<?xml version="1.0" encoding="UTF-8"?><!-- generator="wordpress.com" -->
<rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	>

<channel>
	<title>લંડન &amp;laquo; WordPress.com Tag Feed</title>
	<link>http://wordpress.com/tag/લંડન/</link>
	<description>Feed of posts on WordPress.com tagged "લંડન"</description>
	<pubDate>Wed, 23 Jul 2008 07:12:37 +0000</pubDate>

	<generator>http://wordpress.com/tags/</generator>
	<language>en</language>

<item>
<title><![CDATA[અનામિકાને પત્ર: 31]]></title>
<link>http://gujarat2.wordpress.com/2007/10/24/anamika31/</link>
<pubDate>Wed, 24 Oct 2007 04:10:29 +0000</pubDate>
<dc:creator>હરીશ દવે</dc:creator>
<guid>http://gujarat2.wordpress.com/2007/10/24/anamika31/</guid>
<description><![CDATA[.
પ્રિય અનામિકા,

ગુર્જિયેફ (ગુર્જિફ અથ]]></description>
<content:encoded><![CDATA[<p>.</p>
<p><span STYLE="font-family: Shruti">પ્રિય અનામિકા,</span></p>
<p><span STYLE="font-family: Shruti"></span></p>
<p><span STYLE="font-family: Shruti"></span><span STYLE="font-family: Shruti"><strong><a TARGET="_blank" HREF="http://gujarat2.wordpress.com/2007/08/19/anamika24/">ગુર્જિયેફ</a></strong> (ગુર્જિફ અથવા ગુર્જેફ) વિષેનો મારો પત્ર ફળદાયી નીવડ્યો! ખુશી થઈ. ગુર્જિયેફનો સંબંધ <strong>કેથેરાઇન મેન્સફિલ્ડ</strong> સુધી જોડનાર તે ફ્રેંચ મિત્રને મારાં અભિનંદન કહેજે. </span></p>
<p><span STYLE="font-family: Shruti"></span><span STYLE="font-family: Shruti">કેથેરાઇન મેન્સફિલ્ડ મેં વાંચેલ </span><span STYLE="font-family: Shruti">કદાચ</span><span STYLE="font-family: Shruti"> એક માત્ર <strong>ન્યૂઝીલેંડ</strong>નાં લેખિકા છે. કેથેરાઇન મેન્સફિલ્ડની ટૂંકી વાર્તાઓ- શોર્ટ સ્ટોરીઝ ભલે સંવેદનાસભર ગણાય, પણ મને તેમની ડાયરી </span><span STYLE="font-family: Shruti">–</span><span STYLE="font-family: Shruti"> જર્નલ વધારે સ્પર્શી ગઈ છે. </span></p>
<p><span STYLE="font-family: Shruti"><strong>કેથેરાઇન મેન્સફિલ્ડ</strong> ન્યૂઝીલેંડના વતની. </span></p>
<p><span STYLE="font-family: Shruti"><span STYLE="font-family: Shruti">અનામિકા! </span>ન્યૂઝીલેંડની રાજધાની વેલિંગ્ટન શહેર એક બંદર છે. </span></p>
<p><span STYLE="font-family: Shruti">ઈ.સ. 1888માં દરિયાકાંઠાના આ શહેર વેલિંગ્ટનના એક શ્રીમંત વેપારીને ત્યાં કેથેરાઇન મેન્સફિલ્ડનો જન્મ. </span></p>
<p><span STYLE="font-family: Shruti">બાળપણથી કેથેરાઇન સુસ્ત,  નિરુત્સાહી અને ઓછાબોલા. અતડા જ કહેવાય તેવા એકાકી. સમુદ્રના અફાટ જળરાશિ પર વિસ્તરતા આકાશને જોઈ રહે. સમુદ્રકાંઠે ટેકરીઓ અને ઝાડપાનથી સર્જાતા આકારોમાં કલ્પનાના રંગો ભરે. </span></p>
<p><span STYLE="font-family: Shruti">અનામિકા! </span><span STYLE="font-family: Shruti">કેથેરાઇન</span><span STYLE="font-family: Shruti">ના અંતર્મુખી સ્વભાવે તેમને પુસ્તકો પ્રતિ દોર્યા. વાચનથી તેમના સ્વભાવમાં ઑર ગંભીરતા આવી. ચૌદ વર્ષની ઉંમરે <span> </span></span><span STYLE="font-family: Shruti">કેથેરાઇન</span><span STYLE="font-family: Shruti"> અભ્યાસાર્થે <strong>લંડન (ઇંગ્લેન્ડ)</strong> આવ્યાં. લંડનની <strong>ક્વીન્સ કોલેજ</strong>માં કેથેરાઇનના વ્યક્તિત્વ અને વિચારશક્તિ પાંગરી ઊઠ્યાં. તેમની લેખન શક્તિ ખીલવા લાગી. </span></p>
<p><span STYLE="font-family: Shruti">અભ્યાસ પૂરો થતાં ન્યૂઝીલેંડ પરત ફરેલ યૌવનાનું મન હવે </span><span STYLE="font-family: Shruti">વેલિંગ્ટન</span><span STYLE="font-family: Shruti">ના બંધનોમાં ક્યાંથી લાગે? </span><span STYLE="font-family: Shruti">કેથેરાઇન</span><span STYLE="font-family: Shruti"> ફરી લંડન પહોંચ્યાં. યુવાન અને સૌંદર્યવાન કેથેરાઇન યુવાનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં.<span> </span>ક્યાં ન્યૂઝીલેંડના વેલિંગ્ટનનું બંધિયાર સામાજિક જીવન અને ક્યાં લંડનની ઉન્મુક્ત સ્વચ્છંદતા!</span></p>
<p><span STYLE="font-family: Shruti">અનામિકા! તું સમજી શકીશ, કે પછી ન બનવા જેવું બધું જ બનતું ગયું. આર્નોલ્ડ ટ્રોવેલ લંડનનો એક સંગીતશોખીન વાયોલિનવાદક. આર્નોલ્ડના પ્રેમમાં પડેલ કેથેરાઈન જોતજોતામાં તેના ભાઈ ગાર્નેટ પાછળ ઘેલાં બન્યાં. ગાર્નેટથી ગર્ભવતી બનેલ કેથેરાઈનને પ્રેમસંબંધોએ તરછોડી દીધી. હવે સહારો શોધી રહેલ પ્રેમભૂખી યૌવનાએ જ્યોર્જ બોડેન નામક અજાણ્યા સાથે લગ્ન કર્યાં; એક જ દિવસમાં બંને જુદાં થયાં! શરીરે અને મનથી ભાંગી પડેલ કેથેરાઇનને ગર્ભપાત થયો; ઉન્મુક્ત સ્વચ્છંદી વ્યવહારને પરિણામે શરીરને ભયાનક રોગે ગ્રસી લીધું. </span></p>
<p><span STYLE="font-family: Shruti">ચોમેર હતાશાથી ઘેરાયેલા કેથેરાઇનના જીવનમાં <strong>જહોન મરી</strong> નામક પ્રેમાળ યુવાન નવી આશા લઈ આવ્યો. કેથેરાઇનનાં જહોન સાથેનાં લગ્ન મૃત્યુ પર્યંત ટક્યાં. અનામિકા! દુ:ખદ વાત એ કે લગ્ન પછી યે તેમના જીવનમાં કડવાશ અને વેદના તો રહ્યાં જ. 1917માં કેથેરાઇનને ટ્યુબરક્યુલોસિસ (ટી.બી.) થયો </span></p>
<p><span STYLE="font-family: Shruti">તેમણે <strong>ફ્રાન્સ</strong>માં નિવાસ કર્યો. છ વર્ષ સુધી ટી.બી.ના અસાધ્ય રોગ સામે કેથેરાઇન જંગ ખેલતાં રહ્યાં. </span></p>
<p><span STYLE="font-family: Shruti">આખરી દિવસોમાં કેથેરાઇન <strong>ગુર્જિયેફ (ગુર્જિફ અથવા ગુર્જેફ)</strong> ના શરણમાં પેરિસના નવસ્થાપિત ઇન્સ્ટીટ્યુટ પહોંચ્યાં. </span></p>
<p><span STYLE="font-family: Shruti"><strong>ફ્રાંસના પેરિસ નજીક ફોન્ટેન્બ્લુ-એવન </strong></span><strong><span STYLE="font-family: Shruti">(</span><span STYLE="font-family: Shruti">ફોન્ટે</span><span STYLE="font-family: Shruti">ન્બ્લો</span><span STYLE="font-family: Shruti">-એવન, પેરિસ</span><span STYLE="font-family: Shruti">) </span><span STYLE="font-family: Shruti">ખાતે ગુર્જિયેફ (ગુર્જિફ અથવા ગુર્જેફ) દ્વારા </span><span><font FACE="Times New Roman">“</font></span><span STYLE="font-family: Shruti">ઈંસ્ટીટ્યુટ ફોર ધ હાર્મોનિયસ ડેવલપમેંટ ઓફ મેન</span><span><font FACE="Times New Roman">”</font></span><span STYLE="font-family: Shruti"> </span></strong><span STYLE="font-family: Shruti"><strong>ની સ્થાપના કરવામાં આવી હતી.</strong> પરંતુ જીવનસત્વ ગુમાવી બેઠેલ કેથેરાઇન માટે કોઈ ઉપચાર કારગત ન હતો. રક્તસ્રાવ </span><span STYLE="font-family: Shruti">–</span><span STYLE="font-family: Shruti"> હેમરેજ-<span>  </span>થયા પછી કેથેરાઇન મેન્સફિલ્ડનું અવસાન થયું. </span></p>
<p><span STYLE="font-family: Shruti"><strong>અનામિકા! માત્ર ચોત્રીસ વર્ષની ઉંમરે 1923ના જાન્યુઆરીની 9મી તારીખે ન્યૂઝીલેંડના અંગ્રેજી ભાષાના આ મહાન લેખિકા કેથેરાઇન મેન્સફિલ્ડ દુનિયા છોડી ગયાં.</strong> </span></p>
<p><span STYLE="font-family: Shruti">તેમના મૃત્યુ પછી તેમના પતિ જહોન મરીએ તેમની ડાયરીઓ વ્યવસ્થિત કરી. 1927માં </span><strong><span><font FACE="Times New Roman">“</font></span><span STYLE="font-family: Shruti">ધ જર્નલ ઓફ કેથેરાઇન મેન્સફિલ્ડ</span><span><font FACE="Times New Roman">”</font></span></strong><span STYLE="font-family: Shruti"> પુસ્તક પ્રગટ થયું. </span></p>
<p><span STYLE="font-family: Shruti">ન્યુઝીલેંડનાં ગૌરવ સમાન મહાન લેખિકા કેથેરાઇન મેન્સફિલ્ડની સ્મૃતિમાં તે દેશનાં સાહિત્યજગતમાં બે ઉચ્ચ પારિતોષિકો પ્રતિવર્ષ આપવામાં આવે છે. </span></p>
<p><span STYLE="font-family: Shruti">અનામિકા! છે ને હૃદયના તાર ઝણઝણાવે તેવી દર્દભરી કહાણી? સસ્નેહ આશીર્વાદ.</span></p>
<p><span STYLE="font-family: Shruti">*   *    **    *   **</span></p>
<p><span STYLE="font-family: Shruti"></span><span STYLE="font-family: Shruti"></span><span>Katherine Mansfield (1888 – 1923)<span>  </span></span></p>
<p><span><span></span>Wellington, New Zealand<span>   </span></span></p>
<p><span><span></span>John Murry<span>   </span></span></p>
<p><span><span></span>Gurdjieff<span>  </span><span> </span></span></p>
<p><span><span></span>Institute for the Harmonious Development of Man<span>   </span></span></p>
<p><span><span></span>Fontainebleau-Avon, Paris, France</span></p>
<p><span>.</span></p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[રમણભાઈ મહીપતરામ નીલકંઠ (રમણલાલ નીલકંઠ) ]]></title>
<link>http://gujarat1.wordpress.com/2006/09/24/r_nilakanth/</link>
<pubDate>Sun, 24 Sep 2006 03:34:38 +0000</pubDate>
<dc:creator>હરીશ દવે</dc:creator>
<guid>http://gujarat1.wordpress.com/2006/09/24/r_nilakanth/</guid>
<description><![CDATA[.
નીલકંઠ કુટુંબને ગુજરાતમાં સૌ કોઈ ઓળખ]]></description>
<content:encoded><![CDATA[<p>.</p>
<p>નીલકંઠ કુટુંબને ગુજરાતમાં સૌ કોઈ ઓળખે. <strong>રમણભાઈ નીલકંઠ</strong> જાણીતા સાક્ષર. તેમના પિતા મહીપતરામ લેખક અને સમાજસુધારક. રમણભાઈ નીલકંઠના પત્ની <strong><a HREF="http://sureshbjani.wordpress.com/2006/08/31/vidyagauri_nilakantha">વિદ્યાગૌરી નીલકંઠ</a></strong> ગુજરાતના પ્રથમ સ્ત્રી-સ્નાતક. તેમનાં પુત્રી <strong>વિનોદિનીબહેન નીલકંઠ</strong> ગુજરાતના પ્રસિદ્ધ સ્ત્રી-લેખિકા તથા સમાજસેવિકા.</p>
<p>સાક્ષર <strong>રમણલાલ નીલકંઠ</strong>ના પિતાનું નામ  <strong>મહીપતરામ રૂપરામ નીલકંઠ. </strong></p>
<p>સમાજસુધારાના વિચારોનો વારસો રમણભાઈને પિતા તરફથી મળેલો.</p>
<p><strong>મહીપતરામ નીલકંઠ</strong> ઈ. સ. 1860માં <strong>ઈંગ્લેંડ</strong> ગયેલા. તે જમાનામાં દરિયો ઓળંગવો નિષેધ ગણાતો. વિદેશ જનારને જ્ઞાતિ તરછોડતી; તેનો સામાજિક બહિષ્કાર કરવામાં આવતો. એક વર્ષ માટે ઈંગ્લેંડ ગયેલા મહીપતરામને સમાજ તથા જ્ઞાતિએ ભારે હેરાન કર્યા હતા  તેમના કુટુંબને સમાજે બહિષ્કૃત કરેલું હતું. <strong>સુરત</strong>નું  વતની નીલકંઠ  કુટુંબ પાછળથી <strong>અમદાવાદ</strong>માં સ્થાયી  થયું  હતું.</p>
<p><strong>મુંબઈ</strong>થી 35 દિવસના દરિયાઈ પ્રવાસ પછી મહીપતરામ <strong>ઈંગ્લેંડ </strong>પહોંચેલા. મહીપતરામે પોતાના <strong>ઈંગ્લેંડ પ્રવાસ</strong>નું વર્ણન એક પુસ્તકમાં કરેલું છે.</p>
<p>આપણી <strong>ગુજરાતી ભાષાનું પ્રવાસવર્ણનનું તે પ્રથમ પુસ્તક.</strong> તે સમયની (1860) ભાષા અને સમાજની પરિસ્થિતિનો અભ્યાસ કરવામાં આ પુસ્તક ખૂબ ઉપયોગી છે. તે પુસ્તકના કેટલાક મઝાના અંશ – લેખકની મૂળ ભાષામાં જ- આપ સમક્ષ રાખું છું:</p>
<p>“અમારી આગબોટનું નામ ઑટવા હતું. ...  <strong>વિલાયતી </strong>વહાણના નોકરો ઉતારૂઓના સુખની સંભાળ લેવામાં કાંઈ મણા રાખતા નથી ... ઉતારૂઓની ચાકરી કરવાને નોકરો રાખેલા હોય છે ...તેમને ખાવાને દૂધ જોઈએ માટે દૂઝણી ગાયો રાખે છે. દહાડામાં ચાર વાર જમવાનું થાય છે ....અંગ્રેજ લોકો પોતાને ઘેર જેવું ખાય છે તેવુંજ અહીં પણ તેમને નિત્ય ઉનું અને તાજું મળે છે. આપણા લોકને એમનું ખપે નહીં માટે મેં મારું ખાવાનું તથા પાણી જુદાં લીધાં હતાં .... મેં મારે સારૂ એક અલાયદી ઓરડી લીધી હતી."</p>
<p>(<strong>નોંધ: મહીપતરામે પોતાની સાથે એક બ્રાહ્મણ રસોઈયો લીધો હતો. બન્ને માટે એક અલગ  કેબિન રાખેલી. તેમના પત્નીએ મહિનો ચાલે તેટલા ખોરાકપાણીની વ્યવસ્થા કરી આપેલી.</strong>) ....</p>
<p><strong> ઈંગ્લેંડ</strong> જતા રસ્તામા <strong>એડન</strong> તથા <strong>ઈજિપ્તની રાજધાની</strong> <strong>કેરો</strong>ની ઊડતી મુલાકાત:</p>
<p>”બુધવારે 4 એપ્રિલની સવારે અમે એડન પહોંચ્યા ... અમારા ઘણાક ગૃહસ્થો ગામ જોવા ગયા..કોઈ ગધેડાની સ્વારી કરી, કોઈ ખચ્ચરે ચઢ્યા.. ( લેખકે નોંધ્યું છે કે <strong>એડન</strong> તથા <strong>કેરો </strong>જેવા શહેરોમાં મોટા લોક પણ સવારી કરવા ગધેડાં પાળે છે...)</p>
<p>”રાતના બાર કલાકે અમે <strong>કેરો શહેર</strong>માં પહોંચ્યા. મારા ઓળખીતાઓ એક હોટેલમાં ગયા ત્યાં હું પણ તેમની સાથે ગયો. મુસાફરોને ઉતરવાને વાસ્તે જે ઘરો છે તેને હોટેલ કહે છે. તેની જોડે સરખાવતાં આપણી ધર્મશાળાઓ કેવળ જંગલી દીસે છે. સુખી લોકોનાં ઘરોમાં જેવો વગ અને સુખનાં સાધનો હોય છે તેવાંજ અહીં છે; ન્હાવાનું, સુવાની પથારી વગેરે જે જોઈએ તે આપે છે. ....”</p>
<p><strong>30 એપ્રિલ, 1860</strong> ના રોજ મહીપતરામ નીલકંઠ <strong>લંડન </strong>પહોંચ્યા ...</p>
<p>”<strong>લંડન</strong>માં હું વધારે ફર્યો .... છાકટા આદમી ઘણા દીઠામાં આવે છે અને ચીંથરીઆ અને ગંદા જંગલી છોકરા આપણી પાછળ બૂમો પાડતા દોડે છે. લંડનમાં ચોર તથા લુચ્ચા માણસો તથા અનીતિમાન બાઈડીઓ ઘણી છે..... મોટા બજારોની દુકાનો તથા ઈમારતો બહુ સોહામણી છે. ...  માલ વેચવાને ખૂબસુરત અને મીઠી બોલીની બૈરીઓ તથા માટીડા (ભાયડા) રાખ્યા હોય છે, અને તેમને ફાંકડા પોશાક પેહેરાવે છે .... ”</p>
<p>“<strong>લંડન</strong>ના મોટા રસ્તાઓમાં ગાડીઓની ઘણી ભીડ થાય છે ... ‘આમની બસ’ કરીને મોટી ગાડી હોય છે. ... ...તેમાં વીશ થી ચોવીશ માણસો માય છે .. ગાડીઓને બે કે વધારે ઘોડા જોડે છે. તે ઘોડા ઘણા જ કદાવર અને જોરાવર હોય છે....”</p>
<p>”એ લોકોના ઘર માંહેની હાલત જોતાં જ આપણા કરતાં તેઓ કેટલું વધારે સુખ ભોગવે છે તે જણાઈ આવે છે .... બેસવાના, સુવાના, લુગડાં પહેરવાના અને જમવા બેસવાના ઓરડા જુદા જુદા હોય છે ... જમવાની રીત ઘણી ભભકદાર છે. ટેબલ ઉપર સાફ ધોળું કપડું પાથરી તે ઉપર સુંદર ચીનાઈ રકાબીઓમાં ભાણું પીરસે છે. .... બાયડી ભાયડા જોડે બેસીને જમે છે ....”</p>
<p><strong>ઈંગ્લેંડના મહારાણી વિક્ટોરિયા</strong>ની <strong>લંડનના હાઈડ પાર્ક</strong>માં જાહેર સભા:</p>
<p>“<strong>તા. 23 જુન 1860</strong>ને શનિવારના રોજ બાર ઉપર ચાર કલાકે <strong>લંડનના હાઈડ પાર્ક </strong>નામે મોટા બાગમાં જે દેખાવ મેં જોયો તે કદી ભૂલનાર નથી ..... ફ્રાંસની ફોજ ઈંગ્લેંડ ઉપર ચઢાઈ કરશે તેવું કેટલાંક મહિના થયા ઘણાક લોક અહીં ધારે છે. થોડા મહિના ઉપર મહારાણીજીએ એક જાહેરનામું કર્યું હતું કે રૈયતે પોતેજ પોતાના ખરચથી એક વોલંટીઅર ફોજ ઊભી કરવી જોઈએ .... એ ઉપરથી અમીરો, જાગીરદારો, વેપારીઓ, દુકાનદારો, કારીગરો વગેરે હજારો માણસો પોતાને ખરચે લશ્કરી પોશાક વગેરે ખરીદ કરી ગામે ગામ અને ચકલે ચકલે પલટણો બાંધી તે માંહે સામીલ થયા. ... ”</p>
<p>“સરકારી નોકરો ત્યાં બીજા લોકોને દબાવી શકતા નથી. કોઈની આગળ કે પાછળ સિપાઈ ચાલતા નથી. .... મોટા વજીરોને બારણે પણ સરકારી સિપાઈને બેસાડતા નથી. મોટા મોટા શેઠ શાહુકારો તથા સરકારી અમલદારો એકલા ચાલી જતા જોવામાં આવે છે ... મોટા લશ્કરી અમલદારો, અમીરો અને રાજવંશીઓ પણ ઘણી જ સાદાઈ રાખે છે.”</p>
<p><strong>આભાર: </strong>ગુજરાત સાહિત્ય અકાદમી પ્રકાશિત “ઈંગ્લાંડની મુસાફરીનું વર્ણન”.<br />
આપ સૌને આ પુસ્તક વાંચવા મારી ખાસ ભલામણ છે.</p>
]]></content:encoded>
</item>

</channel>
</rss>
