<?xml version="1.0" encoding="UTF-8"?><!-- generator="wordpress.com" -->
<rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	>

<channel>
	<title>ધર્મ &amp;laquo; WordPress.com Tag Feed</title>
	<link>http://wordpress.com/tag/ધર્મ/</link>
	<description>Feed of posts on WordPress.com tagged "ધર્મ"</description>
	<pubDate>Sat, 17 May 2008 13:43:09 +0000</pubDate>

	<generator>http://wordpress.com/tags/</generator>
	<language>en</language>

<item>
<title><![CDATA[પ્રેમ અને નીઃસ્વાર્થતા - 3]]></title>
<link>http://parimiti.wordpress.com/?p=70</link>
<pubDate>Thu, 08 May 2008 02:22:55 +0000</pubDate>
<dc:creator>Chirag</dc:creator>
<guid>http://parimiti.wordpress.com/?p=70</guid>
<description><![CDATA[પ્રેમ અને નીઃસ્વાર્થતા - 3 - સ્વામી વિવે]]></description>
<content:encoded><![CDATA[<p><strong>પ્રેમ અને નીઃસ્વાર્થતા - 3 - સ્વામી વિવેકાનન્દ</strong></p>
<p>21. હું વારંવાર જન્મ ધારણ કરવા અને હજારો યાતનાઓ ભોગવવા ઈચ્છું છું કે, જેથી જેની એકની જ હસ્તી છે અને જે એકમાં જ મને શ્રધ્ધા છે એવા સર્વ જીવોની સમશ્ટીરુપ ઈશ્વરની હું પુજા કરી શકું; અને સૌથી વીશેશ તો સર્વ જાતીઓ અને સર્વ જીવોના દુશ્ટોમાં, દુઃખીઓમાં અને દરીદ્રોમાં રહેલો એવો મારો ઈશ્વર એ મારી વીશેશ પુજાનો વીશય છે.</p>
<p>22. જ્યારે આપણામાં સ્વાર્થવૃત્તીનો અભાવ હોય ત્યારે આપણું સર્વોત્તમ કાર્ય પરીપુર્ણ થાય છે અને આપણો શ્રેશ્ઠ પ્રભાવ સીધ્ધ થાય છે.</p>
<p>23. જગતના ધર્મો એ નીઃશ્પ્રાણ મશ્કરીઓ જેવા થઈ પડ્યા છે. જગતને જરુર છે ચારીત્ર્યની; જેમનું જીવન ઉત્કટ પ્રેમ અને નીઃસ્વાર્થતાથી પરીપુર્ણ હોય એવા મનુશ્યોની. એવો પ્રેમ પ્રત્યેક શબ્દને વજ્રની જેમ પ્રભાવ પાથરતો કરી મુકશે.</p>
<p>24. સર્વશ્રેશ્ઠ જીવનનો નીયમ છે આત્મત્યાગ, આત્માભીમાન નહી.</p>
<p>25. ઉત્કટ આત્મત્યાગમાંથી જ ધર્મનો ઉદય થાય છે. પોતાના કાજે કશી જ ઈચ્છા ન રાખો. અન્ય કાજે બધું જ કાર્ય કરો. આનું જ નામ ઈશ્વરમાં સ્થીતી, ગતી અને હસ્તી હોવી એ.</p>
<p>26. કોઈ પણ મનુશ્ય મુક્તી વીહોણો રહી જશે નહી. આખરે સૌને પુર્ણતાની પ્રાપ્તી થશે. અહર્નીશ ઘોશણા કરો: "આવો, મારા બન્ધુઓ! તમે નીર્મળતાના અનંત મહાસાગર છો! શીવરુપ બનો! તમારા ઈશ્વરરુપને પ્રગટ કરો!"</p>
<p>--------------------------------------------------<br />
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશીત પુસ્તીકામાંથી સાભાર...</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[શ્રી સુક્તમ્--પુરુષસુક્તમ]]></title>
<link>http://devalpandit.wordpress.com/2008/05/04/14/</link>
<pubDate>Sun, 04 May 2008 09:21:16 +0000</pubDate>
<dc:creator>devalpandit</dc:creator>
<guid>http://devalpandit.wordpress.com/2008/05/04/14/</guid>
<description><![CDATA[s-sukta            
purusukta1
]]></description>
<content:encoded><![CDATA[<p><a href="http://devalpandit.files.wordpress.com/2008/05/s-sukta.pdf">s-sukta</a>            </p>
<p><a href="http://devalpandit.files.wordpress.com/2008/05/purusukta1.pdf">purusukta1</a></p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[પ્રેમ અને નીઃસ્વાર્થતા - 2]]></title>
<link>http://parimiti.wordpress.com/?p=69</link>
<pubDate>Sun, 27 Apr 2008 17:22:37 +0000</pubDate>
<dc:creator>Chirag</dc:creator>
<guid>http://parimiti.wordpress.com/?p=69</guid>
<description><![CDATA[પ્રેમ અને નીઃસ્વાર્થતા - 2 - સ્વામી વિવે]]></description>
<content:encoded><![CDATA[<p><strong>પ્રેમ અને નીઃસ્વાર્થતા - 2 - સ્વામી વિવેકાનન્દ</strong></p>
<p>11. આ જીવન અલ્પકાલીન છે, સંસારના મોજશોખો ક્ષણભંગુર છે; પણ જેઓ બીજા માટે જીવે છે તેઓ જ ખરેખર જીવે છે, બાકીના લોકો તો જીવતા કરતાં વીશેશ મરેલા છે.</p>
<p>12. જે ધર્મ કે જે ઈશ્વર વીધવાનાં આંસુઓ લુછી ન શકે કે અનાથના મુખમાં રોટીનો ટુકડો મુકી ન શકે એવા ધર્મ કે ઈશ્વરમાં હું માનતો નથી.</p>
<p>13. પ્રેમ કદાપી નીશ્ફળ જતો નથી બેટા; આજ નહીં તો કાલે કે યુગો પછી, સત્યનો જય થશે જ! પ્રેમની જીત થવાની જ છે. શું તમે તમારા માનવબન્ધુઓને ચાહો છો?</p>
<p>14. ઈશ્વરની શોધ બીજે ક્યાં કરવા જશો? શું બધા દીન-દુઃખી અને દુર્બળ લોકો ઈશ્વરસ્વરુપ નથી? તો એમની પુજા પ્રથમ શા માટે ન કરવી? ગંગા કાંઠે કુવો ખોદવા શા માટે જવું?</p>
<p>15. પ્રેમની સર્વશક્તીમત્તામાં શ્રધ્ધા રાખો. શું તમારી પાસે પ્રેમ છે? તો તમે સર્વશક્તીમાન છો. શું તમે સમ્પુર્ણપણે નીઃસ્વાર્થી છો? જો એવું હોય તો કોઈપણ વ્યક્તી તમારો પ્રતીકાર કરી શકે નહીં. ચારીત્ર જ સર્વત્ર ફલદાયી નીવડે છે.</p>
<p>16. મારું હ્રદય લાગણીથી એટલું બધું ભરાઈ ગયું કે હું તેને વ્યક્ત કરી શકતો નથી; તમે એ જાણો છો, તમે એની કલ્પના કરી શકો છો. જ્યાં સુધી લાખો લોકો ભુખ અને અજ્ઞાનમાં જીવે છે ત્યાં સુધી એમના ભોગે કેળવણી પામીને એમના તરફ જે લેશમાત્ર પણ ધ્યાન આપતો નથી, ગરીબોને ચુસીને કમાણી કરતા, ભપકાથી દમામભેર ફરતા, તમામ લોકોને હું પામર ગણું છું. મારા બન્ધુઓ આપણે ગરીબ છીએ. આપણી કશી જ ગણના નથી, પરંતુ આવા જ મનુશ્યો હમ્મેશાં પરમાત્માના નીમીત્તરુપ બની રહે છે.</p>
<p>17. મને મુક્તી કે ભક્તીની કશી પરવા નથી; 'વસંતરુતુની જેમ (મુક રહીને) લોકહીત કરતાં કરતાં' હું લાખો નર્કોમાં જવા તૈયાર છું - આ છે મારો ધર્મ.</p>
<p>18. હું મૃત્યુ સુધી સતત કાર્ય કરતો રહીશ; અને મૃત્યુ પછી પણ જગતના કલ્યાણ માટે હું કાર્ય કરીશ. અસત્ય કરતાં સત્ય અનંતગણું વીશેશ પ્રભાવશાળી છે; અને ભલાઈનું પણ એવું જ છે. જો તમારી પાસે આ બે વસ્તુઓ હોય તો તેઓ કેવળ પોતાના પ્રભાવથી જ પોતાનો માર્ગ કાઢી શકશે.</p>
<p>19. વીકાસ એ જ જીવન અને સંકોચ એ જ મૃત્યુ. પ્રેમ એટલે વીકાસ અને સ્વાર્થ એટલે સંકોચ. એટલે પ્રેમ એ જીવનનો એકમાત્ર નીયમ છે. જે પ્રેમપુર્ણ છે તે જીવે છે; જે સ્વાર્થી છે તે મૃત્યુને આધીન થતો જાય છે. માટે પ્રેમ ખાતર પ્રેમ દાખવો, કારણ કે જે રીતે તમે જીવવા માટે શ્વાસ લ્યો છો એ જ રીતે પ્રેમ એ જીવનનો એકમાત્ર નીયમ છે. સ્વાર્થરહીત પ્રેમનું, સ્વાર્થરહીત કાર્યનું અને અન્ય તમામ વસ્તુઓનું એ જ રહસ્ય છે.</p>
<p>20. જગતને પ્રકાશ કોણ આપશે? આત્મસમર્પણ એ વીતી ગયેલા યુગોથી ચાલ્યો આવતો 'મહાનીયમ' છે; ખેર! ભાવી યુગોનો પણ એ મહાનીયમ થશે. 'બહુજન હીતાય, બહુજન સુખાય' પૃથ્વીના વીરતમ અને શ્રેશ્ઠ લોકોએ આત્મસમર્પણ કરવું પડશે. સનાતન પ્રેમ અને કરુણાથી પુર્ણ એવા સેંકડો બુધ્ધોની જરુર છે.</p>
<p>--------------------------------------------------<br />
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશીત પુસ્તીકામાંથી સાભાર...</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[shiv mahimnastotra]]></title>
<link>http://devalpandit.wordpress.com/2008/04/02/shiv-mahimnastotra/</link>
<pubDate>Wed, 02 Apr 2008 05:27:18 +0000</pubDate>
<dc:creator>devalpandit</dc:creator>
<guid>http://devalpandit.wordpress.com/2008/04/02/shiv-mahimnastotra/</guid>
<description><![CDATA[શ્રી ગણેશાય નમ: ||
પુષ્પદંત ઉવાચ ||
મહિમ્]]></description>
<content:encoded><![CDATA[<p>શ્રી ગણેશાય નમ: &#124;&#124;<br />
પુષ્પદંત ઉવાચ &#124;&#124;</p>
<p align="center">મહિમ્ન: પાર તે પરમ વિદુષો યદ્યયસદશો<br />
સ્તુતિ બ્રહ્માદિનામપિ તદવસન્નાસ્ત્વયિ ગિર: &#124;<br />
અથાડવાચ્યા: સર્વ: સ્વમતિ પરિમાવધિ ગૃણન્<br />
મમાપ્યેવ સ્તોત્રે હર: નિરપવાદ: પરિકર: &#124;&#124; 1 &#124;&#124;</p>
<p>અર્થ : હે ભગવાન ! આપના નિર્ગુણ સ્વરૂપના મહિમાનો પાર પુરુષો જાણતા નથી, કારણકે આપના નિર્ગુણ સ્વરૂપ મનવાણીથી પર છે, તેમજ આપને પુરુષોએ કરેલી સ્તુતિ પણ વર્ણવી શકતી નથી. બ્રહ્માદિનો સંસ્કૃતભાષાનો શબ્દભંડાર પણ આપનું નિર્ગુણ સ્વરૂપ વર્ણવી શકતો નથી. બ્રહ્માદિકની વાણી પણ હે હર ! તમને વર્ણવવા માટે સમર્થ નથી, પક્ષી જેમ પોતપોતાની શક્તિ પ્રમાણે ઊડે છે, તે જ પ્રમાણે સર્વ જન પોતપોતાની બુદ્ધિને અનુસરીને આપની સ્તુતિ કરે છે. તેથી સર્વે સ્તુતિ કરનારાઓ તેમનો દોષ હોય તો પણ નિર્દોષ છે, આ મહિમ્નસ્તોત્ર બાબત મારો પ્રયત્ન પણ તે જ દ્રષ્ટિનો નિર્દોષ છે.</p>
<p align="center">અતીત: પંથાન તવ ચ મહિમા વાડમનસયો –<br />
રતદ્વયાવૃત્યા યં ચકિતમભિધત શ્રુતિરપિ<br />
સંકરસ્ય સ્તોતવ્ય: કતિવિધગુણ: કસ્ય વિષય:<br />
પદે ત્વાર્ચાચીને પતિત ન મન: કસ્યા ન વચ: &#124;&#124; 2 &#124;&#124;</p>
<p>અર્થ : ‘હે ભગવાન ! આપનો મહિમા, મન તથા વાણી વડે જાણવામાં આવતો નથી અને આપના મહિમાનું શ્રુતિઓ પણ ગૌરવપૂર્વક એ જ રીતનું વર્ણન કરે છે. વાક્ય વડે ભેદ સગુણ સ્વરૂપનો નિષેધ કરવા છતાં બીજા અર્થ વડે સગુણ વસ્તુનું પ્રતિપાદન પણ કરે છે. આપનો એ રીતનો અપાર મહિમા વર્ણવવાને કોઈ પુરુષ શક્તિમાન નથી. તેમજ આપ કોઈપણ પુરુષને ઈન્દ્રિયગોચર પણ નથી. આમ તમારું નિર્ગુણ સ્વરૂપ બધાને અગમ્ય છે અને તમારા સગુણ સ્વરૂપને વર્ણવવા માટે સંસ્કૃતાદિ ભાષાઓમાં શક્તિ નથી, તે છતાં તમારા સગુણ સ્વરૂપની તો શંકર ! બધા જ સ્તુતિ કરે છે.</p>
<p align="center">મધુસ્કીતા વાચ: પરમમૃતં નિર્મિતવત્<br />
સ્તવ બ્રહ્મનિક વાગપિ સુરગુરોર્વિસ્મય પદમ્ &#124;<br />
મમ ત્વેતા વાણી ગુણકથનપુણ્યેન ભવત:<br />
પુનામીત્યર્થેડસ્મિનપુરમથન ! બુદ્ધિર્વ્યોચસિતા: &#124;&#124; 3 &#124;&#124;</p>
<p>અર્થ : ‘હે ભગવાન ! મારી સ્તુતિ તમને કોઈ પણ પ્રકારે યથાર્થ વર્ણવી શકતી નથી, કારણકે તમે વેદોની મધ જેવી મધુર વાણીનો રચાયિતા છો. હે ભગવાન ! વાણીના ભંડાર રૂપ બ્રહ્માદિની સ્તુતિ પણ ખુશ ન કરી શકે, તો મારી સ્તુતિ તમને ક્યાંથી સંતોષ આપી શકે ? હું આ બધું જાણું છું. છતાં તમારી સ્તુતિ કરું છું, કારણ એ છે કે, હું તમારા સ્તવનથી મારી વાણીને નિર્મળ કરું છું એમ જ હું માનું છું. મારી વાણીથી તમે આનંદ પામો એ મારી ધરણા જ નથી. આ જ કારણથી હું તમારી સ્તુતિ કરવા પ્રવૃત્ત થયો છું.<br />
 </p>
<p align="center">તવૈશ્વર્ય યત્તજયગદુદયરક્ષાપ્રલયકૃત<br />
ત્રયી વસ્તુ વ્યસતં તિસૂષુ ગુણભિન્નાસુ તનુષુ &#124;<br />
અભવ્યાનામસ્મિન્વરદ ! રમણોયામરમણી<br />
વિરંતુ વ્યક્તોશીં વિદધત ઈહૈકે જડધિય &#124;&#124; 4 &#124;&#124;</p>
<p>અર્થ : હે ભગવાન ! આપનું ઐશ્વર્ય જુદે જુદે રૂપે જુદા જુદા ગુણોએ કરીને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ – એ ત્રણે વ્યક્તિમાં આરોપિત છે. અને તે બ્રહ્મા વિષ્ણુ તથા રુદ્ર, સત્વ, રજસ અને તમસ –એ ત્રણે ગુણો વડે જુદે જુદે રૂપે પ્રતિત થાય છે. વળી, એ ઐશ્વર્ય ત્રણે લોકથી ઉત્પત્તિ સ્થિતિ તથા ત્રણેનો પ્રલય કરવા છતાં બ્રહ્મા, વિષ્ણુ તથા રુદ્ર રૂપે રહે છે. હે ભગવાન ! તમારું રૂપ ન સમજી શકવાના કારણથી જડબુદ્ધિવાળાઓ આપના ઐશ્વર્યની નિન્દા કરે છે, અને નિંદા પાપી પુરુષોને લાગે છે, પરંતુ આપના સર્વજ્ઞાતિ ગુણયુક્ત ઐશ્વર્યની નિંદા શુદ્ધ મુમુક્ષુઓને અતિ અપ્રિય લાગે છે.</p>
<p align="center">કિમીહ: કિકાર્ય સ ખલુ કિમુપાયસ્ત્રિભુવનં<br />
કિમાધારો ધાતા સૂજતિ વિમૂપાક્ષ ન ઈતિ ચ &#124;<br />
આતકયૈશ્વર્થે તવય્યનવ સરયુ:સ્યો હતવિય:<br />
કુતર્કોર્ય કાશ્રિન્સુખરયતિ મોહાય જગત: &#124;&#124; 5 &#124;&#124;</p>
<p>અર્થ : ‘હે ભગવાન ! પરમેશ્વર ત્રણ ભુવનની ઉત્પત્તિ કરે છે. પરંતુ જડબુદ્ધિવાળાઓ ‘જગતને ઉત્પન્ન કરવા બાબત શી ક્રિયા થતી હશે, તે ક્રિયા ક્યા પ્રકારની હશે, તેના અમલમાં ક્યા ક્યા પ્રકારો યોજાયા હશે, જગતનો આધાર તણા જગતને ઉત્પન્ન કરવામાં નિમિત્ત અને ઉપાદાન કારણ શું હશે ?’ આવો કુતર્ક કરે છે, પ્રભુ, એ કુતર્કનું તાત્પર્ય એ છે કે, જગતભરના આપણા ભક્તોના ચિત્તને ભ્રમણા પમાડવી. આપને વિષે આવા કુતર્ક એ જ અયોગ્ય છે, કારણકે આપ તો અચિંત્ય માહાત્મયથી યુક્ત છો.</p>
<p align="center">અજન્માનો લોકા: કિમવ વંતોડપિ જગતા<br />
મધિષ્ઠાતરં કિં ભવવિધિરનાદત્ય ભવતિ &#124;<br />
અનીશો વા કુર્યાદભુવનજનને ક: પરિકરો<br />
વ તો મદાસત્વા પ્રત્યમરવર ! સંશેરક ઈમેં &#124;&#124; 6 &#124;&#124;</p>
<p>અર્થ : હે ભગવાન ! આપ સર્વદેવોમાં શ્રેષ્ઠ છો, છતાં ‘આ દ્રશ્યમાન સપ્તલોક સાકાર છે. આમ જગત સાકાર હોવા છતાં અજન્મા હશે એ સંભવિત નથી, કારણકે જે સાકાર વસ્તુ છે તેનો જન્મ પણ હોય છે જ. જેમ ઘડો સાકાર છે, તેથી તે ઉત્પત્તિમાન છે, તેમ આ જગત અધિષ્ઠાન પરમેશ્વરની અપેક્ષા વગર ઉત્પન્ન કેવી રીતે થયું હશે, ઈશ્વર સિવાય બીજો કોઈ જગતકર્તા હશે !’ બ્રહ્માંડને ઉત્પન્ન કરવામાં આપ વિષે અનેક પ્રકારના સંદેહ મૂઢજનોમાં થાય છે. પરંતુ આપને વિષે સંશય કરવો યોગ્ય નથી. તેમજ આપ કરતાં બીજો કોઈ સમર્થ પણ નથી.</p>
<p align="center">ત્રયી સાંખ્યયોગ: પશુપતિમતં વૈષ્ણનમિતિ<br />
પ્રભિન્ને પ્રસ્થાને પરમિદમદ: પથ્યમિતિ ચ &#124;<br />
રુચિનાં વૈચિત્ર્યાદ્દજકુટિલનાનાપથનુષાં<br />
નૃણાંમેકો ગમ્યસ્ત્વસિ પયસામર્ણવ ઈત્ર &#124;&#124; 7 &#124;&#124;</p>
<p>અર્થ : ત્રણ વાક્યો વડે ત્રણ વેદ તમારી પ્રાપ્તિનો માર્ગ બતાવે છે. સાંખ્ય વડે કપિલ, યોગશાસ્ત્રદ્વારા પતંજલિમુનિ તથા ન્યાય વૈશેષિક શાસ્ત્રદ્વારા ગૌતમ કણાદમુનિ પશુપતિ વડે શૈવો, તથા નારદ-જેઓ ‘નારદપંચરાત્ર’ ના રચનાર છે તેઓ વૈષ્ણવ મત દ્વારા તમારી પ્રાપ્તિના ભિન્ન ભિન્ન માર્ગ બતાવે છે. આ મુખ્ય પાંચ ભેદ છે. અને સકલ મતવાદીઓ અહંકાર વડે પોતપોતાના સિદ્ધાંતને જુદા માને છે, પરંતુ જેમ સર્વ નદીઓના જળ પૃથક્ પૃથક્ માર્ગો વડે એક સમુદ્રમાં મળી જાય છે તેમ અધિકારી ભેદ વડે આપ એક પ્રભુ સઘળા જ મુમુક્ષુઓને પ્રાપ્ત થાઓ છો.</p>
<p align="center">મહોક્ષ: ખટવાંગં પરશુરજિનં ભસ્મ ફણિન:<br />
કપાલં ચતીયતવ વરદ ! તંત્રીપકરણમ્ &#124;<br />
સુરાસ્તાં તામૃદ્ધિ દધતિ તુ ભવદભ્રૂપ્રણિહિતાં<br />
નહિ સ્વાત્મારામ વિષયમૃગતૃષ્ણા ભ્રમયતિ &#124;&#124; 8 &#124;&#124;</p>
<p>અર્થ : ‘હે વરદાન આપનાર : નંદી ખટવાંગ ફરશી, વ્યાધચર્મ, ભસ્મ, સર્પ, કપાળ વગેરે તારા જીવનનિર્વાહનાં સાધનો છે. છતાં તેં આપેલી સંપત્તિને રાજાઓ પણ ભોગવે છે. અભયના દાતા ! વિષયો ઝાંઝવાના જળ જેવા છે. તે આત્માથી જ પ્રસન્ન એવા યોગીને બ્રહ્મનિષ્ઠાથી ચલાયમાન કરી શકતા નથી.</p>
<p align="center">ધૃવં કશ્ચિત્સર્વં સફલમપરસ્ત્વદધૃવમિદં<br />
પરો ધ્રૌવ્યાધ્રૌવ્યે જગતિ ગદતિ વ્યસ્તવિષયે &#124;<br />
સમસ્તેષ્યેતસ્મિન્પુરમથન ! તેવિ સ્મિત ઈવ<br />
સ્તુવન્જિહોમ ત્વાં ન ખલુ નનુ ધૃષ્ટા મુખરતા &#124;&#124; 9 &#124;&#124;</p>
<p>અર્થ : ‘હે પુરમથન ! કેટલાક સાંખ્ય અને પાતંજલ મતવાળા મિમાંસકો સર્વ જગતને નિત્ય અનિત્ય માને છે, બીજા મતવાળા નાસ્તિકો આ જગતને નિત્યાનિત્ય માને છે. એ રીતે ભિન્ન ભિન્ન મતવાદી લોકો આ જગતને ભિન્ન ભિન્ન પ્રકૃતિ માને છે. આ ભિન્ન ભિન્ન મતોવાળા તમારા સ્વરૂપને જાણતાં નથી. તેમજ હું પણ સ્વરૂપને જાણતો નથી. તો હું મારી હાંસી થવાનો ભય તજીને તમારી જ પ્રાર્થના મારા શબ્દોથી કરું છું.</p>
<p align="center">તવૈશ્વર્ય યત્નાધદુપર વિરંચિહરિરધ:<br />
પરિચ્છેતુંયાતાવતલમનલસ્કંધવપુષ: &#124;<br />
તતો ભક્તિશ્રદ્ધા ભરગુરૂગણદભ્યાં ગિરિશ ! યત્ &#124;<br />
સ્વયંતસ્થેતાભ્યાંતવકિથમુવૃતિન ફલતિ &#124;&#124; 10 &#124;&#124;</p>
<p>અર્થ : ‘આપના ઐશ્વર્યનો અંત લેવા સારુ બ્રહ્મદેવ આકાશ તરફ અને વિષ્ણુ પાતાળમાં ગયા હતા. પરંતુ ઉભયમાંના કોઈને પણ આપની લીલાનો અંત પ્રાપ્ત થયો નહિ, કારણકે આપ પ્રભુ તો વાયુ અને અગ્નિ છો, તેમાં વાયુગત્વગયંત લિંગનું મૂળ છે. બ્રહ્મદેવ માત્ર બ્રહ્માંડના અને વિષ્ણુ માત્ર જળ તત્વના નિવાસ છે. માટે આપનું ઐશ્વર્ય જાણવાને કોઈ સમર્થ થતા નથી. અને એ બ્રહ્મા વિષ્ણુના અંતરમાં આપ સ્વત: પ્રાકટ્ય માનો છો. તેથી જ બ્રહ્મા અને વિષ્ણુ શ્રદ્ધા અને ભક્તિ વડે આપની સ્તુતિ કરે છે. હે ભગવાન ! આપની સેવા ફળની પ્રાપ્તિ કરતી નહિ હોય, એમ માનવું એ કેવળ મૂર્ખતા છે. આપ ઈશ્વરની ભક્તિ તો સાક્ષાત્ પરંપરાગત ફળને આપનારી છે.</p>
<p align="center">અત્યનાપાદાપાદ્ય ત્રિભુવનમવૈરતધ્યતિકરં<br />
દશાસ્યો દયબાહૂનમૃત રણકુંડપરવશાન &#124;<br />
શિર: પદ્મશ્રણી રચિતચરણામ્ભોરુંહબલે<br />
સ્થિરાયાસ્ત્વબદભક્તસ્ત્રિપૂરંહર ! વિસ્ફૂર્જિતમિદમ્ &#124;&#124; 11 &#124;&#124;</p>
<p>અર્થ : હે ત્રિપુરવિનાશક ! યુદ્ધની ઈચ્છાને લીધે સદા ઉન્મત થઈ રહેલા વીસ હજાર ભુજાઓ યુક્ત રાવણને યંત્રહિતપણે નિ:શત્રુયુક્ત ત્રિભુવનનું રાજ્ય પરાક્રમ માત્ર આપની સ્થિર ભક્તિને જ આભારી છે. એ ભક્તિ એવી છે કે, રાવણે પોતાનાં દશ મસ્તક પોતાની હાથે જ છેદી, તેની પંક્તિ કરી કમળની પેઠે આપ પ્રભુને ચરણે બલિદાન આપ્યાં હતાં. વિશેષ કરીને આપનું પૂજન સકળ વસ્તુની અધિકતાથી પ્રાપ્ત થવાના હેતુ રૂપે છે.</p>
<p align="center">અમુષ્ય ત્વસેવાસમધિગતસાર ભુજવનં<br />
બલાત્કેલાસેડપિ ત્વદધિવસંતૌ વિક્રમયત: &#124;<br />
અલભ્યા પાતાલેડપ્યલસચલિતાંગુષ્ઠશિરસિ<br />
પ્રતિષ્ઠા ત્વય્યાસીદધ્રુવમુપચિતો મુહયતિ ખલ: &#124;&#124; 12 &#124;&#124;</p>
<p>અર્થ : હે ભગવાન ! રાવણ આપની સમીપ કૈલાસમાં વસતો હતો, ત્યારે પણ તે પોતાની વીસ ભુજાઓનું પરાક્રમ દેખાડતો હતો. આપના બળને લીધે એ પાતાળમાં ટકી શક્યો નહિ. આપની સેવાભક્તિને લીધે રાવણને બળ પ્રાપ્ત થયું. રાવણના મસ્તક પર અનાયાસે અંગૂઠાનો ભાર રાવણથી સહન ના થવાથી પાતાળમાં રહેવાયું નહિ. વિશેષ કરીને પારકા ઐશ્વર્યને પામેલા જે દુષ્ટ જન મોત પામે, તેમને મહાપુરુષની કૃપા ફલદાતા થતી નથી.</p>
<p align="center">યદ દ્વિં સુત્રામણો વરદ ! પરમોચ્ચેરપિ સતી<br />
મધશ્ચકે બાણ: પરિજનવિધેયત્રિભુવન: &#124;<br />
ન તિચ્ચિત્રં તસ્મિન્વરિવસિતરિ ત્વચ્વરણયોનં<br />
કસ્યાં ઉન્નત્મૈ ભવતિ શિરસ્ત્વન્યવનતિ &#124;&#124; 13 &#124;&#124;</p>
<p>અર્થ : હે વરદાતા પ્રભુ ! ઈન્દ્રથી પણ અતિ ઉત્કૃષ્ટ સમૃદ્ધિથી ભરેલા આ ત્રણે ભુવનોને દાસત્વપણે વરતાવનારો બાણાસુર પાતાળમાં લઈ ગયો હતો એમાં કોઈ આશ્ચર્ય નથી. કારણ કે તે આપણાં ચરણની પૂજા કરનારો હતો, જે જનો આપને વંદે છે, તેઓને ફળની પ્રાપ્તિ થાય છે એ પ્રત્યક્ષ છે.</p>
<p align="center">અકાંડ બ્રહ્માંડ ક્ષયચકિતદેવાસુરકૃપા -<br />
વિધેયયસ્યાસીધસ્ત્રિમયન ! વિષં સંહૃસવત: &#124;<br />
સ કલ્માષ: કંઠે તવ ન કુરુતે ન શ્રિયમહો<br />
વિકારોડપિશ્લાધ્યો ભુવનમયભગડ યસનિન: &#124;&#124; 14 &#124;&#124;</p>
<p>અર્થ : હે ત્રિનયન ! આપે કૃષ્ણ પડુંર વર્ણના વિષનું પાન કર્યું છતાં એ વિષ આપના કંઠમાં જ સ્થિર રહ્યું હોવાથી તે આપને અતિશય શોભા આપે છે. કાળ સમયે આવેલા બ્રહ્માંડ નાશને દેખીને દેવો તથા અસુરો ભય પામવા લાગ્યા. તેમજ દેવ તથા અસુરોના કલેશના સારું આપે કૃપા કરીને વિષનું પાન કર્યું તો પ્રભુ ! સંસારીજનોનાં દુ:ખ દૂર કરવાનું આપને વ્યસન જ છે.</p>
<p align="center">અસિદ્ધાર્થા નૈવ કચિદપિ સદેવાસુરનરે<br />
નિવર્તન્તે નિત્યં જગતિ જયિનો યસ્ય વિશિખા:<br />
સ પશ્યન્નીશ ! ત્વામિતરસુધારણમભૂત<br />
સ્મર: સ્મર્તવ્યાત્માન હિ વિશિષુ પથ્ય: પરિભવ: &#124;&#124; 15 &#124;&#124;</p>
<p>અર્થ : હે ઈશ ! કામદેવનું બાણ ભાલા રહિત છે. તેનું બાણ આ જગતમાં દેવ અસુર તથા નરલોકને જીતવાને નિષ્ફળ ન થતાં સર્વને વશ કરે છે. આપની સાથે પણ કામદેવ બીજા ઈન્દ્રાદિદેવોની પેઠે વર્તવા લાગ્યો છે, તેથી તેનું આપે દહન કર્યું અને સ્મરણ માત્રનું જ કામદેવનું શરીર બાકી રાખ્યું. એ કનિષ્ટ થયો એનું કારણ માત્ર જિતેન્દ્રિય પુરુષોને ભય પમાડવાનું છે. એ સુખનો હેતુ નથી, કારણકે ઈશ્વરનો અનાદર એ વિનાશકારક છે.</p>
<p align="center">મહી પાદાતાદ વ્રજતિ સહસા સંશયપદં<br />
પદં વિષ્ણોર્ભ્રામ્યદ ભુજપરિઘરૂગ્ણગ્રહણમ્ &#124;<br />
મુહુધૌ દૌસ્થ્યં યાત્યનિભૃતિજટાનાડિતતટા<br />
જગદ્રક્ષાયૈત્વં નટસિ નનું વામય વિભુતા &#124;&#124; 16 &#124;&#124;</p>
<p>અર્થ : હે ભગવાન ! આપે જગતનાં રક્ષણ તથા દુષ્ટોના નાશને અર્થે, પૃથ્વી ઊંચી નીચી થવા લાગી હતી એવું તમે નૃત્ય કર્યું. તાંડવ નૃત્ય વખતે હાવભાવ માટે આપે ભુજાઓ હલાવી તેના આઘાતથી વિષ્ણુલોક, તારા, નક્ષત્રો આદિનો નાશ થવાની શંકા થવા લાગી અને ઉભયસ્વર્ગદ્વાર વ્યથા પામ્યાં. તેમજ તમારા નૃત્યથી સ્વર્ગનું એક પાસુ તાડિત થયું. આપનું એ ઐશ્વર્ય દેખીતી રીતે વિપરીત છે, તો પણ તે જગતની રક્ષા માટે જ છે.</p>
<p align="center">વિયદવ્યાપી તારાગણ ગુણિત તેનાન્દ્રરૂચિ:<br />
પ્રવાહો વારાં ય: પૃષતલઘુડદ્રષ્ટ શિરસિ તે &#124;<br />
જગદદ્વીપાકારં જલધિવલયં તેન કૃતમિ<br />
ત્વનેનંનોન્નેર્યું ધૃતમહિમ ! દિવ્યં તવ વપુ: &#124;&#124; 17 &#124;&#124;</p>
<p>અર્થ : હે જગદાધાર ! આપના શરીર પર ગંગાનો મહાન પ્રવાહ ઝીણી ફરફરની પેઠે વરસતો દેખાય છે. તેથી તમારા વિરાટ સ્વરૂપનું ભાન થાય છે. આ જળ પ્રવાહના આકાશવત્ વ્યાપક અને તારા તથા નક્ષત્રોના સમૂહમાં ફીણ સમાન છતાં તેનો ભાસ થાય છે. જેમ નગરની પાછળ ચોતરફ ખાઈ હોય છે તેમ જ ગંગાના એ પ્રવાહે પૃથ્વીની ચોતરફ સર્વ જગતને આવરણ કર્યું છે, એથી આપના વિરાટ શરીરને અનુમાનથી જાણી શકાય છે કે, આપનું શરીર દિવ્ય પ્રભાયુક્ત છે.</p>
<p align="center">રથ ક્ષોણિ યંતા શતધતિરંગેંદ્રો ધનુરથો<br />
રથાંગે ચંદ્રાર્કૌ રથચરણપાણિ: શિર ઈતિ &#124;<br />
દિઘક્ષોસ્તે કોડ્યં ત્રિપુરતૃણમાંડબર વિધિ -<br />
વિધેયૌ: ક્રોડન્ત્યો ન ખલુ પર તંત્રા: પ્રભુધિય: &#124;&#124; 18 &#124;&#124;</p>
<p>હે દેવ ! જે સમયે ત્રિપુરને દહન કરવાની આપની ઈચ્છા થઈ તે સમયે પૃથ્વીરૂપી રથ, બ્રહ્મરૂપી સારથી, હિમાચળ પર્વતરૂપી ધનુષ, સૂર્ય તથા ચંદ્રરૂપી રથનાં પૈંડાં, જળરૂપી રથચરણ એટલે રથની પિંજણીઓ તથા વિષ્ણુરૂપી બાણ યોજીને તમે ત્રિપુરને હણ્યો. હે પ્રભુ ! બળ, વીર્ય શક્તિ તથા બુદ્ધિ થકી યુક્ત પુરુષો નિશ્ચય કરીને પરાધીનપણે ક્રીડા ન કરતાં, તમારી જ શક્તિથી યશ આનંદ મેળવે છે.</p>
<p align="center">હરિસ્તે સહસ્ત્રં કમલબલિમા ધાય પદયો –<br />
ર્યદેકોનં તસ્મિન્નિજમુદહરન્નેત્રકમલમ્ &#124;<br />
ગતો ભક્ત્યુદ્રેક: પારિણતિમસૌ ચક્રવપુષા<br />
ત્રયાણાં રક્ષાયૈ ત્રિપુરહર ! જાગર્તિ જગતામ્ &#124;&#124; 19 &#124;&#124;</p>
<p>હે ત્રિપુરહર ! આપની ચરણની પૂજા વિષ્ણુ સહસ્ત્ર કમળ વડે કરવા લાગ્યા ! તેમાં એક કમળ ઓછું હોય તો પોતાના નેત્ર કમળની તુલ્ય સંકલ્પ કરીને અથવા પોતાના શરીરના કોઈપણ બીજા અવયવ આપને અર્પણ કરતા હતા. આવી દઢ ભક્તિને લીધે ચક્રરૂપ ધારણ કરીને સ્વર્ગ કરીને મૃત્યુ તથા પાતાળ – એ ત્રણે લોકનું રક્ષણ આપ જ કરો છો. એ રીતે સુદર્શનચક્રની શક્તિ વિષ્ણુને આપે જ આપેલી છે.</p>
<p align="center">ક્રતૌ સુપ્તે જાગ્રત્વમસિ ફલયોગે ઋતુમત્તાં<br />
કવ કર્મ પ્રધ્વસ્તં ફલતિં પુરુષારાધનમૃતે &#124;<br />
અતસ્ત્વાં સંપ્રેક્ષ્ય ઋતુષુ ફલદાનપ્રતિભૂવં<br />
શ્રુતૌ શ્રદ્ધાંબદ્ધાંકૃતપરિકર: કર્મ સુજન: &#124;&#124; 20 &#124;&#124;</p>
<p>અર્થ : હે ત્રિલોકના સ્વામી ! યજ્ઞાદિ ક્રિયાઓ પૂરી થઈ ગયા પછી, ઘણે વખતે અને જે દેશમાં યજ્ઞ કર્યો હોય તેનાથી બીજે જ સ્થળે તથા આ જન્મમાં કરેલા યજ્ઞાદિ ક્રિયાઓનું ફળ બીજા જન્મમાં પણ અર્પવાને તું હંમેશાં જાગ્રત રહે છે. ચેતનરૂપ ઈશ્વરની આરાધનાથી અને તેને પ્રસન્ના કર્યાથી યજ્ઞનાં બધાં ફળો મળે છે. હે પ્રભો ! તું સર્વવ્યાપી છે. તારી ઈચ્છા વગર તૃણ પણ હાલી શકતું નથી. આથી યજ્ઞાદિ કર્યોનાં ફળ આપવામાં તેમને આધારભૂત માનીને લોકો શ્રુતિ વગેરે શાસ્ત્રમાં શ્રદ્ધા રાખી કાર્યનો આરંભ કરે છે.</p>
<p align="center">ક્રિયા દક્ષો દક્ષ: ક્રતુપતિરધીશસ્તનુભૃતાં<br />
ઋષીણામાર્ત્વિજય શરણદ ! સદસ્યા સુરગણા: &#124;<br />
ઋતુભ્રંષસ્ત્વત્ત: ઋતુફલવિધનવ્યસનિને &#124;<br />
ધ્રૂવં કર્તુ: શ્રદ્ધા વિધુરમભિચારાય હિ મખા: &#124;&#124; 21 &#124;&#124;</p>
<p>અર્થ : હે શરણે આવનારને શરણ આપનારા યજ્ઞાદિ તત્કર્મો કરવામાં કુશળ, દશનામે પ્રજાપતિ પોતે જ યજ્ઞ કરવા બેઠા હતા. ત્રિકાળદર્શી ભૃગુ વગેરે ઋષિઓ યજ્ઞ કરાવનાર હતા અને બ્રહ્માદિ દેવસભામાં પ્રેક્ષકો તરીકે બેઠા હતા. આટલા ઉત્તમ સામગ્રી અને સાધન હોવા છતાં પણ યજ્ઞકર્તા દક્ષે ફળની ઈચ્છા કરી હોવાથી, તમે એ યજ્ઞને ફળરહિત કરી દીધો હતો, એ યોગ્ય જ હતું. યજ્ઞાદિ ક્રિયાઓ નિષ્કામપણે ન કરતા તથા તમારા ઉપર શ્રદ્ધા રાખ્યા વિના યજ્ઞ કરીએ, તો એ યજ્ઞકર્તા માટે વિનાશરૂપ ન નિવડે.</p>
<p align="center">પ્રજાનાથં નાથ ! પ્રસભભિમકં સ્વાં દુહિતરં<br />
ગતં રોહિદભૂતાં રિરમયિષુમૃષ્યસ્ય વપુષા &#124;<br />
ઘનુષ્પ્રાણેયતિં દિવમપિ સપત્રાકૃતમમું<br />
ત્રસતં તેડધાપિ ત્યકાત ન મૃગવ્યાધાદાભસ: &#124;&#124; 22 &#124;&#124;</p>
<p>અર્થ : પ્રજાનાથ ઈશ્વર ! પોતાના દુહિતા સરસ્વતીનું લાવણ્ય જોઈ, કામવશ થવાથી બ્રહ્મા તેની પાછળ દોડ્યા એટલે સરસ્વતીએ મૃગલીનું રૂપ લીધું. ત્યારે બ્રહ્માએ મૃગશીર્ષ નક્ષત્ર કહેવાય છે તે મૃગનું રૂપ લઈને તેની સાથે ક્રીડા કરવા હઠ લીધી, એવામાં આપે જોયું કે, આ અધર્મ થાય છે, માટે તેને ખચીત દંડ દેવો જોઈએ. તેથી આપે વ્યાઘ નામક આર્દ્રાનક્ષત્ર રૂપી શરને તેની પાછળ મૂક્યું હતું. આજ સુધી પણ તે બાણરૂપી નક્ષત્ર કામી પ્રજાપતિની પૂંઠ મૂકતું નથી.</p>
<p align="center">સ્વલાવણ્યાજ્ઞસાધ્ર તદ્યંનુષમહાય તૃણવત્<br />
પુર: પ્લુષ્ઠં દષ્ટવા પુરમથન ! પુષ્પાયુધમપિ &#124;<br />
યદિ સ્ત્રૈણ દેવી યમનિરત ! દેહાર્ઘઘટના<br />
દવૈતિ ત્વામદ્ધા બત વરદ ! મુગ્ધા યુકતય: &#124;&#124; 23 &#124;&#124;</p>
<p>અર્થ : ત્રિપુરારિ ! દક્ષ કન્યા સતીએ પોતાના પિતાને ત્યાં પોતાનું અને પતિનું અપમાન થવાથી યજ્ઞમાં ઝંપલાવી યજ્ઞ ભ્રષ્ટ કર્યો હતો ત્યાર પછી તે જ પતિને વરવાને બીજે જન્મે પર્વતની પુત્રી પાર્વતી થઈ. તેણે ભિલડીનો વેશ ધારણ કર્યો અને મહાદેવજી તપ કરતા હતા, ત્યાં તેમને મોહ પમાડવાના અનેક પ્રયત્નો કર્યા, પણ તે વ્યર્થ નિવડ્યા. દેવોએ ધાર્યું કે, યજ્ઞ વેળા થયેલા અપમાનથી ક્રોધાયમાન થયેલા મહાદેવજીનો ઉગ્રતાપ હવે આપણાથી સહન થઈ શકશે નહિ. તેથી તે તાપને દૂર કરવાને પાર્વતી સાથે મહાદેવ કામવશ થઈ પરણે, એવા હેતુથી દેવોએ કામદેવને મોકલી આપ્યો હતો. કામદેવના પ્રભાવથી એકેએક બ્રહ્મજ્ઞાની બ્રહ્મમય જગતને નારીમય જોવા લાગ્યા, પરંતુ મહાદેવે તરત ત્રીજું નેત્ર ખોલી પાર્વતીની સાથે કામદેવને ભસ્મ કરી દીધો. આમ છતાં પણ પાર્વતીને માત્ર વિરહ દુ:ખથી ઉગારવાને માટે તમે અર્ઘાંગના પદ આપ્યું હતું. આ તમારું કાર્ય જેઓ મૂઢ છે, તેઓ જ સ્ત્રી આસક્તિવાળું ગણે છે.</p>
<p align="center">સ્મશોષ્વા ક્રીડા સ્મરહર પિશાચા: સહચરા<br />
શ્ચિતાભસ્માલેપ: સ્ત્રગપિ નૂકરોટીપરિકર: &#124;<br />
અમંગલ્ય શિલં તવ ભવતુ ન મૈવમખિલં<br />
તથાડપિ સ્મર્તૃણાં વરદ ! પરમં મંગલમસિ &#124;&#124; 24 &#124;&#124;</p>
<p>અર્થ : હે કામ વિનાશન, સ્મશાન ભૂમિમાં ચારે દિશાઓમાં ક્રીડા કરવી, ભૂત-પ્રેતોની સાથે નાચવું, કૂદવું અને ફરવું, ચિતાની રાખોડી શરીરે ચોળવી અને મનુષ્યની ખોપરીઓની માળા પહેરવી, આવા પ્રકારનું તમારું ચરિત્ર કેવળ મંગલશૂન્ય છે. છતાં તમારું વારંવાર જે સ્મરણ કરે છે, તેને તમારું નામ મંગળમય હોઈ તેને માટે તમારી ભક્તિ મંગળકારી છે.</p>
<p align="center">મન: પ્રત્યક્ ચિત્તે સવિધમવધાય: ત્તમરુત:<br />
પ્રહૃષ્યેદ્રોણમાણ: પ્રમદસલિલોત્સં ગિતદશ: &#124;<br />
યદાલોક્યાહલાદં હૃદઈવ નિમજ્જયામૃતમયે<br />
દધત્વં તરતત્વં કિમપિ યમિનસ્તત્કિલ ભવાન્ &#124;&#124; 25 &#124;&#124;</p>
<p>અર્થ : હે દાતા ! સત્ય-બ્રહ્માને શોધવા માટે અંતમૂઢ થયેલા જે યોગીઓ છે, તેઓ મનને, હૃદયને રોકીને, યોગ-શાસ્ત્રમાં બતાવેલા, યમ, નિયમ, આસન વડે પ્રાણાયામ કરે છે અને બ્રહ્માનંદનો અનુભવ મેળવે છે. એ અનુભવથી તેમના રોમાંચ ઊભા થઈ આનંદથી આંખોમાં હર્ષનાં આંસુ આવી જાય છે. આવા દુર્લભ સ્થળને પ્રાપ્ત થયેલા યોગીઓ, વળી ઈન્દ્રિયોને અગમ્ય, માત્ર અનુભવીએ જાણી શકનારા અવર્ણનીય એવાં તારા તત્વને, અનુભવીને જાણે અમૃતથી ભરેલા સરોવરમાં સ્નાન કરતાં હોય એવો આનંદ મેળવે છે.</p>
<p align="center">ત્વમર્કત્સ્વ સોમત્સ્વમપિ પવનસ્ત્વં હુતવહ<br />
સ્ત્વમાપસ્ત્વ વ્યોમ ત્વમુ ધરણિરાત્મા ત્વમિતિચ &#124;<br />
પરિચિછન્નામેવં ત્વયિ પરિજતા બિભ્રતુ ગિરં<br />
ન વિદ્મસ્તત્તત્વં વયમહિ તુ યત્વં ન ભવસિ &#124;&#124; 26 &#124;&#124;</p>
<p>અર્થ : ‘હે વિશ્વંભર ! તું સૂર્ય છે, તું ચંદ્ર છે, તું પવન છે, તું અગ્નિ છે, તું જ જલ તથા આકાશ રૂપે છે. તું પૃથ્વી છે અને આત્મા પણ તું જ છે. એમ જુદાં જુદાં સ્વરૂપમાં અનુભવી પુરુષો તને ઓળખે છે. પરંતુ હે પ્રભો ! તે બધાંનાં રહસ્યો રૂપે તું આખા બ્રહ્માંડમાં સર્વવ્યાપી સર્વનો કર્તા, ભોક્તા અને નાશકર્તા બની રહેલો છે.</p>
<p align="center">ત્રયી તિસ્ત્રો વૃત્તિસ્ત્રીભુવમથો ત્રીનપિ સુરા<br />
નકરાર્વધણૈ સ્ત્રીભિરભિદધત્તીર્ણ વિકૃત્તિ &#124;<br />
તુરીયં તે ધામ ધ્વનિભિરવરુંધાનમયૂભિ:<br />
સમસ્ત વ્યક્તં ત્વાં શરણદ ! ગૃણાત્યોમિતિ પદમ &#124;&#124; 27 &#124;&#124;</p>
<p>અર્થ : હે અશરણશરણ ! ત્રણ વેદો, ત્રણ અવસ્થાઓ, ત્રિલોક અને અકારાદિ ત્રણ અક્ષરોના ને ભલા ૐકાર પદ એ બધા તમારું જ વર્ણન કરે છે અને તમને અકારથી સ્થૂળ પ્રપંચરૂપી ઉપકારથી સૂક્ષ્મ પ્રપંચરૂપી અને મકારથી સ્થૂલસૂક્ષ્મ પ્રપંચયુક્ત માયારૂપ જણાવે છે. વળી, યોગની ચોથી અવસ્થા વખતે ઉપજતો સૂક્ષ્મતર ધ્વનિ તમને સ્થૂળ અને સૂક્ષ્મ પ્રપંચો તેમજ માયાદિ સર્વ ઉપાધિઓથી રહિત અખંડ ચૈતન્ય સ્વરૂપાત્મા ૐકાર રૂપ સિદ્ધ કરે છે.</p>
<p align="center">ભવ: શર્વો રુદ્ર: પશુપતિરથોગ્ર: સહ મહાં<br />
સ્તથાં ભીમેશાનાવિતિ યદભિનાષ્ટકમિદમ &#124;<br />
અમુષ્મિનપ્રત્યેકં પ્રવિચરતિ દેવો શ્રુતિરપિ<br />
પ્રિયા યાસ્મૈ ધામ્ને પ્રણિહિતનમ સ્યોસ્મિ ભવતે &#124;&#124; 28 &#124;&#124;</p>
<p>હે દેવ ! તું જગતકર્તા ભક્તો માટે જન્મ લેનાર, સર્વ પશુઓના પાલક રૂપે પશુપતિ, પાપીઓના પાપ વિનાશન રૂપ રુદ્ર, અધર્મીઓને દંડ દેનારો ઉગ્ર, સર્વના સ્વત્વરૂપે સહમહાન વિષપાન, રાવણને દંડ, ત્રિપુરનાશ અને કામદહન જેવાં ભયંકર કર્મોથી ભીમ અને જગતને યથેચ્છ અને યથાર્થ નિયમમાં રાખનાર ‘ઈશાન’ છે. આવી રીતે જેમ શ્રુતિ ‘પ્રણવ’ નો બોધ કરાવે છે. તેમ આ તમારા આઠ નામોનો પણ શ્રુતિ બોધ કરાવે છે. હે દેવ ! પોતાના પ્રકાશકના ચૈતન્યપણાને લીધે સર્વદા અદશ્ય, સર્વને આધારરૂપ કેવળ ચિત્ત વડે જાણી શકાય એવા આપને બીજી કોઈ યથાર્થ રીતે નહિ જાણતો હોવાથી, હું માત્ર વાણી, મન અને શરીર વડે આપને જ નમસ્કાર કરું છું.</p>
<p align="center">નમો નેદિષ્ઠય પ્રિયદવ ! દવિષ્ઠાય ચ નમો<br />
નમ: ક્ષોદિષ્ઠાય સ્મરહર ! મહિષ્ઠાય ચ નમો &#124;<br />
નમોવષિષ્ઠાય ત્રિનયન &#124; યવિત્ઠાય ચ નમો:<br />
નમ: સર્વસ્મૈ તે તદિદમિતી સર્વાંય ચ નમ: &#124;&#124; 29 &#124;&#124;</p>
<p>નિર્જન વન વિહારની સ્પૃહા રાખનાર ભક્તોની ખૂબ સમીપ તેમજ અધર્મીઓથી દૂર વસેલા ! હું તમને વંદન કરું છું. હે કામનો નાશ કરનાર અણુથી પણ અણુ તેમજ સર્વથી મહાન તમને હું નમું છું. હે ત્રિનેત્રોને ધારણ કરનાર ! વૃદ્ધ અને યુવાન રૂપે પ્રકટતા તમને મારા નમસ્કાર હો. એક બીજાની અતિ વિરુદ્ધ સ્થિતિમાં રહેનાર હે સર્વરૂપ ભગવન્ તમને હું નમું છું અને તેથી આ તમારું દ્રશ્યરૂપ છે ને પેલું અદશ્યરૂપ છે, એવો ભેદ ન પાડી શકવાથી અભેદરૂપ એક સ્વારૂપાત્મક એવા તમને હું વંદું છું. કારણ કે આખું જગત તમારામય છે.</p>
<p align="center">બહલરજસે વિશ્વોત્પતૌ ભવાય નમોનમ:<br />
પ્રબલતમસે તત્સંહારે હરાય નમોનમ: &#124;<br />
જનસુખકૃતે સત્વોદ્વિકતૌ મુંડાય નમોનમ:<br />
પ્રમહસિ પદે નિસ્ત્રૈગુણ્યે શિવાય નમોનમ: &#124;&#124; 30 &#124;&#124;</p>
<p>હે દીનાનાથ ! બ્રહ્માંડને રચવા માટે તમસ તથા સત્વથી વધારે રજસવૃત્તિને રાખનાર ભવ ! તમને હું નમું છું. આ વિશ્વનો વિનાશ કરવાને સત્વ તથા રજસથી અધિક તમસવૃત્તિને ધારણ કરનાર હું તમને નમું છું. જનોના સુખ માટે તેઓનું પાલન કરવાને રજસ તથા તમસથી અધિક સાત્વિક વૃત્તિને ધરનાર મુંડ તમને નમું છું. આપ ત્રિગુણાત્મક છો અને જ્યોતિરૂપ છો તેથી સત્વ, રજસ અને તમસ – એ ત્રણે ગુણોથી રહિત પ્રકાશમય એવા તારા પદને પામવા માટે એક સ્વરૂપાત્મક શિવ ! એવા તમને હું વારંવાર વંદન કરું છું.</p>
<p align="center">કૃતપરિણતિચેત: કલેશવશ્ય કવ ચેદં<br />
કવ ચ તવ ગુણસીમાલ્લંઘિમી શશ્વદદ્ધિ: &#124;<br />
ઈતિ ચકિતમમંદીકૃત્ય માં ભક્તિરોધા<br />
દ્વરદ ! ચરણયોસ્તે વાક્યપુષ્પોપહારમ &#124;&#124; 31 &#124;&#124;</p>
<p>અર્થ : હે કલ્પતરુની જેમ કામનાઓને પૂર્ણ કરનાર ! અમારા અલ્પવિષયક, અજ્ઞાન રાગદ્વેષાદિ દોષોથી મલિન ચિત્ત ક્યાં આ અને આપનું ત્રિગુણ રહિત યથાર્થ ગુણગાન પણ ન થઈ શકે એવું શાશ્વત ઐશ્વર્ય ક્યાં ? આ બેની અત્યંત અયોગ્ય તુલના કરતાં હું આશ્ચર્ય પામું છું. મને તમે દયા કરીને તમારી ભક્તિ કરવા પ્રેર્યો છે અને તેથી તમારાં ચરણકમળોમાં અમારી વાક્યો રૂપી પુષ્પોની ભેટ આપવાને હું શક્તિમાન થયો છું.</p>
<p align="center">અસિતગિરિ સમસ્યાત્કજ્જલં સિંધુપાત્રે<br />
સુરતરુવરશાખા લેખનીં પત્રમુર્વી &#124;<br />
લિખતિ યદિ ગૃહીત્વા શારદા સર્વકાલં<br />
તદપિ તવ ગુણાનામીશ ! પારં ન યાતિ &#124;&#124; 32 &#124;&#124;</p>
<p>અર્થ : હે સ્થાવર અને જંગમને નિયમમાં રાખનારા ! સમુદ્રરૂપી પાત્રમાં કાળા પમાક્સમી શાહીથી, કલ્પવૃક્ષની ડાળીને કલમ રૂપે લઈને તથા આખી પૃથ્વીને પત્ર બનાવી, આવા, સર્વોત્તમ સાધન વડે, અનંતવિદ્યાનો પાર પામેલી સરસ્વતી પોતે જો તમારા ગુણોનું વર્ણન જરા પણ થોભ્યા વગર હરહંમેશ લખ્યા કરે, તો પણ તે તેનો અંત પામે તેમ નથી.</p>
<p align="center">અસુરસુરમુનીન્દ્રે રચિતસ્યેન્દુમૌલે<br />
ગ્રંથિતગુણમહિમ્નો નિર્ગુણસ્યેશ્વરસ્ય &#124;<br />
સકલગુણવરિષ્ઠ: પુષ્પદંતાભિધાનો<br />
રુચિરમલઘુવૃત્તે સ્તોત્રમેતરચ્ચરકા &#124;&#124; 33 &#124;&#124;</p>
<p>અર્થ : હે ઈશ્વર ! દેવો, દાનવો અને મોટા મોટા મુનિઓથી પૂજિત, ચન્દ્રને કપાળમાં ધરનાર જેના ગુણોનો મહિમા અહીં વર્ણવ્યો તે તથા સત્વ, રજસ અને તમ, એવા ત્રિગુણોથી રહિત તમારું આ સ્તોત્ર બધા ગુણોથી યુક્ત એવા આચાર્ય શ્રેષ્ઠ પુષ્પદંત નામે એક યક્ષે રચ્યું છે.</p>
<p align="center">અહરહરનવધં ધૂર્જટે ! સ્તોત્રમેત<br />
ત્વઠતિ પરમભકત્યા શુદ્ધચિતા પુમાન્યં &#124;<br />
સ ભવતિ શિવલોકે રુદ્રતુલ્યસ્તથાડત્ર<br />
પ્રચુરતરધનાયુ પુત્રવાન કીર્તિમાંશ્ય &#124;&#124; 34 &#124;&#124;</p>
<p>અર્થ : હે જટાધારી ! નિર્મળ મનવાળો જે કોઈ મનુષ્ય દરરોજ પરમ ભક્તિથી આ ઉત્તમ સ્તોત્રોનો પાઠ કરે છે, તે શિવ સ્તુતિના પુણ્ય મેળવે છે. અંતે શિવલોકમાં રુદ્રના પદને પામે છે. તથા આ મહીલોકમાં મોટો ધનાઢ્ય, દીર્ધ આયુષ્યવાળો, પુત્રવાળો અને કીર્તિને વરનારો થાય છે.</p>
<p align="center">મહેશાન્નાપરો દેવો મહિમ્નો નાપરા સ્તુતિ: &#124;<br />
અઘોરાન્નાપરો મંત્રો નાસ્તિ તત્વં ગૂરો: પરમ &#124;&#124; 35 &#124;&#124;</p>
<p>અર્થ : ખરેખર ! મહેશના જેવા બીજા કોઈ શ્રેષ્ઠ દેવ નથી. આ ‘મહિમ્નસ્તોત્ર’ જેવી બીજી કોઈ સ્તુતિ નથી, ‘અઘોર’ નામના મંત્રથી બીજો કોઈ મહાન મંત્ર નથી અને ગુરુ પરંપરા વિનાનું અન્ય કાંઈ શ્રેષ્ઠ નથી. આથી ગુરુ પરંપરા હે ઈશ્વર ! તને હું સ્તોત્ર દ્વારા નમસ્કાર કરું છું.</p>
<p align="center">દીક્ષા દાનં તપસ્તીર્થ જ્ઞાનં યાગાદિકા: ક્રિયા: &#124;<br />
મહિમ્નસ્તવ પાઠસ્ય કલાંનાર્હન્તિ ષોડશીમ્ &#124;&#124; 36 &#124;&#124;</p>
<p>અર્થ : દીક્ષા, દાન, તપ, તીર્થ, જ્ઞાન અને યજ્ઞાદિ ક્રિયાઓ જે લોકો સકામપણે કરે તેના કરતાં પણ તમારા મહિમાના આ પાઠથી જે સોળમી કળા, તે વધી જાય છે. માટે તમારી આ સ્તોત્રથી ભક્તિ કરવી એ જ ઉત્તમ છે.</p>
<p align="center">કુસુમદશનનામા સર્વગંધર્વરાજ:<br />
શિશુશશિધરા મૌલેદેવેદસ્ય દાસ &#124;<br />
સ ખલુ ર્નિજમહિમ્નો ભ્રષ્ટ એવાસ્ય રોષા<br />
ત્સ્તવનામિદકાર્ષી દિવ્ય દિવ્યં મહિમ્ન: &#124;&#124; 37 &#124;&#124;</p>
<p>કોઈ રાજાના બગીચામાંથી પુષ્પદંત વિમાનમાંથી અદશ્ય રહી પુષ્પ ચોરતા હતા, તેથી રાજાએ બિલ્વપત્ર કે તુલસીદલ તેમના માર્ગમાં વેર્યાં. એમ કરવાનો ઉદ્દેશ એ હતો કે શિવ કે, વિષ્ણુનો ભક્ત નિર્માલ્ય ઓળંગી જઈ શકશે નહિ. ગંધર્વરાજ પુષ્પદંતે એ નિર્માલ્ય ઓળંગવાથી મહાદેવ કોપાયમાન થયા અને પુષ્પદંતની અદશ્ય રહેવાની શક્તિ નાશ પામી. આથી શિવજીને પ્રસન્ન કરવાને સર્વ ગંધવો રાજા અને બાલેન્દુને કપાળ વિષે ધરાવનાર શંકરના દાસ કુસુમદર્શને પુષ્પદંતે આ અતિ દિવ્ય સ્તોત્ર રચ્યું છે.</p>
<p align="center">સુરવરમુનિપૂજ્યં સ્વર્ગમોક્ષેક હેતુ<br />
પઠતિ યદિ મનુષ્ય: પ્રાંજર્લિર્નાંન્યચેતા:<br />
વજતિ શિવસમીપં કિન્નરે: સ્તુયમાન:<br />
સ્તવનમિદમતીઘં પુષ્પદંત પ્રણીતમ્ &#124;&#124; 38 &#124;&#124;</p>
<p>અર્થ : આ શ્લોકમાં આ સ્તોત્રનો મહિમા વર્ણવ્યો છે. ઈન્દ્ર અને મુનિઓથી પૂજાયેલું સ્વર્ગ મોક્ષપ્રાપ્તિના એક જ સાધન સમું, હંમેશ ફલદાયક અને શ્રીપુષ્પદંતે રચેલું આ સ્તોત્ર જે કોઈ મનુષ્ય બે હાથ જોડી નમ્રભાવે તથા એકાત્મ થઈને ભક્તિથી સ્તવે છે, તે કિન્નરોથી સ્તુતિ પામતો શિવની પાસે જાય છે.</p>
<p align="center">આસમાપ્તિમિદં સ્તોત્ર પુણ્યં ગંધર્વભાષિતમ &#124;<br />
અનૌપમ્યં મનોહારિ શિવમીશ્વરર્ણન &#124;&#124; 39 &#124;&#124;</p>
<p>અર્થ : આ સમાપ્તિ સુધીનું સ્તોત્ર ઉપમા આપી શકાય નહિ તેવું છે. તે (સુગંધિત વાયુની જેમ મનને પ્રફુલ્લિત કરે છે તેમ આત્માને પ્રફુલ્લિત કરે છે.) મનોહર, મંગલમય ઈશ્વરના વર્ણનરૂપ હોઈ, તે પુષ્પદંત નામે યક્ષે રચ્યું છે.</p>
<p align="center">ઈત્યેષા વાંડમયી પૂજા શ્રીમચ્છંકરપાદયો: &#124;<br />
અર્પિતા તેન દેવેશ: પ્રીયતાં મે સદાશિવ: &#124;&#124; 40 &#124;&#124;</p>
<p>અર્થ : હે દેવના દેવ ! મારી વાણી રૂપી આ પૂજા તમારાં ચરણકમળમાં અર્પણ કરી છે, તો આપ સર્વદા પ્રસન્ન થજો.</p>
<p align="center">તવ તત્વં ન જાનામિ કોદ્દ્શોડસિ મહેશ્વર: &#124;<br />
યાદશોડશિ મહાદેવ ! તાદશાય નમોનમ: &#124;&#124; 41 &#124;&#124;</p>
<p>અર્થ : હે મહેશ્વર ! હે મહાદેવ ! હું તો અજ્ઞાની છું. આપનું તત્વ કયું અને આપ કેવા હોઈ શકો તેની મને ખબર નથી. પણ જેવી રીતે પોતાની કર્તવ્ય પરાયણતાને ન સમજનાર માનવ સ્નેહવશ થઈને વડિલને નમે છે, તેવા ભાવથી હું આપને પુન: પુન: નમું છું.</p>
<p align="center">એકકાલં દ્વિકાલં વા ત્રિકાલં ય પઠેન્નર: &#124;<br />
સર્વપાપવિનિર્મુક્ત શિવલોકે મહીયતે &#124;&#124; 42 &#124;&#124;</p>
<p>અર્થ : જે મનુષ્ય દિવસમાં એકવાર, બેવાર, કે ત્રણવાર આ સ્તોત્રનો પાઠ કરે છે, તે બધાં ય પાપોથી છુટીને શિવલોક વિષે પૂજાને પાત્ર થાય છે.</p>
<p align="center">શ્રી પુષ્પદંત મુખ પંકજનિર્ગતેન<br />
સ્તોત્રેણ કિલ્વિષહરેણ હરિપ્રિયેણ &#124;<br />
કંઠસ્થિતેન પઠિતેન સ્માનહિતેન<br />
સપ્રીણિતા ભવતિ ભૂતગતિર્મહેશ &#124;&#124; 43 &#124;&#124;</p>
<p>અર્થ : જે કોઈ શ્રી પુષ્પદંતના મુખકમળમાંથી નીકળેલું સર્વપાપોને નાશ કરનારું, શિવજીને અતિપ્રિય એવું આ સ્તોત્ર મોઢે કરે છે અને તેનો ધ્યાનપૂર્વક પાઠ કરે છે તેના પર અખિલ બ્રહ્માંડના પાલકપિતા શ્રી મહેશ પ્રસન્ન થાય છે.</p>
<p>ઈતિ શ્રી શિવ મહિમ્ન સ્તોત્ર સમાપ્ત…..</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[ॐ ]]></title>
<link>http://jayeshupadhyaya.wordpress.com/2008/04/01/%e0%a5%90/</link>
<pubDate>Tue, 01 Apr 2008 14:08:39 +0000</pubDate>
<dc:creator>jayeshupadhyaya</dc:creator>
<guid>http://jayeshupadhyaya.wordpress.com/2008/04/01/%e0%a5%90/</guid>
<description><![CDATA[ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णम]]></description>
<content:encoded><![CDATA[<p align="center">ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते ।<br />
      पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॥<br />
ॐ शांतिः शांतिः शांतिः ॥</p>
<p>     ૐ, પરમાત્મા સર્વપ્રકારે પૂર્ણ છે. આ જગત પણ પૂર્ણ છે. એ પૂર્ણ પરમાત્માથી જ આ પૂર્ણ જગત ઉત્પન્ન થાય છે. પૂર્ણના પૂર્ણને લઇ લેવાથી પૂર્ણ જ બાકી રહે છે.<br />
     ૐ શાંતિ શાંતિ શાંતિ</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[સંકટનાશન ગણેશ સ્તોત્રમ્]]></title>
<link>http://jayeshupadhyaya.wordpress.com/2008/04/01/%e0%aa%b8%e0%aa%82%e0%aa%95%e0%aa%9f%e0%aa%a8%e0%aa%be%e0%aa%b6%e0%aa%a8-%e0%aa%97%e0%aa%a3%e0%ab%87%e0%aa%b6-%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a4%e0%ab%8b%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0%e0%aa%ae%e0%ab%8d/</link>
<pubDate>Tue, 01 Apr 2008 14:05:20 +0000</pubDate>
<dc:creator>jayeshupadhyaya</dc:creator>
<guid>http://jayeshupadhyaya.wordpress.com/2008/04/01/%e0%aa%b8%e0%aa%82%e0%aa%95%e0%aa%9f%e0%aa%a8%e0%aa%be%e0%aa%b6%e0%aa%a8-%e0%aa%97%e0%aa%a3%e0%ab%87%e0%aa%b6-%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a4%e0%ab%8b%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0%e0%aa%ae%e0%ab%8d/</guid>
<description><![CDATA[नारद उवाच ।
નારદ ઉવાચ ।

प्रणम्य शिरसा ]]></description>
<content:encoded><![CDATA[<div align="center"><strong>नारद उवाच ।</strong></div>
<div align="center">નારદ ઉવાચ ।</div>
<div align="center"></div>
<div align="center"><strong>प्रणम्य शिरसा देवं गौरीपुत्रं विनायकम् ।</strong></div>
<div align="center"><strong>भक्तावासं स्मरेनित्यं आयुःकामार्थसिद्धये ॥ १॥</strong></div>
<div align="center">પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકમ્ ।</div>
<div align="center">ભક્તાવાસં સ્મરેનિત્યં આયુઃકામાર્થસિદ્ધયે ॥ ૧॥</div>
<div align="center"></div>
<div>ભાવાર્થ - ગૌરી-પાર્વતીના પુત્ર વિનાયક ગણપતિ દેવને પ્રણામ કરી આયુષ્ય કામના માટે અને સર્વ કાર્યની સિદ્ધિ અર્થે ભક્તોના આવાસ સ્થાનરૂપ ગણપતિનું નિત્ય સ્મરણ કરવું.</div>
<div align="center"></div>
<div align="center"><strong>प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकम् ।</strong></div>
<div align="center"><strong>तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकम् ॥ २॥</strong></div>
<div align="center">પ્રથમં વક્રતુણ્ડં ચ એકદન્તં દ્વિતીયકમ્ ।</div>
<div align="center">તૃતીયં કૃષ્ણપિઙ્ગાક્ષં ગજવક્ત્રં ચતુર્થકમ્ ॥ ૨॥</div>
<div align="center"></div>
<div>ભાવાર્થ - પહેલા વક્રતુંડને, બીજા એકદંતને, ત્રીજા કૃષ્ણપિંગાક્ષને, ચોથા ગજક્ત્રને...</div>
<div align="center"></div>
<div align="center"><strong>लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च ।</strong></div>
<div align="center"><strong>सप्तमं विघ्नराजेन्द्रं धूम्रवर्णं तथाष्टमम् ॥ ३॥</strong></div>
<div align="center">લમ્બોદરં પઞ્ચમં ચ ષષ્ઠં વિકટમેવ ચ ।</div>
<div align="center">સપ્તમં વિઘ્નરાજેન્દ્રં ધૂમ્રવર્ણં તથાષ્ટમમ્ ॥ ૩॥</div>
<div align="center"></div>
<div>ભાવાર્થ - પાંચમા લંબોધરને, છઠ્ઠા વિકટને, સાતમા વિઘ્નરાજને અને આઠમા ધૂમ્રવર્ણને...</div>
<div align="center"></div>
<div align="center"><strong>नवमं भालचन्द्रं च दशमं तु विनायकम् ।</strong></div>
<div align="center"><strong>एकादशं गणपतिं द्वादशं तु गजाननम् ॥ ४॥</strong></div>
<div align="center">નવમં ભાલચન્દ્રં ચ દશમં તુ વિનાયકમ્ ।</div>
<div align="center">એકાદશં ગણપતિં દ્વાદશં તુ ગજાનનમ્ ॥ ૪॥</div>
<div align="center"></div>
<div>ભાવાર્થ - નવમા ભાલચંદ્રને, દશમા વિનાયકને, અગિયારમા ગણપતિને અને બારમા ગજાનનને...</div>
<div align="center"></div>
<div align="center"><strong>द्वादशैतानि नामानि त्रिसंध्यं यः पठेन्नरः ।</strong></div>
<div align="center"><strong>न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरः प्रभुः ॥ ५॥</strong></div>
<div align="center">દ્વાદશૈતાનિ નામાનિ ત્રિસંધ્યં યઃ પઠેન્નરઃ ।</div>
<div align="center">ન ચ વિઘ્નભયં તસ્ય સર્વસિદ્ધિકરઃ પ્રભુઃ ॥ ૫॥</div>
<div align="center"></div>
<div>ભાવાર્થ - જે માણસ આ બાર નામોનો પ્રાતઃકાળે, મધ્યાહનકાળે અને સાયંકાળે જપ કરે છે તેને વિઘ્નનો ભય રહેતો નથી અને દરેક કાર્યમાં તેને સિદ્ધિ મળે છે.</div>
<div align="center"></div>
<div align="center"><strong>विद्यार्थी लभते विद्यां धनार्थी लभते धनम् ।</strong></div>
<div align="center"><strong>पुत्रार्थी लभते पुत्रान्मोक्षार्थी लभते गतिम् ॥ ६॥</strong></div>
<div align="center">વિદ્યાર્થી લભતે વિદ્યાં ધનાર્થી લભતે ધનમ્ ।</div>
<div align="center">પુત્રાર્થી લભતે પુત્રાન્મોક્ષાર્થી લભતે ગતિમ્ ॥ ૬॥</div>
<div align="center"></div>
<div>ભાવાર્થ - વિદ્યાર્થી પાઠ કરે તો વિદ્યાને મેળવે, ધનની ઇચ્છાવાળો પાઠ કરે તો ધનને મેળવે, પુત્રની ઇચ્છાવાળો પાઠ કરે તો પુત્ર-સંતાન મેળવે, અંતે મોક્ષની ઇચ્છાવાળો પાઠ કરે તો ગતિ મોક્ષને મેળવે છે.</div>
<div align="center"></div>
<div align="center"><strong>जपेद्गणपतिस्तोत्रं षड्भिर्मासैः फलं लभेत् ।</strong></div>
<div align="center"><strong>संवत्सरेण सिद्धिं च लभते नात्र संशयः ॥ ७॥</strong></div>
<div align="center">જપેદ્ગણપતિસ્તોત્રં ષડ્ભિર્માસૈઃ ફલં લભેત્ ।</div>
<div align="center">સંવત્સરેણ સિદ્ધિં ચ લભતે નાત્ર સંશયઃ ॥ ૭॥</div>
<div align="center"></div>
<div>ભાવાર્થ - જે માણસ આ ગણપતિ સ્તોત્રનો પાઠ કરે છે, તેને આ સ્તોત્રનો પ્રારંભ પછી છઠ્ઠે માસે ફળ મળે છે, અને એક વર્ષે સંપૂર્ણ સિદ્ધિને એ માણસ મેળવે છે એમાં સંશય નથી. પરંતુ આ પાઠની શરૂઆત કર્યા પછી એક પણ દિવસ વચમાં ગાળો પડે નહિ એનું ખાસ ધ્યાન રાખવું અને એમ થાય તો ફરીથી શરૂઆત કરવી જોઇએ.</div>
<div align="center"></div>
<div align="center"><strong>अष्टेभ्यो ब्राह्मणेभ्यश्च लिखित्वा यः समर्पयेत् ।</strong></div>
<div align="center"><strong>तस्य विद्या भवेत्सर्वा गणेशस्य प्रसादतः ॥ ८॥</strong></div>
<div align="center">અષ્ટેભ્યો બ્રાહ્મણેભ્યશ્ચ લિખિત્વા યઃ સમર્પયેત્ ।</div>
<div align="center">તસ્ય વિદ્યા ભવેત્સર્વા ગણેશસ્ય પ્રસાદતઃ ॥ ૮॥</div>
<div align="center"></div>
<div>ભાવાર્થ - જે માણસ આઠ બ્રાહ્મણને આ સ્તોત્ર લખીને આપે છે, એને ગણેશની કૃપાથી સર્વ વિદ્યા પ્રાપ્ત થાય છે.</div>
<div align="center"></div>
<div align="center"><strong>॥ </strong><strong>इति श्रीनारदपुराणे संकटनाशनं गणेशस्तोत्रं संपूर्णम् ॥</strong></div>
<div align="center">॥ ઇતિ શ્રીનારદપુરાણે સંકટનાશનં ગણેશસ્તોત્રં સંપૂર્ણમ્ ॥</div>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[ सुखकर्ता दुःखहर्ता वार्ता विघ्नाची]]></title>
<link>http://jayeshupadhyaya.wordpress.com/2008/03/30/%e0%a4%b8%e0%a5%81%e0%a4%96%e0%a4%95%e0%a4%b0%e0%a5%8d%e0%a4%a4%e0%a4%be-%e0%a4%a6%e0%a5%81%e0%a4%83%e0%a4%96%e0%a4%b9%e0%a4%b0%e0%a5%8d%e0%a4%a4%e0%a4%be-%e0%a4%b5%e0%a4%be%e0%a4%b0%e0%a5%8d/</link>
<pubDate>Sun, 30 Mar 2008 08:09:58 +0000</pubDate>
<dc:creator>jayeshupadhyaya</dc:creator>
<guid>http://jayeshupadhyaya.wordpress.com/2008/03/30/%e0%a4%b8%e0%a5%81%e0%a4%96%e0%a4%95%e0%a4%b0%e0%a5%8d%e0%a4%a4%e0%a4%be-%e0%a4%a6%e0%a5%81%e0%a4%83%e0%a4%96%e0%a4%b9%e0%a4%b0%e0%a5%8d%e0%a4%a4%e0%a4%be-%e0%a4%b5%e0%a4%be%e0%a4%b0%e0%a5%8d/</guid>
<description><![CDATA[सुखकर्ता दुःखहर्ता वार्ता विघ्नाची
न]]></description>
<content:encoded><![CDATA[<p>सुखकर्ता दुःखहर्ता वार्ता विघ्नाची<br />
नुरवी पुरवी प्रेम कृपा जयाची<br />
सर्वांगी सुंदर उटि शेंदुराची<br />
कंटी झळके माळ मुक्ताफ्ळांची</p>
<p><a id="more-418"></a></p>
<p>जयदेव जयदेव जय मंगलमूर्ती, हो श्री मंगलमूर्ती<br />
दर्शनमात्रे मनकामना पूरती<br />
जयदेव जयदेव</p>
<p>रत्नखचित फरा तुज गौरीकुमरा<br />
चंदनाची उटी कुमकुमकेशरा<br />
हिरेजडित मुकुट शोभतो बरा<br />
रुणझुणती नूपुरे चरणी घागरिया</p>
<p>जयदेव जयदेव जय मंगलमूर्ती, हो श्री मंगलमूर्ती<br />
दर्शनमात्रे मनकामना पूरती<br />
जयदेव जयदेव</p>
<p>लंबोदर पीतांबर फणिवरबंधना<br />
सरळ सोंड वक्रतुंड त्रिनयना<br />
दास रामाचा वात पाहे सदना</p>
<p>संकटी पावावे निर्वाणी रक्षावे सुरवर वंदना</p>
<p>जयदेव जयदेव जय मंगलमूर्ती, हो श्री मंगलमूर्ती<br />
दर्शनमात्रे मनकामना पूरती<br />
जयदेव जयदेव</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[શિવ મહિમ્ન સ્તોત્ર]]></title>
<link>http://jayeshupadhyaya.wordpress.com/2008/03/27/49/</link>
<pubDate>Thu, 27 Mar 2008 10:03:18 +0000</pubDate>
<dc:creator>jayeshupadhyaya</dc:creator>
<guid>http://jayeshupadhyaya.wordpress.com/2008/03/27/49/</guid>
<description><![CDATA[શિવમહિમ્ન સ્તોત્ર - પુષ્પદંત




સ્તોત્]]></description>
<content:encoded><![CDATA[<h2 class="nodetitle">શિવમહિમ્ન સ્તોત્ર - પુષ્પદંત</h2>
<div class="tabs"></div>
<div class="node"><span class="submitted"></span></p>
<div class="taxonomy">
<ul class="links inline">
<li class="first last taxonomy_term_28"><a rel="tag" href="http://www.sanatanjagruti.org/bhakti/stotra-stuti" class="taxonomy_term_28">સ્તોત્ર-સ્તુતિ</a></li>
</ul>
</div>
<div class="content">
<p align="center"><img align="right" width="185" src="http://www.geocities.com/bhagvatjee/shiv/shiv1.jpg" alt="image" height="230" />શ્રી ગણેશાય નમ: &#124;&#124;<br />
પુષ્પદંત ઉવાચ &#124;&#124;</p>
<p align="center">મહિમ્ન: પાર તે પરમ વિદુષો યદ્યયસદશો<br />
સ્તુતિ બ્રહ્માદિનામપિ તદવસન્નાસ્ત્વયિ ગિર: &#124;<br />
અથાડવાચ્યા: સર્વ: સ્વમતિ પરિમાવધિ ગૃણન્<br />
મમાપ્યેવ સ્તોત્રે હર: નિરપવાદ: પરિકર: &#124;&#124; 1 &#124;&#124;</p>
<p>અર્થ : હે ભગવાન ! આપના નિર્ગુણ સ્વરૂપના મહિમાનો પાર પુરુષો જાણતા નથી, કારણકે આપના નિર્ગુણ સ્વરૂપ મનવાણીથી પર છે, તેમજ આપને પુરુષોએ કરેલી સ્તુતિ પણ વર્ણવી શકતી નથી. બ્રહ્માદિનો સંસ્કૃતભાષાનો શબ્દભંડાર પણ આપનું નિર્ગુણ સ્વરૂપ વર્ણવી શકતો નથી. બ્રહ્માદિકની વાણી પણ હે હર ! તમને વર્ણવવા માટે સમર્થ નથી, પક્ષી જેમ પોતપોતાની શક્તિ પ્રમાણે ઊડે છે, તે જ પ્રમાણે સર્વ જન પોતપોતાની બુદ્ધિને અનુસરીને આપની સ્તુતિ કરે છે. તેથી સર્વે સ્તુતિ કરનારાઓ તેમનો દોષ હોય તો પણ નિર્દોષ છે, આ મહિમ્નસ્તોત્ર બાબત મારો પ્રયત્ન પણ તે જ દ્રષ્ટિનો નિર્દોષ છે.</p>
<p align="center">અતીત: પંથાન તવ ચ મહિમા વાડમનસયો –<br />
રતદ્વયાવૃત્યા યં ચકિતમભિધત શ્રુતિરપિ<br />
સંકરસ્ય સ્તોતવ્ય: કતિવિધગુણ: કસ્ય વિષય:<br />
પદે ત્વાર્ચાચીને પતિત ન મન: કસ્યા ન વચ: &#124;&#124; 2 &#124;&#124;</p>
<p>અર્થ : ‘હે ભગવાન ! આપનો મહિમા, મન તથા વાણી વડે જાણવામાં આવતો નથી અને આપના મહિમાનું શ્રુતિઓ પણ ગૌરવપૂર્વક એ જ રીતનું વર્ણન કરે છે. વાક્ય વડે ભેદ સગુણ સ્વરૂપનો નિષેધ કરવા છતાં બીજા અર્થ વડે સગુણ વસ્તુનું પ્રતિપાદન પણ કરે છે. આપનો એ રીતનો અપાર મહિમા વર્ણવવાને કોઈ પુરુષ શક્તિમાન નથી. તેમજ આપ કોઈપણ પુરુષને ઈન્દ્રિયગોચર પણ નથી. આમ તમારું નિર્ગુણ સ્વરૂપ બધાને અગમ્ય છે અને તમારા સગુણ સ્વરૂપને વર્ણવવા માટે સંસ્કૃતાદિ ભાષાઓમાં શક્તિ નથી, તે છતાં તમારા સગુણ સ્વરૂપની તો શંકર ! બધા જ સ્તુતિ કરે છે.</p>
<p align="center">મધુસ્કીતા વાચ: પરમમૃતં નિર્મિતવત્<br />
સ્તવ બ્રહ્મનિક વાગપિ સુરગુરોર્વિસ્મય પદમ્ &#124;<br />
મમ ત્વેતા વાણી ગુણકથનપુણ્યેન ભવત:<br />
પુનામીત્યર્થેડસ્મિનપુરમથન ! બુદ્ધિર્વ્યોચસિતા: &#124;&#124; 3 &#124;&#124;</p>
<p>અર્થ : ‘હે ભગવાન ! મારી સ્તુતિ તમને કોઈ પણ પ્રકારે યથાર્થ વર્ણવી શકતી નથી, કારણકે તમે વેદોની મધ જેવી મધુર વાણીનો રચાયિતા છો. હે ભગવાન ! વાણીના ભંડાર રૂપ બ્રહ્માદિની સ્તુતિ પણ ખુશ ન કરી શકે, તો મારી સ્તુતિ તમને ક્યાંથી સંતોષ આપી શકે ? હું આ બધું જાણું છું. છતાં તમારી સ્તુતિ કરું છું, કારણ એ છે કે, હું તમારા સ્તવનથી મારી વાણીને નિર્મળ કરું છું એમ જ હું માનું છું. મારી વાણીથી તમે આનંદ પામો એ મારી ધરણા જ નથી. આ જ કારણથી હું તમારી સ્તુતિ કરવા પ્રવૃત્ત થયો છું.<br />
 </p>
<p align="center">તવૈશ્વર્ય યત્તજયગદુદયરક્ષાપ્રલયકૃત<br />
ત્રયી વસ્તુ વ્યસતં તિસૂષુ ગુણભિન્નાસુ તનુષુ &#124;<br />
અભવ્યાનામસ્મિન્વરદ ! રમણોયામરમણી<br />
વિરંતુ વ્યક્તોશીં વિદધત ઈહૈકે જડધિય &#124;&#124; 4 &#124;&#124;</p>
<p>અર્થ : હે ભગવાન ! આપનું ઐશ્વર્ય જુદે જુદે રૂપે જુદા જુદા ગુણોએ કરીને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ – એ ત્રણે વ્યક્તિમાં આરોપિત છે. અને તે બ્રહ્મા વિષ્ણુ તથા રુદ્ર, સત્વ, રજસ અને તમસ –એ ત્રણે ગુણો વડે જુદે જુદે રૂપે પ્રતિત થાય છે. વળી, એ ઐશ્વર્ય ત્રણે લોકથી ઉત્પત્તિ સ્થિતિ તથા ત્રણેનો પ્રલય કરવા છતાં બ્રહ્મા, વિષ્ણુ તથા રુદ્ર રૂપે રહે છે. હે ભગવાન ! તમારું રૂપ ન સમજી શકવાના કારણથી જડબુદ્ધિવાળાઓ આપના ઐશ્વર્યની નિન્દા કરે છે, અને નિંદા પાપી પુરુષોને લાગે છે, પરંતુ આપના સર્વજ્ઞાતિ ગુણયુક્ત ઐશ્વર્યની નિંદા શુદ્ધ મુમુક્ષુઓને અતિ અપ્રિય લાગે છે.</p>
<p align="center">કિમીહ: કિકાર્ય સ ખલુ કિમુપાયસ્ત્રિભુવનં<br />
કિમાધારો ધાતા સૂજતિ વિમૂપાક્ષ ન ઈતિ ચ &#124;<br />
આતકયૈશ્વર્થે તવય્યનવ સરયુ:સ્યો હતવિય:<br />
કુતર્કોર્ય કાશ્રિન્સુખરયતિ મોહાય જગત: &#124;&#124; 5 &#124;&#124;</p>
<p>અર્થ : ‘હે ભગવાન ! પરમેશ્વર ત્રણ ભુવનની ઉત્પત્તિ કરે છે. પરંતુ જડબુદ્ધિવાળાઓ ‘જગતને ઉત્પન્ન કરવા બાબત શી ક્રિયા થતી હશે, તે ક્રિયા ક્યા પ્રકારની હશે, તેના અમલમાં ક્યા ક્યા પ્રકારો યોજાયા હશે, જગતનો આધાર તણા જગતને ઉત્પન્ન કરવામાં નિમિત્ત અને ઉપાદાન કારણ શું હશે ?’ આવો કુતર્ક કરે છે, પ્રભુ, એ કુતર્કનું તાત્પર્ય એ છે કે, જગતભરના આપણા ભક્તોના ચિત્તને ભ્રમણા પમાડવી. આપને વિષે આવા કુતર્ક એ જ અયોગ્ય છે, કારણકે આપ તો અચિંત્ય માહાત્મયથી યુક્ત છો.</p>
<p align="center">અજન્માનો લોકા: કિમવ વંતોડપિ જગતા<br />
મધિષ્ઠાતરં કિં ભવવિધિરનાદત્ય ભવતિ &#124;<br />
અનીશો વા કુર્યાદભુવનજનને ક: પરિકરો<br />
વ તો મદાસત્વા પ્રત્યમરવર ! સંશેરક ઈમેં &#124;&#124; 6 &#124;&#124;</p>
<p>અર્થ : હે ભગવાન ! આપ સર્વદેવોમાં શ્રેષ્ઠ છો, છતાં ‘આ દ્રશ્યમાન સપ્તલોક સાકાર છે. આમ જગત સાકાર હોવા છતાં અજન્મા હશે એ સંભવિત નથી, કારણકે જે સાકાર વસ્તુ છે તેનો જન્મ પણ હોય છે જ. જેમ ઘડો સાકાર છે, તેથી તે ઉત્પત્તિમાન છે, તેમ આ જગત અધિષ્ઠાન પરમેશ્વરની અપેક્ષા વગર ઉત્પન્ન કેવી રીતે થયું હશે, ઈશ્વર સિવાય બીજો કોઈ જગતકર્તા હશે !’ બ્રહ્માંડને ઉત્પન્ન કરવામાં આપ વિષે અનેક પ્રકારના સંદેહ મૂઢજનોમાં થાય છે. પરંતુ આપને વિષે સંશય કરવો યોગ્ય નથી. તેમજ આપ કરતાં બીજો કોઈ સમર્થ પણ નથી.</p>
<p align="center">ત્રયી સાંખ્યયોગ: પશુપતિમતં વૈષ્ણનમિતિ<br />
પ્રભિન્ને પ્રસ્થાને પરમિદમદ: પથ્યમિતિ ચ &#124;<br />
રુચિનાં વૈચિત્ર્યાદ્દજકુટિલનાનાપથનુષાં<br />
નૃણાંમેકો ગમ્યસ્ત્વસિ પયસામર્ણવ ઈત્ર &#124;&#124; 7 &#124;&#124;</p>
<p>અર્થ : ત્રણ વાક્યો વડે ત્રણ વેદ તમારી પ્રાપ્તિનો માર્ગ બતાવે છે. સાંખ્ય વડે કપિલ, યોગશાસ્ત્રદ્વારા પતંજલિમુનિ તથા ન્યાય વૈશેષિક શાસ્ત્રદ્વારા ગૌતમ કણાદમુનિ પશુપતિ વડે શૈવો, તથા નારદ-જેઓ ‘નારદપંચરાત્ર’ ના રચનાર છે તેઓ વૈષ્ણવ મત દ્વારા તમારી પ્રાપ્તિના ભિન્ન ભિન્ન માર્ગ બતાવે છે. આ મુખ્ય પાંચ ભેદ છે. અને સકલ મતવાદીઓ અહંકાર વડે પોતપોતાના સિદ્ધાંતને જુદા માને છે, પરંતુ જેમ સર્વ નદીઓના જળ પૃથક્ પૃથક્ માર્ગો વડે એક સમુદ્રમાં મળી જાય છે તેમ અધિકારી ભેદ વડે આપ એક પ્રભુ સઘળા જ મુમુક્ષુઓને પ્રાપ્ત થાઓ છો.</p>
<p align="center">મહોક્ષ: ખટવાંગં પરશુરજિનં ભસ્મ ફણિન:<br />
કપાલં ચતીયતવ વરદ ! તંત્રીપકરણમ્ &#124;<br />
સુરાસ્તાં તામૃદ્ધિ દધતિ તુ ભવદભ્રૂપ્રણિહિતાં<br />
નહિ સ્વાત્મારામ વિષયમૃગતૃષ્ણા ભ્રમયતિ &#124;&#124; 8 &#124;&#124;</p>
<p>અર્થ : ‘હે વરદાન આપનાર : નંદી ખટવાંગ ફરશી, વ્યાધચર્મ, ભસ્મ, સર્પ, કપાળ વગેરે તારા જીવનનિર્વાહનાં સાધનો છે. છતાં તેં આપેલી સંપત્તિને રાજાઓ પણ ભોગવે છે. અભયના દાતા ! વિષયો ઝાંઝવાના જળ જેવા છે. તે આત્માથી જ પ્રસન્ન એવા યોગીને બ્રહ્મનિષ્ઠાથી ચલાયમાન કરી શકતા નથી.</p>
<p align="center">ધૃવં કશ્ચિત્સર્વં સફલમપરસ્ત્વદધૃવમિદં<br />
પરો ધ્રૌવ્યાધ્રૌવ્યે જગતિ ગદતિ વ્યસ્તવિષયે &#124;<br />
સમસ્તેષ્યેતસ્મિન્પુરમથન ! તેવિ સ્મિત ઈવ<br />
સ્તુવન્જિહોમ ત્વાં ન ખલુ નનુ ધૃષ્ટા મુખરતા &#124;&#124; 9 &#124;&#124;</p>
<p>અર્થ : ‘હે પુરમથન ! કેટલાક સાંખ્ય અને પાતંજલ મતવાળા મિમાંસકો સર્વ જગતને નિત્ય અનિત્ય માને છે, બીજા મતવાળા નાસ્તિકો આ જગતને નિત્યાનિત્ય માને છે. એ રીતે ભિન્ન ભિન્ન મતવાદી લોકો આ જગતને ભિન્ન ભિન્ન પ્રકૃતિ માને છે. આ ભિન્ન ભિન્ન મતોવાળા તમારા સ્વરૂપને જાણતાં નથી. તેમજ હું પણ સ્વરૂપને જાણતો નથી. તો હું મારી હાંસી થવાનો ભય તજીને તમારી જ પ્રાર્થના મારા શબ્દોથી કરું છું.</p>
<p align="center">તવૈશ્વર્ય યત્નાધદુપર વિરંચિહરિરધ:<br />
પરિચ્છેતુંયાતાવતલમનલસ્કંધવપુષ: &#124;<br />
તતો ભક્તિશ્રદ્ધા ભરગુરૂગણદભ્યાં ગિરિશ ! યત્ &#124;<br />
સ્વયંતસ્થેતાભ્યાંતવકિથમુવૃતિન ફલતિ &#124;&#124; 10 &#124;&#124;</p>
<p>અર્થ : ‘આપના ઐશ્વર્યનો અંત લેવા સારુ બ્રહ્મદેવ આકાશ તરફ અને વિષ્ણુ પાતાળમાં ગયા હતા. પરંતુ ઉભયમાંના કોઈને પણ આપની લીલાનો અંત પ્રાપ્ત થયો નહિ, કારણકે આપ પ્રભુ તો વાયુ અને અગ્નિ છો, તેમાં વાયુગત્વગયંત લિંગનું મૂળ છે. બ્રહ્મદેવ માત્ર બ્રહ્માંડના અને વિષ્ણુ માત્ર જળ તત્વના નિવાસ છે. માટે આપનું ઐશ્વર્ય જાણવાને કોઈ સમર્થ થતા નથી. અને એ બ્રહ્મા વિષ્ણુના અંતરમાં આપ સ્વત: પ્રાકટ્ય માનો છો. તેથી જ બ્રહ્મા અને વિષ્ણુ શ્રદ્ધા અને ભક્તિ વડે આપની સ્તુતિ કરે છે. હે ભગવાન ! આપની સેવા ફળની પ્રાપ્તિ કરતી નહિ હોય, એમ માનવું એ કેવળ મૂર્ખતા છે. આપ ઈશ્વરની ભક્તિ તો સાક્ષાત્ પરંપરાગત ફળને આપનારી છે.</p>
<p align="center">અત્યનાપાદાપાદ્ય ત્રિભુવનમવૈરતધ્યતિકરં<br />
દશાસ્યો દયબાહૂનમૃત રણકુંડપરવશાન &#124;<br />
શિર: પદ્મશ્રણી રચિતચરણામ્ભોરુંહબલે<br />
સ્થિરાયાસ્ત્વબદભક્તસ્ત્રિપૂરંહર ! વિસ્ફૂર્જિતમિદમ્ &#124;&#124; 11 &#124;&#124;</p>
<p>અર્થ : હે ત્રિપુરવિનાશક ! યુદ્ધની ઈચ્છાને લીધે સદા ઉન્મત થઈ રહેલા વીસ હજાર ભુજાઓ યુક્ત રાવણને યંત્રહિતપણે નિ:શત્રુયુક્ત ત્રિભુવનનું રાજ્ય પરાક્રમ માત્ર આપની સ્થિર ભક્તિને જ આભારી છે. એ ભક્તિ એવી છે કે, રાવણે પોતાનાં દશ મસ્તક પોતાની હાથે જ છેદી, તેની પંક્તિ કરી કમળની પેઠે આપ પ્રભુને ચરણે બલિદાન આપ્યાં હતાં. વિશેષ કરીને આપનું પૂજન સકળ વસ્તુની અધિકતાથી પ્રાપ્ત થવાના હેતુ રૂપે છે.</p>
<p align="center">અમુષ્ય ત્વસેવાસમધિગતસાર ભુજવનં<br />
બલાત્કેલાસેડપિ ત્વદધિવસંતૌ વિક્રમયત: &#124;<br />
અલભ્યા પાતાલેડપ્યલસચલિતાંગુષ્ઠશિરસિ<br />
પ્રતિષ્ઠા ત્વય્યાસીદધ્રુવમુપચિતો મુહયતિ ખલ: &#124;&#124; 12 &#124;&#124;</p>
<p>અર્થ : હે ભગવાન ! રાવણ આપની સમીપ કૈલાસમાં વસતો હતો, ત્યારે પણ તે પોતાની વીસ ભુજાઓનું પરાક્રમ દેખાડતો હતો. આપના બળને લીધે એ પાતાળમાં ટકી શક્યો નહિ. આપની સેવાભક્તિને લીધે રાવણને બળ પ્રાપ્ત થયું. રાવણના મસ્તક પર અનાયાસે અંગૂઠાનો ભાર રાવણથી સહન ના થવાથી પાતાળમાં રહેવાયું નહિ. વિશેષ કરીને પારકા ઐશ્વર્યને પામેલા જે દુષ્ટ જન મોત પામે, તેમને મહાપુરુષની કૃપા ફલદાતા થતી નથી.</p>
<p align="center">યદ દ્વિં સુત્રામણો વરદ ! પરમોચ્ચેરપિ સતી<br />
મધશ્ચકે બાણ: પરિજનવિધેયત્રિભુવન: &#124;<br />
ન તિચ્ચિત્રં તસ્મિન્વરિવસિતરિ ત્વચ્વરણયોનં<br />
કસ્યાં ઉન્નત્મૈ ભવતિ શિરસ્ત્વન્યવનતિ &#124;&#124; 13 &#124;&#124;</p>
<p>અર્થ : હે વરદાતા પ્રભુ ! ઈન્દ્રથી પણ અતિ ઉત્કૃષ્ટ સમૃદ્ધિથી ભરેલા આ ત્રણે ભુવનોને દાસત્વપણે વરતાવનારો બાણાસુર પાતાળમાં લઈ ગયો હતો એમાં કોઈ આશ્ચર્ય નથી. કારણ કે તે આપણાં ચરણની પૂજા કરનારો હતો, જે જનો આપને વંદે છે, તેઓને ફળની પ્રાપ્તિ થાય છે એ પ્રત્યક્ષ છે.</p>
<p align="center">અકાંડ બ્રહ્માંડ ક્ષયચકિતદેવાસુરકૃપા -<br />
વિધેયયસ્યાસીધસ્ત્રિમયન ! વિષં સંહૃસવત: &#124;<br />
સ કલ્માષ: કંઠે તવ ન કુરુતે ન શ્રિયમહો<br />
વિકારોડપિશ્લાધ્યો ભુવનમયભગડ યસનિન: &#124;&#124; 14 &#124;&#124;</p>
<p>અર્થ : હે ત્રિનયન ! આપે કૃષ્ણ પડુંર વર્ણના વિષનું પાન કર્યું છતાં એ વિષ આપના કંઠમાં જ સ્થિર રહ્યું હોવાથી તે આપને અતિશય શોભા આપે છે. કાળ સમયે આવેલા બ્રહ્માંડ નાશને દેખીને દેવો તથા અસુરો ભય પામવા લાગ્યા. તેમજ દેવ તથા અસુરોના કલેશના સારું આપે કૃપા કરીને વિષનું પાન કર્યું તો પ્રભુ ! સંસારીજનોનાં દુ:ખ દૂર કરવાનું આપને વ્યસન જ છે.</p>
<p align="center">અસિદ્ધાર્થા નૈવ કચિદપિ સદેવાસુરનરે<br />
નિવર્તન્તે નિત્યં જગતિ જયિનો યસ્ય વિશિખા:<br />
સ પશ્યન્નીશ ! ત્વામિતરસુધારણમભૂત<br />
સ્મર: સ્મર્તવ્યાત્માન હિ વિશિષુ પથ્ય: પરિભવ: &#124;&#124; 15 &#124;&#124;</p>
<p>અર્થ : હે ઈશ ! કામદેવનું બાણ ભાલા રહિત છે. તેનું બાણ આ જગતમાં દેવ અસુર તથા નરલોકને જીતવાને નિષ્ફળ ન થતાં સર્વને વશ કરે છે. આપની સાથે પણ કામદેવ બીજા ઈન્દ્રાદિદેવોની પેઠે વર્તવા લાગ્યો છે, તેથી તેનું આપે દહન કર્યું અને સ્મરણ માત્રનું જ કામદેવનું શરીર બાકી રાખ્યું. એ કનિષ્ટ થયો એનું કારણ માત્ર જિતેન્દ્રિય પુરુષોને ભય પમાડવાનું છે. એ સુખનો હેતુ નથી, કારણકે ઈશ્વરનો અનાદર એ વિનાશકારક છે.</p>
<p align="center">મહી પાદાતાદ વ્રજતિ સહસા સંશયપદં<br />
પદં વિષ્ણોર્ભ્રામ્યદ ભુજપરિઘરૂગ્ણગ્રહણમ્ &#124;<br />
મુહુધૌ દૌસ્થ્યં યાત્યનિભૃતિજટાનાડિતતટા<br />
જગદ્રક્ષાયૈત્વં નટસિ નનું વામય વિભુતા &#124;&#124; 16 &#124;&#124;</p>
<p>અર્થ : હે ભગવાન ! આપે જગતનાં રક્ષણ તથા દુષ્ટોના નાશને અર્થે, પૃથ્વી ઊંચી નીચી થવા લાગી હતી એવું તમે નૃત્ય કર્યું. તાંડવ નૃત્ય વખતે હાવભાવ માટે આપે ભુજાઓ હલાવી તેના આઘાતથી વિષ્ણુલોક, તારા, નક્ષત્રો આદિનો નાશ થવાની શંકા થવા લાગી અને ઉભયસ્વર્ગદ્વાર વ્યથા પામ્યાં. તેમજ તમારા નૃત્યથી સ્વર્ગનું એક પાસુ તાડિત થયું. આપનું એ ઐશ્વર્ય દેખીતી રીતે વિપરીત છે, તો પણ તે જગતની રક્ષા માટે જ છે.</p>
<p align="center">વિયદવ્યાપી તારાગણ ગુણિત તેનાન્દ્રરૂચિ:<br />
પ્રવાહો વારાં ય: પૃષતલઘુડદ્રષ્ટ શિરસિ તે &#124;<br />
જગદદ્વીપાકારં જલધિવલયં તેન કૃતમિ<br />
ત્વનેનંનોન્નેર્યું ધૃતમહિમ ! દિવ્યં તવ વપુ: &#124;&#124; 17 &#124;&#124;</p>
<p>અર્થ : હે જગદાધાર ! આપના શરીર પર ગંગાનો મહાન પ્રવાહ ઝીણી ફરફરની પેઠે વરસતો દેખાય છે. તેથી તમારા વિરાટ સ્વરૂપનું ભાન થાય છે. આ જળ પ્રવાહના આકાશવત્ વ્યાપક અને તારા તથા નક્ષત્રોના સમૂહમાં ફીણ સમાન છતાં તેનો ભાસ થાય છે. જેમ નગરની પાછળ ચોતરફ ખાઈ હોય છે તેમ જ ગંગાના એ પ્રવાહે પૃથ્વીની ચોતરફ સર્વ જગતને આવરણ કર્યું છે, એથી આપના વિરાટ શરીરને અનુમાનથી જાણી શકાય છે કે, આપનું શરીર દિવ્ય પ્રભાયુક્ત છે.</p>
<p align="center">રથ ક્ષોણિ યંતા શતધતિરંગેંદ્રો ધનુરથો<br />
રથાંગે ચંદ્રાર્કૌ રથચરણપાણિ: શિર ઈતિ &#124;<br />
દિઘક્ષોસ્તે કોડ્યં ત્રિપુરતૃણમાંડબર વિધિ -<br />
વિધેયૌ: ક્રોડન્ત્યો ન ખલુ પર તંત્રા: પ્રભુધિય: &#124;&#124; 18 &#124;&#124;</p>
<p>હે દેવ ! જે સમયે ત્રિપુરને દહન કરવાની આપની ઈચ્છા થઈ તે સમયે પૃથ્વીરૂપી રથ, બ્રહ્મરૂપી સારથી, હિમાચળ પર્વતરૂપી ધનુષ, સૂર્ય તથા ચંદ્રરૂપી રથનાં પૈંડાં, જળરૂપી રથચરણ એટલે રથની પિંજણીઓ તથા વિષ્ણુરૂપી બાણ યોજીને તમે ત્રિપુરને હણ્યો. હે પ્રભુ ! બળ, વીર્ય શક્તિ તથા બુદ્ધિ થકી યુક્ત પુરુષો નિશ્ચય કરીને પરાધીનપણે ક્રીડા ન કરતાં, તમારી જ શક્તિથી યશ આનંદ મેળવે છે.</p>
<p align="center">હરિસ્તે સહસ્ત્રં કમલબલિમા ધાય પદયો –<br />
ર્યદેકોનં તસ્મિન્નિજમુદહરન્નેત્રકમલમ્ &#124;<br />
ગતો ભક્ત્યુદ્રેક: પારિણતિમસૌ ચક્રવપુષા<br />
ત્રયાણાં રક્ષાયૈ ત્રિપુરહર ! જાગર્તિ જગતામ્ &#124;&#124; 19 &#124;&#124;</p>
<p>હે ત્રિપુરહર ! આપની ચરણની પૂજા વિષ્ણુ સહસ્ત્ર કમળ વડે કરવા લાગ્યા ! તેમાં એક કમળ ઓછું હોય તો પોતાના નેત્ર કમળની તુલ્ય સંકલ્પ કરીને અથવા પોતાના શરીરના કોઈપણ બીજા અવયવ આપને અર્પણ કરતા હતા. આવી દઢ ભક્તિને લીધે ચક્રરૂપ ધારણ કરીને સ્વર્ગ કરીને મૃત્યુ તથા પાતાળ – એ ત્રણે લોકનું રક્ષણ આપ જ કરો છો. એ રીતે સુદર્શનચક્રની શક્તિ વિષ્ણુને આપે જ આપેલી છે.</p>
<p align="center">ક્રતૌ સુપ્તે જાગ્રત્વમસિ ફલયોગે ઋતુમત્તાં<br />
કવ કર્મ પ્રધ્વસ્તં ફલતિં પુરુષારાધનમૃતે &#124;<br />
અતસ્ત્વાં સંપ્રેક્ષ્ય ઋતુષુ ફલદાનપ્રતિભૂવં<br />
શ્રુતૌ શ્રદ્ધાંબદ્ધાંકૃતપરિકર: કર્મ સુજન: &#124;&#124; 20 &#124;&#124;</p>
<p>અર્થ : હે ત્રિલોકના સ્વામી ! યજ્ઞાદિ ક્રિયાઓ પૂરી થઈ ગયા પછી, ઘણે વખતે અને જે દેશમાં યજ્ઞ કર્યો હોય તેનાથી બીજે જ સ્થળે તથા આ જન્મમાં કરેલા યજ્ઞાદિ ક્રિયાઓનું ફળ બીજા જન્મમાં પણ અર્પવાને તું હંમેશાં જાગ્રત રહે છે. ચેતનરૂપ ઈશ્વરની આરાધનાથી અને તેને પ્રસન્ના કર્યાથી યજ્ઞનાં બધાં ફળો મળે છે. હે પ્રભો ! તું સર્વવ્યાપી છે. તારી ઈચ્છા વગર તૃણ પણ હાલી શકતું નથી. આથી યજ્ઞાદિ કર્યોનાં ફળ આપવામાં તેમને આધારભૂત માનીને લોકો શ્રુતિ વગેરે શાસ્ત્રમાં શ્રદ્ધા રાખી કાર્યનો આરંભ કરે છે.</p>
<p align="center">ક્રિયા દક્ષો દક્ષ: ક્રતુપતિરધીશસ્તનુભૃતાં<br />
ઋષીણામાર્ત્વિજય શરણદ ! સદસ્યા સુરગણા: &#124;<br />
ઋતુભ્રંષસ્ત્વત્ત: ઋતુફલવિધનવ્યસનિને &#124;<br />
ધ્રૂવં કર્તુ: શ્રદ્ધા વિધુરમભિચારાય હિ મખા: &#124;&#124; 21 &#124;&#124;</p>
<p>અર્થ : હે શરણે આવનારને શરણ આપનારા યજ્ઞાદિ તત્કર્મો કરવામાં કુશળ, દશનામે પ્રજાપતિ પોતે જ યજ્ઞ કરવા બેઠા હતા. ત્રિકાળદર્શી ભૃગુ વગેરે ઋષિઓ યજ્ઞ કરાવનાર હતા અને બ્રહ્માદિ દેવસભામાં પ્રેક્ષકો તરીકે બેઠા હતા. આટલા ઉત્તમ સામગ્રી અને સાધન હોવા છતાં પણ યજ્ઞકર્તા દક્ષે ફળની ઈચ્છા કરી હોવાથી, તમે એ યજ્ઞને ફળરહિત કરી દીધો હતો, એ યોગ્ય જ હતું. યજ્ઞાદિ ક્રિયાઓ નિષ્કામપણે ન કરતા તથા તમારા ઉપર શ્રદ્ધા રાખ્યા વિના યજ્ઞ કરીએ, તો એ યજ્ઞકર્તા માટે વિનાશરૂપ ન નિવડે.</p>
<p align="center">પ્રજાનાથં નાથ ! પ્રસભભિમકં સ્વાં દુહિતરં<br />
ગતં રોહિદભૂતાં રિરમયિષુમૃષ્યસ્ય વપુષા &#124;<br />
ઘનુષ્પ્રાણેયતિં દિવમપિ સપત્રાકૃતમમું<br />
ત્રસતં તેડધાપિ ત્યકાત ન મૃગવ્યાધાદાભસ: &#124;&#124; 22 &#124;&#124;</p>
<p>અર્થ : પ્રજાનાથ ઈશ્વર ! પોતાના દુહિતા સરસ્વતીનું લાવણ્ય જોઈ, કામવશ થવાથી બ્રહ્મા તેની પાછળ દોડ્યા એટલે સરસ્વતીએ મૃગલીનું રૂપ લીધું. ત્યારે બ્રહ્માએ મૃગશીર્ષ નક્ષત્ર કહેવાય છે તે મૃગનું રૂપ લઈને તેની સાથે ક્રીડા કરવા હઠ લીધી, એવામાં આપે જોયું કે, આ અધર્મ થાય છે, માટે તેને ખચીત દંડ દેવો જોઈએ. તેથી આપે વ્યાઘ નામક આર્દ્રાનક્ષત્ર રૂપી શરને તેની પાછળ મૂક્યું હતું. આજ સુધી પણ તે બાણરૂપી નક્ષત્ર કામી પ્રજાપતિની પૂંઠ મૂકતું નથી.</p>
<p align="center">સ્વલાવણ્યાજ્ઞસાધ્ર તદ્યંનુષમહાય તૃણવત્<br />
પુર: પ્લુષ્ઠં દષ્ટવા પુરમથન ! પુષ્પાયુધમપિ &#124;<br />
યદિ સ્ત્રૈણ દેવી યમનિરત ! દેહાર્ઘઘટના<br />
દવૈતિ ત્વામદ્ધા બત વરદ ! મુગ્ધા યુકતય: &#124;&#124; 23 &#124;&#124;</p>
<p>અર્થ : ત્રિપુરારિ ! દક્ષ કન્યા સતીએ પોતાના પિતાને ત્યાં પોતાનું અને પતિનું અપમાન થવાથી યજ્ઞમાં ઝંપલાવી યજ્ઞ ભ્રષ્ટ કર્યો હતો ત્યાર પછી તે જ પતિને વરવાને બીજે જન્મે પર્વતની પુત્રી પાર્વતી થઈ. તેણે ભિલડીનો વેશ ધારણ કર્યો અને મહાદેવજી તપ કરતા હતા, ત્યાં તેમને મોહ પમાડવાના અનેક પ્રયત્નો કર્યા, પણ તે વ્યર્થ નિવડ્યા. દેવોએ ધાર્યું કે, યજ્ઞ વેળા થયેલા અપમાનથી ક્રોધાયમાન થયેલા મહાદેવજીનો ઉગ્રતાપ હવે આપણાથી સહન થઈ શકશે નહિ. તેથી તે તાપને દૂર કરવાને પાર્વતી સાથે મહાદેવ કામવશ થઈ પરણે, એવા હેતુથી દેવોએ કામદેવને મોકલી આપ્યો હતો. કામદેવના પ્રભાવથી એકેએક બ્રહ્મજ્ઞાની બ્રહ્મમય જગતને નારીમય જોવા લાગ્યા, પરંતુ મહાદેવે તરત ત્રીજું નેત્ર ખોલી પાર્વતીની સાથે કામદેવને ભસ્મ કરી દીધો. આમ છતાં પણ પાર્વતીને માત્ર વિરહ દુ:ખથી ઉગારવાને માટે તમે અર્ઘાંગના પદ આપ્યું હતું. આ તમારું કાર્ય જેઓ મૂઢ છે, તેઓ જ સ્ત્રી આસક્તિવાળું ગણે છે.</p>
<p align="center">સ્મશોષ્વા ક્રીડા સ્મરહર પિશાચા: સહચરા<br />
શ્ચિતાભસ્માલેપ: સ્ત્રગપિ નૂકરોટીપરિકર: &#124;<br />
અમંગલ્ય શિલં તવ ભવતુ ન મૈવમખિલં<br />
તથાડપિ સ્મર્તૃણાં વરદ ! પરમં મંગલમસિ &#124;&#124; 24 &#124;&#124;</p>
<p>અર્થ : હે કામ વિનાશન, સ્મશાન ભૂમિમાં ચારે દિશાઓમાં ક્રીડા કરવી, ભૂત-પ્રેતોની સાથે નાચવું, કૂદવું અને ફરવું, ચિતાની રાખોડી શરીરે ચોળવી અને મનુષ્યની ખોપરીઓની માળા પહેરવી, આવા પ્રકારનું તમારું ચરિત્ર કેવળ મંગલશૂન્ય છે. છતાં તમારું વારંવાર જે સ્મરણ કરે છે, તેને તમારું નામ મંગળમય હોઈ તેને માટે તમારી ભક્તિ મંગળકારી છે.</p>
<p align="center">મન: પ્રત્યક્ ચિત્તે સવિધમવધાય: ત્તમરુત:<br />
પ્રહૃષ્યેદ્રોણમાણ: પ્રમદસલિલોત્સં ગિતદશ: &#124;<br />
યદાલોક્યાહલાદં હૃદઈવ નિમજ્જયામૃતમયે<br />
દધત્વં તરતત્વં કિમપિ યમિનસ્તત્કિલ ભવાન્ &#124;&#124; 25 &#124;&#124;</p>
<p>અર્થ : હે દાતા ! સત્ય-બ્રહ્માને શોધવા માટે અંતમૂઢ થયેલા જે યોગીઓ છે, તેઓ મનને, હૃદયને રોકીને, યોગ-શાસ્ત્રમાં બતાવેલા, યમ, નિયમ, આસન વડે પ્રાણાયામ કરે છે અને બ્રહ્માનંદનો અનુભવ મેળવે છે. એ અનુભવથી તેમના રોમાંચ ઊભા થઈ આનંદથી આંખોમાં હર્ષનાં આંસુ આવી જાય છે. આવા દુર્લભ સ્થળને પ્રાપ્ત થયેલા યોગીઓ, વળી ઈન્દ્રિયોને અગમ્ય, માત્ર અનુભવીએ જાણી શકનારા અવર્ણનીય એવાં તારા તત્વને, અનુભવીને જાણે અમૃતથી ભરેલા સરોવરમાં સ્નાન કરતાં હોય એવો આનંદ મેળવે છે.</p>
<p align="center">ત્વમર્કત્સ્વ સોમત્સ્વમપિ પવનસ્ત્વં હુતવહ<br />
સ્ત્વમાપસ્ત્વ વ્યોમ ત્વમુ ધરણિરાત્મા ત્વમિતિચ &#124;<br />
પરિચિછન્નામેવં ત્વયિ પરિજતા બિભ્રતુ ગિરં<br />
ન વિદ્મસ્તત્તત્વં વયમહિ તુ યત્વં ન ભવસિ &#124;&#124; 26 &#124;&#124;</p>
<p>અર્થ : ‘હે વિશ્વંભર ! તું સૂર્ય છે, તું ચંદ્ર છે, તું પવન છે, તું અગ્નિ છે, તું જ જલ તથા આકાશ રૂપે છે. તું પૃથ્વી છે અને આત્મા પણ તું જ છે. એમ જુદાં જુદાં સ્વરૂપમાં અનુભવી પુરુષો તને ઓળખે છે. પરંતુ હે પ્રભો ! તે બધાંનાં રહસ્યો રૂપે તું આખા બ્રહ્માંડમાં સર્વવ્યાપી સર્વનો કર્તા, ભોક્તા અને નાશકર્તા બની રહેલો છે.</p>
<p align="center">ત