<?xml version="1.0" encoding="UTF-8"?><!-- generator="wordpress.com" -->
<rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	>

<channel>
	<title>ચિંતન-લેખ &amp;laquo; WordPress.com Tag Feed</title>
	<link>http://wordpress.com/tag/ચિંતન-લેખ/</link>
	<description>Feed of posts on WordPress.com tagged "ચિંતન-લેખ"</description>
	<pubDate>Tue, 07 Oct 2008 13:11:06 +0000</pubDate>

	<generator>http://wordpress.com/tags/</generator>
	<language>en</language>

<item>
<title><![CDATA[Installing Love -Email Courtsey: VM Bhonde]]></title>
<link>http://pravinash.wordpress.com/?p=1092</link>
<pubDate>Sun, 05 Oct 2008 13:42:16 +0000</pubDate>
<dc:creator>vijayshah</dc:creator>
<guid>http://pravinash.gu.wordpress.com/2008/10/05/installing-love-email-courtsey-vm-bhonde/</guid>
<description><![CDATA[ 
Tech Support: Yes, &#8230; how can I help you?
Customer: Well, after much consideration, I&#8217;]]></description>
<content:encoded><![CDATA[<p> </p>
<p><strong>Tech Support:</strong> Yes, ... how can I help you?<br />
<strong>Customer</strong>: Well, after much consideration, I've decided to install Love. Can you guide me through the process?<br />
<strong>Tech Support</strong>: Yes. I can help you. Are you ready to proceed?<br />
<strong>Customer</strong>: Well, I'm not very technical, but I think I'm ready. What do I do first?<br />
<strong>Tech Support</strong>: The first step is to open your Heart. Have you located your Heart?<br />
<strong>Customer</strong>: Yes, but there are several other programs running now. Is it okay to install Love while they are running?<br />
<strong>Tech Support</strong>: What programs are running ?<!--more--><br />
<strong>Customer</strong>: Let's see, I have Past Hurt, Low Self-Esteem, Grudge and Resentment running right now.<br />
<strong>Tech Support</strong>: No problem, Love will gradually erase Past Hurt from your current operating system. It may remain in your permanent memory but it will no longer disrupt other programs. Love will eventually override Low Self-Esteem with a module of its own called High Self-Esteem. However, you have to completely turn off Grudge and Resentment. Those programs prevent Love from being properly installed. Can you turn those off ?<br />
<strong>Customer:</strong> I don't know how to turn them off. Can you tell me how?<br />
<strong>Tech Support</strong>: With pleasure. Go to your start menu and invoke Forgiveness. Do this as many times as necessary until Grudge and Resentment have been completely erased.<br />
<strong>Customer:</strong> Okay, done! Love has started installing itself. Is that normal?<br />
<strong>Tech Support</strong>: Yes, but remember that you have only the base program. You need to begin connecting to other Hearts in order to get the upgrades.<br />
<strong>Customer</strong>: Oops! I have an error message already. It says, "Error - Program not run on external components." What should I do?<br />
<strong>Tech Support</strong>: Don't worry. It means that the Love program is set up to run on Internal Hearts, but has not yet been run on your Heart. In non-technical terms, it simply means you have to Love yourself before you can Love others.<br />
<strong>Customer:</strong> So, what should I do?<br />
<strong>Tech Support:</strong> Pull down Self-Acceptance; then click on the following files: Forgive-Self; Realize Your Worth; and Acknowledge your Limitations.<br />
<strong>Customer</strong>: Okay, done.<br />
<strong>Tech Support</strong>: Now, copy them to the "My Heart" directory. The system will overwrite any conflicting files and begin patching faulty programming. Also, you need to delete Verbose Self-Criticism from all directories and empty your Recycle Bin to make sure it is completely gone and never comes back.<br />
<strong>Customer</strong>: Got it. Hey! My heart is filling up with new files. Smile is playing on my monitor and Peace and Contentment are copying themselves all over My Heart. Is this normal?<br />
<strong>Tech Support</strong>: Sometimes. For others it takes awhile, but eventually everything gets it at the proper time. So Love is installed and running. One more thing before we hang up. Love is Freeware. Be sure to give it and its various modules to everyone you meet. They will in turn share it with others and return some cool modules back to you.<br />
<strong>Customer:</strong> Thank you, <em><strong><span style="color:#0000ff;">God.</span></strong></em></p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA["શ્રદ્ધા અને માન્યતા"]]></title>
<link>http://girishdesai.wordpress.com/?p=333</link>
<pubDate>Mon, 08 Sep 2008 13:04:44 +0000</pubDate>
<dc:creator>gdesai</dc:creator>
<guid>http://girishdesai.gu.wordpress.com/2008/09/08/%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%aa%a6%e0%ab%8d%e0%aa%a7%e0%aa%be-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%ae%e0%aa%be%e0%aa%a8%e0%ab%8d%e0%aa%af%e0%aa%a4%e0%aa%be/</guid>
<description><![CDATA[                  શ્રદ્ધા અને માન્યતા            ]]></description>
<content:encoded><![CDATA[<p>                  શ્રદ્ધા અને માન્યતા                            </p>
<p>જેને કારણે આપણે ધર્મનું પાલન કરીએ છીએ તેને માન્યતા કહેવાય</p>
<p>                        પરંતુ</p>
<p>જેને કારણે ધર્મ આપણું પાલન કરે છે તેને શ્રદ્ધા કહેવાય</p>
<p>All men with belief follow a religion</p>
<p>                       But</p>
<p>All religions follow a man with Faith </p>
<div></div>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[ધર્મ,અર્થ,કામ અને મોક્ષ. ]]></title>
<link>http://girishdesai.wordpress.com/?p=331</link>
<pubDate>Thu, 04 Sep 2008 22:00:55 +0000</pubDate>
<dc:creator>gdesai</dc:creator>
<guid>http://girishdesai.gu.wordpress.com/2008/09/04/%e0%aa%a7%e0%aa%b0%e0%ab%8d%e0%aa%ae%e0%aa%85%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a5%e0%aa%95%e0%aa%be%e0%aa%ae-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%ae%e0%ab%8b%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7/</guid>
<description><![CDATA[ધર્મ,અર્થ,કામ અને મોક્ષ.    આને આપણા શાસ]]></description>
<content:encoded><![CDATA[<p>ધર્મ,અર્થ,કામ અને મોક્ષ.    આને આપણા શાસ્ત્રોમાં માનવ જીવની સફળતા માટે કરવા પડતા ચાર પુરુષાર્થ કહયાં છે.  પરંતુ એનો અર્થ શું ?</p>
<p>મારી દ્રષ્ટિએ ધર્મ એટલે હિન્દુ, મુસ્લીમ કે ખ્રીસ્તિ નહીં પણ માનવતા,માણસાઇ</p>
<p>અર્થ એટલે કોઇ પ્રકારની સંપત્તિ નહીં પરંતુ જીવનનું ધ્યેય, જીવનનો હેતુ.</p>
<p>કામ એટલે આ ધ્યેય પરિપૂર્ણ કરવા માટે કરવી પડતી મહેનત</p>
<p>અને મોક્ષ એટલે સિદ્ધિ કે સફળતા.</p>
<p>આ પ્રમાણે અર્થ ઘટન કરીએ તો એમ કહી શકાય કે  જો આપણે આપણી માણસાઇ ભૂલ્યાં વગર આપણું ધ્યેય હાંસલ કરવા પાકી જહેમત ઉઠાવીએ તો જરુર જીવન સફળ થાય. ખરી વાત કે નહીં ?</p>
<div></div>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[શ્રધ્ધા સભર ---------]]></title>
<link>http://pravinash.wordpress.com/?p=1063</link>
<pubDate>Wed, 25 Jun 2008 15:27:48 +0000</pubDate>
<dc:creator>pravinash1</dc:creator>
<guid>http://pravinash.gu.wordpress.com/2008/06/25/%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%aa%a7%e0%ab%8d%e0%aa%a7%e0%aa%be-%e0%aa%b8%e0%aa%ad%e0%aa%b0/</guid>
<description><![CDATA[  
 
  ડગ ભર્યું છે આગળ ધપવાને
  પ્રભુ સા]]></description>
<content:encoded><![CDATA[<p>  </p>
<p> </p>
<p>  ડગ ભર્યું છે આગળ ધપવાને</p>
<p>  પ્રભુ સાથ મારો સદા નિભાવ</p>
<p>  અજ્ઞાનનું ધુમ્મસ છાયું છે</p>
<p>    તું જ્ઞાનનો પ્રકાશ ફેલાવ.</p>
<p>  શ્રધ્ધાથી કરેલું કાર્ય જરૂર સફળતાને વરે છે.</p>
<p>  શ્રધ્ધા હોવી એટલી જ જરૂરી છે જેટલો શ્વાસ.</p>
<p>  શ્રધ્ધાપૂર્વકનું જીવન સંગિત રેલાવે છે.</p>
<p>  શ્રધ્ધામાં શંકાને સ્થાન નથી.</p>
<p>  શ્રધ્ધા અને શ્રધ્ધાળુ સમાન ભાસે, છે અસમાન.</p>
<p>  શ્રધ્ધામા દ્રઢતાનો રણકો સુણાય છે.</p>
<p>  શ્રધ્ધા ભલભલા અંતરાયો દૂર કરે છે.</p>
<p>  શ્રધ્ધા સફળતાની ગુરૂચાવી એ.</p>
<p>  શ્રધ્ધામાં સહકાર જાણે સોનામા સુગંધ.</p>
<p>  શ્રધ્ધાવાન સર્વત્ર આદરણીય.</p>
<p>  શ્રધ્ધના દીવાને વિશ્વાસની જ્યોત જલતી રાખે.</p>
<p>  શ્રધ્ધાનો દીવો પ્રેમનો પ્રકાશ રેલાવે.</p>
<p>  શ્રધ્ધા મેરૂ સમાન અચલ છે.</p>
<p>  શ્રધ્ધા છે તો "જીવન" છે.   </p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[સીતા વનમા શામાટે ગઈ?]]></title>
<link>http://pravinash.wordpress.com/?p=1057</link>
<pubDate>Fri, 13 Jun 2008 07:11:19 +0000</pubDate>
<dc:creator>pravinash1</dc:creator>
<guid>http://pravinash.gu.wordpress.com/2008/06/13/%e0%aa%b8%e0%ab%80%e0%aa%a4%e0%aa%be-%e0%aa%b5%e0%aa%a8%e0%aa%ae%e0%aa%be-%e0%aa%b6%e0%aa%be%e0%aa%ae%e0%aa%be%e0%aa%9f%e0%ab%87-%e0%aa%97%e0%aa%88/</guid>
<description><![CDATA[      આ બનેલી ઘટના છે. શબ્દભાર અતિશયોક્ત]]></description>
<content:encoded><![CDATA[<p>      આ બનેલી ઘટના છે. શબ્દભાર અતિશયોક્તિનો નથી. ૨૦૦૩ની સાલ હતી . મિત્ર મંડળી</p>
<p> જામેલી હતી. વાતમાંથી વાત નિકળતા એક ભાઈને તુકો સુઝ્યો. કહે કે મારા વિચારમા 'સીતા</p>
<p>  વનમા ગઈ કારણ તેને "ત્રણ"  સાસુઓ  હતી. સીતાને થયું કે ત્રણ  ત્રણ  સાસુઓ  સાથે</p>
<p>   રહેવું તેના કરતાં તો 'વનવાસ અને વલ્કલ સારા.મારા તો કાન સરવા થઈ ગયા.</p>
<p>   જગજાહેર હતું  કે તેમના પત્નીએ સાસુમાને અડધી રાતે ઘરમાંથી કાઢી મૂક્યા હતા ને</p>
<p>  "બિચારા" ભાઈ કાંઈ કરી શક્યા ન હતા.</p>
<p>  આ મંડળી સાહિત્ય રસિક હતી. મેં એ પડકાર ઉપાડી લીધો અને જાહેર કર્યું કે</p>
<p>  આવતા મહિનાની બેઠકમા હું આ વાતનો જવાબ આપીશ.</p>
<p>  તો હવે મારી વાત સાંભળો. હું જ્યારે આવેશમા આવી જાંઉ છું ત્યારે હિંદી સરી પડેછે.</p>
<p>    </p>
<p> </p>
<p>          कैकेयी के बहकावे में आकर जब राजा दशरथ बोले "रामको वनवास चौदह सालके</p>
<p>  लिए और भरतको गादी अयोध्याकी". पछतावेकी पवित्र गंगामें नहाकर कैकेयी पावन हुई.</p>
<p>  मगर तीर कमानसे निकल चूका था. होनी अनहोनी नही होने वाली थी.</p>
<p>  अब मेरीभी बात सुनिये.        </p>
<p>         सास क्या मा नही होती है?</p>
<p>   जिसने जनम दिया उसने घरसे बिदा किया.</p>
<p>  जान ना पहचान प्यारसे गले लगा लिया.</p>
<p>  सास को बहुकी क्या पहचान थी. बेटे ने कहा और वो मान गई.</p>
<p>        ये कभी मत भुलना "सास" अपने प्यारसेभी प्यारे पति की 'मा' है.</p>
<p>  सती सिता के लिए बदनामी वाली बात कर रहेथे वो भाई के मुंह पे 'गोदरेज'का</p>
<p>  ताला लग गया. </p>
<p>   </p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[Happy  Father's  Day]]></title>
<link>http://pravinash.wordpress.com/?p=1055</link>
<pubDate>Fri, 06 Jun 2008 11:47:47 +0000</pubDate>
<dc:creator>pravinash1</dc:creator>
<guid>http://pravinash.gu.wordpress.com/2008/06/06/happy-fathers-day/</guid>
<description><![CDATA[            પુત્ર&#8211;  પિતા
      જગત પિતા વ]]></description>
<content:encoded><![CDATA[<p>            પુત્ર--  પિતા<br />
      જગત પિતા વિષે સાંભળ્યું છે.</p>
<p>      આપતો સાક્ષાત અનુભવાયા છો.</p>
<p>      આજે  ગેરહાજરીમા પણ તમે હાજર છો.</p>
<p>      નજરોંથી નજર મળેને મુખ પર આનંદ પ્રસરતો હતો.</p>
<p>      તમારી આંગળી ઝાલી ચાલ્યો હતો.</p>
<p>      તમારા જેવા થવાના સ્વપના સેવ્યા હતા.</p>
<p>      મારી કેળવણીમા તમારો ફાળો અતિ મહત્વનો હતો.</p>
<p>       મારી શાળાની પ્રગતિથી તમે પોરસાતા હતા.</p>
<p>       તમારી સંગે ગોલ્ફ રમવાની મિજલસ માણી હતી.<br />
    <br />
       મારી સ્નાતકની પદવીનો સમારંભ આજે પણ યાદ છે</p>
<p>       તમારા ડોક્ટર થવાના સ્વપનાને સાકાર જાણી તમારો હર્ષ------</p>
<p>       પાપા, તમારી પુત્રવધુને ભાળી તમારા મુખ પરનો આનંદ----</p>
<p>       બસ પાપા, જ્યાં હો ત્યાંથી આશિર્વાદની ઝડી વરસાવજો.</p>
<p>        તમે જ તો મારા જીવનના સુકાની છો. અટવાંઉ તો રાહ દર્શાવજો.</p>
<p>        પાપા, તમને કોટિ પ્રણામ . </p>
<p>        અંતમા  પાપા, આજે  હું ત્રણ 'બાળકોનો' પાપા છું</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[ સારું--- નરસું]]></title>
<link>http://pravinash.wordpress.com/?p=1051</link>
<pubDate>Wed, 04 Jun 2008 10:53:47 +0000</pubDate>
<dc:creator>pravinash1</dc:creator>
<guid>http://pravinash.gu.wordpress.com/2008/06/04/%e0%aa%b8%e0%aa%be%e0%aa%b0%e0%ab%81%e0%aa%82-%e0%aa%a8%e0%aa%b0%e0%aa%b8%e0%ab%81%e0%aa%82/</guid>
<description><![CDATA[  
     સારું  શું  ને  નરસુ  શું
  
     એ  ]]></description>
<content:encoded><![CDATA[<p>  </p>
<p>     સારું  શું  ને  નરસુ  શું<br />
  <br />
     એ  બંનેમાં  વચલું શું</p>
<p>     સારુ, સારુ  ત્યાં સુધી</p>
<p>     જ્યાં  બને મન માન્યું</p>
<p>     સારુ  બને  નરસુ  જ્યારે</p>
<p>     જ્યાં  અણમાન્યું પિરસ્યું</p>
<p>     સારુ  નરસુ  કશું નથી</p>
<p>     સંજોગોનું  છે  માર્યું</p>
<p>      આંખો  ખોલે ભ્રમ ભાંગે</p>
<p>       વાદળ  પ્રેમનું  વરસ્યું</p>
<p>       સારા  નરસાની  ઉલઝનમા</p>
<p>      અણમોલ જીવન જાયે  સરયું</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[ ગોદ           દગો]]></title>
<link>http://pravinash.wordpress.com/?p=1049</link>
<pubDate>Sat, 31 May 2008 01:22:45 +0000</pubDate>
<dc:creator>pravinash1</dc:creator>
<guid>http://pravinash.gu.wordpress.com/2008/05/31/%e0%aa%97%e0%ab%8b%e0%aa%a6-%e0%aa%a6%e0%aa%97%e0%ab%8b/</guid>
<description><![CDATA[            દુનિયામા સર્વશ્રેષ્ઠ  સ્થળ ]]></description>
<content:encoded><![CDATA[<p>            દુનિયામા સર્વશ્રેષ્ઠ  સ્થળ હોય તો તે માતાની 'ગોદ' છે.</p>
<p>           એ જ સૃષ્ટિમા જો કોઈ અસહ્ય વર્તન હોય તો તે 'દગો' છે.</p>
<p>           'ગોદ' જેવી શિતળતા હિમાલયમા પણ નથી.</p>
<p>           'દગા' જેવું અપકૃત્ય શબ્દકોષમા નથી.  </p>
<p>                  'ગોદ'મા પરમ શાંતિનો અહેસાસ છે.</p>
<p>            'દગો' કોઈનો સગો નથી.</p>
<p>            'ગોદ' પામનાર તેની ભાવના અને લાગણી જાણે છે.</p>
<p>            'દગો' કરનાર સુખ ચેન ગુમાવે છે.</p>
<p>            'ગોદ'નું મહત્વ અને મહત્તા અવર્ણનિય છે.</p>
<p>            'દગો' દેનાર વખાનો માર્યો હોય છે.</p>
<p>            'ગોદ'મા આચરેલ ખિલખિલાટ અને ધમપછાડા મધુરા લાગે છે.</p>
<p>            'દગો' કરનારની નિંદ વેરણ થયેલી જણાય છે.<br />
             'ગોદ' દેનારને કદી 'દગો' ન દેશો.</p>
<p>             'દગો' દેતા પહેલા લાખ વાર વિચારજો.</p>
<p>             'ગોદ' દેતા જાત કમજાત ન વિચારશો.</p>
<p> </p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[અસ્તિત્વ]]></title>
<link>http://pravinash.wordpress.com/?p=1048</link>
<pubDate>Fri, 30 May 2008 04:36:14 +0000</pubDate>
<dc:creator>pravinash1</dc:creator>
<guid>http://pravinash.gu.wordpress.com/2008/05/30/%e0%aa%85%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a4%e0%aa%bf%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b5/</guid>
<description><![CDATA[  
                 
       મુજમા  છે  એ તુજમા]]></description>
<content:encoded><![CDATA[<p>  </p>
<p>                 <br />
       મુજમા  છે  એ તુજમા  છે<br />
       તુજમા  છે  એ  મુજમા  છે<br />
       મારા  જીવનના વૃક્ષનું  એ<br />
       બીજ  તારા  અસ્તિત્વમા છે<br />
  <br />
       મા, બાળકને જન્મ આપે છે. જીગરનો એ ટુકડો છે. એ બાળક દિકરો<br />
       હોય કે દિકરી એ મહત્વનું નથી, માતાના ઉદરેથી અવતરી એ સંસારના<br />
       વૃક્ષનુ બીજ મા પરિણમવાનું અતિ સુંદર કાર્ય ચાલુ રાખે છે.<br />
        </p>
<p> </p>
<p>         અસ્તિત્વ  કોનુ  નામ   છે<br />
         નજર્યું  સમક્ષ  સાક્ષાત છે<br />
         પળમા  છે  પળમા ગાયબ<br />
         આંખ મિંચાઈ દિલ ઘાયલ<br />
            અસ્તિત્વ શું છે? આ સૃષ્ટિ મા દરેક વ્યક્તિનું હોવું એનું બીજુ નામ છે<br />
         અસ્તિત્વ. દૃષ્ટિ સમક્ષ એ તરવરાટવાળું જીવન જણાય છે. કિંતુ, કઈ ઘડીએ<br />
         કાળની થાપટ વાગે અને ઘડી પળ પહેલાની વ્યક્તિ ભૂત થઈ ,તસ્વિરમા મઢાઈ<br />
         શાંત જીવન ગુજારે તે કરતા તો હે પ્રભુ આ ઘાયલ દિલને સંભાળી લે.------------- <br />
         </p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[  જીવન શું---]]></title>
<link>http://pravinash.wordpress.com/?p=1044</link>
<pubDate>Fri, 23 May 2008 20:37:12 +0000</pubDate>
<dc:creator>pravinash1</dc:creator>
<guid>http://pravinash.gu.wordpress.com/2008/05/24/%e0%aa%9c%e0%ab%80%e0%aa%b5%e0%aa%a8-%e0%aa%b6%e0%ab%81%e0%aa%82/</guid>
<description><![CDATA[ 
 
 
 
               
     जिवनको पाया हे प्र]]></description>
<content:encoded><![CDATA[<p> </p>
<p> </p>
<p> </p>
<p> </p>
<p>               <br />
     जिवनको पाया हे प्रभु बस जिवन जीना सिखलादे<br />
      ये जिवन है अणमोल प्रभु बस मोल मुझे बतलादे<br />
     </p>
<p> </p>
<p> </p>
<p>          જીવન પૂર્ણ થાય છે જ્યારે શ્વાસ થમી જાય છે</p>
<p>      આશા, નિરાશામાં પરિણમે છે જ્યારે આત્મવિશ્વાસ ડગે છે.</p>
<p>    પ્રેમનો અંત આવે છે, જ્યારે બીજા પ્રત્યે સહાનુભૂતિ ન હોય.</p>
<p>    મિત્રતા ખંડિત થાય છે ,જ્યારે 'વહેંચીને'ખાવાની ભાવના સૂકાય છે.</p>
<p> </p>
<p> </p>
<p> </p>
<p> </p>
<p>         જીવન શરૂ જન્મ સાથે.</p>
<p>         જીવનનો અંત મૃત્યુ ટાણે.</p>
<p>         જીવન દરમ્યાનના સંબંધ આપણી જવાબદારી.</p>
<p>         જીવનની સિધ્ધિઓ  આપણી મૂડી.</p>
<p>         આપણો  આત્મા, આપણું પુણ્ય.</p>
<p>         આપણું મગજ કુદરતની દેણ.</p>
<p>         આપણા વિચારો વિભુની કૃપા.</p>
<p>         આપણી હસ્તી,સદવિચાર અને ચારિત્ર્ય.</p>
<p>         મિત્રો  જીવનનું ભાથું.</p>
<p>         જીવનના ઘરેણાં,સહનશીલતા અને ધૈર્ય.</p>
<p>         જીવનની બગિયાના ફૂલો, "બાળકો".</p>
<p>         જીવન વિનાશક 'ચીંતા'.</p>
<p>         જીવનમા સંતોષ,'કોઈના કામમા આવવું.'</p>
<p>         જીવન મૂલ્યહીન, 'આશા'વિણ.</p>
<p>         જીવનમા હાથની શોભા,'દાન'.</p>
<p>         નિષ્ફળ જીવન,'સ્વાર્થ યુક્ત'.</p>
<p>         જીવનમા આવશ્યક્તા,'ઉત્સુક્તા અને ઉમંગ.'</p>
<p>         સુંદર વાર્તાલાપનું વાહન,'પ્રાર્થના.'</p>
<p>         'મુખપર રેલાતું સ્મિત', સુંદર પરિધાન.</p>
<p>         જીવનમા અજોડ અને બેનમૂન સ્થાન,' ઈશ્વર'.</p>
<p> </p>
<p> </p>
<p> </p>
<p> </p>
<p> </p>
<p> </p>
<p> </p>
<p>             </p>
<p>      </p>
<p>    </p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[  મારો મનગમતો ------]]></title>
<link>http://pravinash.wordpress.com/?p=1042</link>
<pubDate>Tue, 20 May 2008 02:28:28 +0000</pubDate>
<dc:creator>pravinash1</dc:creator>
<guid>http://pravinash.gu.wordpress.com/2008/05/20/%e0%aa%ae%e0%aa%be%e0%aa%b0%e0%ab%8b-%e0%aa%ae%e0%aa%a8%e0%aa%97%e0%aa%ae%e0%aa%a4%e0%ab%8b/</guid>
<description><![CDATA[  
           ચાણક્ય, નાનપણથી જ એના બુધ્ધિ]]></description>
<content:encoded><![CDATA[<p>  <br />
           ચાણક્ય, નાનપણથી જ એના બુધ્ધિ ચાતુર્ય પર હું વારી જતી.<br />
             ચાણક્ય નિતિ એ ખૂબ મનભાવન વાક્ય હતું.</p>
<p> <br />
        ૧. અતિશય પ્રમાણિકતા સારી નહી.સીધા ઝાડ સહુ પ્રથમ કપાય છે.<br />
           સીધા માણસો ચુંગલમા ફસાય છે.</p>
<p>         ૨."ગુરૂ મંત્ર" તમારી ખાનગી વાત કોઈને કહેશો નહી.</p>
<p>         ૩. દરેક મિત્રતામા ઝૂઝ અંશે 'સ્વાર્થ'છુપાયેલો હોય છે.<br />
           મિત્રતા સ્વાર્થ વગર ન હોય એ કડવું સત્ય છે.</p>
<p>         ૪. કોઈ પણ કાર્ય કરતા પહેલાં ત્રણ સ્વાલ જરૂર પૂછજો.<br />
            ૧.. હું શામાટે કરુ છું?<br />
            ૨.. જેપણ પરિણામ આવે યા આવશે મને<br />
                    ૩.. સફળતા મળશે?<br />
                જો જવાબ સંતોષ જનક હોય તો જરુર કરજો.</p>
<p>         ૫.  ભય જણાય તો હુમલો કરી નાબૂદ કરો.<br />
 <br />
         ૬.  ફૂલોની સુગંધ પવનની દિશામાં ફેલાય છે.</p>
<p>         ૭.  પ્રભુ મંદિરમા બિરાજતા નથી. તમારા હ્રદયની<br />
                     ભાવના જ ભગવાન છે.</p>
<p>         ૮.  માનવ કર્મથી મહાન છે, જન્મથી નહી.</p>
<p>         ૯.  મૂરખ વ્યક્તિ માટે પુસ્તક એટલે આમ્ધળા માટે અરીસો.<br />
         ૧૦.  વિદ્યા,અભ્યાસએ પરમ મિત્ર છે. વિદ્યાવન સર્વત્ર પૂગયતે.</p>
<p>         ૧૧.  ૫  વર્ષ સુધી બાળકને પ્યાર આપો.<br />
              ૧૦  વર્ષનો થાય ત્યાં સુધી વઢો.<br />
              ૧૬   વર્ષનો થાય ત્યારે મિત્ર બને.<br />
                  પુખ્ત વયનો બાળક તમારિ જીગરી દોસ્ત છે.</p>
<p>               <br />
 <br />
 </p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[એક જીવન  સાધક]]></title>
<link>http://pravinash.wordpress.com/2008/05/14/1039/</link>
<pubDate>Wed, 14 May 2008 02:37:10 +0000</pubDate>
<dc:creator>pravinash1</dc:creator>
<guid>http://pravinash.gu.wordpress.com/2008/05/14/1039/</guid>
<description><![CDATA[ 
 
              જીવન  સાધક એક  સામાન્ય ના]]></description>
<content:encoded><![CDATA[<p> </p>
<p> </p>
<p>              જીવન  સાધક એક  સામાન્ય નાગરિક છે.</p>
<p>         જીવન સાધક સુસંગત થવાનો પ્રયત્ન નથી કરતો.</p>
<p>         જીવન સાધક વિરોધાભાસ વચ્ચે જીવે છે.<br />
    <br />
         જીવન સાધક તેને પ્રેમ કરનારાઓ સાથે તેનું જગત વહેંચે છે.</p>
<p>         જીવન સાધકની જીવનદૃષ્ટિ મૃદુ અને સંકલ્પવાન છે.</p>
<p>         જીવન સાધક જીતે છે ત્યારે ઉત્સવ મનાવે છે.</p>
<p>         જીવન સાધક અગત્યના નિર્ણય લેતા પહેલા તેને ચકાસે છે.</p>
<p>         જીવન સાધક હારને ખેલદિલીથી અપનાવે છે.</p>
<p>         જીવન સાધક એક ચિંતક પણ છે.</p>
<p>         જીવન સાધક માન અપમાનથી પર છે.</p>
<p>         જીવન સાધકના બખ્તર છે,એકાંત,શંકા અને અનાસક્તિ.</p>
<p>         જીવન સાધક અન્યની વેદના સમજી સન્માને છે.</p>
<p>         જીવનસાધક સાહસિક અને ચૈતસિક ખોજી છે.</p>
<p>         જીવન સાધક  આસ્તિક અને હકારાત્મક છે.</p>
<p>         જીવન સાધક ધાર્મિક નહી આધ્યાત્મિક છે.</p>
<p>         જીવન સાધક આત્મનિરીક્ષક અને પરિક્ષક છે.</p>
<p>         જીવન સાધક ભૂલો નમ્ર બની સુધારે છે.</p>
<p>         જીવન સાધક ક્ષણમા જીવનાર છે.</p>
<p>         જીવન સાધક પરિણામલક્ષી છે.</p>
<p>         જીવન સાધક અન્યાય સામે આંખમીંચામણા કરતો નથી.</p>
<p>         જીવન સાધક સજાગ છે.</p>
<p>         જીવન સાધક બાળક જેમ વર્તે છે.</p>
<p>         જીવન સાધક ભરોસા પાત્ર છે.</p>
<p>         જીવન સાધક ક્યારેક જલતત્વ જેવો  છે.</p>
<p>         જીવન સાધક સ્વની મર્યાદા જાણે છે.</p>
<p>         જીવન સાધકનો ગુણ 'હિમ્મત'.</p>
<p>         જીવન સાધક 'અભય' હોય છે.                </p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[ સગા-વહાલા]]></title>
<link>http://pravinash.wordpress.com/?p=1038</link>
<pubDate>Mon, 12 May 2008 09:32:31 +0000</pubDate>
<dc:creator>pravinash1</dc:creator>
<guid>http://pravinash.gu.wordpress.com/2008/05/12/%e0%aa%b8%e0%aa%97%e0%aa%be-%e0%aa%b5%e0%aa%b9%e0%aa%be%e0%aa%b2%e0%aa%be/</guid>
<description><![CDATA[ 
      આ શબ્દથી સહુ પરિચિત છીએ. હંમેશા સ]]></description>
<content:encoded><![CDATA[<p> <br />
      આ શબ્દથી સહુ પરિચિત છીએ. હંમેશા સાંભળતા આવ્યા છીએકે<br />
  આ દુનિયામા સગા વહાલા નથી અને જે વહાલા હોય છે તે સગા નથી.<br />
 કેટલો બધો વિરોધાભાસ છે. કડવું છે છતા પણ સત્ય છે. નહી, નહી તો<br />
  ૯૯.૯૯ ૦/૦ લોકો આ સાથે સહમત થતા હશે. કિંતુ અંહી એક વસ્તુ<br />
  જરૂર કહીશ કે 'સગા આપણને જન્મતાની સાથે પ્રાપ્ત થતા હોય છે,<br />
 જ્યારે વહાલા સંજોગો મેળવી આપે છે.<br />
      ઘણીવાર પ્રશ્ન ઉઠે છે આવું કેમ બનતું હશે.આ પરિસ્થિતિ ઘણો<br />
   વિચાર તથા મનોમંથન માગી લે છે.ચાલો ત્યારે તેનું વિશ્લેષણ કરી<br />
   જોઈએ. સગા સહુ પ્રથમ તો જન્મતાની સાથે સંકળાયેલા હોય છે.<br />
  જેમા સહુ પ્રથમ આવે માતા અને પિતા. કોઈ દાવા સાથે નહી કહી<br />
   શકે કે મને માતા પિતા ચુંટવાનો અધિકાર છે. માનો યા ન માનો એ<br />
   હક્ક માત્ર સર્જનહારનો છે. તેજ પ્રમાણે ભાઈ બહેન, કાકા, મામા,<br />
  માસી, ફોઈ, દાદા, દાદી, નાના, નાની વિગેરે. મારી માતા ,<br />
  કોલેજ નથી ગઈ કે મારા પિતાજી વકીલ યા ડોક્ટર નથી.કેવી ક્ષુલ્લક<br />
   વાત.<br />
    હવે ઇશ્વર કૃપાએ આપણે જેમને પામ્યા છીએ તેને ખુલ્લે દિલે અપનાવતા<br />
   શીખો. જો જીવનમા શાંતિ અને સુમેળ ચાહતા હો તો. જન્મથી મૃત્યુ પર્યંત<br />
   તેઓજ તમારી સાથે રહેવાના. ગમે તેટલા હોંશિયાર તમે હો પણ સત્ય તો<br />
   આખરે સત્યજ રહેશે. પારકાની મા ગમે તેટલી સારી પણ મારી મા જેટલો<br />
   પ્રેમ મની નહી આપી શકે. તેને પણ તેનો પરિવાર છે.<br />
      જેમ માતા પિતા અને કુટુંબ આપણા પુણ્યથી મળે છે. તેમ પતિ,પત્ની<br />
    અને મિત્રો પસંદગી થી પ્રાપ્ત થતા જણાય છે. એ સત્ય છે કે મિત્રો છૂટાં પડી<br />
   શકે. પતિ અને પત્ની જો અનૂકુળ ન આવે તો પરિણામથી સહુ વિદિત છીએ.<br />
  કિંતુ કદી સાંભળ્યું કે માતા પિતાએ બાળકને પ્રેમ કરવો છોડી દીધો! હા, તેમાં<br />
   મનભેદ યા મતભેદ જરૂર હોઈ શકે. અરે ઘણીવાર વાતાવરણની અસરમા આવી<br />
   વિખૂટા પણ થાય. છતાંય પ્રભુ નું બનાવેલ આ હૈયાનું પ્રેમનું ઝરણું વહેતું જ રહે.<br />
  તેમાં ભરતી ઓટ આવે યા વિરાનગી. પ્રસંગ આવે એ પાછું ખળખળ વહેવા માંડે.<br />
  તેથી જ તો કુદરતની અકળ લીલા કળાતી નથી.<br />
     ક્યાંક વાંચ્યું  હતું પસંદગીની વસ્તુ માટે પુણ્યથી મળેલ વસ્તુને ઠુકરાવશો<br />
   નહી. કેટલું સત્ય આ પાછળ ગર્ભિત છે. યુવાનીમા મદહોશ માનવ ઘણીવાર<br />
   આ વાત વિસારે પાડે છે. ખેર, અને જાગે છે ત્યારે કોઈક વાર ખૂબ મોડું થઈ<br />
   ગયું હોય છે. જો સમયસર ચેતે તો આપણે સહુ જાણીએ છીએ કે ' સુબહ  કા<br />
   ભૂલા જબ શામકો ઘર આતા હૈ તો ઉસે ભૂલા નહી કહેતે.'<br />
      એકબીજાને સમજવામા આપણે કેમ થાપ ખાઈએ છીએ. ઘણીવાર તેમાં<br />
   સંજોગો ખૂબ અગત્યનો ભાગ ભજવતા હોય છે. દરેકે દરેક વ્યક્તિ ની પરિસ્થિતિ<br />
   અલગ અલગ હોવાને કારણે કોઈ એકજ માર્ગ સાચો ન કહી શકાય. તે છતાંય<br />
   દરેક સમસ્યાનો હલ મુમકીન છે. જીવનમા અસંભવ યા અશક્ય બે શબ્દો ને<br />
   શબ્દકોષમાંથી ફારગતિ આપવી જોઇએ તેવા મતની હું છું.<br />
     વહાલા, બોલતાં મોઢું ભરાઈ જાય અને આંખોમા ચમક પ્રસરી જાય. બેશક<br />
   વહાલાના આંચળા નીચે ભેડિયા નથી ને તેની સાવચેતી જરૂરી છે. કોઇ પણ નાની<br />
   યા મોટી વ્યક્તિ તેનો શિકાર બની શકે છે. સજાગતા અને વિવેક બુધ્ધિની ખૂબ<br />
   આવશ્યક્તાનો ત્યાં ખપ પડે છે. ઘડીના છઠ્ઠા ભાગમાં વહાલા વેરી બની શકે છે.<br />
  ત્યારે એવી સ્થિતિનું નિર્માણ થાય છે કે સ્નેહનુ ઝરણું સુકાઈ જાય છે. એવી મૃતઃ<br />
   પ્રાય પરિસ્થિતિ સર્જાય છે જે ફરીથી સજીવ થવા શક્તિમાન બનતી નથી . બધા<br />
   પ્રયત્નો પોકળ નીવડે છે.<br />
     આ ખરેખર વિચાર માગી લે તેવી વાત છે. અણમોલ માનવ જન્મ એળે ન<br />
    જાય તેથીજ તો આ પ્રશ્ન વિશે ચિંતન ચાલુ કરીએ--------            </p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[ શુભ  માતૃદિનની  વધાઈ]]></title>
<link>http://pravinash.wordpress.com/?p=1037</link>
<pubDate>Sun, 11 May 2008 09:34:51 +0000</pubDate>
<dc:creator>pravinash1</dc:creator>
<guid>http://pravinash.gu.wordpress.com/2008/05/11/%e0%aa%b6%e0%ab%81%e0%aa%ad-%e0%aa%ae%e0%aa%be%e0%aa%a4%e0%ab%83%e0%aa%a6%e0%aa%bf%e0%aa%a8%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b5%e0%aa%a7%e0%aa%be%e0%aa%88/</guid>
<description><![CDATA[ 
 
          &#8217;મા&#8217; શબ્દ બોલતા મોઢુ ભરાઈ]]></description>
<content:encoded><![CDATA[<p> </p>
<div> </div>
<div>          'મા' શબ્દ બોલતા મોઢુ ભરાઈ જાય છે. આજના શુભ દિવસે તેને  પ્રેમથી<br />
    કહીએ 'મા' તું છે તો હું છું, વરના-------<br />
           માતા આપણે માટે ઈશ્વર છે. આપણામાંથી ઈશ્વરના દર્શન કોણે કર્યા છે ?<br />
   આ તો હાલતી ચાલતી માતાની મૂર્તિ છે.આપણી સંસ્કૃતિ અને સંસ્કાર આપણને<br />
   એ જ પાઠ ભણાવે છે. કિંતુ હ્રદય પર હાથ મૂકીને કહેજો આપણે કેટલે અંશે તેનું<br />
   પાલન કરી એ છીએ? માંહ્યલો કદી જૂઠું નહી બોલે. તો પછી આપણા કરતા આ<br />
   અમેરિકન સારા નહી કે ભલેને વર્ષમાં એક દિવસ તેનું ખૂબ આદર અને ઈજ્જત સાથે<br />
      પાલન કરે છે.<br />
    <br />
            તેની અવગણના , તેને અન્યાય કઈ રીતે સહન થાય. યાદ છે એની ગોદમા<br />
       ખેલ્યા હતા. કેટલીવાર તેને પલાળી હતી?  કેટલી રાતો એણે તમારા કાજે જાગતા<br />
       ગાળી હતી. જ્યારે નાની શી માંદગી પણ આવે ત્યારે તમારા માટે કેટલી બેબાકળી<br />
        તે બની જતી હતી. છતાંય તેણે હમેશા તમને માત્ર પ્યાર જ આપ્યો છે.<br />
 <br />
             આવી દેવી જેવી માંનું આજે પ્યાર પૂર્વક પૂજન કરીએ. આજના શુભ દિવસે<br />
         જેઓની મા હયાત છે તે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તેનો એકરાર કરે. જેણે<br />
         તેને ગુમાવી છે તેઓ તેની યાદમા બે આંસુ સારી અંજલી અર્પે.મા છે તો જગતના<br />
         સંસારના બગિચામા નવા નવા ફૂલો જણાય છે. વર્તમાનમા શિક્ષણ દ્વારા ભવિષ્યની<br />
         ઇમારત ચણે છે.<br />
     <br />
       મા ,તારા ઉપકારનું ઋણ હું કઈ રીતે ચૂકવીશ? મારા પ્રયત્ન એવા જરૂર રહેશે<br />
         કે તારું નામ ઉજાળીશ. જો હું તારા વિશે લખવા બેસું તો કલમની સ્યાહી ખૂટી જશે<br />
         અને કાગળ નાનો પડશે.</div>
<div>                   </div>
<div>                      મા તુજ ને લાખો પ્રણામ<br />
                      હોઠોં પર તારું મધુરું નામ      <br />
                      તારા શિક્ષણ નું શું  દામ<br />
                       તુજને સમરું સુબહ શામ</div>
<div>                     મેં તને કરી હતી  હેરાન<br />
                     સારા કર્મ દ્વારા વધે શાન<br />
                    તારા મુખેથી ભક્તિ ગાન<br />
                     તારા પર કુરબાનઆ જાન</div>
<div>                    હે, મા તુજ ને લાખોં પ્રણામ </div>
<div><span class="first"> </span></div>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[પ્રાર્થના]]></title>
<link>http://pravinash.wordpress.com/?p=1017</link>
<pubDate>Fri, 25 Apr 2008 02:13:12 +0000</pubDate>
<dc:creator>pravinash1</dc:creator>
<guid>http://pravinash.gu.wordpress.com/2008/04/25/%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a5%e0%aa%a8%e0%aa%be/</guid>
<description><![CDATA[પ્રાર્થના જીવનનું ગાન છે.
પ્રાર્થના શ]]></description>
<content:encoded><![CDATA[<p>પ્રાર્થના જીવનનું ગાન છે.</p>
<p>પ્રાર્થના શ્વાસ માટે પ્રાણવાયુ છે.</p>
<p>પ્રાર્થના નિરાધારનો આધાર છે.</p>
<p>પ્રાર્થના અંતઃકરણ શુધ્ધ કરવાનો સાબુ છે.</p>
<p>પ્રાર્થના પ્રભુ તરફ સરવાનો સરળ માર્ગ છે.</p>
<p>પ્રાર્થના લોહીના દબાણનો રામબાણ ઈલાજ છે.</p>
<p>પ્રાર્થના 'સ્પેર વ્હીલ' નહી 'સ્ટિયરીંગ વ્હીલ' છે.</p>
<p>પ્રાર્થના એ પ્રભુ પાસે ભીખ માગવાનો વાટકો નથી.</p>
<p>પ્રાર્થના મારફત ક્યાંય પણ વિના તકલીફે જઈ શકાય છે.</p>
<p>પ્રાર્થના જીવનનું અવિભાજ્ય અંગ છે.</p>
<p>આંખ બંધ કરી શાંત મને કરેલી પ્રાર્થના પ્રભુ જરૂરથી સાંભળે છે.</p>
<p>પ્રાર્થનામા માગણી નહી શાણાગતિ હોવી જરૂરી છે.</p>
<p>પ્રાર્થનાની કોઈ ભાષા નથી.</p>
<p>ઓમ શાંતિઃ શાંતિઃ શાંતિઃ</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[Old AGE]]></title>
<link>http://pravinash.wordpress.com/?p=1016</link>
<pubDate>Wed, 23 Apr 2008 03:15:03 +0000</pubDate>
<dc:creator>pravinash1</dc:creator>
<guid>http://pravinash.gu.wordpress.com/2008/04/23/old-age/</guid>
<description><![CDATA[     દરેક બાળકને જીવનના તબક્કાઓમાંથી પ]]></description>
<content:encoded><![CDATA[<p>     દરેક બાળકને જીવનના તબક્કાઓમાંથી પસાર થવું પડે છે. માત્ર<br />
એકજ રસ્તો એવો છે કે જો ત્યાં વળી જાય તો બુઢાપામાંથી બચી જાય.<br />
અને એ જગજાહેર માર્ગ છે મૃત્યુનો.<br />
    <br />
     બુઢાપો તેની સાથે ઘણી ઘણી વસ્તુઓ લઈને આવે છે. માન ન માન<br />
મૈં તેરા મહેમાન. આંખે ઝાંખપ, કાન કાનપુર, કેડે ચસકો ને ચાલ ડગમગ.<br />
ખેર, આનાથી તો છૂટકો ન થાય. કિંતુ સાથે લાવે છે, ડહાપણ, કોઠાસૂઝ,<br />
વિવેક, અનુભવ અને બીજા અગણિત ગુણો. સુંદર સંસ્કારી કુટુંબ તો તેના<br />
મીઠા મીઠા ફળ છે.<br />
    </p>
<p>      એક વસ્તુ જે મને હૈયા સોંસરવી ઉતરી ગઈ તે આ ખાનગી વાત છે.<br />
જો જો જહેરમા તેની ચર્ચા કરશો નહી. 'બુઢાપા સાથે ગરીબી ન હોવી<br />
જોઈએ.' હવે એ તો કોઈના હાથની વાત નથી. આખી જીંદગી મહેનત કરી<br />
કુટુંબ અને સંસારની ગાડી ચલાવી તેનું શુભ પરિણામ આવ્યું.</p>
<p>       ખેર , ગરીબીની વ્યાખ્યા અલગ અલગ હોઈ શકે. જો સંતોષ ધન આવે<br />
તો ભલભલા કુબેર ની વિસાત નથી. જો જીવન જરૂરિયાત પર નિયંત્રણ હોય<br />
તો માણસ અંત કાળે ખૂબ ધનિક છે. વાચા અને વર્તન નિર્લેપ હોય, સંસાર<br />
અસાર છે અને ત્યાગ તરફ વળે તો ધન એ શું ચીઝ છે. બાકી બાપ કરતા<br />
બેટા સવાય એ ઉક્તિ પ્રમાણે બાળકો માબાપ કરતા ચડિયાતા એ તો ગૌરવ<br />
અનુભવવા જેવી વાત છે.બાકી તો સહુને વિદિત છે.</p>
<p>             પીપળ પાન ખરંતા હસતી કુંપળિયા<br />
             મુજ વીતી તુજ વિતશે ધીરી બાપલિયા</p>
<p>       બાપ કરતા બેટા સવાયા, એ ઉક્તિ અનુસાર બાપા બેટા કરતા તો પૈસે<br />
ટકે બેટા કરતા તો પાછળજ રહેવાના. એ તો કોઈ પણ માતા પિતા માટે ખૂબ<br />
ગૌરવની વાત છે. માબાપે જ્યારે પોતાના તન, મન અને ધન ખર્ચ્યા હશે<br />
ત્યારે બળક પોતાની મહેનત અને ઈશ્વરની કૃપાથી આજે તેણે આ સ્થાન પ્રાપ્ત<br />
કર્યું હશે. મારું માનજો કોઈ પણ બાળક આ વાત ભૂલતું નથી. હા , આજુબાજુનું<br />
વાતાવરણ તેને ગમે તેટલા ધમપછાડા કરી બદલાવવા માગે તો તે સઘળા<br />
પ્રયત્નો નિષ્ફળ નિવડે છે.<br />
   </p>
<p>     બાકી બુઢાપામા બાળક દિકરો હોય કે દિકરી માબાપને સમાન પ્રેમ કરે છે.<br />
હા, પ્રેમનું પ્રદર્શન અલગ તરી આવે એ સ્વાભાવિક છે. તે હું દાવા સાથે કહી<br />
શકું. પછી તે ભારતમા હોય કે અમેરિકામા કોઈ તફાવત નથી. બાકી બુઢાપો<br />
જો આવે તો તેને કેમ દિપાવવો તેની તૈયારી પહેલો સફેદ વાળ દેખાય ત્યારથી<br />
કરવો તે કહેવું અતિશયોક્તિ ભરેલું નથી. એવું મારું માનવું છે,બાકીતો---------</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[વેદ   અંતે------------]]></title>
<link>http://pravinash.wordpress.com/?p=1012</link>
<pubDate>Fri, 18 Apr 2008 03:26:47 +0000</pubDate>
<dc:creator>pravinash1</dc:creator>
<guid>http://pravinash.gu.wordpress.com/2008/04/18/%e0%aa%b5%e0%ab%87%e0%aa%a6-%e0%aa%85%e0%aa%82%e0%aa%a4%e0%ab%87/</guid>
<description><![CDATA[                                                   ]]></description>
<content:encoded><![CDATA[<p>                                                   પ્રજ્ઞાનમ બ્રહ્મન                             આત્મ જ્ઞાન બ્રહ્મન છે<br />
                                                     તત ત્વમ અસિ                             તે તું જ છે<br />
                                                     અયં આત્મ બ્રહ્મન                         આ આત્મા બ્રહ્મન છે<br />
                                                    અહં બ્રહ્માસ્મિ                                  હું બ્રહ્મન છું<br />
       હું અને ભગવાન એક છીએ. આત્મા સો પરમાત્મા. આત્મા પમાત્માનો<br />
અંશ છે. વેદાંત વારંવાર ઉચ્ચારે છે. અહંકાર ત્યજો. અભિમાન શાને કાજે?<br />
અજ્ઞાનના અંધકારનો પીછો છોડાવી ,જ્ઞાનના પ્રકાશમા આવો. સર્વત્ર માત્ર<br />
આનંદ હી આનંદ જણાશે.<br />
     હું શરીર મન અને બુધ્ધિ છું. આ પૃથ્વી પર દરેક પદાર્થ નું વિભાજન અણુ<br />
પરમાણુ મા પરિવર્તન પામે છે. બીજમાંથી વૃક્ષ બને છે. એજ વૃક્ષના ફળ<br />
નવા બીજ આપવા શક્તિમાન બને છે. માનવ વંશ વૃધ્ધિકરે છે. કદીય કોઈ<br />
માતાની પ્રસુતિ નિહાળી છે. એ ઘડી ,એ ક્ષણ અલૌકિક છે જ્યારે એક માતા<br />
પોતાના ઉદરેથી પોતાનીજ પ્રતિકૃતિ ને અવતરણ કરે છે. માનવ અનંત<br />
શક્તિનો પુંજ છે.<br />
       આધ્યાત્મિકતાથી રંગાયેલ માનવ સ્વતંત્ર છે. શરીર ,મન ,બુધ્ધિથી પર<br />
થઈ અંતરમા નજર ઠેરવે છે. આસક્તિ ક્યા અને કેટલા પ્રમાણમા રાખવી તે<br />
વિવેક બુધ્ધિ દ્વારા વિચારે છે. સ્વને ઓળખી , સાચાખોટાનું નિયમન કરવાની<br />
ક્ષમતા પામે છે.<br />
        પ્રેમને સિમિત ન રાખતા તેને વિશાળતા બક્ષે છે. સમભાવે સર્વને પ્રેમની<br />
લહાણી કરે છે. મારા તારાના સિમાડામાંથી નિકળી ગગન ગોખે વિહરે છે. બસ<br />
આપો. શંકા નાબૂદ થાય છે. સમદૃષ્ટિ કેળવે છે. ઉંચ નીચનો ભેદ નાબૂદ થાય<br />
છે. સહુમા સમતા ભાવ ધરી જીવન ગુજારે. હમેશ મીઠી વાણી વહાવે. જીહવા<br />
પર સંયમ દાખવે. કોઈનો તિરસ્કાર યા અપમાન તો સ્વપનામા પણ ન કરે.<br />
બસ પ્રેમની ગંગા વહાવે. આદર યા અનાદર બને તેને માટે સમાન હોય.<br />
આધ્યાત્મિકતા પ્રવેશે, સર્વત્ર આનંદ હી આનંદ જણાય, ફેલાય. ચીંતા<br />
વિદાય થાય. નિરાશા કદી ન ઢૂકે. આનંદ અને ખુશી કલ્યાણના માર્ગ ની<br />
મશાલ બને. મારગ મંગલ મય બને. બસ સર્વત્ર સહુનુ મંગલ થાય.<br />
    તમસ , આળસ વિદાય લેશે. માનવ ઈશ્વરનો અંશ છે. ઇશ્વર સર્વ<br />
માનવની અંદર સમાન છે. બહાર શોધવા માટે ફાંફા ન મારો. જ્ઞાન<br />
સ્વયં પ્રકાશિત છે. સમગ્ર સૃષ્ટિ ને નિહાળવાની દૃષ્ટિ ફેરવાઈ જશે.<br />
વેદાંતનો અભ્યાસ જીવનમાં આનંદની ગંગા વહાવવા સમર્થ છે.</p>
<p>ઓમ શાતિઃ શાંતિઃ શાંતિઃ</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[ વેદ ની જાણકારી]]></title>
<link>http://pravinash.wordpress.com/?p=995</link>
<pubDate>Thu, 10 Apr 2008 00:37:13 +0000</pubDate>
<dc:creator>pravinash1</dc:creator>
<guid>http://pravinash.gu.wordpress.com/2008/04/10/%e0%aa%b5%e0%ab%87%e0%aa%a6-%e0%aa%a8%e0%ab%80-%e0%aa%9c%e0%aa%be%e0%aa%a3%e0%aa%95%e0%aa%be%e0%aa%b0%e0%ab%80/</guid>
<description><![CDATA[           &#8217;ઓમ્ ની તાકાતથી વાચક મિત્રો ]]></description>
<content:encoded><![CDATA[<p>           'ઓમ્ ની તાકાતથી વાચક મિત્રો પરિચિત છે. જ્યારે ધ્યાનની સ્થિતિ<br />
પર પહોંચી જઈએ ત્યારે ઓમ પણ સરી જાય છે. ધ્યાન માં બેસવા માટે જગ્યા<br />
શાંત જોઈએ. વહેલી સવારે ધ્યનમાં બેસવું ઉચિત છે. તેના માટે બને ત્યાં સુધી<br />
એકજ જગ્યા નિશ્ચિત કરવી. કસરત અને યોગના આસન દ્વારા શરીરને સમતોલ<br />
રાખવું. પ્રાણાયમ, કપાલભાંતિ અને અનુલોમ-વિલોમ દ્વારા શ્વાસનું સંચાલન<br />
સયંમિત રાખવું. શાંત ચિત્ત, જપક રવાની આદત માર્ગ સરળ બનાવે છે. ૪ થી<br />
૬ વાગ્યાનો સમય, ભોર એ ધ્યાનમાં બેસવાની ઉત્તમ પળ. સતત અભ્યાસી<br />
માનવ મનવાંછિત ફળ મેળવે છે. તેને પોતા વીશે જ્ઞાન પ્રાપ્ત થાય છે.</p>
<p>             આત્મ સાક્ષાત્કાર પામનાર વ્યક્તિની વાસના મરી પરવારે છે.તે આ<br />
જગતના બંધનમાંથી મુક્તિ મેળવે છે. શરીર, મન ,બુધ્ધિના બંધનમાંથી મુક્તિ<br />
પામે છે. જાગ્રત, સ્વપ્ન અને શુષુપ્તિ અવસ્થા આત્મનમાં સ્થિર થાય છે. માનવ<br />
કુદરતની સાથે લીન બને છે. આ સરલ નથી વેદાંતનો અભ્યાસ શક્ય જરૂર બનાવે<br />
છે. માનવ શુધ્ધ પવિત્ર સ્થિતિ પર પહોંચે છે. કુદરતની સાથે આત્મીયતા અનુભવે<br />
છે. અણુ, પરમાણુ, પાવનતા, કિરતારની સંગે સુસંગત બને છે. શાશ્વતતામાં સરી<br />
પડે છે. સર્વ ભેદ ખરી પડી ઈશ્વરમા લીન બને છે. અપાર શક્તિનું અવતરણ થાય<br />
છે.<br />
     માનવ શાશ્વત શાંતિ અને આનંદનો અધિકારી બને છે. શારીરિક લાગણી કે મન,<br />
ચિત્ત અને બુધ્ધિમાં માત્ર પરમ આનંદનો પાદુર્ભાવ જણાય છે. ઝરણું નદી બને અને<br />
સાગરમાં સમાઈ કેમ પોતાનું અસ્તિત્વ વિલીન કરે તેમ. તેના મીઠા જળ ખારા બને<br />
છતાંય કેવી ચરમ સીમાનો અન્ય્ભવ કરે છે. ગુણોમાં અવિરત વૃધ્ધિ પામે. દુર્ગુણતા<br />
નાશ કરવાનું સામર્થ્ય મેળવે. માત્ર સુંદરતા અને સઘળે મંગલતાનું પ્રસરણ.</p>
<p>                 ધર્મના અનેક પાસા છે. સ્વધર્મ ને અપનાવવો. પરધર્મ ભયાવહ. સ્વના પૃથક્ક-<br />
રણ દ્વારા સારા નરસાનું ભાન થાય. ખૂબજ ઝીણવટ પૂર્વક તેની છણાવટ કરી તેનું પાલન.<br />
સૂપડાની જેમ ' સાર સારકો ગ્રહી રહે થોથા દેય ઉડાય'. અને હંસની જેમ નીર ક્ષીર અલગ<br />
કરી શકે. ધર્મ એ આચરણ છે. તે શારીરિક અને બૌધ્ધિક બંધનોમા જકડાય નહી. જ્ઞાનયોગ,<br />
કર્મયોગ કે ભક્તિયોગ જે પણ માર્ગ અનીકુળ આવે , બસ આગે બઢો. ભૌતિકતા, સાધન<br />
સંપન્નતા ધર્મના કામમા રોડા ન નાખી શકે. મન અને બુધ્ધિને પવિત્ર બનાવવા એ ધર્મનું<br />
કાર્ય છે. વેદાંતના અભ્યાસથી અનાસક્તિનો ગુણ દ્રઢ બને છે.<br />
કુદરતનો કાયદો અફર છે. તેના નિયમો સરળ છે. તેમાં કોઈ બાંધ છોડને સ્થાન જ<br />
નથી. રાત- દિવસ, સવાર-સાંજ, પૂનમ- અમાસ, ઠંડી- ગરમી. વ્યક્તિ, સમાજ અરે<br />
સમગ્ર સૃષ્ટિ એ નિયમોનું સનાતન કાળથી પાલન કરતી આવી છે.આ નિયમો સમષ્ટિને<br />
એક સમાન લાગુ પડે છે. આ કુદરતનો કાયદો તેનું બીજું નામ "ભાગ્ય". આ છે કર્મનો<br />
સિધ્ધાંત. ભૂતને કારણે વર્તમાનનું નિર્માણ અને તે ખોલે ભવિષ્યના અજાણ દરવાજા.</p>
<p>વધુ-------------------------------</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[VEDA--------------]]></title>
<link>http://pravinash.wordpress.com/?p=994</link>
<pubDate>Tue, 08 Apr 2008 15:51:52 +0000</pubDate>
<dc:creator>pravinash1</dc:creator>
<guid>http://pravinash.gu.wordpress.com/2008/04/08/veda-8/</guid>
<description><![CDATA[             ત્યાગને આપણે સામાન્ય રીતે ત]]></description>
<content:encoded><![CDATA[<p>             ત્યાગને આપણે સામાન્ય રીતે ત્યજવું એવો અર્થ કરતા હોઈએ છીએ.<br />
વેદાંત આપણને તેનો સાચો અર્થ સમજાવે છે. ઘર છોડી વનમા જાવ એમ<br />
તે નથી કહેતું. માલમિલકત નો ત્યાગ કરવો. ના. માલિકિ યા ખુશી ત્યજી<br />
જીવન જીવવાની વેદ સાફ ના પાડે છે. રોજબરોજના કાર્યમાંથી મુક્તિ નહી.<br />
જવાબદારી છોડી જીવવું તેને વૈરાગ્ય ન કહેવાય. વૈરાગ્ય એટલે આસક્તિ<br />
છોડવી.<br />
      તેન ત્યક્તેન ભુજિંથા. ત્યાગીને ભોગવો. 'ભોગ અને આનંદ ' યોગ અને<br />
ધ્યાન સમાન છે. એમ વેદાંત પૂરાવા સાથે કહે છે. ધારોકે તમે ભર નિંદરમાં<br />
છો. સ્વપ્ન સૃષ્ટિમા વિહાર કરો છો. અચાનક તમને સાપ કરડ્યો અને નિંદમા<br />
તમારું મૃત્યુ થયું. ક્રિયાપાણી સગાવહાલાએ કર્યા. સવાર પડી અને પત્નીની<br />
બૂમ સંભળાઈ. ઉઠો, કેટલું હજી સુવુ છે. શું આજે નોકરી પર રજા પાડવાની<br />
છે? અને તમે પથારી છોડી. ઈચ્છા અને કામનાઓ પર સંયમ એટલે ત્યાગ.<br />
કર્મયોગ,જ્ઞાનયોગ અને ભક્તિયોગ દ્વારા ત્યાગની ભાવના જન્મ પામે છે.ધ્યાન<br />
અને ચિત્તની એકાગ્રતા ઈચ્છાઓ પર અંકુશ દ્વારા સરળતાથી પ્રાપ્ત કરાય છે.<br />
યોગની સાધના દ્વારા આત્મનિરિક્ષણનો રસ્તો સુગમ બને છે.<br />
               ધ્યાન દ્વારા માનવ શુક્ષ્મ બુધ્ધિથી પરમ તત્વને પામવા શક્તિમાન<br />
બને છે. એમ વેદ પુકારી, પુકારીને કહે છે.આ સૃષ્ટિનુ નિર્માણ માનવ વિચારોનું<br />
ફળ છે. જો આપણે વિચારો પર નિયંત્રણ કરી શકીએ તો દુનિયા પર આધિપત્ય<br />
સહેલાઈથી મેળવી શકાય. આ દેખાય છે તેટલો સરળ પથ નથી. કિંતુ માનીએ<br />
છીએ તટલું કઠીન પણ નથી. કોઈ પણ એક મંત્રનું સતત રટણ અને શ્વાસ ઉપર<br />
ધ્યાન કેંદ્રીત કરો. પ્રયત્નથી માનવ શું નથી કરી શકતો! 'જપ' સાધનાનો રસ્તો<br />
સરળ બનાવે છે. પછી તમને જેનામા શ્રધ્ધા હોય.કોઈ ફરક પડતો નથી.<br />
           ચિત્ત એકાગ્ર થાય અને સાધનાને શિખરે બિરાજીએ ત્યારે મંત્ર યા જાપ પણ<br />
ખરી પડે છે. અંતે જે દશા પ્રાપ્ત થાય તે લખવા કે વાંચવાની દશા નથી હોતી.<br />
અનુભવવાની અવસ્થા છે. જેનું અલૌકિક વર્ણન કરવું નામુમકીન છે. ત્યારે જીવની<br />
"અંતર યાત્રા" શરૂ થાય છે. જે ગુઢ છે. અવર્ણનીય છે. બુધ્ધિપૂર્વક કરેલો પ્રયત્ન<br />
જીવનમા સાધના અને સફળતાને વરે છે. સંયમ , વર્તન પર અંકુશ, સજાગરીતે<br />
વહેતો વિચારોનો પ્રવાહ, એકાગ્રતા એજ તો ધ્યાન છે. ધ્યાનમા ચિત્ત કેન્દ્રીત એ<br />
આધ્યત્મનું અંતિમ લક્ષ્ય છે. તેને માટે પ્રયત્નથી મગજને કેળવવું આવશ્યક છે.<br />
દુન્યવી વિચારોમા રચ્યાપચ્યા રહેવું માત્ર સ્વાર્થી વિચાર શૈલી એ પ્રગતિના માર્ગના<br />
બાધક છે. વિચાર શૂન્ય સ્થિતિ પ્રાપ્ત કરવી. "ઓમ્" નું ઉચ્ચારણ સમગ્ર બદનમાં<br />
ચેતના ફેલાવે છે. 'અ' 'ઉ' અને 'મ'ની અંદર સમસ્ત ભાષા સમાયેલી છે. જાગ્રત્'<br />
સ્વપ્નસ્થ અને શુષુપ્તિ ત્રણે અવસ્થા 'અ' ' ઉ' અને 'મ'ની અંદર સમાયેલી છે.<br />
           વેદાંતનો અભ્યાસ સતત તેનો આગ્રહ રાખે છે. જેમા "ઈશ્વર"નું નામ અને<br />
સંકેત છે.</p>
<p>વધુ--------------</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[    Study Veda in short]]></title>
<link>http://pravinash.wordpress.com/?p=993</link>
<pubDate>Sun, 06 Apr 2008 22:52:05 +0000</pubDate>
<dc:creator>pravinash1</dc:creator>
<guid>http://pravinash.gu.wordpress.com/2008/04/07/study-veda-in-short/</guid>
<description><![CDATA[      
      મુખ્ય ચાર વેદ છે. ઋગ્વેદ, અથર્]]></description>
<content:encoded><![CDATA[<p>      </p>
<p>      મુખ્ય ચાર વેદ છે. ઋગ્વેદ, અથર્વવેદ, યજુર્વેદ અને સામવેદ. જાગ્રત અવસ્થા, સ્વપ્નાવસ્થા અને સુષુપ્તિ એ સર્વેમા<br />
આત્મા શુધ્ધ છે. સ્થૂળ શરીર વર્તમાન, ભૂત અને ભવિષ્ય ત્રણેયમા સમાન છે.જે પવિત્ર છે. ત્રણે અવસ્થા ખુદ તેનૉ અર્થ સમજાવે<br />
છે. દરેકની વ્યવથા સતત છે. તો પ્રશ્ન થાય હકિકત શું છે. જે સ્વને ઓળખ્યા પછી પ્રાપ્ત થાય છે. તેછે તુર્ય અવસ્થા. અતિ કઠીન<br />
છે. જ્યાં શરીર , લાગણીકે બુધ્ધિ દ્વારા પહોંચવું મુશ્કેલ છે. તુર્ય અવસ્થા આનંદમય છે. અનંત આનંદમય.<br />
ચાર પ્રકારે તેનુમ જ્ઞાન પ્રાપ્ત થાય. ૧. પ્રત્યક્ષ ૨. અનુમાન યા અભિપ્રાય ૩. ઉપમાન ૪. આગમ. પોતાને વિશે<br />
જ્ઞાન પ્રત્યક્ષ મળવું મુશ્કેલ છે. કિંતુ અનુમાન અને ઉપમાન દ્વારા યા સરખામણી અને વ્ય્વહાર દ્વારા તે જ્ઞાન પ્રાપ્ત થાય. રિવાજો<br />
મારફત તેની થોડી ઘણી જાણકારી મળી શકે. માનવ પોતાની આંતરિક શક્તિ અને કોઠા સૂઝ દ્વારા ઘણું પ્રાપ્ત કરી શકે છે. રિતીરિવાજો<br />
ન વમળમા સપડાયેલ માનવ રોજબરોજની જીંદગી આસાનીથી જીવી શકે છે. કિંતુ જીવામા કંઈક કરી છૂટવા મરજીવા બનવું જરૂરી છે.<br />
કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ દ્વારા માનવ વાસના પર વિજય પ્રાપ્ત કરી પ્રભુને મેળવવા શક્તિમન અની શકે છે. વેદાંત<br />
એવા પૂરાવાથી ભરેલું છે. તેના અભ્યાસ દ્વારા પ્રભુમા થવાની ક્ષમતા માનવ ધરાવી શકે છે. યોગ અને સાધના દ્વારા માનવ વાસનાની<br />
નાબૂદી અહ્ંનું વિલિનીકરણ કરવા સમર્થ બને છે. ભગવદ ગીતા આપણી સમક્ષ ત્રણ રાસ્તા ખોલી રાહ દર્શાવે છે. અંધશ્રધ્ધા અને<br />
માન્યતા ને સહારે પાંગરેલી ભક્તિ પાંગળી છે. 'ભક્તિ એટલે ભીતિ નહી'. ભક્તિ અંતરમાંથી ઉદભવે. બક્તિનું ઝરણું પવિત્ર હોય.<br />
ભક્તિમા આસક્તિ ન હોય. ગીતા નો બારમો અભ્યાય ભક્તના લશણ ખૂબ સુંદર રીતે વર્ણવે છે. ભક્તિનું પ્રથમ ચરન છે 'ભગવાનમા'<br />
અટૂટ શ્રધ્ધા. આત્મ સમર્પણની ભાવના. માનવ અજ્ઞાનથી ભરપૂર છે. સ્વાર્થવૃત્તિથી ભરપૂર ભક્તિ મલિન છે. પવિત્ર, નિ;સ્વાર્થ અને<br />
દૈવી શક્તિથી અરેલી ભક્તિ પવિત્ર છે. સત્ય અને અસત્ય વચ્ચે ઝોલા ખાતો માનવી , અજ્ઞાનથી બરપૂર માનવ જ્ઞાનના અગ્નિમા<br />
બાળી ભક્તિ ને પાવન બનાવે છે.<br />
વિવેકપૂરક બુધ્ધિ દ્વારા મેળવેલુમ જ્ઞાન. સતત બદલાતી જતી દુનિયામા રહેતો માનવ. વિવેકપૂર્ણ નિયમોનુ પાલન. સાચા ય<br />
ખોટા માર્ગ વચ્ચેઓ ભેદ. ઉત્સાહ પૂર્વકનું કાર્ય. ચીંતા અને ઉદ્વેગ વગરનું કાર્ય. નિઃસ્વાર્થ કાર્ય. વેદાંતનો અબ્યાસ આ બધું સરળતા<br />
પૂર્વક સમજાવે છે.<br />
વધુ---------------</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[             વેદનો  અભ્યાસ-----------------]]></title>
<link>http://pravinash.wordpress.com/?p=992</link>
<pubDate>Sat, 05 Apr 2008 13:49:00 +0000</pubDate>
<dc:creator>pravinash1</dc:creator>
<guid>http://pravinash.gu.wordpress.com/2008/04/05/%e0%aa%b5%e0%ab%87%e0%aa%a6%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%85%e0%aa%ad%e0%ab%8d%e0%aa%af%e0%aa%be%e0%aa%b8/</guid>
<description><![CDATA[              
 
 
       ધર્મ  શુધ્ધ  અને  પવ]]></description>
<content:encoded><![CDATA[<p>              </p>
<p> </p>
<p> </p>
<p>       ધર્મ  શુધ્ધ  અને  પવિત્ર  છે.  ધર્મ  આંતરિક  છે.  એ  ઠાંસી  ઠાંસીને</p>
<p>      ભરેલો નથી. ધર્મ  ઈચ્છા  અને  કાર્યનું  પ્રેરક  બળ  છે. સ્વ પ્રત્યેનું  અજ્ઞાન</p>
<p>     દુઃખ અને  પરેશાની  ઉત્પન્ન  કરે  છે. હ્રદયમા નજરને  ઠેરવો, અજ્ઞાનના  વાદળ</p>
<p>     હટી  જશે  અને  આનંદની  અનુભૂતિ  થશે. આજનો  કહેવાતો "ધર્મ"  સમગ્ર</p>
<p>     માનવ જાતને  અવળે  રસ્તે  દોરી  રહ્યો  છે.  એનું  પરિણામ  આપણે  સર્વે  જોઈ</p>
<p>      રહ્ય  છીએ  અને  ભોગવી  રહ્યા  છીએ. ધર્મ  ને  ખરા  અર્થમા  જાણો, પહેચાનો<br />
 <br />
       અને  અમલમા  મુકો. આપણી  નિઃસ્વાર્થ  ચિત્તવૃત્તિની  એરણ  ઉપર  તેને  કસી</p>
<p>       તેને  સાત્વિક  બનાવી  અનુસરો. </p>
<p>        કહેવાતા  ધર્મગુરૂઓની  પ્રતિભા,  કથા  કરવાની  શૈલીનો તેમા  ભળસેળ ન</p>
<p>       કરો. પુસ્તકો, ગ્રંથોના  અભ્યાસ  દ્વારા  અંતરની  આરસીના  ડાઘ  દૂર  કરો. સ્ત્યનું</p>
<p>       પાલન  અને  સ્વાર્થવૃત્તિનો  ત્યાગ એ  ધર્મના અમૂલ્ય  સંદેશને  બધિર  કર્ણપટે સંગીત</p>
<p>       સમ  ગુંજવા  દો.  તેના સત્યને  આચરણમા  ઉતારો.  કોઈ પણ  જાતના વિચારોની</p>
<p>       મલિનતા તેને  ન  સ્પર્શે  તેની  સંભાળ  લો. વહેમને  મિલાવી  તેને  કદરૂપતા  ન</p>
<p>        અર્પો.  ધર્મ  પવિત્ર, શાંત , આનંદમય અને અનંત  છે. ઈશ્વર  સર્વત્ર  છે.</p>
<p>     સર્વવ્યાપિ  છે. સર્વમા  એક સરખો  છે. અવર્ણનીય  છે. અનંત છે. આત્મા,<br />
    <br />
     પરમાત્માનો  અંશ  છે. આત્મન એ જ  બ્રહ્મન છે.આપણે  દાવા  સાથે  બીજાને</p>
<p>        જાણીએ  છીએ  તે  કહી  શકીએ  કેવી રીતે ?જ્યાં  આપણે  ખુદ  સ્વને પણ</p>
<p>        જાણવા  શક્તિમાન  નથી. કોઇની  પણ  ત્રુટિઓ  શોધતા  પહેલા  સ્વની ત્રુટિ</p>
<p>         પ્રત્યે  જાગૃતતા  કેળવો. કાળા  ચશ્મા પહેરીને  જગને  નિરખશું  તો  આખું</p>
<p>         જગ  કાળું  વરતાશે.નરી  આંખે  કોઈપણ  જાતના પક્ષપાત  વગર  નિહાળો.</p>
<p>      સૃષ્ટિ  સૌંદર્યથી   ભરપૂર  જણાશે. કુદરતની  કરામત  નિહાળતા, તેના રસ<br />
 <br />
          પ્રત્યે  પ્રેમ  છલકાશે.</p>
<p>        હર હંમેશ  બહાર  સુખને  ખૉળવા  મથતો  માનવ  કદી  બે  પળ હ્રદયમા</p>
<p>          નજર ઠેરવે  તો  સુખ અને  શાંતિ પ્રાપ્ત  કરવામા સફળતાને  વરશે. સ્વની</p>
<p>          બુધ્ધિ  અને  દિમાગ  ચકાસો.સત્યને  વળગી રહો. આધ્યાત્મિક  વાચનની</p>
<p>         આદત  કેળવો. ધર્મના  પુસ્તકનો નિયમિત અભ્યાસ. કોઈ  પણ  ધર્મનું</p>
<p>         પુસ્તક  ખોટામાર્ગે  જવાનું  શિક્ષણ  નથી  આપતું.મર્કટ મનવાળો  માનવ</p>
<p>         તેના  ઉંધા  અર્થ  તારવી  દુનિયામા  અશાંતિ  અને  હિંસા  ફેલાવે  છે.</p>
<p>      કોઈ  પણ  ધર્મ જોરજુલમ  અને  કત્લેઆમને  પ્રોત્સાહિત  કરતો  નથી.<br />
 <br />
      પછી તે  હિંદુ, મુસ્લિમ, જૈન , શીખ કે  ઈસાઈ  હોય. સ્વનું  નિરિક્ષણ</p>
<p>          આત્માની  ઓળખ  આસાનીથી  કરાવવા  શક્તિમાન  છે. સાચા ખોટાનું</p>
<p>           જ્ઞાન  પ્રાપ્ત  થશે.</p>
<p>          સ્વ  પ્રત્યેની  જાગૃતિ આમા સફળતા  અર્પશે. જાગૃત  અવસ્થાના ત્રણ</p>
<p>             પ્રકાર  વેદમા  દર્શાવ્યા  છે. જાગૃત  અવસ્થા. સ્વપ્ન  અવસ્થા, સુષુપ્ત</p>
<p>              અવસ્થા.</p>
<p>               વધુ------------------</p>
<p>        <br />
                        </p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[            વેદ  શાકાજે-]]></title>
<link>http://pravinash.wordpress.com/?p=991</link>
<pubDate>Fri, 04 Apr 2008 01:28:57 +0000</pubDate>
<dc:creator>pravinash1</dc:creator>
<guid>http://pravinash.gu.wordpress.com/2008/04/04/veda-7/</guid>
<description><![CDATA[               વેદાંતનો  અભ્યાસ  ચારિત્ર]]></description>
<content:encoded><![CDATA[<p>               વેદાંતનો  અભ્યાસ  ચારિત્રનુ  ઘડતર કરે છે. સ્વને કેન્દ્રમાં  રાખીને  કરેલા  કાર્યનુ<br />
         પરિણામ  એટલે  દુ;ખ  અને  ચીંતા. વેદાંત  ભય સ્થાનોથી  સાવચેત  કરી  બુધ્ધિને<br />
         યોગ્ય  માર્ગદર્શન  પૂરું  પાડે  છે. પ્રાણીમાત્ર  પર પ્રેમ તેઓ  અર્થ એ તો નહી કે સાપ<br />
         અને કૂતરાને સરખો પ્યાર. કૂતરાને  ઘરમા  રાખિ શકાય  સાપને  નહી. વેદમા  ખૂબ<br />
         સરસ  ઉદાહરણ છે. એક  સાપ ઋષિને  પ્રવચનથી  પ્રભાવિત  થયો. તેણે  લોકોને<br />
         ડસવાનું  છોડી  દીધું. ઋષિતો ચલતા ભલા. એકાદ  મહિના પછી  ગામમા  પાછા<br />
         આવ્યા તો  સાપ  મરણતોલ  દશામા. ઋષિને  નવાઈ  લાગી  સાપને  પ્રેમપૂર્વક<br />
         ખોળામા  લઈ  બધી  વાત  પૂછી. સાપે  પોતાનો  સંકલ્પ  જણાવ્યો. ઋષિને ઘણું<br />
         દુઃખ  થયું કહે' મેં ઉપદેશમાં  કોઈને  દર્દ યા દુઃખ પહોંચાડવાની  મના  કરી  હતી.<br />
         કિંતુ  જો તને  માનવીએ   લાકડીથી  પ્રહાર કરી  તારા  આવા  હાલ  કર્યા તો  તારે<br />
         ફુંફાડૉતો  મારવો  જોઈએ.  તારા ફુંફાડાથી  માનવ સો ગજ  દૂર  ભાગી  જાત.<br />
          </p>
<p>             આ છે  વેદાંતના  અભ્યાસની  સફળતા.  માનવને  વિવેકબુધ્ધિનો  ઉપયોગ કરી<br />
         સાચો  જીવનનો  રાહ  દર્શાવવો. પોતાના  અજ્ઞાનપ્રત્યે  સદા  સચેત  રહેવું. વેદાંત<br />
        નો  અભ્યાસ આશા  અને  નિરાશાની  વચ્ચે  ઝોલા  ખાતા  માનવીને સમતાપૂર્વક દોરી<br />
        શાંતિનુ  પ્રદાન  કરે  છે. મહાવિદ્યાલયની  ઉપાધિ  જાણકારી  પૂરી  પાડે  છે. વેદાંતનો<br />
        અભ્યાસ તેને  સરળ  બનાવી  જીવન  જીવવાની  દિશા દર્શાવે છે. જેમ  સ્વાસ્થય  માટે<br />
       વ્યાયામ  આવશ્યક  છે તેમ  જીવનને  સાચા  અર્થમા  જીવવા  માટે  વેદનો  અભ્યાસ.<br />
       તેનું  પરિણામ  તાત્કાલિક  નથી.પણ  તેની  પ્રતિભા  લાંબાગાળે  આપોઆપ પ્રગટ<br />
       થાય  છે  . તેનાથી  થતી  આંતરિક  વૃધ્ધિ  માનવને દૃઢ  વિશ્વાસ  આપી  મજબૂત<br />
        બનાવી  ધર્મ  શીખવે છે.<br />
      </p>
<p>               ધારયતે  ઇતિ  ધર્મ. ધર્મદ્વારા  માનવ  સતત  આનંદને  પામી  ઉન્નત જીવન<br />
       જીવવાની  આકાંક્ષા  સેવે છે. માનવ  શરીર એટલે આત્મા  અને પાર્થિવ દેહનું  મિલન.<br />
      શરીરની  સંગે સુખ,  દુ;ખ, ભૌતિકતા , સંકળાયેલા  છે. જ્યારે  આત્મા એ શક્તિ અને<br />
      આનંદમય  છે. ભૌતિકતામા  અટવાયેલ  માનવ માર્ગ ભૂલીને  જનમ  મરણમા  અટવાઈ<br />
      માનવ ફેરો  નિર્થક  બનાવે  છે.  માનવના  ત્રણ  સ્વભાવ  છે. સાત્વિક,  રાજસિક<br />
      અને  તામસીક . પાંચ  પ્રકારના  કર્મમા  તે  પ્રવૃત્ત  રહે  છે. કર્મ, જ્ઞાન,  કાર્ય,<br />
      કર્તા  અને બુધ્ધિ.<br />
         </p>
<p>        જેમ  વિજળીના  ગોળામા  વિજળી ન હોય તો કશી જ શક્તિ નથી. તેની  કશી કિમત<br />
    નથી  તેમ  આ  માનવ દેહમાંથી  જો  આત્મા નિસરે  તો આ  ખાલી  ખોખાની શી  વિસાત?<br />
    માનવની  ઈચ્છા અને કાર્યથી  વાસના  ઉદભવે. શારિરીક , આંતરીક, બૌધ્ધિક અને<br />
    લાગણીથી  માનવની પ્રતિભા  તૈયાર  થાય. તેમા  કોનું પ્રાધાન્ય  છે  તે માનવને  ઘડે છે.<br />
    આત્મા  સર્વ વ્યાપક, શુધ્ધ અને  શાશ્વત  છે. તે  સ્વાર્થવિહીન  છે. માનવની  અંદરની<br />
    ભાવના  તેને  યોગ્ય  માર્ગદર્શન  પૂરુ  પાડે  છે,<br />
         તે  પંચકોષનો  બનેલો  છે. અન્નમયકોષ, પ્રાણમયકોષ, મનોમયકોષ,વિજ્ઞાન-<br />
     મયકોષ  અને  આનંદમય કોષ. તેની  ત્રણ  અવસ્થા  છે. જાગૃત  અવસ્થા, સ્વપ્ન<br />
      અવસ્થા  અને  સુષુપ્તિ  અવસ્થા. કિંતુ  આત્માનું  રૂપ  છે  સત્ ,ચિત અને આનંદ.</p>
<p>               વધુ-----------</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[           વેદ શાકાજે------------]]></title>
<link>http://pravinash.wordpress.com/2008/04/03/veda-6/</link>
<pubDate>Wed, 02 Apr 2008 23:11:41 +0000</pubDate>
<dc:creator>pravinash1</dc:creator>
<guid>http://pravinash.gu.wordpress.com/2008/04/03/veda-6/</guid>
<description><![CDATA[  
       કર્મ  અનિવાર્ય  છે. કર્મ  કરવું ]]></description>
<content:encoded><![CDATA[<p>  <br />
       કર્મ  અનિવાર્ય  છે. કર્મ  કરવું એ  દરેક  માનવનો  સ્વભાવ છે. જીવનનું એ<br />
      અવિભાજ્ય  અંગ છે. કર્મ  હરએક  માનવનું  સ્વતંત્ર છે. કર્મનું  ફળ એ કુદરતનો<br />
       નિયમ  છે. જલ્દી કરવું, ચીંતા  કરવી એ દુષણ  સમાજમા  ફેલાયેલું  છે. માનવ<br />
      ધર્મ અને  વેદાંતનો  અભ્યાસ  જીવનના  સંધ્યાકાળે  શરૂ  કરે  છે. ખૂબ  આશ્ચર્યજનક<br />
      છે.વેદાંત  સમજાવવામા  સફળ થયું છે. જીવનનું  સાચું  કાર્ય,સાચી  સમજ,ફરજ<br />
      છતાંય  આપણે  આળસને  અપનાવી  અણમોલ  જીવન  વેડફી  રહ્યા છીએ.</p>
<p>          મન  પરોવીને  કરેલું  કાર્ય  સાચા  નિશાન  તાકી  સફળતા અપાવે  છે.<br />
     જીવનનું  ધ્યેય  હોવુ  જોઈએ  કાર્યની  ઉત્સુક્તા નહી કે  સફળતા યા  પરિણામ.<br />
     જવઆદારી  અને ફરજ એ કાર્યના  પ્રકાર  છે. તેમા  ભૂલચૂકને  સ્થાન  નથી.<br />
     ભૂતકાળનું કાર્ય  આજની  વાસના  બને  છે. વાસના  ભવિષ્યકાળમા  ફેરવાય<br />
        છે. વાસના  કારણ છે, કાર્ય  અસર છે. વાસનાથી  ઉપર ઉઠીને  માનવ યાતો<br />
       પ્રગતિ  સાધે છે.યા  ગળાડૂબ  વાસનામાં  ડૂબી નીચે ને નીચે  સરતો જાય છે.<br />
         <br />
           ગમો અણગમો  માનવીને  પાયમાલ  કરવા માટે  પૂરતા  છે. લાગણીથી યા<br />
       હ્રદયને  કેન્દ્રમાં  રાખી  કરેલા કાર્ય  ધાર્યા  પરિણામ  લાવવા માટે  સફળ  થતા<br />
       નથી.કોઈ  પણ  કરેલા  કાર્યના બેજ  પરિણામ  હોઈ  શકે, સારુ  યા બૂરુ.વેદના<br />
       અભ્યાસમા  ક્યાંય નથી  કહ્યુંકે  સંસાર  છોડો. હા, આસક્તિ નો ઉલ્લેખ અવશ્ય<br />
      છે. હિમાલયમા જાવ કે  સન્યાસ  અપનાવો એમ પણ વેદાંતનો  અભ્યાસ નથી<br />
      કહેતો. વિવેકબુધ્ધિનો ઉપયોગ, તેન પર ભાર  મૂકે  છે. સામાજીક જીવન જીવો.<br />
    આસક્તિ ન  રાખો. સ્વાર્થવૃત્તિનો  ત્યાગ કરો. ત્યાગ  એટલે અહંનો ત્યાગ. દરેક<br />
      કાર્યમા  "હું" પણાની  ભાવના. સત્યનુ  પાલન, અહંનું  નિઃશેષ થવું, સ્વાર્થી<br />
      વૃત્તિને તિલાંજલી  આપવી.</p>
<p>      વેદાંતનો  અભ્યાસ  લાગણીના પૂરનો  સ્તંભ  તરીકે સ્વિકારે છે. નહી કે વમળ.<br />
     લાગણીનો  અભાવ  માનવીની  સમતુલા અને  શાંતિ  છીનવે   છે. લાગણીને<br />
        કેન્દ્રમા  રાખવાને  બદલે  તેને  પરીઘ   બનાવી  તેનું  વિસ્તરણ કુટુંબ, સમાજ,<br />
     દેશ  અને  દુનિયા  સુધી કરી  જુઓ.આસ્તે આસ્તે નહી કે ઝડપથી. સ્વાર્થીપણું<br />
        ત્યજી  નિસ્વાર્થ  બનવું.સ્વને બદલે  અન્યનો  વિચાર.વ્યક્તિને  બદલે સમષ્ટિ<br />
       કાજે. પત્ની  અને  બાળકો પ્રેમ  કરતા  શિખવે  છે. માત્ર  ધીરે ધીરે વિસ્તાર<br />
       વધારવાનો.'સાચા પ્રેમનું' પાલન કરો. સહુનું મંગલ  ઇચ્છો. દયાળુ સ્વભાવ<br />
       એ સાચા પ્રેમની  અભિવ્યક્તિ  છે. અહિંસા  તેનો  એક  પ્રકાર  છે. કોઇને થતી<br />
       પીડાનો  અનુભવ  મનસા  વાચા,  કર્મણા------------</p>
<p>     વધુ   કાલે-----------         </p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[વેદ  શામાટે--------------]]></title>
<link>http://pravinash.wordpress.com/?p=982</link>
<pubDate>Tue, 01 Apr 2008 04:18:39 +0000</pubDate>
<dc:creator>pravinash1</dc:creator>
<guid>http://pravinash.gu.wordpress.com/2008/04/01/ved/</guid>
<description><![CDATA[                                               
  ]]></description>
<content:encoded><![CDATA[<p><a href="http://pravinash.wordpress.com/files/2008/04/ca076hgj.jpg" title="ca076hgj.jpg"><img width="183" src="http://pravinash.wordpress.com/files/2008/04/ca076hgj.thumbnail.jpg" alt="ca076hgj.jpg" height="105" style="width:134px;height:109px;" /></a>                                               </p>
<p>           જીવન એટલે  અનુભવ્ની  હારમાળા. વેદનો  અભ્યાસ  આધ્યાત્મિક</p>
<p>     અને  ભૌતિક  બંને  ભૂખ  સંતોષે  છે. આંતરિક  શાંતિ  બક્ષે  છે અને  સમૃધ્ધિના</p>
<p>      શિખરે  બેસાડે  છે. વેદાંત  આપણું  બંધારણ  સમજાવે  છે. શાંતિ  અને  સુખની</p>
<p>      પ્રાપ્તિ  દ્વારા  આનંદના  અમૃતનુમ  પાન કરાવે  છે. ભૂત, વર્તમાન  અને  ભવિષ્ય</p>
<p>      કેમ  જીવાય  તેની પધ્ધતિસરની  જાણ  કરાવે  છે. મનુષ્ય  એટલે આત્મા  અને</p>
<p>       પાર્થિવ  દેહનુ  મિલન  સ્થાન. આત્મા એટલે ,મન, બુધ્ધિ અને અહંકારનો  અદૃશ્ય</p>
<p>        ત્રિવેણી  સંગમ. વિજળીના  પ્રવાહની  જેમ અદૃશ્ય  કિંતુ  સર્વત્ર  વરતાય. ત્રણેનુ</p>
<p>         મિલન  સ્થળ  દેહ. તેના  વગર દેહની  કશીજ  કિંમત  નહી. જીંદગી  એના મિલન</p>
<p>         દ્વારા  અનુભવોની  શાળ  પર  વણાતું વણાટકામ. લાગણીથી  ભરપૂર  હૃદય, પાંચ</p>
<p>         જ્ઞાનેન્દ્રિય  અને  પાંચ  કર્મેન્દ્રિય  દ્વારા  સંચાલિત  આ  મધુરુ  જીવન.</p>
<p>        વેદાંત  આ ખૂબ  સુંદર  રીતે  સમજાવવા  સમર્થ  છે. સમગ્ર  માનવજીવન</p>
<p>        વૈવિધ્યપૂર્ણ  છે. તેનું  હરએક  પાસુ નવિનતમ  છે.કોઈ  ઉચ્ચ નથી,  કોઈ</p>
<p>        નીચુ  નથી. સર્વ  સમાન  છે. દરેક  વ્યક્તિ  પોતાના  કર્મ  અનુસાર  જીવન</p>
<p>         જીવે  છે.  જન્મ તેનું મૃત્યુ  નિશ્ચિત છે. દુનિયાનો  ક્રમ  છે  "બદલાવુ." તે</p>
<p>          ક્રમ  અનાદિ  કાળથી  ચાલતો  અવ્યો  છે. તેમા  મીનીમેખ કરવા  ખુદ ઇશ્વર</p>
<p>          પણ  શક્તિમાન  નથી. સુખ  પછી દુખ, અમાસ  પછી  પૂનમ અને ભરતી</p>
<p>         પછી  ઓટ. દરેક  આવી  મળતી  પરિસ્થિતીમાંથી  પસાર  થઈ  આગે  બઢો.</p>
<p>      જ્ઞાન  દ્વારા  સંજોગોમા  પરિવર્તન  લાવી પ્રગતિ  સાધો.આનંદના  અધિકારી<br />
 <br />
          બનો.  આખી  દુનિયા  લડાઈ  ઝઘડામા પ્રવૃત્ત છે. તેનુ  મુખ્ય  કારણ છે<br />
      <br />
           આધ્યાત્મિકતાનો  અભાવ.  અજ્ઞાન  છતાં  જ્ઞાની  હોવાનો  દંભ. આસક્તિ</p>
<p>          તેનું  પ્રમુખ  કારણ  છે.  સત્યને બુધ્ધિનો  આંચળો  ઓઢાડ્યો  છે. જો  ઘેટું</p>
<p>          વાઘનું  ચામડું  પહેરી  વાઘના  ટોળામા  જાય  તો  કેટલીવાર  નિશ્ચિંત  ફરી</p>
<p>          શકે? તમસ , રજસ  અને  સાત્વિક ગુણોનુ  એકબીજામા  પરિવર્તન આસાન</p>
<p>          છે.સ્વની  ઓળખ  પ્રયત્ન દ્વારા  આસાન  છે.કોઈ કાંટાની  વાડ  તેને બાંધી</p>
<p>            ન  શકે. આજનો  સમાજ  સ્વતંત્ર  છે. મરજી પ્રમાણે  જીવે  છે. સત્ય</p>
<p>           જીવનમા  આવશ્યક છે. વેદાંત  ઉપરનું  વાંચન ,મનન અને અંતે  અમલ</p>
<p>            એ  સુખ , શાંતિ  અને  આનંદની  અવધિમા સ્નાન કરાવવા  શક્તિમાન</p>
<p>          છે. જો  સ્વમા શાંતિ  હશે  તોજ  દુનિયામા  તેનો  ફેલાવો  સરળતાથી</p>
<p>          થશે. વેદાંતને જીવનમા  ઉતારો.  સત્યાતા  સભર  જીંદગી  જીવો. જુઓ</p>
<p>          શાંતિ  અને  આનંદનુ  સામ્રાજ્ય  જણાશે.</p>
<p>              વધુ--------------     </p>
]]></content:encoded>
</item>

</channel>
</rss>
