<?xml version="1.0" encoding="UTF-8"?><!-- generator="wordpress.com" -->
<rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	>

<channel>
	<title>ભાષા-વિષયક-પાઠો &amp;laquo; WordPress.com Tag Feed</title>
	<link>http://wordpress.com/tag/ભાષા-વિષયક-પાઠો/</link>
	<description>Feed of posts on WordPress.com tagged "ભાષા-વિષયક-પાઠો"</description>
	<pubDate>Sun, 12 Oct 2008 08:28:48 +0000</pubDate>

	<generator>http://wordpress.com/tags/</generator>
	<language>en</language>

<item>
<title><![CDATA[અંગ્રેજીની જેમ જ ગુજરાતીની ભુલોથી શરમાઈશું ક્યારે ?!]]></title>
<link>http://jkishorvyas.wordpress.com/?p=187</link>
<pubDate>Sun, 06 Apr 2008 06:59:47 +0000</pubDate>
<dc:creator>જુગલકીશોર</dc:creator>
<guid>http://jkishorvyas.gu.wordpress.com/2008/04/06/%e0%aa%85%e0%aa%82%e0%aa%97%e0%ab%8d%e0%aa%b0%e0%ab%87%e0%aa%9c%e0%ab%80%e0%aa%a8%e0%ab%80-%e0%aa%9c%e0%ab%87%e0%aa%ae-%e0%aa%9c-%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4%e0%ab%80/</guid>
<description><![CDATA[ઈન્ટરનેટ પર ગુજરાતી : 1
&#8211;જુગલકીશોર========]]></description>
<content:encoded><![CDATA[<p><strong><span style="color:#cc0000;">ઈન્ટરનેટ પર ગુજરાતી : 1</span></strong></p>
<p>--જુગલકીશોર=======================================</p>
<p>અહીં, ઉપરના શીર્ષકમાં  <strong>'ગુજરાતી' </strong>શબ્દ બન્ને અર્થમાં લેવાનો ઉપક્રમ છે : <strong><span style="color:#3366ff;">'ગુજરાતીઓ'</span></strong> અને એની <strong><span style="color:#3366ff;">'ભાષા-ગુજરાતી'</span></strong>. નેટ ઉપર આપણે બધાં ગુજરાતીઓ <strong><span style="color:#3366ff;">તરીકે</span></strong> અને ગુજરાતી ભાષા <strong><span style="color:#3366ff;">માટે</span></strong> અથવા કહો ને કે ગુજરાતી-માધ્યમથી વીશ્વભરમાં એકતા અનુભવી રહ્યાં છીએ.</p>
<p>આ જ સંબંધે કેટલીક બહુ જ મહત્વની વાતો કરવા ઘણા સમયથી મન હતું પરંતુ કોઈને કોઈ કારણસર આ વાતને આરંભ મળતો ન હતો.</p>
<p>આજે આ વાતનો આરંભ કરવા માટે ગુડી પડવા જેવો પવીત્ર દીવસ મળી જતાં એને સ્પર્શી લીધો છે. આશા છે આ નવા કાર્યને પણ સહયોગ સાંપડશે જ.</p>
<p><strong><span style="color:#ff0000;">ગુજરાતી ફોન્ટ્સની ઉપલબ્ધી : </span></strong></p>
<p>હજી હમણાં સુધી આપણી પાસે ઈન્ટરનેટ પર ગુજરાતીમાં લખવું શક્ય નહતું. ઈન્ટરનેટ આવ્યાંને ઘણો સમય થયો ત્યાં સુધી આપણી પાસે અંગ્રેજોએ વળગાડેલી ભાષા જ હતી. ઈ-મેઈલ પર એ આંગ્લભાષા વગર આપણે અપંગ અને પાંગળાં હતાં. એક અક્ષર પણ આપણે આપણી માતૃભાષામાં લખી કે વાંચી શકતાં ન હતાં ! ( આજે પણ આપણામાંનાં ઘણાંય હજી એ ઓબ્લીગેટરી ભાષાની જ લીપીમાં ગુજરાતી વ્યવહારો કરીને એને વળગી રહ્યાં છે !)</p>
<p>આપણી પાસે ગુજરાતી ફોન્ટ્સ આવ્યા એ વાતનું મહત્વ જેટલું આંકીએ એટલું ઓછું જ છે. એ ન મળ્યા હોત તો આજે પણ આપણે અંગ્રેજી/રોમન લીપીમાં જ લખી રહ્યાં હોત ! પરંતુ ભલું થજો એ શ્રેષ્ઠીઓનું જેમણે સમય-શક્તી-શ્રીને છુટ્ટે હાથે વાપરીને આપણને અનેકાનેક આકારોમાં ગુજરાતી ફોન્ટ્સ ઉપલબ્ધ કરાવી આપ્યા. આ ક્ષેત્રના સૌ કોઈ કુશળ કાર્યકરો - ટેકનોક્રેટ્સ -નાં પણ આપણે સૌ ઋણી છીએ અને રહેવાનાં !!</p>
<p>કોમ્પ્યુટરો હવે લગભગ હાથવેંતની વસ્તુ બની ગઈ છે ત્યારે અને એના દ્વારા બધા જ પ્રકારનો ભાષાકીય વ્યવહાર શક્ય અને સહજ બની ચુક્યો છે ત્યારે આપણે આપણી માતૃભાષાની સેવા એના દ્વારા કરવા માટે તૈયાર (તો છીએ જ પરંતુ એનો વધુમાં વધુ યોગ્ય રીતે વીનીયોગ કરવા પણ તૈયાર) થઈએ.</p>
<p>આજે આપણાંમાંનાં જે કોઈ ગુજરાતીમાં વ્યવહાર કરે છે તે સૌને પુછવા જેવા પ્રશ્નો મનમાં ઉગે છે કે આપણે પ્રયોજીએ છીએ તે ગુજરાતીભાષાને આપણે પુરેપુરા વફાદાર છીએ ખરાં ?</p>
<p>આપણે જે પ્રયોજી રહ્યાં છીએ તે લીપી જ નહીં પરંતુ લીપી દ્વારા વ્યક્ત થતી સામગ્રીને પુરી રીતે ન્યાય આપી રહ્યાં છીએ કે કેમ ?</p>
<p>અંગ્રેજીમાં થતી ભુલો બદલ આપણે તે વીદેશી ભાષા કે અન્યની ભાષા હોવાથી જ શું શરમાઈએ છીએ ? અંગ્રેજીમાં થતી ભુલો નીવારવાના બધા જ પ્રયત્નો કરવામાં આપણે ક્યારેય કચાશ દાખવતા નથી કે આળસ કરતાં નથી તે જ રીતે ગુજરાતીમાં આપણે કરીએ છીએ - કરવાનાં છીએ ?</p>
<p>ભાષાક્ષેત્રના માણસ ન હોય તેવા સૌ કોઈ પણ અંગ્રેજીભાષા માટે હંમેશાં જે દાનત / કાળજી રાખે છે તેવી આપણી માતૃભાષા માટે પણ રાખે છે ખરા - રાખવા ઈચ્છે છે ખરા ? </p>
<p>આ બધા જ પ્રશ્નો આજના સપરમા દીવસે સૌની સમક્ષ મુકીને હું કોઈ ગીરીપ્રવચન આપવા માંગતો નથી !! કે નથી કોઈ છુપી હીલચાલ કરીને સૌને ભળતા માર્ગે લઈ જવા મથી રહ્યો !!! હું જે કાંઈ આપણી માતૃભાષા અંગે કહી રહ્યો છું તે આજે હયાત અને પ્રવર્તમાન જે ભાષા છે, તેની જે લીપી અને તેની જે ચાલુ જોડણી  છે તેને જ વશ વર્તીને કે એની જ વફાદારી રાખીને સૌને સંબોધી રહ્યો છું અને ઢંઢોળી રહ્યો છું...</p>
<p>ઘણાંને સવાલ થશે કે હું પ્રચલીત જોડણીને કોરાણે મુકીને, તો પછી, આ નવીને કેમ વશ વર્તી રહ્યો છું ?! સવાલ મહત્વનો હોવાથી એનોય ઉલ્લેખ કરીને જ આ સમગ્ર લેખમાળાને ન્યાય આપી શકીશ, તેથી જવાબ પણ અહીં જ આપી દઈશ.</p>
<p>ભાષાવીજ્ઞાનનો માણસ છું અને ભાષાકીય ઘણી હકીકતો જાણું છું તેથી (અને તે છતાંય)એની તરફેણમાં એકપણ દલીલ કર્યા વીના હું એટલું જ કહીશ કે 'શુદ્ધભાષા'ના 100માંથી જોડણીના ભાગે આવતા 15-20 %ના ફક્ત ને ફક્ત 1/30 અંશમાં જ હું અલગ પડું છું !!! જોડણીના 15-20 %ને બાજુએ રાખીએ તો બાકીના બધા જ - 75-80 % - બાબતે તો હું આજના નેટ પર વ્યવહારો કરનારાં ઘણાઓ કરતાં  આગળ જ નહીં, ચુસ્ત પણ છું ! વળી જોડણીમાં પણ એક ઈ-ઉને બાદ કરતાં બાકીના બધા જ, (હા લગભગ બધા જ !)  જોડણીનીયમો (કે જે કુલ ભાષાશુદ્ધી માટેના નીયમોનો નાનકડો ભાગ છે !) પાળી બતાવું જ છું !! એટલે ભાષાની શુદ્ધીને લાગેવળગે છે ત્યાં સુધી આટલી ક્ષુલ્લક વાતને મહત્વ આપ્યા વીના આપણે સૌ આપણી ભાષાની લગભગ 90 % વાતે એકમત થઈને અંગ્રેજીને આપીએ એટલું જ મહત્વ આને આપીને કંઈક પ્રયત્નશીલ થઈએ.<br />
============================================================<br />
(શુદ્ધભાષા માટેની લાહ્ય લઈને લખવા મથતા મારા જેવા એક નાના ગુજરાતી કાર્યકરની હવે પછી હપ્તા વાર આવનારી ઘણી જ ઉપયોગી વાતોને સ્વીકારવા મથીશું ?)<br />
.</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[માતૃભાષા અને માતૃભુમી : બન્નેને માતા કહેવાય ખરી ? ]]></title>
<link>http://jkishorvyas.wordpress.com/2007/06/01/matrubhasha-bhumi/</link>
<pubDate>Fri, 01 Jun 2007 11:31:05 +0000</pubDate>
<dc:creator>jugalkishor</dc:creator>
<guid>http://jkishorvyas.gu.wordpress.com/2007/06/01/matrubhasha-bhumi/</guid>
<description><![CDATA[                                                  ]]></description>
<content:encoded><![CDATA[<p><font color="#3333ff"><font size="2"><strong>                                                                         --</strong>જુગલકીશોર.</font></font></p>
<p><font size="2" color="#006600">ધરતીને માતા કહી છે. માનવીની જન્મથી માંડીને મૃત્યુ સુધીની બદ્ધી જ બધી જરુરીયાતો ધરતી પુરી પાડે છે. બ્રહ્માંડમાં ક્યાંય હજી સુધી જીવન હોવાનું જણાયું નથી. એક માત્ર પૃથ્વી જ આપણને જ્ઞાત છે. સુર્યને પીતા કહ્યો, કારણ કે એ ધરતી સુદ્ધાંને ટકાવે છે.</font></p>
<p><font size="2" color="#006600">અર્થાત્ મનુષ્યને સમગ્ર જીવન ધવડાવનારી પૃથ્વી શત પ્રતીશત માતા થઈ.  જોકે પૃથ્વીના ખંડો, દેશો, પ્રદેશો મુજબ એના ભાગ પડતા રહ્યા તેમ તેમ માતા જાણે સીમીત થતી રહી, નાની થતી ગઈ. એટલે સુધી કે ગામ-તાલુકો ય વતન-માતૃભુમી તરીકે ઓળખાતો થયો. આમ પૃથ્વી ય માતા અને વતનની ભુમી પણ માતા ગણાઈ. ( બધું જ પુરું પાડનારી ધરતી તો એ ખરી જ ને વળી !) </font></p>
<p><font size="2" color="#006600">પરંતુ ભાષા માટે આવું કહી શકાશે ખરું ? ઘણા લોકો પોતાની માતૃભાષાને "માતા" ગણાવે છે.પરંતુ માતૃભાષા અને માતૃભુમી બંને શબ્દો સાવ અલગ છે. કારણ કે બંનેના સમાસ અલગ છે. 'માતૃભુમી'માં ભુમીમાતા એવો અર્થ અભીપ્રેત છે. જ્યારે માતૃભાષા શબ્દ સુચવે છે કે "માતા જે ભાષા બોલે તે - માતાની ભાષા તે - માતૃભાષા."  અહીં ભાષા પોતે માતા નથી. </font></p>
<p><font size="2" color="#006600">બાળક જન્મ પછી સમજણો થાય એટલે એના કાન જે કંઈ સાંભળે તેમાં સૌથી વધુ ફાળો એની માતાની બોલીનો હોય છે. આમેય તે માતા જે બોલે તેને નાનું બાળક સૌથી મહત્વનું અને સાચું ગણે.એટલે માતાની ભાષાને તે પહેલાં શીખે છે. આ ભાષા એને ગળથુથીમાં મળી છે. અને એટલે જ એ ભાષાને માતાની ભાષા કહેવામાં કોઈ હાની ન હોય. વર્ષોથી 'પરદેશ'માં રહેતી માતા તે જ પ્રદેશ-દેશની બોલી-ભાષામાં વ્યવહાર કરતી હોઈ બાળક પણ 'પરદેશ'ની એ ભાષા બોલતો થાય છે.</font></p>
<p><font size="2" color="#006600">બાળકનો જન્મ જ 'પરદેશ'માં થયો હોય અને ત્યાંની ભાષાને જ એ વધુ સહજતાથી શીખે, અને માતાના વતનની ભાષા બરાબર અવગત ન કરી શકે  તો માતાના 'પરદેશ'ની ભાષા બાળકના 'દેશ'ની બની રહે છે. અને એ નવા દેશની ભાષાને બાળક ધારે તો "પોતાની માતૃભાષા" ગણી શકે ! (ભલેને "માતાની ભાષા" અલગ હોય !) આવા સમયે "માતૃભુમીની ભાષા એ માતૃભાષા" એવો અર્થ લઈ શકાય !!</font></p>
<p><font size="2" color="#006600">પરંતુ આ ચર્ચાનો મુળ હેતુ તો માતૃભાષા શબ્દને સમજવાનો હતો તેથી એટલું કહી શકાય કે :</font></p>
<p><font size="2" color="#006600">1- માતૃભાષા 'માતાના દેશ'ની હોય કે માતાના 'પરદેશ'ની હોય એ ભાષા "માતાની" ગણાતી હોઈ ભાષાને માતા કહેવાનું વલણ યોગ્ય નથી. </font></p>
<p><font size="2" color="#006600">2- અન્યથા જોઈએ તો પણ ભાષાને આપણે સરસ્વતીનું સાધન માનીએ છીએ. સરસ્વતી દેવી પાસે પહોંચવાનું એ માધ્યમ છે. સરસ્વતીને ખુદને આપણે માતા કહી છે. એટલે પણ ભાષાને માતાનો દરજ્જો મળી શકે નહીં. </font></p>
<p><font size="2" color="#006600">3- અન્ય એક દૃષ્ટીએ જોઈએ તો ઉચ્ચકક્ષાના સાહીત્યકારોને આપણે સાહીત્યસ્વામી, ભાષાસ્વામી કહીએ છીએ. એક જ ભાષાના મનુષ્યોમાંનો જ એક જણ ભાષા-સ્વામી બને તો એ ભાષાની કોઈપણ વ્યક્તી એ ભાષાને માતા કહેવા શક્તીમાન રહી શકે નહીં.</font></p>
<p><font size="2" color="#006600">4- આ બધું જોતાં ભાષાને સરસ્વતીની ઉપાસનાનું માધ્યમ જ નહીં, જીવનના 'પ્રત્યાયન-વ્યવહારો' ( કોમ્યુનીકેશન)નું એકમાત્ર, હાથવગું, "સાધન" ગણીએ એ જ બહેતર ગણાય. તેથી ભાષાને માતાનો દરજ્જો મળી શકે નહીં. એનું માન, એનો દરજ્જો જે છે તે "માતાની ભાષા તરીકે"નો જ છે અને તે જ રહેવો જોઈએ. </font></p>
<p><u><font size="2" color="#006600">"માતાની ભાષા"નો દરજ્જો પણ કાંઈ નાનોસુનો કે ઓછો મહત્વનો તો નથી જ નથી. એ પણ બહુ મોટા ગૌરવની જ બાબત છે.</font></u></p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[જોડણી અંગે સોળ સવાલ !]]></title>
<link>http://jkishorvyas.wordpress.com/2007/05/04/jodanina-sol-saval/</link>
<pubDate>Fri, 04 May 2007 02:11:24 +0000</pubDate>
<dc:creator>jugalkishor</dc:creator>
<guid>http://jkishorvyas.gu.wordpress.com/2007/05/04/jodanina-sol-saval/</guid>
<description><![CDATA[    

જોડણી સમસ્યા.                            ]]></description>
<content:encoded><![CDATA[<form method="post" action="http://address.mail.yahoo.com/yab/in?v=YM&#38;.rand=80735&#38;A=m&#38;simp=1" name="frmAddAddrs">    </form>
<p style="visibility:visible;" class="clearfix"><!-- type = text --></p>
<p><strong><font size="3">જોડણી સમસ્યા.</font></strong>                                         <strong>  --ડૉ. યોગેન્દ્ર વ્યાસ. </strong></p>
<p><strong>( ભાષાપ્રેમીઓએ પુછેલા કેટલાક સવાલોના આધારે વાચકની સમાસ્યાઓનું નીરાકરણ : )</strong></p>
<p><strong>સવાલ-1</strong> :  ભાષા તો આપણી મા કહેવાય. માને સુધારનારા આપણે કોણ ?<br />
<strong>જવાબ     :</strong>  ભાષાને સુધારી શકાય જ નહીં, ભાષાને કાગળ ઉપર રજુ કરતાં સાધનને ( લખાણને )જરુર   સુધારી શકાય  જેથી માનાં દર્શન વધુ સારાં થઈ શકે. દુનીયાભરની બધી જ ભાષાઓને કાગળ ઉપર રજુ  કરતાં     સાધનોમાં ( લીપી અને જોડણી ) સુધારા થતા જ રહ્યા છે.ગુજરાતી પણ એમાં અપવાદ નથી.<br />
<strong>સવાલ-2 :</strong>  જોડણી સરળ કરવાથી આપણી ગુજરાતીનું ભાષા-સૌંદર્ય અને સમૃદ્ધી ખતમ નહીં જાય ?<br />
<strong>જવાબ     :</strong>  સરળતા એ કાંઈ ભાષાસૌંદર્ય અને સમૃદ્ધીની દુશ્મન નથી. એ જ રીતે સંકુલ અને ગુંચવાડાભર્યું એટલે વધુ સુંદર અને અસરકારક એવું પણ નથી. ભાષાની સમૃદ્ધી અને સૌંદર્ય મુળાક્ષરો કરતાં અર્થો પર વધુ નીર્ભર રહે છે. ( કોઈ ઉર્દુ ગઝલ ગુજરાતીમાં લખવામાં આવે તેથી ગઝલનું સૌંદર્ય ઘટતું નથી.)<br />
<strong>સવાલ-3 :</strong>  સરળ જોડણીથી બાળકોનું કલ્યાણ થશે, એવી વાતો કરો છો, તો પછી જોડણીના રુઢ સીદ્ધાંતો શીક્ષકો બરાબર ભણાવે એવું કેમ નથી કરતા ?<br />
<strong>જવાબ     :</strong>  ખામી જોડણીના સીદ્ધાંતોમાં છે, એની અનીયમીતતામાં છે ( નીયમો કરતાં અપવાદો વધારે છે તેથી જ કોઈ એને પુર્ણ રીતે શીખી કે શીખવી શક્યું નથી). સંસ્કૃતમાંથી ઉતરી આવેલી જોડણી એમાં થયેલા પરીવર્તન સાથે તાલ મેળવી શકી નથી. તેથી આ પ્રયાસ અનીયમીતતાને દુર કરવાનો, જોડણીને ગુજરાતી કરવાનો છે, જેથી ગુજરાતી શીખતાં બાળકોને તકલીફ ઓછી પડે.<br />
<strong>સવાલ-4 :</strong>  એક ઈ ( દીર્ઘ ઈ) ઉ ( ગ્રસ્વ ઉ) સ્વીકારવાથી શાળાના વીદ્યાર્થીઓને શીક્ષકો 'દિન' અને 'દીન' કેવી રીતે શીખવાડશે ?<br />
<strong>જવાબ     :</strong>  જેવી રીતે 'હરણ' (મૃગ) અને 'હરણ' ( બળજબરીથી લઈ જવું) અથવા 'ગજ' (માપવાનું સાધન) અને 'ગજ' (હાથી) શીખવાડ્યું હતું તે જ રીતે !!<br />
<strong>સવાલ-5 :</strong>  હ્રસ્વ 'ઇ' અને દીર્ઘ 'ઊ' કાઢી નાખવાથી, વ્યાકરણમાં સ્વરનું જ્ઞાન કેવી રીતે શીખવીશું ?<br />
<strong>જવાબ    :</strong>  જે સ્વરો ગુજરાતીની ઉચ્ચારણવ્યવસ્થામાં નથી, તે શીખવવાની જરુર હોતી નથી. છેલ્લાં વીસેક વરસથી  શાળા/મહાશાળાઓનાં વ્યાકરણમાં શીક્ષકો એવું જ શીખવે છે કે ગુજરાતીમાં માત્ર આઠ જ સ્વરો છે ! અ,આ,ઈ,ઉ,એ,ઍ,ઓ અને ઑ.<br />
<strong>સવાલ-6 :</strong>  આજે એક ઈ અને ઉ કરવાની વાત છે, કાલે બીજું બધુંય સુધારવાની વાત થશે તો પછી ગુજરાતી જોડણીમાં અરાજકતા નહીં ફેલાય ?<br />
<strong>જવાબ     :</strong>  લખાણમાં એક જ 'ઈ' અને 'ઉ' રાખવાની વાતા આજની નથી. દોઢસો વરસ પહેલાં અમદાવાદનાં હઠીસીંગનાં દહેરાંમાં લખાયેલા સંસ્કૃત (દેવનાગરી)શીલાલેખમાં હ્રસ્વ/દીર્ઘ બંને 'ઈ' વપરાયાં છે. જ્યારે ગુજરાતીમાં માત્ર દીર્ઘ 'ઈ' જ વપરાઈ છે. સાહીત્ય પરીષદના પ્રથમ પ્રમુખ ગોવર્ધનરામે પણ એક જ ઈ અને એક જ ઉ કરવાની વાત કરી હતી અને તેમની મહાનવલ 'સરસ્વતીચંદ્ર'ની શરુઆતની આવૃત્તીઓ તે જ રીતે છપાયેલી છે. 'સાર્થ ગુજરાતી જોડણીકોશ' રચનાર પંડીતોએ સંસ્કૃત સાથેનો આપણો સંપર્ક તુટી જશે એવી ખોટી બીકથી હ્રસ્વ અને દીર્ઘ ઈ/ઉ ના અનેક અપવાદોથી ભરપુર નીયમો ઘડી કાઢીને જોડણીકોશ રચ્યો એટલે લખાણમાં અરાજકતા વધી છે. અનુભવે જે વધુ સંકુલ અને તેથી ગુંચવાડાથી ભરપુર લાગતું હોય એમાં સુધારો કરવો એ શાણપણ છે.           </p>
<p><strong>સવાલ-7 :</strong> હવે જો એક ઈ-ઉ પ્રમાણે જ બધું છપાશે તો ભવીષ્યમાં " આજનું સાહીત્ય" કોણ વાંચશે? 15-20 વર્ષો પછી આ બધું પસ્તીમાં ફેંકી દેવાનું ?</p>
<p><strong>જવાબ    :</strong> આ કોઈ એવા ફેરફારો નથી કે જેથી સાહીત્ય વાંચતાં જ ન આવડે. જેમ કે 'ચોક્ખું','શુધ્ધ' જેવી જોડણી લખાતી હતી, અને આજે તેતે બદલે 'ચોખ્ખું' અને 'શુદ્ધ' લખાય છે. પરંતુ તેથી વાંચવામાં કે સમજવામાં કોઈ તકલીફ થતી નથી.વળી સાક્ષરયુગમાં કહેવાતી 'અરાજકતા'વાળી જોડણી જ હતી ને!છતાં આજે વંચાય જ છે ને ! કયું સાહીત્ય પસ્તીમાં ફેંકાશે અને કયું પુન: પુન: મુદ્રીત થઈને વંચાયાં          કરશે એનો આધાર એની સાહીત્યીક ગુણવત્તા ઉપર છે. <br />
<strong>સવાલ-8 :</strong> એક ઈ-ઉ કરવાથી છંદોબદ્ધકવીતાનું શું થશે ? નવી પેઢીને છંદ કેવી રીતે શીખવીશું ?<br />
<strong>જવાબ     :</strong> એક ઈ-ઉ કરવાથી છંદોબદ્ધ કવીતાને કશો વાંધો આવે એમ નથી. 'સાર્થ જોડણીકોશ'નો નીયમ નં.32  આ વાત કરે છે. વળી 'બૃહદ્ પીંગળ' પુસ્તકમાં સ્વ. રામનારાયણ પાઠક પ્રસ્તાવનામાં નોંધે છે , 'ગુજરાતીકાવ્યમાં પ્રચલીત જોડણીમાં છંદને અનુકુળ લઘુનો ગુરુ અને ગુરુનો કરવાની છુટ છે.(પા.11,              1992 આવૃત્તી બીજી) એટલે નવી પેઢીને છંદ શીખવાડવામાં તકલીફ જરાય નહીં પડે. વળી છંદ પાટીયા પર શીખવવા કરતાં ગાઈને શીખવવાની પરંપરા પુન:જીવીત કરવામાં આવે તો સરળતા એકદમ વધે.<br />
<strong>સવાલ-9 :</strong> તત્સમ શબ્દોમાં જોડણીસુધારવાથી સંસ્કૃત ભાષાને નુકસાન નહીં થાય ?<br />
<strong>જવાબ     : </strong>(સંસ્કૃતની) દેવનાગરી લીપી જ છોડી દીધી છે તેથી કોઈ તકલીફ થઈ છે? અને કહેવાતી સાચી જોડણી લખવાથી કેટલા લોકોને સંસ્કૃત ભાષા આવડી ગઈ ?<br />
<strong>સવાલ-10:</strong> પ્રાથમીક શાળાઓમાં રણપાંચથી હીન્દી શીખવવામાં આવે છે. જો  ગુજરાતીમાં એક ઈ-ઉનો સુધારો કરીશું તો હીન્દી કેવી રીતે શીખવીશું ?<br />
<strong>જવાબ     :</strong> હીન્દી અને સંસ્કૃતની તો લીપી જ (આપણા કરતાં) જુદી છે. એ બંને ભાષા દેવનાગરી લીપીમાં લખાયછે. આખી લીપી જ જુદી શીખવાની હોય, એક આખી વ્યવસ્થા નવેસરથી શીખવાની હોય(તો તેના             કરતાં)બે સ્વરોની જોડણી જ શીખવાની આવે તે સહેલું નહીં ?<br />
<strong>સવાલ-11:</strong> મહાત્મા ગાંધીએ કહ્યું છે,"હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધીકાર નથી." તો પછી જોડણી-સુધારણા કેટલી વાજબી ?<br />
<strong>જવાબ     :</strong> મહાત્મા ગાંધીએ આવું કહ્યું હોવા છતાં ગુજરાતનાં ઘણાં ખરાં છાપાંઓએ, દુરદર્શને,સરકારી પરીપત્રોએ  સ્વેચ્છાએ જોડણી કરવાનો અધીકાર રાખ્યો છે.આઅરાજકતામાંથી બહાર આવવા માટે જરુરી છે કે સ્વેચ્છાએ સુધારો ન થાય પણ લોકોની ઈચ્છાથી તે થાય.<br />
<strong>સવાલ-12:</strong> ગુજરાત વીદ્યાપીઠ 'ગૂજરાત' લખવામાં દીર્ઘ ઊ વાપરે છે અને ગુજરાત સરકાર 'ગુજરાત'લખવામાં  હ્રસ્વ ઉ વાપરે છે. આવો વીરોધાભાસ  કેમ ?<br />
<strong>જવાબ     :</strong> 'સાર્થ જોડણીકોશ'ની રચના થઈ એ પહેલાં ગુજરાત વીદ્યાપીઠની સ્થાપના થયેલી અને ત્યારે ગુજરાત  વીદ્યાપીઠના પ્રતીક વગેરેમાં 'ગૂજરાત'લખાઈ ગયેલું એટલે 'ગૂજરાત'ને અપવાદ ગણી કોશકારે બીજા<br />
ચાર અક્ષરના શબ્દોમાં પહેલો અક્ષર હ્રસ્વ કરવો એવો નીયમ કર્યો. આથી 'ગુજરાત સરકાર, ગુજરાત-યુનીવર્સીટી,ગુજરાતરાજ્ય'</p>
<p>વગેરેમાં 'ગુજરાત' મળે.અને'ગૂજરાત'લખવાથી 'ગૂજરાત વિદ્યા પીઠ' બધાથી  અલગ છે તેવું પણ સૌને સમજાય છે.              </p>
<p><strong>સવાલ :13</strong> ગુજરાતી ભાષાની જોડણીમાં અપવાદની ટકાવારી કેટલી ? એવું કેમ છે ?<br />
<strong>જવાબ :</strong>   'સાર્થ જોડણીકોશ'માં આપેલા નીયમો જોતાં ત્રીસ ટકા જેટલા અપવાદો નીકળે છે. આનું મુખ્ય કારણ એ છે કે પહેલાં જોડણીના નીયમો ઘડવામાં આવ્યા હતા અને તે પછી જ શબ્દોની જોડણી નક્કી થઈ હતી.  કોશની નવી આવૃત્તીમાં અંગ્રેજી શબ્દોની ગુજરાતી જોડણીની બાબતમાં પણ એ જ રીત અપનાવાતી લાગે છે. તમે 'જોડણી-3'માં છેલ્લા પાને આપેલાં ધોરણો જુઓ. ત્યાં "ઉચ્ચાર હળવા 'ઈ' જેવો થતો હોય" અથવા "ઉચ્ચાર ભારવાળા 'ઈ' જેવો થતો હોય" એમ લખ્યું છે ! આવો ઉચ્ચાર 'હળવા-ભારે વાળો' એટલે કેવો તેની સમજણ કોઈ ઉચ્ચારશાસ્ત્રી આપી શકે તેમ નથી.આવી અધકચરી જાણકારી અવ્યવસ્થા અને  અરાજકતા ઉભી કરે છે.</p>
<p><strong>સવાલ :14</strong> જોડણી આ હોય કે પેલી, એથી સામાન્ય માણસને શો ફેર પડે ?<br />
<strong>જવાબ :</strong>   અત્યાર સુધી સામાન્ય માનવી ફાવે તેમ જોડણી લખતો હતો.તેથી લખતાં લખતાં ક્યારેક અવઢવ કે મુંઝવણ અનુભવતો અને પોતે ક્યાંક ખોટું લખી રહ્યો છે તેવી બીક તથા અપરાધભાવ   તેના મનમાં રહેતો. આ  કારણે તેના લખાણના સળંગ પ્રવાહમાં અડચણો આવતી. સુધારા પછી તે સરળતાથી સાચી જોડણી લખી શકશે અને એકજાતની નીરાંત અનુભવશે.<br />
<strong>સવાલ :15</strong> ગુજરાતી ભાષાવીકાસનાં બીજાં ઘણાં કામો છે, 'જોડણી' જ શા માટે ?<br />
<strong>જવાબ :</strong>   ગુજરાતીભાષાનાં વીકાસનાં બીજાં કાર્યો પણ ચાલુ જ છે. છેલ્લાં ત્રીસ-ચાલીસ વરસ દરમ્યાન ગુજરાતી ભાષાનાં પ્રમાનભુત કહી શકાય તેવાં પાંચેક વ્યાકરણો રચાયાં; ભાષા વીશેની સમજને સ્પષ્ટ કરતાં પ્રમાણભુત<br />
દશેક પુસ્તકો લખાયાં; ભાષાશીક્ષણ વીશે પાંચેક ઉત્તમ પુસ્તકો પ્રગટ થયાં અને મુખ્યત્વે એને આધારે શાળા-મહાશાળાઓના ગુજરાતી ભાષાના જ નહીં,અન્ય ભાષાઓના અભ્યાસક્રમો પણ ભાષાલક્ષી બન્યા. વ્યુત્પત્તી કોશ, પર્યાય કોશ અને બૃહદ કોશ જેવા કોશો પણ પ્રગટ થયા. એટલે ગુજરાતી ભાષાના વીકાસની કામગીરી તો એક બાજુ ચાલુ જ છે, પણ સ્વ. ડૉ. પ્રબોધ પંડીતે કહ્યું હતું તેમ 'ભાષાના વપરાશકારો વધે તો ભાષાનો સાચો વીકાસ થાય.' એમ જોતાં જોડણીનું આ કામ થાય તો જરુર અક્ષરજ્ઞાનનો વ્યાપ વધે. લઘુમતી કોમ,<br />
આદીવાસીઓને અને પછાતકોમો લખાણની મુંઝવણો અને ગુંચવાડા દુર થતાં વધુ ઉત્સાહથી ભણીને શીક્ષીત બને<br />
<strong>સવાલ :16</strong>  જોડણી સુધારણા કરવાનો હક્ક કોનો ? પ્રજાનો, ભાષા-સાહીત્ય સંસ્થાનો કે સરકારનો ?<br />
<strong>જવાબ :</strong>    અત્યાર સુધી ગુજરાત વીદ્યાપીઠ હક્ક લઈને બેઠી છે. ખરેખર હક્ક પ્રજાનો છે. ભાષાના સરળ લખાણની લોકોને તાતી જરુર છે, કારણ કે આજે તો ભાષાનું લખાણ જ શીક્ષણનું, વ્યવહારનું અને તેથી વીકાસનું મુખ્ય<br />
સાધન છે. એમાં ભાષાવીદો અને કેળવણીકારો માર્ગદર્શન જરુર આપી શકે. છેલ્લે સરકાર સ્વીકૃતી આપે.<br />
======================================================<br />
<strong>સવાલકર્તા :</strong> મનીષી જાની, અમીત દવે, કીરણ ત્રીવેદી, પ્રવીણ પંડ્યા, લલીત લાડ.</p>
<p><strong>જવાબ        : </strong>ડૉ. યોગેન્દ્ર વ્યાસ.</p>
<p><strong>પરામર્શકો   : </strong>ડૉ. યોગેન્દ્ર વ્યાસ, રામજીભાઈ પટેલ, ઈન્દુકુમાર જાની. <strong> </strong><br />
<strong>સૌજન્ય       : (માનવ મીડીયા) કીરણ ત્રીવેદી </strong>સંપાદક, 'જોડણી વીચાર' ( ગુજરાતી ભાષાપરીષદનું પ્રકાશન.)</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[આવા શબ્દોને શી રીતે સમજશું ?! ]]></title>
<link>http://jkishorvyas.wordpress.com/2007/04/30/aava-shabdone/</link>
<pubDate>Mon, 30 Apr 2007 04:21:21 +0000</pubDate>
<dc:creator>jugalkishor</dc:creator>
<guid>http://jkishorvyas.gu.wordpress.com/2007/04/30/aava-shabdone/</guid>
<description><![CDATA[&#8221; શબ્દાર્થૌ સહીતૌ કાવ્યમ્ &#8221; એવી વ્]]></description>
<content:encoded><![CDATA[<p>" શબ્દાર્થૌ સહીતૌ કાવ્યમ્ " એવી વ્યાખ્યા કરીને ભામહે શબ્દ-અર્થના સાયુજ્યને જ કાવ્ય કહ્યું છે.</p>
<p>આ અર્થ આપણને જે મળે છે તે અર્થ ત્રણ ત્રણ પ્રકારે રહેલો હોય છે : વાચ્યાર્થ, ભાવાર્થ અને સંદર્ભાર્થ. એમાં આપણે માટે મહત્વનો આ સંદર્ભ અર્થ છે. સંદર્ભ અર્થ એટલે જે સંદર્ભથી સમજાઈ જાય તે. એક મહત્વનો સીદ્ધાંત એ પણ છે કે સંદર્ભ વીના શબ્દના અર્થને પકડવાનું ઘણીવાર જોખમકારક બની રહે. કોઈ પણ શબ્દને એના સંદર્ભ વીના આપણે ભાગ્યે જ અપનાવતાં હોઈએ છીએ. ઘણીવાર તો સંદર્ભ હોય તો શબ્દ તો શું, વાક્યનું વાક્ય આખું ઉડાડી દેવામાં આવે છે ! દા.ત. એકભાઈ બીજાને જોતાંવેંત પુછે છે, ' કેમ, આજે ?! '  હવે આ બે શબ્દોનો શું અર્થ ? પરંતુ એઓ બંને જાણે છે કે પેલો માણસ મને ત્રણ દીવસ પછી જ મળવાનો હતો. આજે એ આવી શકે એમ જ ન હતો. એટલે એણે એટલું જ પુછ્યું, " કેમ, આજે ?" સંદર્ભ હતો એટલે જ અર્થ સમજાયો. " પીતાજી ચા પીતા હોય છે ત્યારે વાત કરતા નથી" નાનું છોકરું ય સમજી જાય કે આ બંને પીતામાં શું ફેર છે. ત્યાં જોડણી આડે આવતી નથી.અંગ્રેજીમાં તો ઢગલાબંધ શબ્દો હશે,આવા. હવે આપણે કેટલાક શબ્દો જૂઈએ જેની જોડણી એક જ હોવા છતાં અર્થો જુદા છે :</p>
<p><strong>આ બધા શબ્દોનું શું ? એની જોડણી એક જ છે, ને અર્થો છે અનેક !! </strong></p>
<p>આપણે ત્યાં કહેવાય છે કે દિન=દીવસ અને દીન=ગરીબ એવા બે અર્થો હોવાથી એક ઈ-ઉને કારણે મોટી ગરબડ થઈ જવાની છે. પરંતુ એવા કેટલાય શબ્દો છે જેના એકથી વધુ અર્થો થતા હોવા છતાં એને માટે અલગ જોડણી નથી ! એને આપણે કઈ રીતે ઓળખીએ છીએ ?!</p>
<p>દા.ત.મીઠું. એના બે જાણીતા અર્થો છે : મીઠાશભર્યું અને ખાવાનું નમક. હવે કોઈ એમ કહે કે 'દાળમાં મીઠું નાખો' કે 'સરબત બહુ મીઠું છે' તો કોઈ ગરબડ થાય છે ?</p>
<p>આવા તો કેટલાય શબ્દો છે જેની જોડણી એક જ હોવા છતાં અર્થો અનેક થતા હોય. આવા શબ્દોમાં જો ગરબડ કે સમજફેર ન થતો હોય અને વાક્યના સંદર્ભથી અર્થ સરી જતો હોય તો ચીંતા શી ? (અંગ્રેજીમાં કોઈ આવા શબ્દોની યાદી બનાવશે ? થાકી જવાય એટલા શબ્દો નીકળશે ! એ બધા શબ્દોમાં આપણે શું કરી શકીએ છીએ?!</p>
<p>જુઓ : કડી / વડી / કળી / ગળી / ખીલો / લુખો /સારું / વડું / શીખ / તીખું / પીઠ / મરી / તીર / વીર / જરી / ફરી / શીલા / કીધું / ખરી / ખારી / મારી / ચીર / વીંટ / નાડી / પડી / સીધું / જામી / ચરી / દેવી / લેવી / જડી / પુર / વાળી / વાલી / તાલી / સુતર / ઉત્તર ગંજી વગેરે વગેરે !</p>
<p>હકીકતે શબ્દો તો વાક્યનો એક ભાગ હોઈ ક્યારેક સમાનલીપીક શબ્દ આવી જાય તો એનો વાક્યમાં જે સંદર્ભ હોય તેનાથી અર્થ સમજાઈ જ જતો હોય છે, નાના કીશોરનેય તકલીફ પડતી નથી !!</p>
<p>સુજ્ઞેષુ કીમ્ બહુના !</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[અનુસ્વાર વિષે વધુ : ( હપ્તો છેલ્લો )]]></title>
<link>http://jkishorvyas.wordpress.com/2007/04/25/anusvar-3/</link>
<pubDate>Wed, 25 Apr 2007 09:59:53 +0000</pubDate>
<dc:creator>jugalkishor</dc:creator>
<guid>http://jkishorvyas.gu.wordpress.com/2007/04/25/anusvar-3/</guid>
<description><![CDATA[                                                  ]]></description>
<content:encoded><![CDATA[<p>                                                                                </p>
<p>અનુસ્વાર મુખ્ય બે પ્રકારના હોય છે : કોમળ અને તીવ્ર. તીવ્ર અનુસ્વાર સ્પષ્ટ સાંભળી શકાય, જ્યારે કોમળ <br />
           અનુસ્વાર હળવા અને જલદી પસાર થઈ જતા લાગે.<br />
           ઉદાહરણો : તીવ્ર : પંડિત, અંદર, મંગલ, ભીંડો, વંડી વગેરે.<br />
           કોમલ : હું, છું, શું, કાં, ત્યાં, વીંછી, પૂંછ વગેરે,</p>
<p><strong>કેટલાક મહત્વના નિયમો : <br />
</strong>1- નામના એકવચનમાં, નાન્યતરજાતિમાં છેલ્લે ઉંકારાન્ત આવે ત્યારે અનુ. કરવાનો.<br />
દા.ત. : પપૈયું, મરચું, રમકડું, ઘોડિયું, પાટિયું, છોકરું વગેરે.<br />
2- નાન્યતરજાતિમાં,વિશેષણ એકવચનમાં અંતે ઉંકારાન્ત હોય તો અનુસ્વાર  આવે.<br />
દા.ત. : કાચું પપૈયું, લીલું મરચું, નાનું રમકડું,મઝાનું ઘોડિયું વગેરે.<br />
3- ઉપર મુજબનાં બંનેનાં બહુવચનમાં આં.પ્રત્યય લાગશે; એમાં અનુસ્વાર કરવાના.<br />
દા.ત.:  કાચાં પપૈયાં, લીલાંમરચાં; નાનાં; મઝાનાં વગેરે.<br />
4- વિભક્તિના પ્રત્યયો-નું,નાં તથા સર્વનામ વગેરેમાં અનુસ્વાર આવશે.<br />
દા.ત. મારું, મારાં, તેનું, તેમનાં, માડી ઘરડાં થયાં; તેઓ ભલાં હતાં.<br />
5- પ્રથમ પુરુષ એકવચન ' હું ' સાથેનાં સર્વનામ કે ક્રિયાપદોમાં અનુ.આવે.</p>
<p>દા.ત. રમું, ભણું, તરું, હસું,...... પેલું, મારું, વગેરે.</p>
<p>6- ભવિષ્યકાળ સાથેનાં પ્રથમ પુરુષ બહુવચનમાં અનુસ્વાર આવે-</p>
<p>દા.ત. ખાઈશું, પીશું, રમીશું, જઈશું વગેરે.</p>
<p>7- કોઈપણ ક્રિયાપદનું મૂળ રૂપ હંમેશાં અંતે અનુસ્વાર લઈને જ આવે</p>
<p>દા.ત. કહેવું, જવું, દોડવું, શીખવું, લખવું, ઝઘડવું વગેરે વગેરે.</p>
<p>8- વર્તમાન કૃદંતના આધારે બનેલાં ક્રિયાવિશેષણોમાં અનુ.આવે જ</p>
<p>દા.ત. જતાં જતાં, બોલતાં, રમતાં રમતાં, મઝાક કરતાં કરતાં,  </p>
<p>9- માં, માંથી, માંહી, માંહે માં અનુસ્વાર હોય.</p>
<p>10- અહીં, દહીં, નહીં, (નહિમાં અનુ. ન આવે ), માં અનુ.આવે.</p>
<p>11- પુરુષવાચક સર્વનામોમાં જેમકે હું, મેં, તું, તેં, મારું, તારું આપણું, તમારું વગેરે</p>
<p>12- કેટલાંક સર્વનામો વગેરેમાં અનુ.આવશે : પેલું, પેલાં, શું, કશું, કેવું, કેવાં વ.   </p>
<p><strong><font color="#8000ff">એક મઝાની વાત : </font></strong></p>
<p>       કેટલાક ટુંકા શબ્દોને અંતે ઉકારાંત આવે છે. <u>જેમકે સાબુ, ઝાડુ, આંસુ, તાંબુ,લાડુ વગેરેમાં અનુસ્વાર આવે કે નહીં </u></p>
<p><u>       તે જાણવાની એક કસોટી છે ! </u></p>
<p>                 આવા શબ્દોની પાછળ <strong>નો</strong> કે <strong>થી</strong> કે <strong>માં</strong> પ્રત્યય લગાડી જુઓ. એમ કરવાથી જો <strong>શબ્દમાં ફેરફાર કરવો પડે</strong>   તો  સમજી લેવું કે એના મૂળ શબ્દને છેડે અનુસ્વાર આવે. દા.ત. તાંબું,ઝીણું,બીબું આ શબ્દોની પાછળ નો,થી કે માં પ્રત્યય લગાડવાથી મૂળ શબ્દમં ફેર થશે : તાંબાને/ તાંબાથી/ ...ઝીણાને/ઝીણાથી....બીબામાં/ બીબાને/બીબાથી વગેરે</p>
<p>                પરંતુ જો સાબુ,ઝાડુ,લાડુ વગેરેને પ્રત્યય લગાડો સાબુથી/ લાડુને/ઝાડુથી વગેરે.તો આ શબ્દોમાં ફેરફાર થતો નથી સાબુનું સાબુ જ રહે છે તેથી આ બધા શબ્દોની ઉપર અંતે અનુસ્વાર નહીં આવે. આવા શબ્દોને સંખ્યા લગાડો તો પણ મૂળ શબ્દ એમનો એમ જ રહે જેમકે પાંચ ઝાડુ, બે લાડુ.</p>
<p>                <u>બીજી એક કસોટી :  શબ્દની પાછળ ઉકારાંત હોય અને </u>એને બહુવચન કરતાં જ જો ઉ નો આ થઈ જાય તો તે શબ્દને અનુસ્વાર હોય, નહીતર ન આવે. દા.ત. શાણું નું બહુવચન કરવા જાઓ તો શાણાં થઈ જશે એટલે શાણું પર અનુસ્વાર હોય પણ જેનું બહુવચન કરતાં ફેરફાર ન થાય તો અનુ. નહીં હોય જેમકે વહુનું બ.વ. વહુઓ થાય છે, વહાં નહીં !! જ્યારે પારણુંનું બ.વ. કરશો કે તરત જ પારણાં થઈ જશે !</p>
<p><strong><font color="#ff0000">કસોટી : એમની આંખમાં હર્ષનાં.....આવી ગયાં ( ખાલી જગ્યા પુરો )  શબ્દકોશમાં જોયા વિના.     </font></strong></p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[અનુસ્વાર અષ્ટકની સમજૂતી. ]]></title>
<link>http://jkishorvyas.wordpress.com/2007/04/21/anusvar-samjuti/</link>
<pubDate>Sat, 21 Apr 2007 08:08:49 +0000</pubDate>
<dc:creator>jugalkishor</dc:creator>
<guid>http://jkishorvyas.gu.wordpress.com/2007/04/21/anusvar-samjuti/</guid>
<description><![CDATA[અનુસ્વાર અષ્ટક(ની સમજૂતી   &#8211;જુગલકિશ]]></description>
<content:encoded><![CDATA[<p><strong><font color="#ff0000">અનુસ્વાર અષ્ટક</font></strong><strong><font color="#ff0000"><font color="#6000bf">(ની </font><font color="#6000bf">સમજૂતી   --જુગલકિશોર )</font>  </font></strong></p>
<p><font color="#0000ff"><strong><font color="#007f40">[છંદ : હરિગીત.]</font></strong>                         <strong><font color="#ff0000">   ---સુન્દરમ્.</font></strong> </font></p>
<p><font color="#0000ff">હું      બિંદુ   સુંદર  માત   શારદને   લલાટે    ચંદ્ર  શું,<br />
મુજને   સદા    યોજો   સમજથી, ચિત્ત  બનશે ઈંદ્ર શું.<br />
મુજ સ્થાન ક્યાં,મુજ શી ગતિ જાણી લિયો રસ પ્રેમથી,<br />
તો   સજ્જ   બનશો  જ્ઞાનથી,   સૌંદર્યથી   ને   ક્ષેમથી.      1.</font><br />
<font color="#0000ff">તો   પ્રથમ   જાણો હું  અને તુંમાં   સદા  મુજ  વાસ છે,</font></p>
<p><font color="#0000ff"><font color="#ff0000">હું, તું , શું , નું, કયું, રહ્યું, ગયું, થયું, પળ્યું, ટળ્યું વગેરેમાં</font></font></p>
<p><font color="#0000ff"><font color="#ff0000"> અનુસ્વાર આવે જ. ( હું-તું ના નિયમો અલગ છે) </font><br />
આ   જ્ઞાન   વિણ હુ-હુ   અને તુ-તુ   તણો  ઉપહાસ  છે.</font><font color="#0000ff"><br />
હું   કરુ-વાંચુ-લખુ    જો જો   એમ  લખશો  લેશ     તો,</font></p>
<p><font color="#0000ff"><font color="#ff0000"><strong><font color="#8000ff">ઉ</font></strong>કારાંત એકવચનનાં આ ક્રિયાપદોમાં અનુસ્વાર આવે જ.</font></font></p>
<p><font color="#0000ff"><font color="#ff0000"> લખુ કે કરુ એમ મીંડા વિનાનું ભૂલવાળું છે. </font><br />
મા શારદાના   રમ્ય   વદને   લાગતી    શી  મેશ  જો..      2.</font><br />
<font color="#0000ff">નરમાં   કદી નહિ,   નારીમાં   ના  એકવચને   હું  રહું,</font></p>
<p><font color="#0000ff"><font color="#ff0000">નરજાતિમાં ક્યારેય અનુ. ન આવે ! નારીજાતિમાં</font></font></p>
<p><font color="#0000ff"><font color="#ff0000"> એકવચને ન હોય.</font></font><font color="#0000ff"><font color="#ff0000"> પરંતુ <strong>નારીજાતિ બહુવચનમાં</strong></font></font></p>
<p><font color="#0000ff"><font color="#ff0000"> અનુસ્વાર અચૂક આવે, આવે ને આવે !!</font><br />
હું   કિંતુ    નારી-બહુવચનમાં    માનવંતુ   પદ    ગ્રહું.<br />
<font color="#ff0000">'બા ગયાં', 'આવ્યાં  બેન મોટાં'</font>  એમ જો ન તમે લખો,<br />
'બા ગયા',   'આવ્યા બેન મોટા'   શો પછી બનશે ડખો.        3.</font><br />
<font color="#0000ff">ને   નાન્યતરમાં   તો   ઘણી    સેવકતણી  છે  હાજરી,</font></p>
<p><font color="#0000ff"><font color="#ff0000"><strong>નાન્યતર જાતિમાં બહુવચને</strong> અનુસ્વાર વિના ન જ ચાલે !!</font></font></p>
<p><font color="#0000ff"><font color="#ff0000"> <strong>નાન્યતર નામના વિશેષણમાં</strong> પણ છેલ્લે ઉકારાન્ત હોય</font></font></p>
<p><font color="#0000ff"><font color="#ff0000"> એટલે <strong>એકવચનમાં</strong> પણ અનુસ્વાર આવશે.</font></font></p>
<p><font color="#0000ff"><font color="#ff0000">(વિશેષણના બહુવચનમાં તો એ આવે જ આવે.) </font></font></p>
<p><font color="#0000ff"><font color="#ff0000"> દા.ત. પેલું ફૂલ. ધોળું ફૂલ, નાનું ફૂલ, કેવું-વહાલું ફૂલ વગેરે.</font></font></p>
<p><font color="#0000ff"><font color="#ff0000"> <strong>બહુવચન :</strong> પેલાં-ધોળાં-નાનાં-કેવાં-વહાલાં ફૂલ ! </font><br />
લો,   મુજ વિનાના   શબ્દની   યાદી  કરી  જોજો જરી.<br />
સૌ  મુજ   વિશેષણ   એકને   બહુવચનમાં  રાખો  મને,<br />
યાચું  કૃપા   આ  ખાસ,  મારો  ભરખ  ત્યાં  ઝાઝો બને.        4.</font><br />
<font color="#0000ff">'શું  ફૂલ  પેલું શોભતું' !   જો    આવું     પ્રેમે    ઉચ્ચરો,<br />
'શાં   ફૂલ  પેલાં   શોભતાં' !  બહુવચનમાં   વાણી  કરો.<br />
મોજું    નિહાળો   એક   નીરે,   ત્યાં  પછી  મોજાં   બને,</font></p>
<p><font color="#0000ff"><font color="#ff0000">મોજું નાન્યતરજાતિ એકવચનમાં અનુસ્વાર આવે ને એના</font></font></p>
<p><font color="#0000ff"><font color="#ff0000"> બહુવચનમાં પણ આવે : મોજાં,બમણાં,તમણાં-ત્રણઘણાં વ.</font><br />
બમણાં  અને   તમણાં  પછી  અણગણ્યાં કોણ કહો ગણે ?      5.</font></p>
<p><font color="#ff0000">નીર=પાણી નાન્યતર એટલે તથા ઝાડ પણ નાન્યતર</font></p>
<p><font color="#ff0000"> એટલે અનુસ્વાર આવે. એના બહુવચને પણ સમજી લેવાનું જ.</font></p>
<p><font color="#ff0000"> નાન્યતરજાઇનાં વિશેષણોમાં ઉંચાં ઝાડ / ઠંડાં પીણાં વ.</font><br />
<font color="#0000ff">ને  બંધુ,    પીતાં   'નીર ઠંડું' ના   મને   પણ પી જતા,<br />
ને   'ઝાડ ઉંચાં'   પણ  ચડો   તો  ના  મને  ગબડાવતા.<br />
બકરા   અને   બકરાં,   ગધેડા ને   ગધેડાં    એક    ના,<br />
ગાડાં   અને    ગાંડા     મહીં  જે   ભેદ,   ભૂલો  છેક ના.  </font><font color="#0000ff">       6.</font></p>
<p><font color="#ff0000">બકરા,ગધેડા અને ગાંડા( પુરુષો જ ફક્ત !) હોય તો એને ટપકાં</font></p>
<p><font color="#ff0000"> ન લાગે કારણ કે ચાંદલો પુરુષોને ન હોય ! પણ ગાડું નાન્યતર એટલે એના બહુવચન ગાડાંને અનુ.લાગે!!આ બધા ગાંડા (પુરુષો) ને ગાડાં (વાહન) નો આટલો ફેર ! </font></p>
<p><font color="#ff0000"> નરજાતિવાળા બહુવચનમાં હોય તોય અનુસ્વાર-ચાંદલા વિનાના</font></p>
<p><font color="#ff0000">જ હોય. પણ જો એમાં સ્ત્રીઓ પણ સાથે હોય તો</font></p>
<p><font color="#ff0000"> <strong>પુરુષો અને સ્ત્રીઓ બધાં જતાં હતાં</strong> એટલે સ્ત્રીઓ (નારીજાતિ)</font></p>
<p><font color="#ff0000"> સાથે હોય તો ય ચાંદલો લાગી જાય !! </font><br />
<font color="#0000ff">ને  જ્યાં ન મારો ખપ,મને ત્યાં લઈ જતા ન કૃપા કરી,<br />
નરજાતિ    સંગે   મૂકતાં,     પગ   મૂકજો   નિત્યે  ડરી.<br />
કો   મલ્લને   એવું  કહ્યું  જો,  'ક્યાં  ગયાં'તાં    આપજી?'</font></p>
<p><font color="#0000ff"><font color="#ff0000">નરને માથે ચાંદલો કરવાની ભૂલ-- કોઈ પહેલવાનને</font></font></p>
<p><font color="#0000ff"><font color="#ff0000"> <strong>ક્યાં ગયાં હતાં ?</strong> એમ પૂછી જોજો !મુક્કો મળી જશે !</font><br />
જોજો    મળેના  તરત     મુક્કાનો    મહા    સરપાવજી.         7.</font><br />
<font color="#0000ff">તો   મિત્ર    મારી  નમ્ર  અરજી   આટલી  મનમાં  ધરો,<br />
લખતાં   અને   વદતાં    મને  ના  સ્વપ્નમાંયે વિસ્મરો.<br />
હું   રમ્ય   ગુંજન    ગુંજતું    નિત  જ્ઞાનના   પુષ્પે   ઠરું,<br />
અજ્ઞાનમાં     પણ   ડંખું-કિંતુ    એ  કથા   નહિ  હું    કરું. </font><br />
<font color="#0000ff">                         </font><font color="#007f40"> <strong>[ દોહરો ]</strong></font><br />
<font color="#0000ff">        અનુસ્વારનું આ લખ્યું સુંદર અષ્ટક આમ,<br />
        પ્રેમ  થકી પાકું ભણો, પામો સિદ્ધિ તમામ.<br />
        છાપે  છાપે  છાપજો,  પુસ્તક પુસ્તક માંહ્ય,<br />
        કંઠ કંઠ  કરજો,  થશે  શારદ  માત  સહાય.<br />
        પાકો  આનો  પાઠ  જો  કરવાને મન થાય,<br />
        સૂચન  એક સમર્પું તો, કમર કસીલો, ભાઈ !<br />
        નકલ કરો અષ્ટક તણી એકચિત્ત થઈ ખાસ,<br />
        અનુસ્વાર  એંશી લખ્યાં પૂરાં, તો બસ પાસ</font></p>
<p><font color="#0000ff"><font color="#ff0000">આ અષ્ટકમાં બધા નિયમો સ્વાભાવિક છે કે ન જ આવે.</font></font></p>
<p><font color="#0000ff"><font color="#ff0000"> તેથી હવે પછી ટુંકમાં નિયમો પણ જોઈ લઈશું. કવિતામાં</font></font></p>
<p><font color="#0000ff"><font color="#ff0000"> બધા નિયમો સમાવાયા નથી. </font>   </font></p>
<p><font color="#0000ff">                          </font></p>
<p><font color="#0000ff">                         ===000===</font></p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[અનુસ્વાર અષ્ટક ]]></title>
<link>http://jkishorvyas.wordpress.com/2007/04/20/anusvar-ashtak/</link>
<pubDate>Fri, 20 Apr 2007 02:12:25 +0000</pubDate>
<dc:creator>jugalkishor</dc:creator>
<guid>http://jkishorvyas.gu.wordpress.com/2007/04/20/anusvar-ashtak/</guid>
<description><![CDATA[[ સુંદરમ્ -- જન્મશતાબ્દીવર્ષનો આરંભ થઈ ]]></description>
<content:encoded><![CDATA[<p><font color="#ff0000">[ સુંદરમ્ -- જન્મશતાબ્દીવર્ષનો આરંભ થઈ રહ્યો છે ત્યારે આપણી ભાષાની શુદ્ધતા માટે એમની આ રચના સમયસરની ગણાશે. અભાર, ધવલભાઈ, આ અષ્ટકની યાદ અપાવવા બદલ ! ]</font></p>
<p><font color="#0000ff"><strong><font color="#007f40">[છંદ : હરિગીત.]</font></strong>                         <strong><font color="#ff0000">   ---સુન્દરમ્.</font></strong> </font></p>
<p><font color="#0000ff">હું      બિંદુ   સુંદર  માત   શારદને   લલાટે    ચંદ્ર  શું,<br />
મુજને   સદા    યોજો   સમજથી, ચિત્ત  બનશે ઈંદ્ર શું.<br />
મુજ સ્થાન ક્યાં,મુજ શી ગતિ જાણી લિયો રસ પ્રેમથી,<br />
તો   સજ્જ   બનશો  જ્ઞાનથી,   સૌંદર્યથી   ને   ક્ષેમથી.      1.</font><br />
<font color="#0000ff">તો   પ્રથમ   જાણો હું  અને તુંમાં   સદા  મુજ  વાસ છે,<br />
આ   જ્ઞાન   વિણ હુ-હુ   અને તુ-તુ   તણો  ઉપહાસ  છે.<br />
હું   કરુ-વાંચુ-લખુ    જો જો   એમ  લખશો  લેશ     તો,<br />
મા શારદાના   રમ્ય   વદને   લાગતી    શી  મેશ  જો..      2.</font><br />
<font color="#0000ff">નરમાં   કદી નહિ,   નારીમાં   ના  એકવચને   હું  રહું,<br />
હું   કિંતુ    નારી-બહુવચનમાં    માનવંતુ   પદ    ગ્રહું.<br />
'બા ગયાં', 'આવ્યાં  બેન મોટાં'  એમ જો ન તમે લખો,<br />
'બા ગયા',   'આવ્યા બેન મોટા'   શો પછી બનશે ડખો.        3.</font><br />
<font color="#0000ff">ને   નાન્યતરમાં   તો   ઘણી    સેવકતણી  છે  હાજરી,<br />
લો,   મુજ વિનાના   શબ્દની   યાદી  કરી  જોજો જરી.<br />
સૌ  મુજ   વિશેષણ   એકને   બહુવચનમાં  રાખો  મને,<br />
યાચું  કૃપા   આ  ખાસ,  મારો  ભરખ  ત્યાં  ઝાઝો બને.        4.</font><br />
<font color="#0000ff">'શું  ફૂલ  પેલું શોભતું' !   જો    આવું     પ્રેમે    ઉચ્ચરો,<br />
'શાં   ફૂલ  પેલાં   શોભતાં' !  બહુવચનમાં   વાણી  કરો.<br />
મોજું    નિહાળો   એક   નીરે,   ત્યાં  પછી  મોજાં   બને,<br />
બમણાં  અને   તમણાં  પછી  અણગણ્યાં કોણ કહો ગણે ?      5.</font><br />
<font color="#0000ff">ને  બંધુ,    પીતાં   'નીર ઠંડું' ના   મને   પણ પી જતા,<br />
ને   'ઝાડ ઉંચાં'   પણ  ચડો   તો  ના  મને  ગબડાવતા.<br />
બકરા   અને   બકરાં,   ગધેડા ને   ગધેડાં    એક    ના,<br />
ગાડાં   અને    ગાંડા     મહીં  જે   ભેદ,   ભૂલો  છેક ના.         6.</font><br />
<font color="#0000ff">ને  જ્યાં ન મારો ખપ,મને ત્યાં લઈ જતા ન કૃપા કરી,<br />
નરજાતિ    સંગે   મૂકતાં,     પગ   મૂકજો   નિત્યે  ડરી.<br />
કો   મલ્લને   એવું  કહ્યું  જો,  'ક્યાં  ગયાં'તાં    આપજી?'<br />
જોજો    મળેના  તરત     મુક્કાનો    મહા    સરપાવજી.         7.</font><br />
<font color="#0000ff">તો   મિત્ર    મારી  નમ્ર  અરજી   આટલી  મનમાં  ધરો,<br />
લખતાં   અને   વદતાં    મને  ના  સ્વપ્નમાંયે વિસ્મરો.<br />
હું   રમ્ય   ગુંજન    ગુંજતું    નિત  જ્ઞાનના   પુષ્પે   ઠરું,<br />
અજ્ઞાનમાં     પણ   ડંખું-કિંતુ    એ  કથા   નહિ  હું    કરું. </font><br />
<font color="#0000ff">                         </font><font color="#007f40"> <strong>[ દોહરો ]</strong></font><br />
<font color="#0000ff">        અનુસ્વારનું આ લખ્યું સુંદર અષ્ટક આમ,<br />
        પ્રેમ  થકી પાકું ભણો, પામો સિદ્ધિ તમામ.<br />
        છાપે  છાપે  છાપજો,  પુસ્તક પુસ્તક માંહ્ય,<br />
        કંઠ કંઠ  કરજો,  થશે  શારદ  માત  સહાય.<br />
        પાકો  આનો  પાઠ  જો  કરવાને મન થાય,<br />
        સૂચન  એક સમર્પું તો, કમર કસીલો, ભાઈ !<br />
        નકલ કરો અષ્ટક તણી એકચિત્ત થઈ ખાસ,<br />
        અનુસ્વાર  એંશી લખ્યાં પૂરાં, તો બસ પાસ.   </font></p>
<p><font color="#0000ff">                          </font></p>
<p><font color="#0000ff">                         ===000===</font></p>
]]></content:encoded>
</item>

</channel>
</rss>
