<?xml version="1.0" encoding="UTF-8"?><!-- generator="wordpress.com" -->
<rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	>

<channel>
	<title>પુસ્તક &amp;laquo; WordPress.com Tag Feed</title>
	<link>http://wordpress.com/tag/પુસ્તક/</link>
	<description>Feed of posts on WordPress.com tagged "પુસ્તક"</description>
	<pubDate>Sun, 12 Oct 2008 08:56:48 +0000</pubDate>

	<generator>http://wordpress.com/tags/</generator>
	<language>en</language>

<item>
<title><![CDATA[એલિસ!]]></title>
<link>http://kartikm.wordpress.com/?p=517</link>
<pubDate>Wed, 30 Jul 2008 18:52:14 +0000</pubDate>
<dc:creator>કાર્તિક મિસ્ત્રી</dc:creator>
<guid>http://kartikm.gu.wordpress.com/2008/07/31/randy-and-alice/</guid>
<description><![CDATA[* મોટાભાગે તમને ધ લાસ્ટ લેક્ચર નામનાં ]]></description>
<content:encoded><![CDATA[<p>* મોટાભાગે તમને <a href="http://www.thelastlecture.com/">ધ લાસ્ટ લેક્ચર</a> નામનાં સરસ પુસ્તક અને <a href="http://www.youtube.com/watch?v=ji5_MqicxSo">વિડીઓ</a> વિશે ખ્યાલ જ હશે. આ પુસ્તકનાં લેખક <a href="http://www.cs.cmu.edu/~pausch/">રેન્ડી પૉશ</a> <a href="http://abcnews.go.com/GMA/LastLecture/">શુક્રવારે આ દુનિયા છોડી ગયા</a>. પણ, અત્યારે આપણે વાત કરવી છે, <a href="http://www.alice.org/index.php?page=people/people">રેન્ડીની દેખરેખ</a> નીચે તૈયાર થયેલ એલિસ નામનાં પ્રોજેક્ટની.</p>
<p>પહેલાં બે સવાલ:</p>
<p>૧. શું તમારે પ્રોગ્રામિંગ શીખવું છે? અથવા બીજાને શીખવવું છે?</p>
<p>૨. શું તમને તે શીખવાનું અથવા શીખવવાનું અઘરું લાગે છે?</p>
<p><a href="http://kartikm.files.wordpress.com/2008/07/picture-13.png"><img class="alignnone size-full wp-image-519" src="http://kartikm.wordpress.com/files/2008/07/picture-13.png" alt="" width="242" height="73" /></a></p>
<p>તો એલિસ તમારા માટે છે!</p>
<p>તમને થશે, આ એલિસ કોણ છે?</p>
<p>એલિસ છે પ્રોગ્રામિંગ શીખવાનું સોફ્ટવેર - તે પણ એકદમ ઇન્ટરએક્ટિવ અને 3D મોડેલિંગનો ઉપયોગ કરીને. તો જાવ, એલિસ.ઓર્ગ પર અને કરો <a href="http://www.alice.org/index.php?page=downloads/download_alice">ડાઉનલોડ તમારી સિસ્ટમ માટે</a>. અને હા, ઘણાં બધાં ડોક્યુમેન્ટ્સ પણ તેનાં પર પ્રાપ્ત છે. અને તે <a href="http://www.alice.org/index.php?page=license">ફ્રી સોફ્ટવેર</a> પણ છે!</p>
<p>સ્ક્રિનશોટ્સ,</p>
<p><a href="http://kartikm.wordpress.com/files/2008/07/alice1.jpg"><img class="alignnone size-medium wp-image-520" src="http://kartikm.wordpress.com/files/2008/07/alice1.jpg?w=300" alt="" width="300" height="172" /></a></p>
<p><a href="http://kartikm.wordpress.com/files/2008/07/alice2.jpg"><img class="alignnone size-medium wp-image-521" src="http://kartikm.wordpress.com/files/2008/07/alice2.jpg?w=300" alt="" width="300" height="173" /></a></p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[મન, આંતરીક શક્તિઓ અને વામમાર્ગ]]></title>
<link>http://adhyaru.wordpress.com/?p=490</link>
<pubDate>Fri, 18 Jul 2008 18:43:33 +0000</pubDate>
<dc:creator>જીગ્નેશ અધ્યારૂ</dc:creator>
<guid>http://adhyaru.gu.wordpress.com/2008/07/19/%e0%aa%ae%e0%aa%a8-%e0%aa%86%e0%aa%82%e0%aa%a4%e0%aa%b0%e0%ab%80%e0%aa%95-%e0%aa%b6%e0%aa%95%e0%ab%8d%e0%aa%a4%e0%aa%bf%e0%aa%93-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%b5%e0%aa%be%e0%aa%ae%e0%aa%ae/</guid>
<description><![CDATA[આ પોસ્ટના કેટલાક શબ્દો કે વર્ણન અરૂચિ]]></description>
<content:encoded><![CDATA[<p style="text-align:center;"><strong><span style="text-decoration:underline;">આ પોસ્ટના કેટલાક શબ્દો કે વર્ણન અરૂચિકર હોઈ શકે છે.</span></strong></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">ચારેક હજાર વર્ષ પહેલા વામમાર્ગ કે અઘોરી પંથની સ્થાપના થઈ હશે એમ માનવામાં આવે છે. માનવી જેમ જેમ જીવન વિશે વિચારતો ગયો એમ એ પ્રકૃતિથી વિમુખ થવા લાગ્યો. મૃત્યુના ભયે અને સ્વાભાવિક જિજીવિષાએ એને ધર્મની કલ્પના આપી. જીવનની ક્ષણભંગુરતાના કારણે કેટલાક જીવનના મોજશોખ થી ઉદાસીન બની ગયા. એમણે ત્યાગનો મહીમા ગાયો, સત્વશુધ્ધીમાં ભોગો એમને બાધક લાગ્યા. જ્યારે સગુણ બ્રહ્મના વિચારે પરમાત્માની કલ્પનાને જન્મ આપ્યો. વેદાંત, અધ્યાત્મ, સાંખ્યશાસ્ત્ર, પુરુષ અને પ્રકૃતિનો ભેદ, પાંડિત્યમાં અટવાયાં. સામાન્ય મનુષ્ય યોગમાં માનસિક શાંતિ શોધવા લાગ્યો અને જાતજાતની અને ભાતભાતની ભ્રમણાઓમાં ફસાયો.</p>
<p style="text-align:justify;">તો સામા પક્ષે કેટલાક વિચારકોએ ભોગને પ્રાધન્ય આપ્યું. એમના મૂળ વિચાર મુજબ એમને મનુષ્ય અવતાર આ સૃષ્ટી પર એટલા માટે આપવામાં આવ્યો છે કે સ્વર્ગ સમાન આ સૃષ્ટીનો એ યથેચ્છ ઉપભોગ કરી શકે, આમ આ બંને શાખાઓ આશરે બે થી અઢી હજાર વર્ષ પહેલા અલગ પડી અને તેમના મૂળ સ્પષ્ટ અને ઉંડા થયા. લોકપ્રિય ત્યાગના માર્ગથી અલગ જનારા - સામાન્ય માન્યતાઓથી અલગ જનારા વામમાર્ગી કહેવાયા જેમને આપણે કાપાલીક કે અઘોરી કહીએ છીએ.</p>
<p style="text-align:justify;">આ વામ માર્ગીઓમાં પાંચ પ્રકારના 'મ' નું ખાસ મહત્વ, માંસ મદિરા, મંત્ર, મૃત્યુ અને મૈથુન. આ વામમાર્ગીઓ પશુઓના બલિદાન આપે, તેમનું માંસ ભક્ષણ કરે, માનવબલી પણ આપે, ભાંગ ગાંજા ચરસનું સેવન પણ કરે. સામાન્ય લોકો માટે જે વસ્તુઓ વર્જ્ય ગણાય છે તે બધી ત્યાં પવિત્ર મનાય છે. કદાચ એટલે જ વામ માર્ગ કહેવાય છે. સ્ત્રીઓને તે પ્રકૃતિ સ્વરૂપ માનતા, અને તેમના માનવા પ્રમાણે પ્રકૃતિની દરેક રચના ભોગ માટે જ રચાયેલી છે. એમના તંત્રશાસ્ત્રમાં અનેક યંત્રો છે, જે ભૂમીતીના અનેક આકારોના સંયોજન જેવા લાગે છે. સામાન્ય રીતે તેઓ શક્તિસ્વરૂપ એવા દેવીની પૂજા કરે છે, જેમાં ચામુંડા અને મહાકાળી માતા મુખ્ય છે. માનવ ખોપરીઓને એ લોકો પાત્ર તરીકે વાપરે છે, તેમાં ખાવુ પીવુ તે લોકો માટે સ્વાભાવિક છે, એમ મનાય છે કે ગુરુ સમાધિ લે કે મૃત્યુ પામે ત્યારે તેના સૌથી યોગ્ય ચેલાને તેની ખોપરી મળે છે, જીવન પ્રત્યેનું તેમનું તત્વગ્નાન એટલે ભોગ. આ ભોગી બનતા પહેલા તેમણે ખૂબ લાંબી અને ઘોર ઉપાસના અને સાધના કરવી પડે છે. સાધના થી કોઈ પ્રસન્ન કરવા એ હેતુ નથી હોતો, સામાન્ય માન્યતાને અવગણી, એ કદી ઉપાસનાના હેવુ નથી, પણ ઉપાસના અને સંયમ થી મન પરનો કાબુ, તેની શક્તિઓ વધારે મજબૂત બને છે. મંત્રો એ માધ્યમ છે, જેના પર સવાર કરીને આવા તાંત્રીકો મનની સિધ્ધીઓનો ઉપયોગ કે દુરૂપયોગ કરે છે. મારા મત મુજબ આ બધી જ માનસિક શક્તિઓ છે જે શરીરના સંયમ થી પ્રાપ્ત થાય છે. મનુષ્યના શરીરને જે મૂળભૂત ચક્રોમાં અહેંચવામા આવ્યુ છે તેમાના મૂલાધાર ચક્ર અને નાભિ તથા મૂત્રમાર્ગની વચ્ચેના ચક્રમાં રહેલી કુંડલીની શક્તિ, આ બે મનુષ્યના મનને ગજબની શક્તિ અર્પે છે.</p>
<p style="text-align:justify;">હિપ્નોટીઝમ જેને હવે તો બ્રિટનની મેડિકલ ઈન્સ્ટિટ્યુટ પણ માન્યતા આપી ચૂક્યું છે, તે આવા માનસીક શક્તિઓના સો માં ભાગ થી ય ઓછું છે. મનની શક્તિઓ આંખો વડે પ્રગટ થાય છે, આ શક્તિઓને વ્યાપક પણે એકત્રિત કરી અને કોઈ કાર્ય સિધ્ધ કરી શકાય છે, આપણા તાંત્રીકો કરે છે તેમ બીજા કોઈના મન ને કાબૂમાં કરવુ, કોઈના મુખે આપણું ધારેલ બોલાવવું, તેને આપણા કહ્યા પ્રમાણે વર્તાવવા પ્રેરીત કરવું વગેરે આના ઉદાહરણો હોઈ શકે.</p>
<p style="text-align:justify;">ઘણા તાંત્રિકો બીજાના મનને કાબૂમાં કરવાની સાથે સાથે શબ્દભ્રમ કે જેને વોન્ટ્રીલોક્વિસ્ટ પણ કહેવાય છે એ કરે છે. જો કોઈ તમને એમ કહે કે ફલાણા ફલાણા ભાઈને કખગ આવે છે તો તમે જે માણસને કખગ આવે છે તેના વિષેના એવા સવાલો પૂછી શકો કે જે ફલાણા ભાઈને ખબર ન હોય તો તે જવાબ નહીં આપી શકે. આત્મા બોલાવવાના કે કોઈક પંડમાં આવવાના બધા દાવા મારા મતે આવા જ હોઈ શકે.આવા કિસ્સાઓમાં તાંત્રિક તમારા અર્ધજાગ્રૃત મન પર કબજો જમાવે છે, ફરી અહીં આંખોથી દોર સંધાય છે, અને તમારૂ જાગ્રૃત મન તે નિશ્ચેત કરી દે છે, તેથી તમારૂ લોજીક બંધ થઈ જાય છે અને ફક્ત થોડીક યાદશક્તિ રહે છે, તમેં પૂછેલા સવાલોના જવાબો તમારા જ અર્ધજાગૃત મન પાસેથી ઉઘરાવી તે તમને આપે છે જે તમારી લીમીટેડ મેમરી યાદ રાખે છે, જે તમે મન ને થોડુક મજબૂત કરો તો તેની પકડ ઘટતી જશે, પણ સામાન્ય રીતે આવા કિસ્સાઓમાં એવુ જોવાય છે કે ભારતીયો શ્રધ્ધામાં તણાઈને પોતાના સમગ્ર જાગ્રૃત મનને તેના વિચારો સાથે જોડી આપે છે, જેથી તમે તેની પાસે સરેન્ડર કરો છો.</p>
<p>વધુ સોમવારે ....તમારા મંતવ્યો અને સૂચનાઓનું હાર્દિક સ્વાગત છે.</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[અઘોરીઓ સાથે પાંચ દિવસ]]></title>
<link>http://adhyaru.wordpress.com/?p=472</link>
<pubDate>Thu, 17 Jul 2008 18:31:41 +0000</pubDate>
<dc:creator>જીગ્નેશ અધ્યારૂ</dc:creator>
<guid>http://adhyaru.gu.wordpress.com/2008/07/18/five-days-with-tantriks/</guid>
<description><![CDATA[ગુજરાતી ભાષામાં કેટલાક એવા અલભ્ય પુસ]]></description>
<content:encoded><![CDATA[<p style="text-align:justify;">ગુજરાતી ભાષામાં કેટલાક એવા અલભ્ય પુસ્તકો લખાયા છે જે આજકાલ તેમના ઓછા પ્રચાર કે વાંચનના કારણે</p>
[caption id="attachment_480" align="alignleft" width="309" caption="Photo of Aghorio sathe paanch divas by suresh sompura"]<img class="size-full wp-image-480 " src="http://adhyaru.wordpress.com/files/2008/07/dsc00041.jpg" alt="adhyaru nu jagat - photo of Aghorio sathe paanch divas by suresh sompura" width="309" height="332" />[/caption]
<p style="text-align:justify;">અપ્રાપ્ય છે. આવા પુસ્તકો કાં તો તેમની નવી આવૃતિના અભાવે કે પછી સામાન્ય દુકાનો કે પુસ્તકાલયોમાં ઉપલબ્ધ ન હોવાના લીધે જાણકારી ની બહાર છે. સદભાગ્યે આ વખતે જ્યારે વડોદરા ગયો ત્યારે વાંચવા માટે ઘણું બધુ સાહિત્ય મળ્યુ. આ જ સંગ્રહમાં મને એક પુસ્તક મળ્યુ જેનું શિર્ષક વાંચીને જ મને તેને લઈ લેવાની ઈચ્છા થઈ આવી. મારી પત્ની કહે આવા પુસ્તકો ના વાંચતા હોવ તો? ? પણ અવળચંડુ મન થોડુ માને? એણે તો પુસ્તક લેવડાવ્યે જ છૂટકારો કરાવ્યો.</p>
<p style="text-align:justify;">આ પુસ્તક તે સુરેશભાઈ સોમપુરા નું અઘોરીઓ સાથે પાંચ દિવસ.</p>
<p style="text-align:justify;">આ પુસ્તક વિષે જણાવતા પહેલા મારે તમારી પાસે થી થોડાક જવાબો જોઈએ છે. મને કોમેન્ટ માં આપો તો ખૂબ આમંત્રણ પણ અન્યથા પણ તમે તે વિચારી રાખો. આના જવાબો મનની અંદરથી બને તેટલા સાચા શોધી કાઢશો. ઘણી વાર આપણા વિચારો એ આપણા જાગ્રૃત મન ના વિચારો હોય છે અને એ શક્ય છે કે જાગ્રૃત મન અને અર્ધજાગ્રૃત મનના વિચારો ભિન્ન હોય.</p>
<p style="text-align:justify;"> શું તમે તાંત્રીક વિદ્યા, મંત્ર તંત્રની શક્તિઓ, સંમોહન, વશીકરણ વગેરેમાં માનો છો?</p>
<p style="text-align:justify;">શું તમને આવા કોઈ પ્રસંગનો અનુભવ છે? એવો પ્રસંગ જેમાં સામાન્ય સમજ થી વિપરીત અને કાંઈક અસામાન્ય ઘટના બની હોય? જેમ કે અમારા એક સંબંધીના દસ વર્ષના પુત્રને કે હનુમાનજી આવે છે અને ત્યારે તે ખરેખર એક વાનર રૂપ ધારણ કરે છે, મોઢુ ફુલાવી દે, નાચે, કૂદે અને પોતાના પગના ધૂંટણ પર અસંખ્ય નાળીયેર ફોડે, પણ તેને એ સમયમાં કોઈ પણ ઈજા ન થાય, પણ એ સમય વીતી ગયા પછી જાણે શરીર નીચોવાઈ ગયુ હોય તેમ લાગે, બીમાર થઈ જાય કહો કે ચેતના હીન થઈ જાય. મારી આંખે જોયેલી આ વાત તો મારે માનવી જ રહી. કોઈ મોટુ હોય તો હું તેને હાથચાલાકી પણ કહું પણ દસ વર્ષનું બાળક?</p>
<p style="text-align:justify;">શું તમે માનો છો કે આપણા મન માં આપણે વાપરીએ છીએ તેનાથી વધારે શક્તિ છે? કે આપણે જ્યારે થાકી જઈએ ત્યારે શરીર સાથે મનની પણ બધી શક્તિ વાપરી લઈએ છીએ?</p>
<p style="text-align:justify;">કોઈ તમારા મન નો કબજો લઈ શકે એ વાત કેટલી સત્ય?</p>
<p style="text-align:justify;">આ બધા પ્રશ્નો પૂછવાનો હેતુ એટલો જ કે આ પુસ્તક વર્ણવે છે શ્રી સુરેશભાઈ સોમપુરાના અઘોરીઓ સાથે વીતાવેલા પાંચ દિવસનું વર્ણન, આ પુસ્તકને ફક્ત એ પાંચ દિવસનું વર્ણન કહેવુ હળાહળ ખોટું હશે. એ પાંચ દિવસ પહેલા, અને એ દરમ્યાન તેમણે વર્ણવેલા પ્રસંગો, તેના વૈચારીક તથ્યો અને તેના સત્ય સુધી પહોંચવાના તદન સાહજીક પ્રયત્નો, તેને સમજાવવાનો સરળ અને ઉત્તમ પ્રયાસ અને તે બધા પ્રસંગો ઘટના કે દુર્ઘટનાની પ્રામાણિક સ્વીકૃતિ, મને આ પુસ્તકની દરેક વાત સ્પર્શી. જ્યારે ખરીદ્યું ત્યારે ફક્ત એટલું જ વિચારીને લીધુ કે તેમાં લેખકના અઘોરીઓ સાથે કે તાંત્રીકો અને કાપાલીકો સાથે થયેલા અનુભવો હશે, પણ આ પુસ્તક એ અનુભવો થી ઘણું વધારે છે.</p>
<p style="text-align:justify;">એ એટલા માટે કે આ પુસ્તકમા તેમણે કોઈ પણ વ્યક્તિ કે તેના વિચારને પડકાર્યો નથી પણ વિચાર્યા વગર સ્વિકાર્યો પણ નથી. તે દરેક વાતમાં "લોજીક" જોતા નથી, સર્વસત્તાધીશ ની અખંડ અને અમર્યાદ શક્તિઓનો તેમણે "બાય ડીફોલ્ટ" સ્વીકાર કર્યો છે પણ એ શક્તિ માટેનું કારણ પણ તે વૈચારીક રીતે શોધે છે, અને અમુક માનવો માં રહેલી આવી શક્તિઓને તેમણે અહીં ખૂબ જ સરળ સચોટ ભાષામાં સમજાવી છે. કેટલીક વસ્તુઓ સમજવા મારે ઘણા લોકોને ફોન કરવા પડ્યા, એવા લોકો જેમની સાથે સામાન્ય રીતે મારે કોઈ સંપર્ક નથી, પણ એ વસ્તુઓ સમજવા માટે મારે તેમનો સંપર્ક કરવો જ પડે તેમ હતું. કુંડલીની શક્તિ, બ્રહ્મરંધ્ર, વામમાર્ગ, સમાધિ વગેરે જેવા શબ્દો અને તેની પાછળના ગૂઢ અર્થ. છેલ્લા ચાર દિવસોથી કોઈ પોસ્ટ થઈ જ નહતી, વચ્ચે વીસ હજાર ક્લિક્સ પૂરી થઈ તો તે જણાવતી પોસ્ટ મૂકી, પણ કાંઈ વિશેષ ન હતું તેનું કારણ આ જ પુસ્તક છે જે મેં બે દિવસમાં પૂરૂ કર્યું. આ પુસ્તકના અમુક પ્રસંગો અને તેની પાછળની સુરેશભાઈની ફીલોસોફી અહીં મૂકવી છે, પણ લાગે છે બે થી ત્રણ ભાગમાં જ એ શક્ય થશે. ત્યાં સુધી, આવતી કાલ સુધીમાં મને આ પ્રશ્નોના જવાબ આપો, કાલથી બે કે ત્રણ દિવસ આ વિષય પર સુરેશભાઈના અનુભવો અને સાથે સંલગ્ન વિચારો અહિં મૂકવાનો પ્રયત્ન કરીશ.</p>
<p style="text-align:justify;">વધુ આવતી કાલે ....</p>
<p style="text-align:justify;">Jignesh Adhyaru</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[ગુજરાતીલેક્સિકોન બુકમાર્ક]]></title>
<link>http://kartikm.wordpress.com/2007/07/14/%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4%e0%ab%80%e0%aa%b2%e0%ab%87%e0%aa%95%e0%ab%8d%e0%aa%b8%e0%aa%bf%e0%aa%95%e0%ab%8b%e0%aa%a8-%e0%aa%ac%e0%ab%81%e0%aa%95%e0%aa%ae%e0%aa%be%e0%aa%b0/</link>
<pubDate>Sat, 14 Jul 2007 09:09:20 +0000</pubDate>
<dc:creator>કાર્તિક મિસ્ત્રી</dc:creator>
<guid>http://kartikm.gu.wordpress.com/2007/07/14/%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4%e0%ab%80%e0%aa%b2%e0%ab%87%e0%aa%95%e0%ab%8d%e0%aa%b8%e0%aa%bf%e0%aa%95%e0%ab%8b%e0%aa%a8-%e0%aa%ac%e0%ab%81%e0%aa%95%e0%aa%ae%e0%aa%be%e0%aa%b0/</guid>
<description><![CDATA[* જ્યારથી મને કંઇક સમજણ પડવા લાગી (??), ત્]]></description>
<content:encoded><![CDATA[<p>* જ્યારથી મને કંઇક સમજણ પડવા લાગી (??), ત્યારથી મને બુક્સ અને બુકમાર્કનો શોખ છે, ઘણીવાર તો એવું થાય કે ક્રોસવર્ડમાં ગયા પછી કંઇ લઉં નહી, પણ એકાદ બુકમાર્ક લઇ લઉ. જ્યારે રોહિતભાઇ (શારદા મુદ્રણાલય) ને મળવાનું થયું ત્યારે તેમનાં ટેબલ પર પડેલ ઢગલાબંધ બુકમાર્કસને જોઇ આનંદ થયો, અને તેમણે સમાચાર આપ્યા કે, <a href="http://www.gujaratilexicon.com/newsroom/computer_ni_clicke.pdf" target="_blank">કમ્પ્યુટરની ક્લિકે</a> બુક પ્રિન્ટ કર્યા પછી તેના વધેલા કાગળ ફેંકી દેવાની જગ્યાએ (આ બુકલેટમાં કવર પેજ બે ફોલ્ડ વાળું છે, એટલે થોડી પટ્ટી વધે) તેના પર બુકમાર્ક પ્રિન્ટ કર્યા. અને તેમના પ્રિન્ટીંગ કામ વિશે કંઇ કહેવું ન પડે. તમે જો <a href="http://www.gujaratilexicon.com/" target="_blank">ગુજરાતીલેક્સિકોન</a>ની સીડી લો તો, બુકમાર્કનું પૂછજો, મસ્ત છે, જરુરથી ગમશે. નીચે જોઇ લો..</p>
<p><a href="http://www.flickr.com/photos/kartik_m/806066827/" title="Photo Sharing"><img src="http://farm2.static.flickr.com/1137/806066827_0137704758.jpg" alt="GL-Bookmark" height="500" width="191" /></a></p>
]]></content:encoded>
</item>

</channel>
</rss>
