<?xml version="1.0" encoding="UTF-8"?><!-- generator="wordpress.com" -->
<rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	>

<channel>
	<title>વડોદરા &amp;laquo; WordPress.com Tag Feed</title>
	<link>http://wordpress.com/tag/વડોદરા/</link>
	<description>Feed of posts on WordPress.com tagged "વડોદરા"</description>
	<pubDate>Tue, 07 Oct 2008 12:53:15 +0000</pubDate>

	<generator>http://wordpress.com/tags/</generator>
	<language>en</language>

<item>
<title><![CDATA[વડોદરા આજકાલ]]></title>
<link>http://adhyaru.wordpress.com/?p=454</link>
<pubDate>Tue, 15 Jul 2008 00:59:32 +0000</pubDate>
<dc:creator>જીગ્નેશ અધ્યારૂ</dc:creator>
<guid>http://adhyaru.gu.wordpress.com/2008/07/15/vadodara-recent-happenings/</guid>
<description><![CDATA[રવિવાર અને સોમવારે વડોદરામાં ઘણા વખત ]]></description>
<content:encoded><![CDATA[<p style="text-align:justify;">રવિવાર અને સોમવારે વડોદરામાં ઘણા વખત પછી કાંઈ પણ કારણ વગર પરિભ્રમણ કર્યું. ખૂબ જ મજા પડી. આઈનોક્સમાં જોયું જાને તું યા જાને ના .... અને એ મને ખૂબજ ગમ્યુ. અમારૂ પણ કોલેજ માં એક ગ્રૃપ હતુ, ભલે આવુ નહીં પણ તો ય, અને બીજી વાત ગમી નવા નિશાળીયાઓની એક્ટીંગની ... બધાની એક્ટિંગ સરસ છે. ઈમરાન ક્યૂટ લાગે છે તો જેનીલીયા સુંદર .. સ્ટોરી સારી છે અને વચ્ચે વચ્ચે કોમીક સીન્સ મૂકી ફિલ્મને સુંદર બનાવી છે. બધા મિત્રો કહેતા હતા કે લવસ્ટોરી ૨૦૫૦ ઠીક છે પણ આ સારૂ છે ....</p>
<p style="text-align:justify;">આ પહેલાની વડોદરા આજકાલ વાળી પોસ્ટમાં બુક્સ વિષે હરસુખભાઈ એ મને <a href="http://www.landmarkonthenet.com/index.aspx" target="_blank">લેન્ડમાર્ક નો બુકસ્ટોર</a> સૂચવ્યો હતો, તો મૂવી પૂરી કરી ત્યાં ગયો. અત્યંત પ્રભાવશાળી કલેક્શન્સ. પણ એક વાત ખૂંચી કે જેટલી ચીવટથી અંગ્રેજી પુસ્તકો ગોઠવીને રાખ્યા છે એટલી કાળજી ગુજરાતી પુસ્તકોની નથી લેવાઈ. ગુજરાતી પુસ્તકોને ચાર પાંચ વિભાગો માં વહેંચી બે લાઈનમાં અલગ અલગ કબાટોમાં મૂક્યા છે.  પણ કેટલાક સારા ગુજરાતી પુસ્તકો ત્યાં ઉપલબ્ધ છે ... એટલે આપણે તો ગાયને ચારો મળ્યા જેવુ થયું ... સાત પુસ્તકો ખરીદ્યા. .... ગ્રાઊન્ડફ્લોર પર સીડીઝ અને ડીવીડીનું કલેક્શન પણ જબરદસ્ત છે, એટલે ત્યાં પણ કાર્ડ બરાબર ઘસ્યુ ...</p>
<p style="text-align:justify;">વડોદરા સેન્ટ્રલ, જે ગેંડા સર્કલથી રેસકોર્સ વાળા રોડ પર આવે છે તેની સામે તૈયાર થાય છે સેન્ટ્રલ સ્ક્વેર, જ્યાં ઘણી બ્રાન્ડસની એસેસરીઝ, ફર્નીચર, ઈલેક્ટ્રોનીક આઈટમ્સનો શો રૂમ વગેરે બની રહ્યા છે. સારૂ છે ... આ એરીયા બીજો અલકાપુરી થઈ રહ્યો છે.</p>
<p style="text-align:justify;">તો સંગમ ચાર રસ્તા પર અચાનક ક્યાંકથી ત્રણ ટ્રાફીક પોલીસ અંકલોએ દેખા દીધી, અને ઉભો રાખી ને કહે લાઈસન્સ અને પી યુ સી આપો, મારી પાસે પી યુ સી ન હતુ તો કહે પચાસ રૂપીયા દંડ ભરો. હું વોલેટમાં થી પૈસા કાઢતો હતો ત્યાં તો બીજા એક બાઈક વાળાને રોક્યો ... તો તે કહે આ બાઈકને દડ ન લાગે ... પોલીસે નંબર જોઈને જવા દીધો ... મેં પૂછ્યું તો કહે નવુ બાઈક છે એને એક વર્ષ નથી થયુ, પણ મને ખબર પડી કે તેમાં પાછળ નંબર પ્લેટ પર ભૂરા અને લાલ રંગના રંગરોગાન થયેલા હતા અને લાલ અક્ષરે P લખ્યુ હતુ. તેની સીરીઝ MM (2000) અને મારી BG (2004) તોય મારી પાસે પચાસ ઉઘરાવ્યા.</p>
<p style="text-align:justify;">રાત્રે ઘરે થી બસ સ્ટેન્ડ જવા નીકળ્યો તો એક અંકલ કાર લઈને નીકળ્યા હતા તેમણે સંગમ સુધી લીફ્ટ આપી, ત્યાં જેવો કાર માં થી ઉતર્યો કે <a href="http://www.vtcos.com/home/baroda_routes_temp.php" target="_blank">વીટકોસ</a>ની બસ મળી ગઈ અને ફક્ત ચાર રૂપીયામાં શટલ રીક્ષા થી વહેલો સ્ટેશન પહોંચાડ્યો....</p>
<p style="text-align:justify;">વડોદરાની દરેક મુલાકાત મજા કરાવે છે કે પછી આટલા વર્ષ વડોદરામાં રહ્યાને લીધે તેની સાથે માયા બંધાઈ ગઈ છે ... તેની નાની વાત પણ આકર્ષે છે ... અને એટલે જ મને વડોદરા ખૂબ ગમે છે.</p>
<p style="text-align:justify;">Read full series connected to Vadodara - <a href="http://gu.wordpress.com/tag/vadodara/" target="_blank">Click here</a></p>
<p style="text-align:justify;"> </p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[વૃદ્ધોની સેકન્ડ ઈનીંગ્સ - વડોદરા ન્યૂઝમાં છે...]]></title>
<link>http://adhyaru.wordpress.com/?p=444</link>
<pubDate>Thu, 03 Jul 2008 18:31:40 +0000</pubDate>
<dc:creator>જીગ્નેશ અધ્યારૂ</dc:creator>
<guid>http://adhyaru.gu.wordpress.com/2008/07/04/vadodara-is-in-news-these-days/</guid>
<description><![CDATA[વડોદરા આજકાલ સમાચારોમાં ચમકતુ રહે છે. ]]></description>
<content:encoded><![CDATA[<p style="text-align:justify;">વડોદરા આજકાલ સમાચારોમાં ચમકતુ રહે છે. આમ તો અહીંની આબોહવા જ એવી છે કે તમે મસ્ત બની જાઓ. વડોદરા વિષે લખતા મને ડર લાગે છે કારણકે એક વાર ત્યાં વિષે લખવાનું શરૂ કર્યું તો કોઈ અંત નહીં આવે અને એક બ્લોગ તેના માટે જ શરૂ કરવો પડે.......આજે તમને આપવા માટે મારી પાસે મહત્વની જાણકારી છે...</p>
<p style="text-align:justify;">મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સુંદર વાતાવરણમાં ઘણા નવા અને જરૂરી પ્રયોગો અને શંશોધનો થતા રહે છે. પણ આ એક એવા સમાચાર છે કે જે ખરેખર વખાણવા લાયક છે. આ સમાચાર છે વૃધ્ધો માટેના. સીનીયર સિટીઝનના રૂપકડા નામ હેઠળ જેમની તકલીફો અને મુશ્કેલીઓની અવગણના થાય છે.... ત્યારે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ ફેમીલી એન્ડ કોમ્યુનીટી સાયસન્સીસના એક્સટેન્શન એન્ડ કોમ્યુનીકેશન વિભાગમાં અભ્યાસ કરતી શિવાની મહેતા નામની વિધાર્થીનીને તેના પ્રોફેસર ડો. અવની મણીયારે એક અનોખો વિષય સૂચવ્યો, ડો. અવની મણીયારે સિનીયર સિટીઝન એન્ડ ટેલિવીઝન વિષય ઉપર પીએચડી કર્યુ છે. તેમણે સેંકડો વૃદ્ધોના ઈન્ટરવ્યુ કર્યા, ઘણા પ્રશ્નોના જવાબ મેળવ્યા અને એ જવાબોના આધારે કેટલાક આંખો ખોલીદે તેવા તારણો મળ્યા.</p>
<p style="text-align:justify;">લગભગ ત્રેવીસ વર્ષની વયે નોકરી કરવાનું ચાલુ કરી અને અઠ્ઠાવન વર્ષની ઉંમર સુધી સતત નોકરી કરીએ, આખો દિવસ વ્યસ્ત, કામ, સહકર્મચારીઓ, ઓફીસ નું વાતાવરણ, મિત્રો, દર મહીને પગાર અને માન મરતબો, આ બધુ એક દિવસ રીટાયરમેન્ટના કારણે (ફક્ત ઉંમરના ડીસ ક્વોલિફિકેશન ના લીધે) પૂરૂં થઈ જાય અને ઘરે બેસી પૌત્રો સાચવવા, ટીવી જોવું અને જો છોકરાઓ એમ કહે કે હવે તમારા ભગવાન નું નામ સ્મરણ કરવાના દિવસો છે તો તેમ કરવું....આ એડજસ્ટમેન્ટ કેટલું ઈઝી કે ટફ છે...?? આ બ્લોગના સીનીયર સિટીઝન વાચકો જ કહી શકે....હાલનો સમાજ સિનીયર સિટીઝન્સને નિગલેક્ટ કરી રહ્યો છે. જે વૃદ્ધો કામ કરવા ઈચ્છતા હોય તેઓને પાસેથી સમાજ હવે કામ લેવાનુ બંધ કરી રહ્યો છે. જેથી નિવૃત્ત થયેલા કેટલાય લોકોને લાગે છે કે, હવે તેઓ કોઈ કામના રહ્યા નથી. સમાજના આ પ્રકારના અળખામણા અને વિરોધાભાસી વલણ સામે ઝઝૂમી રહેલા વૃદ્ધો માટે શિવાની મહેતાએ શરૂ કરી વેબસાઈટ સેકન્ડ ઈનીંગ્સ.....<a href="http://www.jobsforelderly.org/" target="_blank">http://www.jobsforelderly.org/</a></p>
<p style="text-align:justify;">જ્યાં સુધી શરીર ચાલે ત્યાં સુધી કાર્યરત રહેવાની વૃદ્ધોની ઈચ્છાને નિવૃત્તીના નામે ડામી છે. પરંતુ, તેમના અનુભવો અને ક્ષમતા માં થી સમાજે ઘણું શીખવા અને સમજવા મળી શકે છે...સમાજે પોતાનુ વલણ બદલવુ પડશે. કારણે કે, હવે તેમની પાસે કામ મેળવવાના વિકલ્પ છે.</p>
<p>અધ્યારૂ નું જગત તરફથી હું જીગ્નેશ અધ્યારૂ, શિવાની મહેતા અને તેમના પ્રો. ડો. અવની મણીયારને તેમના આ ભગીરથ પ્રયત્ન બદલ અભિનંદન આપું છું અને તેમના આ પ્રયાસની સફળતાની કામના ..... કીપ ઈટ અપ...</p>
<p>- જીગ્નેશ અધ્યારૂ</p>
<p>-----------------------------------</p>
<p>શું તમે આ પોસ્ટ માણી હતી? .... મારી રચનાઓ.....<a rel="bookmark" href="http://adhyaru.wordpress.com/2007/05/26/my-own-poem-01/"><span style="color:#b54141;">જીગ્નૅશ અધ્યારુ - મારી કવિતા અનૅ ગઝલ …….</span></a> બ્લોગ બનાવ્યાની શરૂઆતના દિવસોમાં આ લખી હતી એટલે જોડણીની અસંખ્ય ભૂલો છે.....</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[વડોદરા મ્યૂઝીયમ  ગુજરાતનું અમૂલ્ય ઘરેણું]]></title>
<link>http://adhyaru.wordpress.com/?p=363</link>
<pubDate>Mon, 02 Jun 2008 19:01:47 +0000</pubDate>
<dc:creator>જીગ્નેશ અધ્યારૂ</dc:creator>
<guid>http://adhyaru.gu.wordpress.com/2008/06/03/baroda-museum/</guid>
<description><![CDATA[
એક મિત્રને મળવા માટે રવિવારે કમાટીબા]]></description>
<content:encoded><![CDATA[<p><a href="http://adhyaru.files.wordpress.com/2008/06/dsc06676.jpg"></a></p>
<p style="text-align:justify;"><a href="http://adhyaru.files.wordpress.com/2008/06/dsc06692.jpg"></a><img class="alignleft alignnone size-medium wp-image-364" style="float:left;" src="http://adhyaru.wordpress.com/files/2008/06/dsc06663.jpg?w=300" alt="http://adhyaru.wordpress.com" width="300" height="199" />એક મિત્રને મળવા માટે રવિવારે કમાટીબાગના ગેટ પર ઉભો હતો, મિત્રનો ફોન આવ્યો કે તેને હજી કલાકેક ની વાર લાગશે, તો થયુ ચાલ અંદર બગીચામાં આંટો મારૂં, ટહેલતા ટહેલતા મ્યૂઝીયમ પહોંચ્યો. અને મને મારી શાળાના દિવસો યાદ આવી ગયા જ્યારે અમે હારબંધ મ્યૂઝીયમમાં ગયા હતા,</p>
<p style="text-align:justify;">વહેલના હાડપીંજર સિવાય ભાગ્યેજ અમને કાંઈ ખબર પડી હશે.....જે અહીં નું સૌથી મોટુ આકર્ષણ છે, ૧૯૪૪ માં વડોદરાની દક્ષિણે મહી નદી માં ૭૧.૨ ફૂટ લાંબુ વહેલનુ બચ્ચુ ફસાઈને મૃત્યુ પામ્યુ હતું. ૧૨૫ ટન વજનના આ વહેલના બચ્ચાનું હાડપીંજર અહીં માવજત થી રખાયુ છે, ઘણા લોકો ફક્ત વહેલના વિશાળકાય હાડપીંજરને જોવા જ ત્યાં આવે છે પણ તેમને ખબર નથી કે અહીં ૬૦,૦૦૦ થી વધુ અલભ્ય વસ્તુઓનો ખજાનો છે.<img class="alignright alignnone size-medium wp-image-366" style="float:right;" src="http://adhyaru.wordpress.com/files/2008/06/dsc06692.jpg?w=225" alt="http://adhyaru.wordpress.com" width="225" height="300" /></p>
<p style="text-align:justify;">કળાપ્રેમીઓ માટે સ્વર્ગ એટલે યુરોપીયન રૂમ જ્યાં છે ક્રાઈસ્ટ ધ સેવીયર ઓફ ધ વર્લ્ડ નામનું અલભ્ય ચિત્ર (ઈ. સ. ૧૬૫૦) આને લગતા બીજા ચિત્ર ગ્લાસો આર્ટ ગેલેરી અને મિલાન વગેરે જગ્યાઓમાં છે. ૧૬૪૪ માં તૈયાર થયેલુ અ ફેમીલી ગ્રૃપ નામનું મહારાજા સયાજીરાવનું પ્રિય ચિત્ર એક માતા પિતા અને તેમના દત્તકપુત્ર ને દર્શાવે છે. ઈટાલીયન ચિત્રકાર સરટિશિને ૧૪મી સદી માં તૈયાર કરેલુ ધ ડેથ ઓફ પીટર માર્ટીયરની એક જ નકલ છે જે અહીં છે. તો કેથરીન ઓફ બ્રેગેન્ઝા પણ અહીં છે જે પોર્ટુગીઝ પ્રિન્સેસનું મૂરતીયા પ્રિન્સ ચાર્લસને બતાવવા બનાવેલુ ચિત્ર છે. મોહેંજો દરો અને હડપ્પા સંસ્કૃતિના નમૂના પણ અહીં છે.</p>
<p style="text-align:justify;"><a href="http://adhyaru.files.wordpress.com/2008/06/dsc06676.jpg"></a></p>
<p style="text-align:justify;">જૈનો ને જોવામાં રસ પડે એવી અસંખ્ય મૂર્તીઓ પણ અહીં છે જે અકોટા ગામ પાસે ૧૯૫૨ માં કરેલા ખોદકામ દરમ્યાન મળી આવી હતી. જૈનો ના પહેલા તીર્થંકર આદિનાથ ની કપોલસર્ગ ની મુદ્રામાં ઉભેલી પ્રતિમા, પાર્શ્વનાથ ભગવાનની તથા તેમની આસપાસ રહેલી ઋષભદેવ અને મહાવીર સ્વામીની પ્રતિમાઓ ખાસ ધ્યાન ખેંચે છે. એના સિવાય પણ જીવસૃષ્ટી, વનસ્પતિશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર, મનુષ્યજાતિશાસ્ત્ર, વગેરે ખૂબ સરસ છે.</p>
<p style="text-align:justify;">અહીં સર સયાજીરાવે ઈજીપ્તથી ૧૮૯૫ માં ૧૮૫ ડોલરમાં ખરીદેલુ મમી છેજે ઈ.સ.પૂર્વે ૩૦૦ નું છે. આ સંગ્રહાલયમાં ૨૧ જુદાજુદા વિભાગો છે, ૧૮૮૭માં બનેલા આ મકાનને હવે સમારકામની જરૂર છે, જો કે થોડુ ઘણું સમારકામ ચાલતુ જ રહે છે...</p>
<p style="text-align:justify;"><img class="alignright alignnone size-medium wp-image-365" style="float:right;" src="http://adhyaru.wordpress.com/files/2008/06/dsc06676.jpg?w=300" alt="http://adhyaru.wordpress.com" width="300" height="199" /></p>
<p style="text-align:justify;">ડીસ્કવરી અને નેટ જીઓ જોઈને ખુશ થતા આપણે ફક્ત ચાર પાંચ રૂપીયાની ટીકીટ લઈને આપણી જ નજીકમાં આવેલી કેટલી ખૂબસૂરત વસ્તુઓની આપણને નોંધ લેવાનો પણ સમય હોતો નથી. મને અહીં ખૂબજ મજા આવી, અહીં હવે ફરી ફરીને આવવુ પડશે, ઘણું સમજવુ છે, જોવુ છે.....કારણકે આ જ તો આપણા ગુજરાતનું અમૂલ્ય ઘરેણું છે....શું કહો છો?</p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;"><a href="http://www.baroda.com/SightSeeing/PicGallery.html" target="_blank">Baroda online Museum Link</a></p>
<p style="text-align:justify;">- Jignesh Adhyaru</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[વડોદરા - આજકાલ]]></title>
<link>http://adhyaru.wordpress.com/?p=327</link>
<pubDate>Tue, 20 May 2008 19:01:33 +0000</pubDate>
<dc:creator>જીગ્નેશ અધ્યારૂ</dc:creator>
<guid>http://adhyaru.gu.wordpress.com/2008/05/21/vadodara-aaj-kal/</guid>
<description><![CDATA[વડોદરામાં લગભગ ત્રણ મહીને મને બે ત્રણ ]]></description>
<content:encoded><![CDATA[<p style="text-align:justify;">વડોદરામાં લગભગ ત્રણ મહીને મને બે ત્રણ દિવસ રહેવાનો ચાન્સ મળ્યો. (મંગળવારની પોસ્ટ નથી લખાઈ કે સોમવારે મિત્રોને ઈ મેઈલ થી જાણ નથી કરી એ બધાનું કારણ આ જ છે) પોતાના શહેરથી દૂર રહેવાનું ખૂબ અઘરૂ હોય છે....અને એમાંય એમ એસ યુનિ. માં કરેલા જલ્સા કે ટેકનો ની ઉમંગો યાદ આવે ત્યારે .........જવા દો...એ વાત ફરી ક્યારેક...આજે વડોદરા માં મને દેખાયેલા કેટલાક મહત્વના પરિવર્તનોની વાત.</p>
<p style="text-align:justify;">તમને અરવિંદ બાગ યાદ છે?....કે પછી ટાઈમ્સ સ્ક્વેર...કે ફતેહગંજ પેટ્રોલ પંપ.....? આ એરીયામાં અરવિંદબાગની તદન સામે બન્યો છે સેવન સી - Seven Seas - મોલ....અને તેમાં ૧૭મી મે ના રોજ ખૂલ્યુ છે બિગ બાઝાર......મને યાદ છે સતર અને અઢાર તારીખે ત્યાં નહી નહીં તોય હજારેક લોકોની લાઈન હતી......અને ટ્રાફીક તો ક્યાંય સમાતો નહોતો....પણ વડોદરાવાસીઓ માટે આ એક સરસ ગીફ્ટ છે. પસંદગી ની વિશાળ તકો અને ઘણી ઓફરો સાથે તેને શરૂઆતમાં અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. મેં ત્યાં થી ચેતન ભગતની The Three Mistakes of My Life ખરીદી અને તે મને ૯૫/-રૂ. માં પડી તો મને લાગે છે કે સ્ટેશન પાસે થી ૭૦ રૂપીયામાં પાઈરેટેડ બુક્સ લેવા કરતા આ એક સારી પસંદગી છે...તો ગુજરાતી બુક્સનો નાનો પણ સરસ સંગ્રહ પણ ત્યાં વેચાણ માટે છે.</p>
<p style="text-align:justify;">તો આ જ અરસામાં વડોદરામાં ઘણા બધા વખત થી બંધ પડેલી સીટી બસ સેવા ફરી જીવતી થઈ છે અને લગભગ એક અઠવાડીયું ફક્ત બે રૂપીયામાં મુસાફરી કરાવવાની જાહેરાત કરાઈ છે, નાનકડી અને સુંદર બસો "વીટાકોસ"  ( વલભીપુર ટ્રાન્સપોર્ટેશન કો-ઓપરેટીવ સોસાયટી ) ની છે ૧૫ જુદા જુદા રૂટ પર ૨૫ બસો હાલ દોડી રહી છે...અને લગભગ કુલ ૧૦૦ બસો મૂકવાનું આયોજન છે...મોટાભાગના જૂના બસ રૂટ અત્યારે ચાલુ થઈ ગયા છે.</p>
<p style="text-align:justify;">૧૮મી મે ના રોજ માણેકપાર્ક ચાર રસ્તા (એરપોર્ટ ક્રોસિંગ વાળા) પાસે ઉદઘાટન થયુ વડોદરાની ફરતે બનનારા રીંગ રોડની અતિ મહત્વાકાંક્ષી યોજનાનું.....અમદાવાદમાં તો રીંગરોડ છે જ...હવે વડોદરા ય એ જ રસ્તે છે...</p>
<p style="text-align:justify;">તો માણેક પાર્ક મહાકાળી ગરબા ગ્રાઊન્ડની સામે આદિત્ય બિરલા ગ્રૃપની રીટેઈલ આઊટલેટ "મોર" ના નામ હેઠળ ખુલી છે...તેમની પહેલી શાખા લેન્ડમાર્ક ના ગ્રાઊન્ડફ્લોર પર ખુલી ત્યારથી વડોદરામાં તેમણે ધણી જગ્યા એ તેમણે શાખાઓ ખોલવા માંડી છે.</p>
<p style="text-align:justify;">વડોદરા પ્રગતિના પંથે અગ્રસર છે, અને મને જ્યારે વડોદરા જાઊં છું ત્યારે લાગે છે કે આ શહેર જેવી મજા, જીવવાનો સાચો આનંદ અને ફતેહગંજ સેફ્રોન કોમ્પ્લેક્ષ પાસે બાઈક પાર્ક કરીને બેસવા જેવી મજા બીજે ક્યાંય નથી....શું કહો છો ?</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[ભણીશું સ્ટ્રીટલાઇટના અજવાળે]]></title>
<link>http://anusandhan.wordpress.com/?p=12</link>
<pubDate>Wed, 07 May 2008 09:40:02 +0000</pubDate>
<dc:creator>Himanshu Kikani</dc:creator>
<guid>http://mygujarat.com/2008/05/07/12/</guid>
<description><![CDATA[જેનામાં આગળ વધવાની ધગશ છે તેને કોઈ અંત]]></description>
<content:encoded><![CDATA[<div id="utjf1" style="text-align:left;"><span style="color:#0000ff;">જેનામાં આગળ વધવાની ધગશ છે તેને કોઈ અંતરાય નડી શકતા નથી. આ વાતની સાબિતી આપે છે વડોદરાના એક કુટુંબના વિદ્યાર્થીઓ. ભ્રષ્ટાચાર, મોંઘવારી અને બળાત્કારના સમાચારોની ભરમાર વચ્ચે,<strong> <span style="color:#000000;">‘ગુજરાત સમાચાર’</span> </strong>અખબારે તારવેલા આ લેખ પર આપનું ધ્યાન ન ગયું હોય તો વાંચો અહીં…</p>
<p></span></div>
<div id="utjf8" style="text-align:left;"><a id="utjf9" href="http://anusandhan.files.wordpress.com/2008/06/gujarat_samachar1.jpg"><img class="alignright size-full wp-image-256" src="http://anusandhan.wordpress.com/files/2008/06/gujarat_samachar1.jpg" alt="" width="176" height="62" /></a>આજના સમયે શિક્ષણનું મહત્ત્વ ખૂબ વધી રહ્યું છે. માતા-પિતા પોતાનાં સંતાનોને ઉચ્ચ અને ઉમદા શિક્ષણ અપાવવા માટે તનતોડ મહેનત કરે છે. રૂપિયા કમાય છે અને રૂપિયા ખર્ચે છે. બાળકોને સારામાં સારી સ્કૂલ, ટયુશન કલાસ, ટ્રેન્ડી અને મોઘીં સ્ટેશનરી, સ્કૂલ ડ્રેસ , ખીસ્સાખર્ચી અને વ્હીકલ અપાવે છે. છતાંય કેટલાય છોકરાંઓ ઉંધે રવાડે ચઢી જાય છે. મા-બાપને સંતાનોના ખૂબ કડવા અનુભવો થાય છે. જે સંતાનની સુવિધા માટે તેઓ વ્હીકલ કે મોબાઇલ આપે તેનો તેઓ દુરૂપયોગ કરતા હોય છે. ચાલુ કૂલાસમાં તેઓ મેસેજની આપ-લે કરે છે અથવા તો બંક મારીને ફરવા ઉપડી જાય છે. ઘરમાં હોય ત્યારે ટીવી કે વિડીયોગેમમાં રચ્યાંપચ્યાં રહે છે.જોકે કયારેક કયારેક એવા દાખલા પણ મળી જાય છે જેને જોઇને આપણને પણ ગર્વ થવા લાગે છે.</p>
</div>
<div id="utjf12" style="text-align:left;">આવો જ દાખલો વડોદરાના એક કુટુંબના બાળકોનો છે. જેઓ ખૂબ જ ગરીબ છે પરંતુ ભણવાની તેમની ધગશ એટલી છે કે તે ભાઇઓ રોજ રાત્રે જાહેર રસ્તા પરની સ્ટ્રીટ લાઇટની નીચે આવીને ચોપડીઓ લઇને ભણવા બેસી જાય છે ! વર્ષો પહેલાં જ્યારે વિજળીની સુવિધા નહોતી, ત્યારે હોંશિયાર વિઘાર્થીઓ દીવા કે ફાનસના અજવાળે વાંચતા અને ડાઁકટર, એન્જિનિયર બનતતા. વડોદરાના આ બાળકોના આંખોમાં પણ આવાં જ અનેરાં સ્વપ્નો છે.</p>
</div>
<div id="gic70" style="text-align:left;">
<p>વડોદરા શહેરના મકરપુરા ડેરી રોડ તરસાલી આઇ.ટી.આઇ. તરફના વળાંક તેઓ રોજ સાંજે ૭ થી ૧૦ના વાગ્યે પોતપોતાનાં પુસ્તકો લઇને ભણે છે.</p>
<p><a id="utjf15" href="http://anusandhan.files.wordpress.com/2008/05/student.jpg"><img class="alignright size-full wp-image-85" src="http://anusandhan.wordpress.com/files/2008/05/student.jpg" alt="" width="150" height="124" /></a>રસ્તા પર રાતના અંધારામાં ઝેરી જનાવર રખડતા હોય તેવા નિર્જન રસ્તા પર ઝળહળતી સ્ટ્રીટ લાઇટના સહારે શ્રમજીવી કુટુંબના ત્રણ બાળકો રોજ રાત્રે ૭ થી ૧૦ નિયમિત વાંચન કરતા નજરે પડે છે. આ બાળકોની માતા છાયાબેન અભણ છે. પણ પુત્રોને ભણાવવા પાદરાની એક અગરબત્તી ફર્મમાં જઇ અગરબત્તી વણવાનું કામ કરે છે.તે કહે છે કે,''હું ચાર દિવસે ઘેર આવીને ખર્ચો આપી જાઉં છું. મારા દીકરાઓ શ્રીનિવાસ ઉ.વ.૧૫, સુવાસ ઉ.વ.૧૩ અને ચંદુ ઉ.વ.૧૧. પ્રતાપનગર ખાતેની જીવનપ્રકાશ વિઘાલય અને મકરપુરાની પી.એમ. યાદવ શાળામાં ધો. ૯, ૮ અને ૭માં ભણે છે.'' મોટા દીકરો શ્રીનિવાસ તો સવારે ભણી સાંજે આમલેટની લારી પર કામ કરે છે. નવાઇની વાત એ છે કે આ કુટુંબ છેલ્લા ૧૦ વર્ષથી જ્યાં રહે છે. તે ઝુંપડુ પણ સાપ અને અન્ય જાનવરોે ધરાવતો વિસ્તાર છે. છતાંયે ત્રણેય બાળકોને ભણવાની ઘણી જ હોંશ છે.</p>
<p>છાયાબેન કહે છે કે,''અમે મુળ મહારાષ્ટ્રના લાતુરના છીએ. ધરતીકંપ દરમ્યાન મારા પતિનો સ્વર્ગવાસ થઇ જતાં હું પુત્રોને લઇ વડોદરા આવી ગઇ હતી. અહીં હું અગરબત્તીના ધંધા સાથે જોડાઇ હતી.'' પિતાના મોત અને લાતુરનું ઘર તુટી જતા કોઇ જ માલમિલ્કત કે રૂપિયો રોકડો આ કુટુંબ પાસે બચ્યો ન હોય નવેસરથી એકડો ઘુંટવાનું એકલી સ્ત્રીને માથે આવી પડયું છે. તેના ત્રણેય પુત્રોને સારૂ શિક્ષણ મળી રહે તે માટે શરૂઆતમાં મજુરી કરી તરસાલી રોડ પર ઝુંપડું બાંધીને રહેતી છાયાબેને ત્રણેય બાળકોને શાળામાં મુકયા હતા. ત્યારબાદ પોતે મજુરી કરવા પાદરા જતી હતી. પરંતુ બાળકોની સ્કુલ બદલી કરવાની ઝંઝટ શકય ન હોવાથી ભગવાન ભરોસે પોતાના બાળકોને સ્વનિર્ભર બનાવવા સમજણ આપી મજુરી કરે છે. મોટો પુત્ર શ્રીનિવાસ આજીવિકા માટે આમલેટની લારી પર કામ કરવું પડે છે. તે કહે છે કે,''ભણીશું તો જીવનમાં કંઇક કરી શકીશું. પરંતુ ઘરમાં લાઇટની સુવિધા જ નથી. તેથી રસ્તા પરની લાઇટમાં ભણવું પડે છે.''</p>
<p>તેનો નાનો ભાઇ સુવાસ કહે છે કે,''રાત્રે રોડ ઉપર ભણીએ ત્યારે માખી-મચ્છરો અને કૂતરાં હેરાન કરે છે. કૂતરાં સતત ભસ્યા કરે તો ભણવામાં ધ્યાન લાગતું નથી. પરંતુ હવે તો અમને આ બધાની ટેવ પડી ગઇ છે.'' અત્યારે જ્યારે વડોદરામાં મહી નદીમાં પૂર આવ્યાં ત્યારે પણ આ બાળકો ભણવાનું જ વિચારતા હતા. તેઓ કહે છે કે,''પાણી ભરાયા હતા. પરંતુ પાણી ઉતરતા જ અમે પાછુ લાઇટના અજવાળે ભણવાનું શરૂ કરી દીધું હતું.'' આ બાળકોને યોગ્ય પ્રોત્સાહન મળી રહે તો આવતીકાલના ઉતમ નાગરિક બની શકે. સ્ટ્રીટ લાઇટ નીચે ભણતા બાળકો રહેવા ખાવા પીવાના કે આવકની બાબતે અચોક્કસ છે. પરંતુ તેઓ ભણવા બાબતે ચોક્કસ છે.<span class="writely-comment" style="background-color:#ffffd7;"><br />
</span></p>
</div>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[પાણી પણ હવે પાણીના મૂલે નહીં મળે , અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગરમાં પાણીનાં મીટર નખાશે  ]]></title>
<link>http://shaileshk.wordpress.com/?p=10</link>
<pubDate>Sat, 29 Mar 2008 04:45:30 +0000</pubDate>
<dc:creator>shaileshk</dc:creator>
<guid>http://shaileshk.gu.wordpress.com/2008/03/29/%e0%aa%aa%e0%aa%be%e0%aa%a3%e0%ab%80-%e0%aa%aa%e0%aa%a3-%e0%aa%b9%e0%aa%b5%e0%ab%87-%e0%aa%aa%e0%aa%be%e0%aa%a3%e0%ab%80%e0%aa%a8%e0%aa%be-%e0%aa%ae%e0%ab%82%e0%aa%b2%e0%ab%87-%e0%aa%a8%e0%aa%b9/</guid>
<description><![CDATA[રાજયની તમામ મહાનગરપાલિકામાં પાણી મીટ]]></description>
<content:encoded><![CDATA[<p>રાજયની તમામ મહાનગરપાલિકામાં પાણી મીટરથી આપવા માટેની યોજના રાજય સરકારની વિચારણામાં છે. આ અંગે પાણી પુરવઠા વિભાગે સર્વે કરી યોજના સરકારમાં મોકલી આપી છે. પુરવઠા વિભાગે આ પૂર્વે રાજયનાં કેટલાંક ગામડાઓમાં પ્રાયોગિક ધોરણે મીટર નાખતાં તેનાં પરિણામો સારાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.પ્રાપ્ત માહિતી અનુસાર કોલકાતા મહાનગરપાલિકાએ કોલકાતામાં એક લાખ ઘરમાં પાણીનાં મીટર લગાવવાનો નિણર્ય કર્યોછે. અગાઉ તેમણે પ્રાયોગિક ધોરણે તેનો અમલ કરી હવે સમગ્ર શહેરમાં તબક્કાવાર તેનો અમલ કરવાનો નિણર્ય કર્યોછે. કોલકાતામાં ૧ હજાર લિટર પાણી મફત આપવાની યોજના છે. ત્યાર બાદ દર હજાર લિટરે રૂ. ૧૦થી ૧૨ નક્કી કરાયા છે. </p>
<p>પાણી પુરવઠા વિભાગે રાજયમાં પાણી વિતરણ વ્યવસ્થા પાછળ થતો ખર્ચ પૂરેપૂરો વસૂલ કરી શકાય તે માટે મીટર લગાવવાં જરૂરી છે અને આ માટે પાણી પુરવઠા વિભાગે પ્રાયોગિક ધોરણે રાજયનાં કેટલાંક ગામડાંમાં મીટર લગાવ્યાં છે, જેનાં પરિણામ સારાં આવ્યાં હોવાથી મહાનગરોમાં આ યોજનાના અમલ માટેની દરખાસ્ત મોકલી છે. </p>
<p>વિશ્વના ઘણા દેશોમાં પાણીનાં મીટર લગાવવામાં આવ્યાં છે. ભારતમાં બેંગ્લોર તથા જમશેદપુરમાં ડેમથી પાણી છેક સુધી પહોંચીને વપરાય તે માટે સરળ ટેક્નિક ઊભી કરી છે. રાજયનાં લગભગ ૧૦ હજાર ગામોમાં પીવાનાં પાણીની વિતરણવ્યવસ્થા માટે રૂ. ૧૦,૦૦૦ કરોડનો ખર્ચ કરાયો છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં પીવાનું પાણી મીટરથી આપવા સરકારે ગંભીર વિચારણા હાથ ધરી છે.</p>
<p>પ્રોજેકટ રિપોર્ટમાં મીટર કઈ રીતે લગાવવું તેની માહિતી પણ આપી છે. પંપિંગ સ્ટેશનથી જતી પાઇપલાઇન પર વોટર મીટર લગાવાશે અને ત્યાર બાદ ઘરે-ઘરે પાણીનાં જોડાણ આગળ મીટર લગાવવાની યોજના છે.</p>
<p>આ અંગે ભૂતકાળમાં અમદાવાદના તાત્કાલીન મ્યુનિ. કમિશનર આર.કે. ત્રિપાઠીએ કોમર્શિયલ એકમોમાં મીટરથી પાણી આપવાની યોજના બનાવી હતી, પરંતુ તેમની બદલી થઈ જતાં પ્રો-રેટા આધારિત પાણી આપવાની યોજના હાલ અમલી છે.સરકાર દ્વારા જે વિચારણા ચાલે છે એમાં કોમર્શિયલ અને રેસિડેન્શિયલ તમામ એકમોમાં મીટરથી જ પાણી આપવાની યોજના છે. જેનાથી પાણીનો બગાડ અટકશે અને લોકો પાસેથી તેનું વળતર પણ વસૂલાશે.</p>
<p>મીટરથી પાણી આપવાની યોજનામાં પ્રોપર્ટી ટેકસનાં બિલમાંથી પાણીની રકમ અલગ કરી મીટરનું બિલ આપવામાં આવશે અને તેમાં નિયત કરેલ પાણીના કવોટાની ઉરચક રકમ લેવાશે અને ત્યાર બાદ મીટરના રીડિંગ મુજબ બિલ આપવામાં આવશે.</p>
<p>વોટર મીટરથી મ્યુનિ.ની આવક વધશે. સાથોસાથ પાણીની વિતરણવ્યવસ્થા પણ મજબૂત બનશે એવો દાવો સરકારનો છે. આ ઉપરાંત હાલ રાજયની સાત મહાનગરપાલિકામાં સરકાર દ્વારા નર્મદાનું પાણી આપવામાં આવે છે. સરકાર હવે ટૂંક સમયમાં નર્મદાનાં પાણીના દર પણ નક્કી કરવાની હોઈ મહાનગરપાલિકા ઉપર બોજો પડવાનો છે અને આ બોજો દૂર કરવા મ્યુનિ. પાસે ટેકસની રકમમાં વધારો કરવાને બદલે જે જેટલું પાણી વાપરે તેટલું બિલ ભરે એ દિશામાં આગળ વધવા વિચારણા ચાલી રહી છે.</p>
<p>વોટર મીટર કેવાં હશે?</p>
<p>સામાન્ય રીતે મીટરમાં ક્ષાર કે કચરો જવાથી મીટર બંધ થઈ જાય છે એવી દલીલ હાલના મ્યુનિ. અધિકારીઓ કરી રહ્યા છે. નવા મીટરમાં કચરો પ્રવેશતાં અટકી જશે અને સ્ટેનરની બોડી કે કાસ્ટ આયર્નનાં મીટર હોવાથી તે બગડશે નહીં. ઉપરાંત ન્યૂનતમ ૧૦ ઘનમીટર પાણી વહન કરવાની ક્ષમતા તેમાં હશે. </p>
<p>મીટરની અંદરની બોડી પ્લાસ્ટિકની હશે. પાણી પુરવઠા વિભાગે વોટર મીટરનો લાંબા સમયથી ઉપયોગ કર્યા બાદ કેટલાક ધારધોરણ નક્કી કરી વોટર મીટર નક્કી કર્યાં છે અને એકવાર મીટર લાગ્યા બાદ બે વર્ષ સુધી તેના નિભાવની જવાબદારી ઇજારદાર પાસે રહેશે. એટલું જ નહીં આ સમય દરમિયાન મીટર બગડી જાય તો વિનામૂલ્યે બદલવાની જોગવાઈ પ્રોજેકટમાં કરાઈ છે.</p>
<p>Divya Bhaskar</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[અનામિકાને પત્ર: 10]]></title>
<link>http://gujarat2.wordpress.com/2007/01/03/anamika10/</link>
<pubDate>Wed, 03 Jan 2007 12:24:05 +0000</pubDate>
<dc:creator>હરીશ દવે</dc:creator>
<guid>http://gujarat2.gu.wordpress.com/2007/01/03/anamika10/</guid>
<description><![CDATA[.
પ્રિય અનામિકા,
મઝાના સમાચાર! તારા ઈટા]]></description>
<content:encoded><![CDATA[<p>.</p>
<p>પ્રિય અનામિકા,</p>
<p>મઝાના સમાચાર! તારા ઈટાલિયન પ્રોફેસરની પુત્રી <strong>વડોદરા</strong>ની ઊડતી મુલાકાતે આવી રહી છે! તેના કલાપ્રેમને વડોદરા સમ સંસ્કાર નગરીમાં પુષ્ટિ મળશે. વડોદરા વિષે તારા પ્રશ્નોના સંદર્ભમાં આ પત્ર તને લખી રહ્યો છું.</p>
<p>અનામિકા! વડોદરાનું નામ પડતાં જ <strong>મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા</strong>નું સ્મરણ થાય. વડોદરાને સંસ્કૃતિક્ષેત્રે તેમજ કલાક્ષેત્રે વિશ્વભરમાં નામના અપાવવાનું શ્રેય મહારાજા સયાજીરાવ ગાયકવાડને જાય છે.</p>
<p>1870માં વડોદરાના <strong>મહારાજા ખંડેરાવ</strong> અપુત્ર મૃત્યુ પામ્યા. તેમના ભાઈ મલ્હારરાવ ગાદી સંભાળી ન શક્યા. તેથી અંગ્રેજ શાસકોએ સ્વ. ખંડેરાવના <strong>મહારાણી જમનાબાઈ</strong>ને દત્તક પુત્ર લેવાની છૂટ આપી. રાજવી કુટુંબને છાજે તેવી ઉચિત વિધિ-કસોટીઓને અંતે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના મનમાડ પાસેના કવળાણા ગામના બાર વર્ષના કુમાર ગોપાળરાવની રાજ્યગાદીના વારસ તરીકે પસંદગી થઈ. 1863ના 17મી માર્ચે જન્મેલા ગોપાળરાવ <strong>સયાજીરાવ ગાયકવાડ ત્રીજા </strong>તરીકે ઓળખાયા.</p>
<p>1875માં બાર વર્ષના સયાજીરાવ ની વડોદરાના ભાવિ રાજવી તરીકે શિક્ષા-કેળવણીની શરૂઆત થઈ. સયાજીરાવે ગુજરાતી-અંગ્રેજી ભાષાથી માંડીને ઈતિહાસ, અર્થશાસ્ત્ર, ગણિત-રસાયણશાસ્ત્ર તેમજ રાજ્યકારભાર  જેવા વિષયોનો અભ્યાસ કર્યો.</p>
<p>ઓક્ટોબર 28, 1881. સયાજીરાવ ગાયકવાડ તૃતીયનો વડોદરાના મહારાજા તરીકે વિધિવત્ રાજ્યાભિષેક કરવામાં આવ્યો. તે સમયે વડોદરા રાજ્યની સત્તા હેઠળ વડોદરા ઉપરાંત નવસારી, અમરેલી, પાટણ, વડનગર, કડી વગેરે પ્રદેશો હતા.</p>
<p>અનામિકા! તું જાણે છે કે મહારાજા સયાજીરાવ ગાયકવાડ પ્રજાવત્સલ અને કર્મનિષ્ઠ રાજવી હતા. તેમણે વડોદરા રાજ્ય અને પ્રજાના કલ્યાણ માટે દીર્ઘદ્રષ્ટિપૂર્વક વિકાસયોજનાઓ હાથ ધરી. રાજ્યભરમાં રસ્તાઓ, ઈમારતો, શાળાઓ અને લાયબ્રેરીઓને પ્રાધાન્ય આપ્યું. સયાજીરાવે 1879માં વડોદરા ખાતે 113 એકરનો વિશાળ<strong> સયાજીબાગ </strong>પ્રજાને અર્પણ કર્યો. સુંદર ફૂલ-છોડથી સુશોભિત વડોદરાના <strong>સયાજીબાગ (કમાટીબાગ)</strong>ની ગણના ભારતના શ્રેષ્ઠ ઉદ્યાનોમાં થઈ ચૂકી છે.</p>
<p>આ જ વર્ષમાં <strong>વડોદરા કોલેજ</strong>નો પાયો નખાયો.</p>
<p>વડોદરા કોલેજ આજે <strong>એમ. એસ. યુનિવર્સિટી</strong> (<strong>મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી</strong>) તરીકે વિસ્તરેલ છે. 1890 સુધીમાં કોલેજમાં આર્ટસ, સાયંસ, એગ્રીકલ્ચરમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો શરૂ થયા. <strong>લલિત કલા</strong>ઓના વિભાગો શરૂ થયા. વડોદરાનું <strong>કલાભવન</strong> જગપ્રસિદ્ધ બન્યું.</p>
<p>વડોદરા સાથે કંઈ કેટલાય સુસંસ્કૃત મહાનુભાવો સંકળાયેલા છે. <strong>મહર્ષિ  અરવિંદ, કવિ “કાંત”, દાદાસાહેબ ફાળકે, <a TARGET="_blank" HREF="http://gujarat1.wordpress.com/2006/06/25/રાજા-રવિ-વર્મા/">રાજા રવિવર્મા</a>, યુરોપનો પ્રસિદ્ધ કલાકાર ફેલિચી</strong> .... અને બીજા ઘણા બધા!.</p>
<p>મહારાજા સયાજીરાવે નામી-અનામી કલાકારોને રાજ્યાશ્રય આપી કલાપ્રવૃત્તિઓને ઉત્તેજન આપ્યું. મહારાજા સયાજીરાવની નિશ્રામાં વિખ્યાત ઈટાલિયન કલાકાર <strong>ફેલિચી</strong>, બંગાળી શિલ્પી <strong>ફણીન્દ્રનાથ બોઝ</strong>, પ્રસિદ્ધ ચિત્રકાર <strong>રાજા રવિવર્મા</strong>, સંગીતજ્ઞ ઉસ્તાદ <strong>ફૈયાઝખાં</strong> વગેરે સમાવિષ્ટ છે. ફણીન્દ્રનાથ બોઝની કલાની પ્રશંસા તો <strong>ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર </strong>પણ કરી ચૂક્યા છે. મહારાજાએ વિશ્વના ચિત્તાકર્ષક શિલ્પ-તૈલચિત્રોની પ્રતિકૃતિઓ કરાવી. ઈટાલીના કલાધામ <strong>વેનિસ</strong>ના કલાકાર ફેલિચીએ વડોદરાના રાજમહેલમાં રહીને  કાંસા અને સંગેમરમરનાં  ખૂબસૂરત શિલ્પ રચ્યાં; મૂર્તિઓ બનાવી; મનોહર તૈલચિત્રો પણ રચ્યાં. તને ખબર છે, અનામિકા, કે રાજા રવિવર્માએ વડોદરામાં રહીને જ આપણા દેશના પ્રથમ પૌરાણિક તૈલચિત્રોના નિર્માણની શરૂઆત કરી હતી? ભારતીય ફિલ્મ ઉદ્યોગના પ્રણેતા <strong><a TARGET="_blank" HREF="http://gujarat1.wordpress.com/2006/09/16/anamika_9/">દાદાસાહેબ ફાળકે</a></strong>એ વડોદરાના <strong>કલાભવન</strong> ખાતે વિવિધ કલાઓનો અભ્યાસ કર્યો. <strong>મહર્ષિ અરવિંદ</strong>ને પણ મહારાજા સયાજીરાવે જ નિમંત્ર્યા હતા ને! સુપ્રસિદ્ધ ગુજરાતી કવિ <strong><a TARGET="_blank" HREF="http://sureshbjani.wordpress.com/2006/06/19/kant">મણિશંકર રત્નજી ભટ્ટ </a></strong>વડોદરાના કલાભવનમાં સાહિત્યશાસ્ત્રના અધ્યાપક હતા. આપણા બંધારણના અગ્રગણ્ય ઘડવૈયા પૈકી એક <strong>બાબાસાહેબ ભીમરાવ આંબેડકર</strong> (બી. આર. આંબેડકર)ની પ્રગતિમાં વડોદરાના સયાજીરાવ ગાયકવાડનો ફાળો મહત્ત્વપૂર્ણ છે.</p>
<p>અનામિકા! સંસ્કારનગરી વડોદરા આવનાર જો તેનાં મુઝિયમ્સની મુલાકાતે ન જાય તો ફેરો અફળ જાય! પેલેસ મ્યુઝિયમ તથા સયાજીબાગ સ્થિત મ્યુઝિયમ  અદભુત કલાકૃતિઓનો સંગ્રહ ધરાવે છે. તારી ઈટાલિયન મિત્રને જરૂર ભલામણ કરજે. સપ્રેમ આશીર્વાદ.</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[અનામિકાને પત્ર: 10]]></title>
<link>http://gujarat1.wordpress.com/2006/10/07/anamika_10/</link>
<pubDate>Sat, 07 Oct 2006 05:30:18 +0000</pubDate>
<dc:creator>હરીશ દવે</dc:creator>
<guid>http://gujarat1.gu.wordpress.com/2006/10/07/anamika_10/</guid>
<description><![CDATA[.
પ્રિય અનામિકા,
મઝાના સમાચાર! તારા ઈટા]]></description>
<content:encoded><![CDATA[<p>.</p>
<p>પ્રિય અનામિકા,</p>
<p>મઝાના સમાચાર! તારા ઈટાલિયન પ્રોફેસરની પુત્રી <strong>વડોદરા</strong>ની ઊડતી મુલાકાતે આવી રહી છે! તેના કલાપ્રેમને વડોદરા સમ સંસ્કાર નગરીમાં પુષ્ટિ મળશે. વડોદરા વિષે તારા પ્રશ્નોના સંદર્ભમાં આ પત્ર તને લખી રહ્યો છું.</p>
<p>અનામિકા! વડોદરાનું નામ પડતાં જ <strong>મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા</strong>નું સ્મરણ થાય. વડોદરાને સંસ્કૃતિક્ષેત્રે તેમજ કલાક્ષેત્રે વિશ્વભરમાં નામના અપાવવાનું શ્રેય મહારાજા સયાજીરાવ ગાયકવાડને જાય છે.</p>
<p>1870માં વડોદરાના <strong>મહારાજા ખંડેરાવ</strong> અપુત્ર મૃત્યુ પામ્યા. તેમના ભાઈ મલ્હારરાવ ગાદી સંભાળી ન શક્યા. તેથી અંગ્રેજ શાસકોએ સ્વ. ખંડેરાવના <strong>મહારાણી જમનાબાઈ</strong>ને દત્તક પુત્ર લેવાની છૂટ આપી. રાજવી કુટુંબને છાજે તેવી ઉચિત વિધિ-કસોટીઓને અંતે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના મનમાડ પાસેના કવળાણા ગામના બાર વર્ષના કુમાર ગોપાળરાવની રાજ્યગાદીના વારસ તરીકે પસંદગી થઈ. 1863ના 17મી માર્ચે જન્મેલા ગોપાળરાવ <strong>સયાજીરાવ ગાયકવાડ ત્રીજા </strong>તરીકે ઓળખાયા.</p>
<p>1875માં બાર વર્ષના સયાજીરાવ ની વડોદરાના ભાવિ રાજવી તરીકે શિક્ષા-કેળવણીની શરૂઆત થઈ. સયાજીરાવે ગુજરાતી-અંગ્રેજી ભાષાથી માંડીને ઈતિહાસ, અર્થશાસ્ત્ર, ગણિત-રસાયણશાસ્ત્ર તેમજ રાજ્યકારભાર  જેવા વિષયોનો અભ્યાસ કર્યો.</p>
<p>ઓક્ટોબર 28, 1881. સયાજીરાવ ગાયકવાડ તૃતીયનો વડોદરાના મહારાજા તરીકે વિધિવત્ રાજ્યાભિષેક કરવામાં આવ્યો. તે સમયે વડોદરા રાજ્યની સત્તા હેઠળ વડોદરા ઉપરાંત નવસારી, અમરેલી, પાટણ, વડનગર, કડી વગેરે પ્રદેશો હતા.</p>
<p>અનામિકા! તું જાણે છે કે મહારાજા સયાજીરાવ ગાયકવાડ પ્રજાવત્સલ અને કર્મનિષ્ઠ રાજવી હતા. તેમણે વડોદરા રાજ્ય અને પ્રજાના કલ્યાણ માટે દીર્ઘદ્રષ્ટિપૂર્વક વિકાસયોજનાઓ હાથ ધરી. રાજ્યભરમાં રસ્તાઓ, ઈમારતો, શાળાઓ અને લાયબ્રેરીઓને પ્રાધાન્ય આપ્યું. સયાજીરાવે 1879માં વડોદરા ખાતે 113 એકરનો વિશાળ<strong> સયાજીબાગ </strong>પ્રજાને અર્પણ કર્યો. સુંદર ફૂલ-છોડથી સુશોભિત વડોદરાના <strong>સયાજીબાગ (કમાટીબાગ)</strong>ની ગણના ભારતના શ્રેષ્ઠ ઉદ્યાનોમાં થઈ ચૂકી છે.</p>
<p>આ જ વર્ષમાં <strong>વડોદરા કોલેજ</strong>નો પાયો નખાયો.</p>
<p>વડોદરા કોલેજ આજે <strong>એમ. એસ. યુનિવર્સિટી</strong> (<strong>મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી</strong>) તરીકે વિસ્તરેલ છે. 1890 સુધીમાં કોલેજમાં આર્ટસ, સાયંસ, એગ્રીકલ્ચરમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો શરૂ થયા. <strong>લલિત કલા</strong>ઓના વિભાગો શરૂ થયા. વડોદરાનું <strong>કલાભવન</strong> જગપ્રસિદ્ધ બન્યું.</p>
<p>વડોદરા સાથે કંઈ કેટલાય સુસંસ્કૃત મહાનુભાવો સંકળાયેલા છે. <strong>મહર્ષિ  અરવિંદ, કવિ “કાંત”, દાદાસાહેબ ફાળકે, <a HREF="http://gujarat1.wordpress.com/2006/06/25/રાજા-રવિ-વર્મા/" TARGET="_blank">રાજા રવિવર્મા</a>, યુરોપનો પ્રસિદ્ધ કલાકાર ફેલિચી</strong> .... અને બીજા ઘણા બધા!</p>
<p>મહાયોગી   શ્રી અરવિંદ ( શ્રી  અરવિંદ Sri Aurobindo ) એકવીસ વર્ષની ઉંમરે ઇંગ્લેંડથી સીધાજ  વડોદરા આવ્યા. મહાયોગી   અરવિંદને  ભારતીયતાનો  પ્રથમ  પરિચય ગુજરાતમાં  વડોદરાના સંસ્કારસંપન્ન  વાતાવરણમાં થયો.</p>
<p>મહારાજા સયાજીરાવે નામી-અનામી કલાકારોને રાજ્યાશ્રય આપી કલાપ્રવૃત્તિઓને ઉત્તેજન આપ્યું. મહારાજા સયાજીરાવની નિશ્રામાં વિખ્યાત ઈટાલિયન કલાકાર <strong>ફેલિચી</strong>, બંગાળી શિલ્પી <strong>ફણીન્દ્રનાથ બોઝ</strong>, પ્રસિદ્ધ ચિત્રકાર <strong>રાજા રવિવર્મા</strong>, સંગીતજ્ઞ ઉસ્તાદ <strong>ફૈયાઝખાં</strong> વગેરે સમાવિષ્ટ છે. ફણીન્દ્રનાથ બોઝની કલાની પ્રશંસા તો <strong>ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર </strong>પણ કરી ચૂક્યા છે. મહારાજાએ વિશ્વના ચિત્તાકર્ષક શિલ્પ-તૈલચિત્રોની પ્રતિકૃતિઓ કરાવી. ઈટાલીના કલાધામ <strong>વેનિસ</strong>ના કલાકાર ફેલિચીએ વડોદરાના રાજમહેલમાં રહીને  કાંસા અને સંગેમરમરનાં  ખૂબસૂરત શિલ્પ રચ્યાં; મૂર્તિઓ બનાવી; મનોહર તૈલચિત્રો પણ રચ્યાં. તને ખબર છે, અનામિકા, કે રાજા રવિવર્માએ વડોદરામાં રહીને જ આપણા દેશના પ્રથમ પૌરાણિક તૈલચિત્રોના નિર્માણની શરૂઆત કરી હતી? ભારતીય ફિલ્મ ઉદ્યોગના પ્રણેતા <strong><a HREF="http://gujarat1.wordpress.com/2006/09/16/anamika_9/" TARGET="_blank">દાદાસાહેબ ફાળકે</a></strong>એ વડોદરાના <strong>કલાભવન</strong> ખાતે વિવિધ કલાઓનો અભ્યાસ કર્યો. <strong>મહર્ષિ અરવિંદ</strong>ને પણ મહારાજા સયાજીરાવે જ નિમંત્ર્યા હતા ને! સુપ્રસિદ્ધ ગુજરાતી કવિ <strong><a HREF="http://sureshbjani.wordpress.com/2006/06/19/kant" TARGET="_blank">મણિશંકર રત્નજી ભટ્ટ </a></strong>વડોદરાના કલાભવનમાં સાહિત્યશાસ્ત્રના અધ્યાપક હતા. આપણા બંધારણના અગ્રગણ્ય ઘડવૈયા પૈકી એક <strong>બાબાસાહેબ ભીમરાવ આંબેડકર</strong> (બી. આર. આંબેડકર)ની પ્રગતિમાં વડોદરાના સયાજીરાવ ગાયકવાડનો ફાળો મહત્ત્વપૂર્ણ છે.</p>
<p>અનામિકા! સંસ્કારનગરી વડોદરા આવનાર જો તેનાં મુઝિયમ્સની મુલાકાતે ન જાય તો ફેરો અફળ જાય! પેલેસ મ્યુઝિયમ તથા સયાજીબાગ સ્થિત મ્યુઝિયમ  અદભુત કલાકૃતિઓનો સંગ્રહ ધરાવે છે. તારી ઈટાલિયન મિત્રને જરૂર ભલામણ કરજે. સપ્રેમ આશીર્વાદ.</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[રાજા રવિ વર્મા. ]]></title>
<link>http://gujarat1.wordpress.com/2006/06/25/%e0%aa%b0%e0%aa%be%e0%aa%9c%e0%aa%be-%e0%aa%b0%e0%aa%b5%e0%aa%bf-%e0%aa%b5%e0%aa%b0%e0%ab%8d%e0%aa%ae%e0%aa%be/</link>
<pubDate>Sun, 25 Jun 2006 02:25:44 +0000</pubDate>
<dc:creator>હરીશ દવે</dc:creator>
<guid>http://gujarat1.gu.wordpress.com/2006/06/25/%e0%aa%b0%e0%aa%be%e0%aa%9c%e0%aa%be-%e0%aa%b0%e0%aa%b5%e0%aa%bf-%e0%aa%b5%e0%aa%b0%e0%ab%8d%e0%aa%ae%e0%aa%be/</guid>
<description><![CDATA[તાજેતરમાં સમાચાર ચમક્યાં છે: રાજા રવિ ]]></description>
<content:encoded><![CDATA[<p>તાજેતરમાં સમાચાર ચમક્યાં છે: રાજા રવિ વર્મા પર ફિલ્મ બનશે.</p>
<p>રાજા રવિ વર્મા ભારતના પ્રતિષ્ઠિત ચિત્રકારોમાં સ્થાન પામ્યાં છે.</p>
<p>1848માં કેરળના ત્રાવણકોર(કિલિમન્નૂર)ના રાજ-પરિવારમાં તેમનો જન્મ. યુવાનીમાં યુરોપિયન ચિત્રકલાનો અભ્યાસ કર્યો અને પછી પોતાની આગવી શૈલી વિકસાવી. તેમણે આપણી પૌરાણિક કથાઓનાં પાત્રોને રેખા અને રંગોથી કેનવાસ પર ઉતાર્યાં. તેમના ચિત્રોમાં સૌંદર્ય, પ્રેમ, શૌર્યની ઝલક હતી. તેમના ચિત્રોએ રાષ્ટ્રવાદને પોષવામાં મદદ કરી.</p>
<p>વડોદરાના કલાપ્રેમી મહારાજા સયાજીરાવ ગાયકવાડના આમંત્રણથી રાજા રવિ વર્મા થોડાં વર્ષો વડોદરા રહ્યા. તેમણે વડોદરાના રાજવી પરિવારના સભ્યોના બેનમૂન તૈલચિત્રો સર્જ્યાં.</p>
<p>રાજા રવિ વર્માએ ચિત્રકલાને લોકભોગ્ય કરવા લોનાવલામાં પ્રિંટિંગ પ્રેસ નાખ્યું. લિથોગ્રાફીથી સુંદર ચિત્રો છપાવી સામાન્ય વર્ગ સુધી ઘેર ઘેર પહોંચાડ્યાં. 1906માં આ મહાન ચિત્રકારનું અવસાન થયું.</p>
<p>છ વખત રાષ્ટ્રીય એવોર્ડ વિનર, પ્રસિદ્ધ ફિલ્મ દિગ્દર્શક શાજી એન. કારુણ રાજા રવિ વર્મા પર ફિલ્મ બનાવવાના છે. નામ છે ‘સૂર્યમુખી’. રાજા રવિ વર્મા તરીકે અજય દેવગણ ભૂમિકા કરશે. માધુરી દીક્ષિત – નેને ‘સૂર્યમુખી’ દ્વારા ફિલ્મક્ષેત્રે પુનરાગમન કરી રહી છે.</p>
]]></content:encoded>
</item>

</channel>
</rss>
