<?xml version="1.0" encoding="UTF-8"?><!-- generator="wordpress.com" -->
<rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	>

<channel>
	<title>દુહા &amp;laquo; WordPress.com Tag Feed</title>
	<link>http://wordpress.com/tag/દુહા/</link>
	<description>Feed of posts on WordPress.com tagged "દુહા"</description>
	<pubDate>Sat, 11 Oct 2008 00:59:38 +0000</pubDate>

	<generator>http://wordpress.com/tags/</generator>
	<language>en</language>

<item>
<title><![CDATA[શુન્ય - સંત મેકણ]]></title>
<link>http://antarnivani.wordpress.com/2007/09/04/shuny_mekan/</link>
<pubDate>Tue, 04 Sep 2007 13:55:22 +0000</pubDate>
<dc:creator>સુરેશ</dc:creator>
<guid>http://antarnivani.gu.wordpress.com/2007/09/04/shuny_mekan/</guid>
<description><![CDATA[નહી શૂન્યમેં વસ્તી, નહીં વસ્તીમેં શૂન]]></description>
<content:encoded><![CDATA[<p align="center"><strong><font color="#ff0000">નહી શૂન્યમેં વસ્તી, નહીં વસ્તીમેં શૂન્ય<br />
મેકા સદગુરુ પાઈએ, અહોનિશ લગી ધૂન.<br />
</font><font color="#0000ff">- સંત મેકણ</font></strong></p>
<p>કચ્છી સંત મેકણ પણ એ જ વાત કરે છે, જે અનેક સંતો વારંવાર, પરાપુર્વથી કહેતા આવ્યા છે.</p>
<p>         જ્યાં શુન્ય છે, ત્યાં કોઈ વસ્તી નથી- અરે! હવાનો એક કણ પણ નથી. અને જ્યાં વસ્તી છે, ત્યાં શુન્યનો અભાવ હોય છે. કાંઈક જ હોય છે. જ્યાં કાંઈક હોય, તે સીમીત બની જાય છે. તે કાઈક જ રહી શકે છે કે થોડું વધારે કાંઈક જ બની શકે છે. શુન્ય હોય ત્યાં સમગ્ર સમશ્ટી હોય છે.</p>
<p>        પણ  આપણે તો કાંઈક જ થવું છે. છીએ તેનાથી થોડાક વધારે - થોડા વધારે ડોલરવાળા, થોડા વધારે મોટા સમાજમાં સ્વીકૃત અને આદરણીય. થોડીક વધારે કીર્તી, થોડુંક મોટું પદ, થોડીક વધારે સત્તા. આપણો પ્રેમ પણ સીમીત. આપણી લાગણીઓ પણ સીમીત. આપણી માન્યતાઓ, આપણા ગમા- અણગમા પણ સીમીત.</p>
<p>   <strong><font color="#0000ff"> પણ સીમીત તે સીમીત. તેમાં શુન્યની મસ્તી ક્યાં?</font></strong></p>
<p>[ સંત મેકણની કચ્છી સાખીઓ ' અનહદની બારી' માંની એક સાખી. ]</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[હે.... કો'ક દિ' કાઠિયાવાડમાં ]]></title>
<link>http://prarthnamandir.wordpress.com/2007/02/27/%e0%aa%b9%e0%ab%87-%e0%aa%95%e0%ab%8b%e0%aa%95-%e0%aa%a6%e0%aa%bf-%e0%aa%95%e0%aa%be%e0%aa%a0%e0%aa%bf%e0%aa%af%e0%aa%be%e0%aa%b5%e0%aa%be%e0%aa%a1%e0%aa%ae%e0%aa%be%e0%aa%82/</link>
<pubDate>Tue, 27 Feb 2007 08:53:56 +0000</pubDate>
<dc:creator>Mehul Shah</dc:creator>
<guid>http://prarthnamandir.gu.wordpress.com/2007/02/27/kokdikathiyavadma/</guid>
<description><![CDATA[સ્વરઃ આશીત દેસાઈ 
હે&#8230;. કો&#8217;ક દિ&#8217; કા]]></description>
<content:encoded><![CDATA[<p>સ્વરઃ આશીત દેસાઈ </p>
<p>હે.... કો'ક દિ' કાઠિયાવાડમાં પણ ભૂલને ભગવાન..રે..<br />
અરે થાને મારો મહેમાન તો તને સ્વર્ગ ભુલાવું શામળા..</p>
<p>શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત,<br />
ચોમાસે વાગડ ભલો, કચ્છડો બારે માસ..!</p>
<p>એ એક રે તંબુરાનો તાર ને બીજી તાતી તલવાર રે..<br />
એક જ વજ્રમાંથી બે ઉપજ્યાં હે તો'ય ક્યાંય ના મેળ મળે લગાર..!</p>
<p>હે..સાચી પ્રીત શેવાળની કે જળ સૂકે સૂકાય..રે.<br />
પણ આ માંયલો હંસલો સ્વાર્થી કે આ જળ સૂકે ઊડી જાય..!<br />
<img src="http://prarthnamandir.files.wordpress.com/2007/03/dayro1.png" alt="dayro1.png" /></p>
<p><a href="http://www.box.net/public/xhmztr76u0"><img border="0" src="http://www.box.net/index.php?rm=box_v2_file_button&#38;text=KokDiKathiyawadMa.mp3&#38;" /></a></p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[લગે પ્રીત કે બાણ  -સંકલિત]]></title>
<link>http://urmi.wordpress.com/2006/12/15/lage_preet_ke_baan/</link>
<pubDate>Fri, 15 Dec 2006 05:16:30 +0000</pubDate>
<dc:creator>ઊર્મિ</dc:creator>
<guid>http://urmi.gu.wordpress.com/2006/12/15/lage_preet_ke_baan/</guid>
<description><![CDATA[ એક વખત ધોમધખતા ઉનાળામાં પાણીના એક ખા]]></description>
<content:encoded><![CDATA[<p> એક વખત ધોમધખતા ઉનાળામાં પાણીના એક ખાબોચિયા પાસે એક હરણ અને એક હરણીના નિશ્ચેત દેહો પડ્યા હતા.  આ દૃશ્ય જંગલમાં ફરી રહેલી બે સખીઓએ જોયું ત્યારે એક સખી બીજી સખીને પૂછે છે:</p>
<p align="center"><strong>ખડા ન દીખે પારધી,<br />
લગા ન દીખે બાણ;<br />
મેં પૂછું તોંસે હે સખી,<br />
કિસ બિધ તજે હૈ પ્રાણ.<!--more--></strong></p>
<p>સખી પૂછે કે આજુબાજુમાં કોઇ શિકારીના સગડ દેખાતા નથી, અને આ હરણાંઓને કોઇ બાણ પણ લાગેલું નથી.  હે સખી, હું તને પૂછું છું કે કેવી રીતે તેઓના પ્રાણ ગયા હશે?  બીજી સખી બહુ જ ચતુર હતી.  વિચારીને આ પ્રમાણે જવાબ આપે છે:</p>
<p align="center"><strong>જલ થોડા નેહ ઘણાં,<br />
લગે પ્રીત કે બાણ;<br />
તૂ પી, તૂ પી, કર રહે,<br />
ઈસ બિધ તજે હૈ પ્રાણ.</strong></p>
<p>હરણ અને હરણી ખૂબ જ તરસ્યાં થયાં હતાં.  કંઠ સુકાતો હતો પરંતુ આ ખાબોચિયામાં બન્ને પી શકે એટલું પાણી હતું નહીં એટલે હરણ કહે છે કે પ્રિયા ! એ પાણી તું પી, અને હરણી કહે છે કે પ્રિય ! તમે પીઓ.  મમતાની અને લાગણીની આ ખેંચતાણ હતી.  પોતે પાણીમાં મોઢું નાખે નહીં અને એકબીજાને આંખોથી અને મોઢું હલાવીને આગ્રહ કર્યા કરે અને આમ તું પી, તું પી કરતાં પ્રાણ ખોયા.  આમ પ્રણયની વાતમાં બુદ્ધિ પર સ્નેહનો વિજય થયો.  આવા સ્નેહની લાગણનો સંજીવની-સ્પર્શ લોહીની લાલીમાં ભળે ત્યારે જીવન ભર્યું ભર્યું લાગે છે.  તરસથી હરણના પ્રાણ જવાની ઘટનાને બરકત વીરાણી<strong> 'બેફામ'</strong> આ રીતે વ્યક્ત કરે છે:</p>
<p align="center"><strong>હરણને પારધી મારે છે એ તો જાણતો'તો હું;<br />
તરસ એની જ ખુદ હણશે, મને એની ખબર ન્હોતી.</strong></p>
<p>તરસ પોતાને લાગી છે એના કરતાં પોતાના પ્રિય પાત્રને લાગેલી તરસ અને તેમાંથી ઉદભવતી વ્યથાએ હરણના પ્રાણને હરી લીધા છે. આવા પ્રેમી હરણાઓની જેમ, પ્રેમના દીવાનાઓના જીવ મળવાની ધટનાઓ વિરલ હોય છે. અને એ માટે <strong>'ઘાયલ'</strong> સાહેબ ફરમાવે છે કે:</p>
<p align="center"><strong>નથી એમ મળતા અહીં જીવ 'ઘાયલ',<br />
પરસ્પર દીવાના જવલ્લે મળે છે.</strong>
</p>
<p align="center">* * *</p>
<p align="center">('ગુફતગૂ'માંથી...)</p>
<p align="center">*</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[પ્રાચીન દુહો	-અજ્ઞાત]]></title>
<link>http://urmi.wordpress.com/2006/11/20/praachin_duho/</link>
<pubDate>Mon, 20 Nov 2006 18:35:37 +0000</pubDate>
<dc:creator>ઊર્મિ</dc:creator>
<guid>http://urmi.gu.wordpress.com/2006/11/20/praachin_duho/</guid>
<description><![CDATA[પ્રીત નિભાવવી કેટલી મુશ્કેલ છે અને તે]]></description>
<content:encoded><![CDATA[<p align="left"><font color="#000000">પ્રીત નિભાવવી કેટલી મુશ્કેલ છે અને તેને નિભાવતાં નિભાવતાં કેવી કેવી અગ્નિપરીક્ષાઓમાંથી પસાર થવું પડે છે એનું ખૂબ જ સુંદર બ્યાન એક પ્રાચીન દુહામાં આપવામાં આવ્યું છે.</font></p>
<h4 align="center"><font color="#000000"><strong>નેહ નિભાવન હય કઠન,<br />
સબસે નીભવત નાહ,<br />
ચઢવો મોમ તુરંગ પે,<br />
ચલવો પાવક માંહ.</strong></font></h4>
<p align="left"><font color="#000000">કવિ કહે છે કે પ્રીત નિભાવવી એટલી કઠિન છે કે એ બધાથી નિભાવી શકાતી નથી.  આ કામ મુશ્કેલ છે કારણકે એ મીણના ઘોડા પર બેસીને અગ્નિ પર ચાલવાનું હોય છે.  જે વ્યક્તિ મનરૂપી મીણના ઘોડાને પિગળાવ્યા વગર અંગારા પર પગ માંડવાની હિંમત કરી શકે તે જ સ્નેહને નિભાવી જાણે છે.  (દુહાનો રસાસ્વાદ... શ્રી રમેશ પુરોહિત... 'ગુફ્તગૂ'માંથી)</font></p>
<p align="left"><font color="#000000">આ દુહાના રચયિતા કોણ છે એની કોઇને ખબર હોય તો જણાવશો.</font></p>
<p align="center"><font color="#000000">* * *</font></p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[વિચાર પુષ્પ - મનસુખલાલ સાવલિયા.]]></title>
<link>http://antarnivani.wordpress.com/2006/10/11/mansukha-savaliya/</link>
<pubDate>Wed, 11 Oct 2006 06:22:21 +0000</pubDate>
<dc:creator>amitpisavadiya</dc:creator>
<guid>http://antarnivani.gu.wordpress.com/2006/10/11/mansukha-savaliya/</guid>
<description><![CDATA[મનકે હારે હાર હૈ, મનકે જીતે જીત ,
કહ કબી]]></description>
<content:encoded><![CDATA[<p><strong>મનકે હારે હાર હૈ, મનકે જીતે જીત ,<br />
કહ કબીર પિઉ પાઇએ મનહી કી પરતીત.</strong></p>
<p><strong> - કબીર</strong></p>
<p><strong><br />
</strong>            મન, આ શરીરમાં સહુથી શ્રેષ્ઠ છે. એ હારે છે તો હાર થાય છે. એને જીતી લેવામાં આવે તો વિજય થાય છે. પ્રિયતમ પ્રભુની પ્રાપ્તિ પણ એનામાં મનને લગાડવાથી જ થાય છે. <strong><!--more--></strong></p>
<p>            સંસારમાં પણ મન મળ્યા હોય તો બે પ્રેમીઓ દૂર હોય તો પણ નજીક છે. મન ન મળ્યા હોય તો એક પથારીમાં પોઢવા છતાં હજારો ગાઉ દૂર છે.            મનની વૃત્તિઓ ચારેબાજુ ભટક્યા કરે તેનુ નામ માયા. અને વૃત્તિઓની એકાગ્રતા થઇ જાય તેનુ નામ જ યોગ અથવા પરમાત્માનુ મિલન !</p>
<p>            સૂર્યનું ઉદાહરણ લઇને આ વાત સમજીએ. સૂર્યના કિરણો, કાગળના કોઇ પણ ટુકડા ઉપર ઝીલવામાં આવે તો તેનાથી કાગળનો ટુકડો બળતો નથી. કારણ કે તેના હજારો કિરણો વિક્ષિપ્ત છે, વેરાયેલા છે, એકાગ્ર નથી.</p>
<p>            પરંતુ બહિર્ગોળ કાચમાંથી સૂર્યના કિરણો પસાર કરીએ તો એ બધાં કેન્દ્દિત થઇ જાય છે. પછી તેને કાગળ ઉપર ઝીલવામાં આવે તો તરત જ કાગળ સળગી ઉઠે છે.</p>
<p>            આપણુ મન પણ આ સૂરજ જેવું છે. એની હજારો વૃત્તિઓ વિકેન્દ્દિત છે. તે ચારેબાજુ ભટકે છે. તેથી જ્ઞાનરુપી અગ્નિ પ્રગટતો નથી. પરંતુ આ વૃતિઓને એક કરવામાં આવે તો તરત જ પ્રકાશ થાય છે. યોગ એ બહિર્ગોળ કાચ છે તેનાથી વૃતિઓને એક કરી શકાય છે.</p>
<p>            ટૂંકમાં એકાગ્રતા જ અદ્દભુત શક્તિ છે. તેનાથી જગતના કોઇપણ કામ સિધ્ધ થાય છે અને જગતથી પર એવા જગદીશને પણ પામી શકાય છે.</p>
<p>            મનને કોઇએ ઝડપે દોડતુ હરણ કહ્યુ છે. એ અસ્થિર નિશાન છે. એનો શિકાર કરવો હોય તો સંયમના લક્ષ્યવેધી બાણથી જ થઇ શકે !</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[શ્યામ ગુણ -  તુલસીદાસ]]></title>
<link>http://antarnivani.wordpress.com/2006/10/02/post62/</link>
<pubDate>Mon, 02 Oct 2006 14:54:23 +0000</pubDate>
<dc:creator>સુરેશ</dc:creator>
<guid>http://antarnivani.gu.wordpress.com/2006/10/02/post62/</guid>
<description><![CDATA[श्याम गुण कीन्हिं कहहुं बखानि,
गीरा अन]]></description>
<content:encoded><![CDATA[<p>श्याम गुण कीन्हिं कहहुं बखानि,<br />
गीरा अनयन, नयन बिनुबानी l<br />
- तुलसीदास<!--more--></p>
<p>          “વાણી ને આંખો નથી અને આંખોને વાણી નથી,<br />
તો હે, શ્યામ! હું કઇ રીતે તારું વર્ણન કરું?”</p>
<p>          પરમ તત્વનાં કેટકેટલાં નામ છે? રામ, શ્યામ, શક્તિ, ખુદા, યહોવા, કાળ ...અને છતાં તેનાં વર્ણન અને ગુણગાન કરવા માટે વાણી સૌને ઓછી પડે છે. તુલસીદાસ પણ અહીં આ જ વાત દોહરાવે છે.</p>
<p>          તેનું અસ્તિત્વ અનુભવવા તો અંતરની વાણી જાગ્રત થવી જોઇએ.</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[મહેંદી- કબીર ]]></title>
<link>http://antarnivani.wordpress.com/2006/09/17/post41/</link>
<pubDate>Sun, 17 Sep 2006 12:47:22 +0000</pubDate>
<dc:creator>સુરેશ</dc:creator>
<guid>http://antarnivani.gu.wordpress.com/2006/09/17/post41/</guid>
<description><![CDATA[સાહિબ તેરી સાહિબી , સબ ઘટ રહી સમાય
જ્યુ]]></description>
<content:encoded><![CDATA[<p>સાહિબ તેરી સાહિબી , સબ ઘટ રહી સમાય<br />
જ્યું મહેંદીકે પાતમેં લાલી લખી ન જાય.</p>
<p>- <strong>કબીર<!--more--></strong></p>
<p>       પરમ તત્વના સતત સાન્નિધ્યમાં રહેતા કબીરે આ તત્વ આપણા અણુ અણુમાં સમાયેલું છે તેનું કેવું સુંદર ઉદાહરણ આપ્યું છે? મહેંદીમાં જેમ લાલી રહેલી છે, પણ આપણે તે જોઇ શકતા નથી, તેમ આ તત્વ જ આપણું સમસ્ત હોવાપણું છે.</p>
<p>         મહેંદીને પીસો ત્યારે લાલી નિખરે છે. તેમ જ્યારે મન પ્રતિભાવો આપતું બંધ થાય, શૂન્ય બને, તેની લીલાશ – તરલતા નાશ પામે, ત્યારે જ એ તત્વની પ્રતીતિ થઇ શકે છે.</p>
]]></content:encoded>
</item>

</channel>
</rss>
