%aa%a7%e0%ab%8d%e0%aa%af%e0%aa%be%e0%aa%a4%e0%ab%8d%e0%aa%ae-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%ae%e0%ab%8c%e0%aa%a8/</guid>
<description><![CDATA[.
અધ્યાત્મ માર્ગે ફિલોસોફર, ઉપદેશક કે ]]></description>
<content:encoded><![CDATA[<p>.</p>
<p>અધ્યાત્મ માર્ગે ફિલોસોફર, ઉપદેશક કે ગુરુજનોના ઉપદેશને, તેઓના શબ્દોને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સમજવા તથા સ્થળ-કાળને લક્ષ્યમાં રાખી તેમનું યથાર્થ અર્થઘટન કરવું આવશ્યક હોય છે. નહીં તો મહાઅનર્થ સર્જાઈ જાય!</p>
<p>અધ્યાત્મ પ્રતિ જે અભિમુખ હશે તેમણે મૌનનો અભ્યાસ જરૂર કરેલો હશે. મૌન વિષે ઘણી ગેરસમજ પ્રવર્તે છે.</p>
<p>સાધકને ઘણી વખત પ્રશ્ન થાય છે: શબ્દને બ્રહ્મ કહેલ છે, તો મૌનનું મહત્વ શા માટે?</p>
<p>અધ્યાત્મ માર્ગે શબ્દનું આલંબન એક ચરણ સુધી સ્વીકાર્ય હોઈ શકે; ત્યાર પછી તે ઘટતું જાય તે ઈચ્છનીય બને છે; ક્યારેક આવશ્યક પણ.</p>
<p>વાણીના ચાર પ્રકાર: વૈખરી, મધ્યમા, પશ્યંતી તથા પરા. ચારેય વાણી મૌન થાય ત્યારે તે શુદ્ધ મૌન કહેવાય છે.</p>
]]></content:encoded>
</item>

</channel>
</rss>
