<?xml version="1.0" encoding="UTF-8"?><!-- generator="wordpress.com" -->
<rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	>

<channel>
	<title>વિષય-સાહિત્ય &amp;laquo; WordPress.com Tag Feed</title>
	<link>http://wordpress.com/tag/વિષય-સાહિત્ય/</link>
	<description>Feed of posts on WordPress.com tagged "વિષય-સાહિત્ય"</description>
	<pubDate>Sat, 30 Aug 2008 03:43:34 +0000</pubDate>

	<generator>http://wordpress.com/tags/</generator>
	<language>en</language>

<item>
<title><![CDATA[અનામિકાને પત્ર: 43]]></title>
<link>http://gujarat2.wordpress.com/?p=154</link>
<pubDate>Mon, 25 Aug 2008 09:50:45 +0000</pubDate>
<dc:creator>હરીશ દવે</dc:creator>
<guid>http://gujarat2.wordpress.com/?p=154</guid>
<description><![CDATA[.
પ્રિય અનામિકા,
ઉત્તર ધ્રુવની હિમશિલા]]></description>
<content:encoded><![CDATA[<p>.</p>
<p>પ્રિય અનામિકા,</p>
<p>ઉત્તર ધ્રુવની હિમશિલાઓ વિશે મીડિયાના રિપોર્ટસ ચિંતાજનક છે. હિમાલય અને હિમાલયની નદીઓ વિશેની તારી ભીતિ વ્યાજબી છે. અનામિકા! હિમાલયનું નામ લેતાં મારા મનપ્રદેશ પર સંસ્કૃત સાહિત્યનાં સર્જનો ઊમટે છે.</p>
<p>આગળના એક પત્રમાં તને <a title="25" href="http://gujarat2.wordpress.com/2007/08/25/anamika25/" target="_blank"><strong><span style="color:#0000ff;">કવિકુલગુરુ ભાસના ‘સ્વપ્નવાસવદત્તમ્'</span></strong></a> ની વાત કરી હતી. આજે ફરી સંસ્કૃત સાહિત્ય પર નજર નાખીશું?</p>
<p>હિમાલયની વાત કરીએ તો મહાકવિ કાલિદાસનાં ‘મેઘદૂત' અને ‘કુમારસંભવમ્' તો પ્રથમ હરોળમાં જ હોય ને! મેઘદૂતમાં રામગિરિ પર્વત પર બેઠેલો યક્ષ હતો તો હિમાલયનો નિવાસી. હિમાલયની અલકાનગરીના રાજવી કુબેર અને કુબેરના ચિત્રરથ બાગનો રક્ષક તે આપણો ભગ્નહૃદયી યક્ષ. મેઘદૂત એટલે હૃદયના તારોને ઝણઝણાવી જતી કથા.</p>
<p>અનામિકા! હિમાલયની યાદ અપાવતી કાલિદાસની અન્ય કૃતિ તે કુમારસંભવ.</p>
<p>સાહિત્યનાં વિવિધ રસોમાં તરબોળ કુમારસંભવની કથા પરાકાષ્ઠાએ રૌદ્ર રસ અને વીર રસ દ્વારા રોમાંચ પ્રેરે છે.</p>
<p>પર્વતરાજ હિમાલયનાં લગ્ન મેનકા સાથે થયાં હતાં. મેનકાના ગર્ભમાં પ્રજાપિતા દક્ષની દુહિતા સતીએ પ્રવેશ કર્યો.. તું જાણે છે, અનામિકા, કે પૂર્વજન્મમાં દક્ષપુત્રી સતી ભગવાન શિવજીનાં ધર્મપત્ની હતાં. આ જન્મમાં સતીજી પર્વતરાજનાં પુત્રી તરીકે અવતર્યાં, તેથી પાર્વતી કહેવાયાં. નારદ મુનિએ પાર્વતીજી આ જન્મમાં પણ ભગવાન શંકરનાં અર્ધાંગિની બનશે તેવી ભવિષ્યવાણી કરી. યૌવના પાર્વતીજી તપમાં લીન મહાદેવ શંકરની સેવામાં રત થયાં.</p>
<p>તે સમયે તારકાસુર નામક મહાબલી રાક્ષસ સર્વત્ર મહાત્રાસ વર્તાવી રહ્યો હતો. તારકાસુરથી ત્રસ્ત, ભયભીત દેવરાજ ઇંદ્રને બ્રહ્માજીએ સૂચન કર્યું કે ભગવાન શંકર વિવાહ કરે અને તેમનો જે કુમાર (પુત્ર) સંભવે, તે મહાપરાક્રમી કુમાર જ તારકાસુરનો વધ કરી શકશે. દેવરાજ ઇંદ્રના અનુરોધથી કામદેવ તથા ઋતુરાજ વસંતની લીલાથી  શિવજીના તપમાં ભંગ થયો. તપભંગ થવાથી કોપિત મહાદેવનું ત્રીજું નેત્ર ખુલ્યું અને તેમાંથી પ્રગટેલ ક્રોધાગ્નિમાં કામદેવ ભસ્મીભૂત થયા. પણ સાથે જ, શિવજીને પાર્વતીજી પર અનુરક્તિ જાગી.</p>
<p>ભગવાન શિવ અને પાર્વતીનો વિવાહ થયો. પાર્વતીજીએ પરમ વીર, તેજસ્વી પુત્ર કાર્તિકેયને જન્મ આપ્યો. યુવાવસ્થામાં મહા વીર કાર્તિકેય દેવોના સૈન્યના સેનાપતિ બન્યા. કાર્તિકેયની નિશ્રામાં દેવસેનાએ દૈત્યો પર આક્રમણ કર્યું. ભીષણ યુદ્ધ થયું.</p>
<p>સ્વયં કાર્તિકેય અને તારકાસુર વચ્ચે મહાસંગ્રામ થયો. ભારે શૌર્ય દાખવી કાર્તિકેયે તારકાસુરનો વધ કર્યો.</p>
<p>અધર્મ, અનીતિનો પરાજય થયો. સંસારમાં પુનઃ ધર્મની સ્થાપના થઈ. અનામિકા! મહાકવિ કાલિદાસના કુમારસંભવની ગાથા તારી ડાયરીમાં ટપકાવી લેજે.</p>
<p>સસ્નેહ આશીર્વાદ.</p>
<p>.</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[અનન્યા/ 080322/દેશ-દુનિયા]]></title>
<link>http://gujarat5.wordpress.com/?p=170</link>
<pubDate>Sat, 22 Mar 2008 02:30:32 +0000</pubDate>
<dc:creator>હરીશ દવે</dc:creator>
<guid>http://gujarat5.wordpress.com/?p=170</guid>
<description><![CDATA[*
.
ભારતીય બેંકિંગ ઉદ્યોગમાં ભારે સ્પર]]></description>
<content:encoded><![CDATA[<p>*</p>
<p>.</p>
<p><font face="Times New Roman"><span><strong>ભારતીય બેંકિંગ ઉદ્યોગ</strong>માં ભારે સ્પર્ધાનું વાતાવરણ છે. <strong>ભારત</strong>ની <strong>સૌથી મોટી બેંક</strong> ભારત સરકારના નિયંત્રણ નીચેની <strong>સ્ટેટ બેંક ઓફ ઇંડિયા </strong></span><strong>(</strong><span><strong>એસબીઆઈ</strong> - </span>SBI – State Bank of India) <span><span> </span>છે. એસબીઆઈની એસ્ટેટસ સાડા પાંચસો લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે. </span></font></p>
<p><font face="Times New Roman"><span>ભારતની અન્ય રાષ્ટ્રીયકૃત બેંકોમાં <strong>કેનેરા બેંક</strong> અને <strong>પંજાબ નેશનલ બેં</strong>ક </span>–<span> પ્રત્યેકની એસ્ટેટ લગભગ 160 લાખ કરોડ રૂપિયાની છે. <span> </span>ભારતમાં ખાનગી બેંકોમાં <strong>આઈસીઆઈસીઆઈ</strong> </span>(ICICI) <span>સૌથી વધુ એસ્ટેટસ </span>–<span> આશરે સાડા ત્રણસો લાખ કરોડ રૂપિયા </span>–<span> ધરાવે છે અને <strong>એચડીએફસી</strong> </span>(HDFC)<span> બેંક બીજા ક્રમે છે. </span></font></p>
<p><font face="Times New Roman"><span>ભારતમાં બેંકિંગ વ્યવસાયમાં કારોબાર કરતી વિદેશી બેંકોમાં <strong>સ્ટેનચાર્ટ </strong></span><strong>(StanChart)<span>, સીટી બેંક </span>(City Bank) <span>તથા એચએસબીસી</span> (HSBC)</strong> <span>નાં નામ મોખરે છે.</span></font><span><span>  </span>*<span>  </span>* * <strong>અનન્યા/080322/ દેશ-દુનિયા/હરીશ દવે/ <font face="Times New Roman">Ananyaa</font>/ * * * <span> </span></strong></span></p>
<p><span><strong><span>* * </span></strong></span><span style="font-family:Shruti;"><strong>ભારત સરકારના નાણાં મંત્રી</strong> ચિદંબરમના આ વર્ષના બજેટમાં <strong>ટેલિકોમ </strong>અને <strong>બ્રોડબેન્ડ ઇન્ટરનેટ</strong>ના વિસ્તરણ માટે જોગવાઈ છે. ઇન્ડિયન ગવર્નમેન્ટ હસ્તકના <strong>બીએસએનએલ</strong> (</span><font face="Times New Roman">BSNL) </font><span style="font-family:Shruti;">ની બ્રોડબેન્ડ સેવાઓ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચાડાશે. ભારત સરકાર દેશભરમાં બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવા આપતાં એક લાખ જેટલાં સેંટર્સ શરૂ કરશે. <strong>કોમન સર્વિસ સેન્ટર્સ</strong>ના નામે ઓળખાનાર આ સેંટર્સ પર બીએસએનએલ બ્રોડબેન્ડ ઇન્ટરનેટ દ્વારા જમીનના દસ્તાવેજો (</span><font face="Times New Roman">Land Records) </font><span style="font-family:Shruti;">ની કામગીરી ઉપરાંત વીજળી બિલો ભરવા જેવી સેવાઓ ઉપલબ્ધ થશે. * * * * * <b>અનન્યા/080322/ દેશ-દુનિયા/હરીશ દવે/ </b></span><b><span><font face="Times New Roman">Ananyaa</font></span></b><b><span style="font-family:Shruti;">/ * * *</span></b><span style="font-family:Shruti;"> </span></p>
<p><span style="font-family:Shruti;">*<span>  </span>*<span>  </span>* </span><span><font face="Times New Roman">દુનિયામાં રાજકારણ અને અર્થવ્યવસ્થા અજબગજબના રંગ બતાવે છે. વિશ્વની નજર અત્યારે <strong>ચીન </strong>પર છે. </font></span><span style="font-family:Shruti;">ચીનમાં રાજધાની <strong>બેઇજિંગ</strong>માં <strong>ઓલિમ્પિક ગેમ્સ</strong>નાં પડઘમ બાજી રહ્યાં છે. પરંતુ ચીન સરકાર દ્વારા તાજેતરનાં કેટલાક પગલાંઓ આઘાતજનક છે. </span><span><font face="Times New Roman">ચીન દ્વારા <strong>તિબેટ</strong>ની ધરતી પર થઈ રહેલ દમનને દુનિયાના અગ્રણીઓ વખોડી રહ્યાં છે. <strong>આફ્રિકા ખંડ</strong>ના દેશ <strong>સુદાન</strong>માં થઈ રહેલ અત્યાચારમાં ચીન અપરોક્ષ રીતે સંકળાયેલ હોવાનો આક્ષેપ છે.</font></span><span style="font-family:Shruti;"> <strong>યુરોપિયન દેશોનો સમૂહ</strong> ચીન પર નારાજ છે<strong>."</strong></span><strong><span style="font-family:Shruti;">અનન્યા</span><span><font face="Times New Roman">”</font></span></strong><span style="font-family:Shruti;">ના વાચકોને કદાચ </span><font face="Times New Roman"><strong><span>‘</span><span>બ્રિક</span><span>’</span></strong></font><span style="font-family:Shruti;"> સંક્ષિપ્તરૂપ વિશે જાણકારી હશે.</span><font face="Times New Roman"><span> વિશ્વની ઇકોનોમીનાં <span> </span>બદલાતાં સમીકરણોમાં <span> </span><strong>બ્રિક </strong>(બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચીન) </span>(BRIC – Brazil, Russia, India, China)<span> <font face="Shruti">દેશો</font>ને નજરઅંદાજ કરવું <strong>અમેરિકા</strong> માટે અઘરું છે. અમેરિકા </span></font><span style="font-family:Shruti;">માટે</span><span><font face="Times New Roman"> ચીન </font></span><span style="font-family:Shruti;">સાથે</span><font face="Times New Roman"><span>ના ખાટામીઠા સંબંધો વચ્ચે વાણિજ્ય-ઉદ્યોગના લાભોની મીઠાશ લોભામણી છે. છતાં <strong>અમેરિકન કોંગ્રેસ</strong>ના સ્પીકર દ્વારા ચીનની તિબેટનીતિની ટીકા સૂચક છે. આફ્રિકન દેશ સુદાનમાં ઓઇલ પ્રોજેક્ટસ </span>–<span> ખનિજ તેલ ક્ષેત્રો </span>–<span> માં ચીનનું જંગી રોકાણ છે. <strong>હોલિવુડ</strong>ના પ્રતિષ્ઠિત ફિલ્મ ડાયરેક્ટર <strong>સ્ટીવન સ્પિલબર્ગ</strong>ને ચીનને સુદાન મુદ્દે અપીલ કરવી પડે તે પણ સૂચક નથી? </span></font><span style="font-family:Shruti;"><span> </span><strong>યુરોપ</strong>ના દેશો પણ ચીનની નીતિઓનો ખુલ્લંખુલ્લા વિરોધ કરવા લાગ્યા છે. ચીનમાં યોજાનારા આગામી ઓલિમ્પિક્સ રમતોના બહિષ્કારનો સૂર પણ સંભળાઈ રહ્યો છે. <span> </span></span><span><font face="Times New Roman">*<span>  </span>*<span>  </span>*</font></span><span> * * * <strong>અનન્યા/080322/ દેશ-દુનિયા/હરીશ દવે/ <font face="Times New Roman">Ananyaa</font>/ * * * </strong></span></p>
<p><span>* * * </span><font face="Times New Roman"><span>રોમાંચક સાયંસ ફિક્શનના સિદ્ધહસ્ત લેખક <strong>આર્થર સી. ક્લાર્ક</strong>નું <strong>શ્રીલંકા</strong>માં અવસાન થયું છે. સાયન્સની પ્રગતિની ભવિષ્યવાણીને પોતાની વિજ્ઞાન કથાઓમાં મૂકનાર બ્રિટીશ લેખક ક્લાર્ક 90 વર્ષના હતા. <strong>ઇંગ્લેન્ડ</strong>માં જન્મેલ આર્થર સી. ક્લાર્ક છેલ્લા પચાસેક વર્ષથી શ્રીલંકામાં રહેતા હતા. </span><strong>“<span>અનન્યા</span>”</strong><span> અને </span><strong>“<span>મધુસંચય</span>”</strong><span>ના વાચકો <strong>મેટ્રો-ગોલ્ડવિન-મેયર એમજીએમ </strong></span>(MGM) <span>ની ફિલ્મ </span>‘<span>2001 </span>–<span> અ સ્પેસ ઓડેસી</span>’<span>ને જાણે છે.</span></font></p>
<p><font face="Times New Roman"><span><strong>હોલિવુડના વિખ્યાત ફિલ્મ દિગ્દર્શક સ્ટેન્લી કુબ્રિકની ફિલ્મ </strong></span><strong>‘<span>2001 </span>–<span> અ સ્પેસ ઓડેસી</span>’</strong><span><strong> ઉત્તમોત્તમ ફોટોગ્રાફી અને થીમ મ્યુઝિક માટે પ્રશંસા પામી હતી. આ ફિલ્મ આર્થર સી. ક્લાર્કની નવલકથા પર આધારિત હતી.</strong> ફ્યુચર સાયન્સ અને સ્પેસ ટ્રાવેલના વિષયોમાં નિષ્ણાત અંગ્રેજી લેખક આર્થર સી. ક્લાર્કના 100થી વધારે પુસ્તકો પ્રસિદ્ધ થયાં છે.</span></font><span style="font-family:Shruti;"> *<span>  </span>*<span>  </span>*<span>  </span>* </span><b><span></span></b><span><font face="Times New Roman"> </font></span><span><font face="Times New Roman"> </font></span><span style="font-family:Shruti;">* * * <b>અનન્યા/080322/ દેશ-દુનિયા/હરીશ દવે/ </b></span><b><span><font face="Times New Roman">Ananyaa</font></span></b><b><span style="font-family:Shruti;">/ * * *</span></b><b><span></span></b><b><span><font face="Times New Roman"> </font></span></b><span style="font-family:Shruti;">*<span>    </span>*<span>   </span>* *<span>     </span>* *<span>     </span>**<span>    </span>**</span><span></span></p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[અનન્યા/080126/દેશ-દુનિયા]]></title>
<link>http://gujarat5.wordpress.com/?p=136</link>
<pubDate>Sat, 26 Jan 2008 03:20:12 +0000</pubDate>
<dc:creator>હરીશ દવે</dc:creator>
<guid>http://gujarat5.wordpress.com/?p=136</guid>
<description><![CDATA[.
*
અનન્યા/080126/દેશ-દુનિયા
* * * ભારત સરકાર પ્]]></description>
<content:encoded><![CDATA[<p>.</p>
<p>*</p>
<p><strong>અનન્યા/080126/દેશ-દુનિયા</strong></p>
<p>* * * <strong>ભારત સરકાર</strong> પ્રતિવર્ષ  પ્રજાસત્તાક દિન (ગણતંત્ર દિન) પર સર્વોચ્ચ નાગરિક સન્માન  <strong>ભાર</strong><strong>ત</strong><strong>રત્ન </strong>ઉપરાંત અન્ય <strong>રાષ્ટ્રીય સન્માન – પુરસ્કાર – પદ્મ એવોર્ડઝ</strong>ની જાહેરાત કરે છે. આ વર્ષે ભારત રત્નનો એવોર્ડ અપાયો નથી. પરંતુ પદ્મવિભૂષણ માટે 13, પદ્મભૂષણ માટે 35 તથા પદ્મશ્રીના ખિતાબ માટે 71 પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પસંદ પામ્યા છે.</p>
<p>પદ્મવિભૂષણ માટે નોબેલ પ્રાઈઝ વિનર ભારતીય <strong>ડો. આર. કે. પચૌરી</strong>, ટાટા ગ્રુપના <strong>રતન તાતા (ટાટા)</strong>,  ઇન્ફોસિસના <strong>નારાયણ મૂર્તિ</strong>,  સ્ટાર ક્રિકેટર <strong>સચિન તેંડુલકર</strong>, ચેસ ચેમ્પિયન <strong>વિશ્વનાથન આનંદ</strong> ઉપરાંત રાજધાની નવી દિલ્હીમાં મેટ્રો રેલ્વેના પ્રોજેક્ટને સફળ કરનાર <strong>ઈ. શ્રીધરન</strong>નો સમાવેશ થાય છે.</p>
<p><strong>આ વર્ષના પદ્મ એવોર્ડઝમાં ત્રણ ગુજરાતીઓનો સમાવેશ થાય છે. તેમાં બ્રિટીશ અર્થશાસ્ત્રી ડો. મેઘનાદ દેસાઈ, ભારતીય- અમેરિકન અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ તથા ગુજરાતી શિક્ષણ-સાહિત્ય જગતના આદરણીય મહાનુભાવ ભોળાભાઈ પટેલનો સમાવેશ થાય છે. સર્વ મહાનુભાવોને અભિનંદન અને શુભેચ્છાઓ !</strong> * * *    અનન્યા/080126/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * *</p>
<p>* * *ભારતની સૌથી મોટી <strong>પવનઉર્જા –  વિંડ એનર્જી –  કંપની</strong> (વિશ્વની ચોથા નંબરની Wind energy provider company)  <strong>સુઝલોન (Suzlon)</strong> ચીન (China)ના માર્કેટમાં સફળતાના પંથે છે. <strong>ચીન</strong>ની અગ્રણી પાવર પ્રોજેક્ટ ડેવલપર કંપની જિંગ્નેન્ગ ગ્રુપ દ્વારા સુઝલોનને વિંડ પાવર માટે અગત્યના કોન્ટ્રાક્ટ્સ મળેલ છે. *  * * * અનન્યા/080126/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * *</p>
<p>*  * ભારતના આભૂષણ માર્કેટ (Jewellery business) માં <strong>ગીતાંજલિ ગ્રુપ</strong> અગ્ર હરોળમાં છે. હીરા અને સોનાના આભૂષણોના ઉત્પાદન અને રીટેઇલિંગમાં નામનાપ્રાપ્ત ગીતાંજલિ ગ્રુપે ડાયમંડ ટ્રેડિંગ કંપની (DTC) ની પ્રસિદ્ધ બ્રાંડ <strong>‘નક્ષત્ર’</strong>ને ખરીદેલ છે.* *  *</p>
<p>* * * વિશ્વના સુપ્રસિદ્ધ <strong>જીનેટિક વૈજ્ઞાનિક – સિંથેટિક બાયોલોજીસ્ટ – ડો. જે. ક્રેગ વેન્ટર</strong> માનવસર્જિત ડીએનએના સંશોધનમાં પ્રવૃત્ત છે.</p>
<p>ડો. વેન્ટર તથા સાથીઓએ <strong>સિંથેટિક ડીએનએ</strong>ની બનાવટમાં સફળતા મેળવી જીનેટિક વિજ્ઞાનમાં અનોખી સિદ્ધિ મેળવી છે. અગાઉ, વાઇરસના માનવસર્જિત ડીએનએની સંરચના લેબોરેટરીમાં થઈ શકી હતી, પરંતુ <strong>પ્રથમ વખત બેક્ટેરિયાના કૃત્રિમ ‘જીનેટિક કોડ’ ની  સંરચના ડો. વેન્ટર અને સાથી વૈજ્ઞાનિકો કરી શક્યા છે. </strong>* * *</p>
<p>* * * અનન્યા/080126/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * *</p>
<p>*    *   * *     * *     **    **</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[અનામિકાને પત્ર: 31]]></title>
<link>http://gujarat2.wordpress.com/2007/10/24/anamika31/</link>
<pubDate>Wed, 24 Oct 2007 04:10:29 +0000</pubDate>
<dc:creator>હરીશ દવે</dc:creator>
<guid>http://gujarat2.wordpress.com/2007/10/24/anamika31/</guid>
<description><![CDATA[.
પ્રિય અનામિકા,

ગુર્જિયેફ (ગુર્જિફ અથ]]></description>
<content:encoded><![CDATA[<p>.</p>
<p><span STYLE="font-family: Shruti">પ્રિય અનામિકા,</span></p>
<p><span STYLE="font-family: Shruti"></span></p>
<p><span STYLE="font-family: Shruti"></span><span STYLE="font-family: Shruti"><strong><a TARGET="_blank" HREF="http://gujarat2.wordpress.com/2007/08/19/anamika24/">ગુર્જિયેફ</a></strong> (ગુર્જિફ અથવા ગુર્જેફ) વિષેનો મારો પત્ર ફળદાયી નીવડ્યો! ખુશી થઈ. ગુર્જિયેફનો સંબંધ <strong>કેથેરાઇન મેન્સફિલ્ડ</strong> સુધી જોડનાર તે ફ્રેંચ મિત્રને મારાં અભિનંદન કહેજે. </span></p>
<p><span STYLE="font-family: Shruti"></span><span STYLE="font-family: Shruti">કેથેરાઇન મેન્સફિલ્ડ મેં વાંચેલ </span><span STYLE="font-family: Shruti">કદાચ</span><span STYLE="font-family: Shruti"> એક માત્ર <strong>ન્યૂઝીલેંડ</strong>નાં લેખિકા છે. કેથેરાઇન મેન્સફિલ્ડની ટૂંકી વાર્તાઓ- શોર્ટ સ્ટોરીઝ ભલે સંવેદનાસભર ગણાય, પણ મને તેમની ડાયરી </span><span STYLE="font-family: Shruti">–</span><span STYLE="font-family: Shruti"> જર્નલ વધારે સ્પર્શી ગઈ છે. </span></p>
<p><span STYLE="font-family: Shruti"><strong>કેથેરાઇન મેન્સફિલ્ડ</strong> ન્યૂઝીલેંડના વતની. </span></p>
<p><span STYLE="font-family: Shruti"><span STYLE="font-family: Shruti">અનામિકા! </span>ન્યૂઝીલેંડની રાજધાની વેલિંગ્ટન શહેર એક બંદર છે. </span></p>
<p><span STYLE="font-family: Shruti">ઈ.સ. 1888માં દરિયાકાંઠાના આ શહેર વેલિંગ્ટનના એક શ્રીમંત વેપારીને ત્યાં કેથેરાઇન મેન્સફિલ્ડનો જન્મ. </span></p>
<p><span STYLE="font-family: Shruti">બાળપણથી કેથેરાઇન સુસ્ત,  નિરુત્સાહી અને ઓછાબોલા. અતડા જ કહેવાય તેવા એકાકી. સમુદ્રના અફાટ જળરાશિ પર વિસ્તરતા આકાશને જોઈ રહે. સમુદ્રકાંઠે ટેકરીઓ અને ઝાડપાનથી સર્જાતા આકારોમાં કલ્પનાના રંગો ભરે. </span></p>
<p><span STYLE="font-family: Shruti">અનામિકા! </span><span STYLE="font-family: Shruti">કેથેરાઇન</span><span STYLE="font-family: Shruti">ના અંતર્મુખી સ્વભાવે તેમને પુસ્તકો પ્રતિ દોર્યા. વાચનથી તેમના સ્વભાવમાં ઑર ગંભીરતા આવી. ચૌદ વર્ષની ઉંમરે <span> </span></span><span STYLE="font-family: Shruti">કેથેરાઇન</span><span STYLE="font-family: Shruti"> અભ્યાસાર્થે <strong>લંડન (ઇંગ્લેન્ડ)</strong> આવ્યાં. લંડનની <strong>ક્વીન્સ કોલેજ</strong>માં કેથેરાઇનના વ્યક્તિત્વ અને વિચારશક્તિ પાંગરી ઊઠ્યાં. તેમની લેખન શક્તિ ખીલવા લાગી. </span></p>
<p><span STYLE="font-family: Shruti">અભ્યાસ પૂરો થતાં ન્યૂઝીલેંડ પરત ફરેલ યૌવનાનું મન હવે </span><span STYLE="font-family: Shruti">વેલિંગ્ટન</span><span STYLE="font-family: Shruti">ના બંધનોમાં ક્યાંથી લાગે? </span><span STYLE="font-family: Shruti">કેથેરાઇન</span><span STYLE="font-family: Shruti"> ફરી લંડન પહોંચ્યાં. યુવાન અને સૌંદર્યવાન કેથેરાઇન યુવાનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં.<span> </span>ક્યાં ન્યૂઝીલેંડના વેલિંગ્ટનનું બંધિયાર સામાજિક જીવન અને ક્યાં લંડનની ઉન્મુક્ત સ્વચ્છંદતા!</span></p>
<p><span STYLE="font-family: Shruti">અનામિકા! તું સમજી શકીશ, કે પછી ન બનવા જેવું બધું જ બનતું ગયું. આર્નોલ્ડ ટ્રોવેલ લંડનનો એક સંગીતશોખીન વાયોલિનવાદક. આર્નોલ્ડના પ્રેમમાં પડેલ કેથેરાઈન જોતજોતામાં તેના ભાઈ ગાર્નેટ પાછળ ઘેલાં બન્યાં. ગાર્નેટથી ગર્ભવતી બનેલ કેથેરાઈનને પ્રેમસંબંધોએ તરછોડી દીધી. હવે સહારો શોધી રહેલ પ્રેમભૂખી યૌવનાએ જ્યોર્જ બોડેન નામક અજાણ્યા સાથે લગ્ન કર્યાં; એક જ દિવસમાં બંને જુદાં થયાં! શરીરે અને મનથી ભાંગી પડેલ કેથેરાઇનને ગર્ભપાત થયો; ઉન્મુક્ત સ્વચ્છંદી વ્યવહારને પરિણામે શરીરને ભયાનક રોગે ગ્રસી લીધું. </span></p>
<p><span STYLE="font-family: Shruti">ચોમેર હતાશાથી ઘેરાયેલા કેથેરાઇનના જીવનમાં <strong>જહોન મરી</strong> નામક પ્રેમાળ યુવાન નવી આશા લઈ આવ્યો. કેથેરાઇનનાં જહોન સાથેનાં લગ્ન મૃત્યુ પર્યંત ટક્યાં. અનામિકા! દુ:ખદ વાત એ કે લગ્ન પછી યે તેમના જીવનમાં કડવાશ અને વેદના તો રહ્યાં જ. 1917માં કેથેરાઇનને ટ્યુબરક્યુલોસિસ (ટી.બી.) થયો </span></p>
<p><span STYLE="font-family: Shruti">તેમણે <strong>ફ્રાન્સ</strong>માં નિવાસ કર્યો. છ વર્ષ સુધી ટી.બી.ના અસાધ્ય રોગ સામે કેથેરાઇન જંગ ખેલતાં રહ્યાં. </span></p>
<p><span STYLE="font-family: Shruti">આખરી દિવસોમાં કેથેરાઇન <strong>ગુર્જિયેફ (ગુર્જિફ અથવા ગુર્જેફ)</strong> ના શરણમાં પેરિસના નવસ્થાપિત ઇન્સ્ટીટ્યુટ પહોંચ્યાં. </span></p>
<p><span STYLE="font-family: Shruti"><strong>ફ્રાંસના પેરિસ નજીક ફોન્ટેન્બ્લુ-એવન </strong></span><strong><span STYLE="font-family: Shruti">(</span><span STYLE="font-family: Shruti">ફોન્ટે</span><span STYLE="font-family: Shruti">ન્બ્લો</span><span STYLE="font-family: Shruti">-એવન, પેરિસ</span><span STYLE="font-family: Shruti">) </span><span STYLE="font-family: Shruti">ખાતે ગુર્જિયેફ (ગુર્જિફ અથવા ગુર્જેફ) દ્વારા </span><span><font FACE="Times New Roman">“</font></span><span STYLE="font-family: Shruti">ઈંસ્ટીટ્યુટ ફોર ધ હાર્મોનિયસ ડેવલપમેંટ ઓફ મેન</span><span><font FACE="Times New Roman">”</font></span><span STYLE="font-family: Shruti"> </span></strong><span STYLE="font-family: Shruti"><strong>ની સ્થાપના કરવામાં આવી હતી.</strong> પરંતુ જીવનસત્વ ગુમાવી બેઠેલ કેથેરાઇન માટે કોઈ ઉપચાર કારગત ન હતો. રક્તસ્રાવ </span><span STYLE="font-family: Shruti">–</span><span STYLE="font-family: Shruti"> હેમરેજ-<span>  </span>થયા પછી કેથેરાઇન મેન્સફિલ્ડનું અવસાન થયું. </span></p>
<p><span STYLE="font-family: Shruti"><strong>અનામિકા! માત્ર ચોત્રીસ વર્ષની ઉંમરે 1923ના જાન્યુઆરીની 9મી તારીખે ન્યૂઝીલેંડના અંગ્રેજી ભાષાના આ મહાન લેખિકા કેથેરાઇન મેન્સફિલ્ડ દુનિયા છોડી ગયાં.</strong> </span></p>
<p><span STYLE="font-family: Shruti">તેમના મૃત્યુ પછી તેમના પતિ જહોન મરીએ તેમની ડાયરીઓ વ્યવસ્થિત કરી. 1927માં </span><strong><span><font FACE="Times New Roman">“</font></span><span STYLE="font-family: Shruti">ધ જર્નલ ઓફ કેથેરાઇન મેન્સફિલ્ડ</span><span><font FACE="Times New Roman">”</font></span></strong><span STYLE="font-family: Shruti"> પુસ્તક પ્રગટ થયું. </span></p>
<p><span STYLE="font-family: Shruti">ન્યુઝીલેંડનાં ગૌરવ સમાન મહાન લેખિકા કેથેરાઇન મેન્સફિલ્ડની સ્મૃતિમાં તે દેશનાં સાહિત્યજગતમાં બે ઉચ્ચ પારિતોષિકો પ્રતિવર્ષ આપવામાં આવે છે. </span></p>
<p><span STYLE="font-family: Shruti">અનામિકા! છે ને હૃદયના તાર ઝણઝણાવે તેવી દર્દભરી કહાણી? સસ્નેહ આશીર્વાદ.</span></p>
<p><span STYLE="font-family: Shruti">*   *    **    *   **</span></p>
<p><span STYLE="font-family: Shruti"></span><span STYLE="font-family: Shruti"></span><span>Katherine Mansfield (1888 – 1923)<span>  </span></span></p>
<p><span><span></span>Wellington, New Zealand<span>   </span></span></p>
<p><span><span></span>John Murry<span>   </span></span></p>
<p><span><span></span>Gurdjieff<span>  </span><span> </span></span></p>
<p><span><span></span>Institute for the Harmonious Development of Man<span>   </span></span></p>
<p><span><span></span>Fontainebleau-Avon, Paris, France</span></p>
<p><span>.</span></p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[અનામિકાને પત્ર: 18 ]]></title>
<link>http://gujarat2.wordpress.com/2007/04/30/anamika18/</link>
<pubDate>Mon, 30 Apr 2007 02:22:33 +0000</pubDate>
<dc:creator>હરીશ દવે</dc:creator>
<guid>http://gujarat2.wordpress.com/2007/04/30/anamika18/</guid>
<description><![CDATA[પ્રિય અનામિકા,
તારા પત્રો વાંચ્યાં છે.]]></description>
<content:encoded><![CDATA[<p>પ્રિય અનામિકા,</p>
<p>તારા પત્રો વાંચ્યાં છે. કેટલાક સંજોગોને કારણે ઉત્તર આપી શકાતા નથી. ફોન પર તને સમજાવવા પ્રયત્ન કર્યો છે તે મુજબ ધીરજ રાખજે.</p>
<p>આજે તારો એક પ્રશ્ન હાથ પર લઉં છું.</p>
<p>તું પૂછે છે: શ્રેષ્ઠ કાવ્ય શી રીતે સર્જાય?</p>
<p>નાનકડો જવાબ આપું?</p>
<p>સૃષ્ટિના કણ કણમાં પ્રગટેલું સૌંદર્ય નેત્ર ભરી દે, બ્રહ્માંડમાં ખૂણે ખૂણે ઊઠેલો ધ્વનિ કર્ણ ભરી દે, હૃદયનાં અંતસ્તલે ઊઠેલાં સ્પંદનો તમારા અસ્તિત્વની આરપાર ઘુમરાતાં રહે, ત્યારે શૂન્યમાંથી, નિ:શબ્દમાંથી જે શબ્દ પ્રગટે તે શબ્દ તે શ્રેષ્ઠ કાવ્ય.</p>
<p>આજે આટલા ટચૂકડા પત્રથી સંતોષ માનીશ?</p>
<p>સસ્નેહ આશીર્વાદ.</p>
<p>*  *  *  *   *   *  *  *  *  * *</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[અનામિકાને પત્ર: 7 Anamika: 7]]></title>
<link>http://gujarat2.wordpress.com/2006/12/23/anamika7/</link>
<pubDate>Fri, 22 Dec 2006 23:10:58 +0000</pubDate>
<dc:creator>હરીશ દવે</dc:creator>
<guid>http://gujarat2.wordpress.com/2006/12/23/anamika7/</guid>
<description><![CDATA[.
પ્રિય અનામિકા,
તારી અમેરિકન મિત્ર તર]]></description>
<content:encoded><![CDATA[<p>.</p>
<p>પ્રિય અનામિકા,</p>
<p>તારી અમેરિકન મિત્ર તરફથી તને <strong>ટોની મોરિસન</strong>ની નવલકથા <strong>“Beloved” </strong>ભેટ મળી તે જાણ્યું. ગુલામીપ્રથાના આધાર પર લખાયેલી તથા અશ્વેતોની આસપાસ  ગૂંથાતી આ કથા વર્ષોથી ચર્ચામાં રહી છે. મોરિસન સફળ લેખિકા છે. 1993માં <strong>નોબેલ પ્રાઈઝ </strong>તથા 1988માં <strong>પુલિત્ઝર પ્રાઈઝ </strong>વિજેતા છે. આ કૃતિ <strong>“ન્યૂયોર્ક ટાઈમ્સ”</strong>ના તાજેતરના સર્વેમાં છેલ્લા 25 વર્ષની સર્વશ્રેષ્ઠ ફિક્શન-કૃતિ તરીકે પસંદ પામી છે.</p>
<p>તારા યુવાન અમેરિકન મિત્રો આ કૃતિ પર શા માટે વારી ગયા છે? હકીકત એ છે કે અશ્વેતોને થયેલા અમાનવીય અન્યાયને સમજદાર અમેરિકનો ક્યારેય ભૂલી શક્યા નથી. તેથી જ તો દાયકાઓ પછી પણ આવા વિષય પર રચાયેલી કૃતિ સફળ થતી રહે છે. અશ્વેતોના અન્યાયની વાત આવે તો તેમના તારણહાર <strong>અબ્રાહમ લિંકન</strong>ને કેમ ભૂલાય? અમેરિકાના આંગણે ખેલાયેલા એક માત્ર <strong>આંતરવિગ્રહ (1861-1865)</strong>ને કેમ ભૂલાય?</p>
<p>સાચું પૂછો તો, તે સમયે ગુલામીપ્રથા વિરુદ્ધ સમાજમાં જનમત જગાવવામાં એક પુસ્તકે મોટો ફાળો આપેલો હતો. <strong>હેરિયેટ બીચર સ્ટો(સ્ટોવ) </strong>દ્વારા લખાયેલ “<strong>અંકલ ટોમ્સ કેબિન</strong>”. (Uncle Tom’s Cabin by Harriet Beechar Stowe). હું મારા અમેરિકન મિત્રોને આ પુસ્તક વાંચવા આગ્રહ કરતો રહું છું.</p>
<p>આજની પેઢીને સ્વપ્નમાં પણ ખ્યાલ ન આવે કે સુસંસ્કૃત દેખાતા અમેરિકામાં દોઢસો વર્ષ પહેલાં આવી જંગાલિયતભરી ગુલામીપ્રથા અસ્તિત્વમાં હતી. (આ જ પ્રથા યુરોપમાં, ખાસ તો ઈંગ્લેંડમાં પણ હતી!!)</p>
<p>અઢારમી સદીના ઉદય સાથે, વિવિધ યંત્રોના સહારે અમેરિકા અમાપ વિકાસના પંથે દોડવા લાગ્યું. પરિણામે અસંખ્ય શ્રમિકોની જરૂર ઊભી થઈ. પછાત દેશોની પ્રજા શોષણનો ભોગ બની. યુરોપિયન વેપારીઓ આફ્રિકાના અંધારા ખૂણાઓમાંથી નીગ્રો-હબસીઓને પકડી લાવતા. સાંકળોથી બંધાયેલા હબસીઓના જહાજો અમેરિકાના બંદરે આવતાં. અમેરિકાના શહેરોમાં તે હબસીઓ ગુલામ તરીકે વેચાતા.</p>
<p>હેરિયેટની “<strong>અંકલ ટોમ્સ કેબિન</strong>” શરમજનક ગુલામીપ્રથા તેમજ ગુલામોની હ્રદયદ્રાવક દશાનો કરૂણ ચિતાર આપે છે. કથાનો નાયક ટોમ નામનો ખૂબ જ ભલો અને નીતિવાન હબસી છે. તે વેચાતો રહે છે; તેના માલિકો બદલાતા રહે છે. ટોમ કોઈ પણ ફરિયાદ વિના, ઈશ્વર પર શ્રદ્ધા રાખી પોતાના ગોરા માલિકોની વફાદારીથી સેવા કરતો જાય છે. અન્ય ગુલામ સાથીઓને મદદ કરતો રહે છે; તેમના દુ:ખમાં હિસ્સો લઈ તેમને હિંમત આપતો રહે છે. આવા નેકદિલ, ફરિશ્તા સમા ટોમનું મૃત્યુ  વાચકને હચમચાવી દે છે! રડાવી દે છે!</p>
<p>નવલકથાના અન્ય પાત્રોમાં પાકો વેપારી હેલિ છે; દેવદૂત સમા પત્રો સેંટ ક્લેર અને તેમની નાનકડી પુત્રી ઈવા છે, તો શયતાન સમો માલિક લેગ્રી પણ છે. કમનસીબ ગુલામો પ્રૂ, ટોપ્સી અને રોઝા છે. દર્દનાક કથા ગૂંથાતી રહે છે.</p>
<p><strong>નવલકથામાં નીગ્રો ગુલામો પરના પાશવી અત્યાચારોનું વર્ણન વાચકને કંપાવી દે છે. </strong>ભરબજારે બેડીઓથી જકડાયેલ  અર્ધનગ્ન સ્ત્રી-પુરુષો-બાળકો! તેમની કિંમત નક્કી કરવા બેશરમીથી તેમના અંગ-ઉપાંગ તપાસતા ખરીદદારો! ગોરા માલિકો પર ઘૃણા થઈ આવે છે. બજારમાં પતિથી વિખૂટી પડતી હબસી સ્ત્રી અને માતાથી છૂટા પડતાં બાળકોનાં આક્રંદ આપણું કાળજું કંપાવી દે છે. માલિકોને ત્યાં રાત-દિવસ તનતોડ મહેનત કરતા ગુલામોની વ્યથા; તેમાંયે જો જરા સી ચૂક થઈ તો  ખુલ્લા દેહ પર પડતા ચાબૂકના સટાકા અને તેમની દર્દનાક ચીસો તમારા કાનમાં દિવસો સુધી ગૂંજ્યા કરે છે.</p>
<p>હેરિયેટની “અંકલ ટોમ્સ કેબિન” એક ધારાવાહિક તરીકે <strong>વોશિંગ્ટનના “નેશનલ એરા”</strong> માં  પ્રસિદ્ધ થવી શરૂ થઈ (1851) અને પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ. હેરિયેટે લખ્યું છે કે તેને પુસ્તક્ના વેચાણમાંથી કાંઈ નહીં તો, એક સિલ્ક ડ્રેસ ખરીદી શકાશે તેટલી કમાણીની આશા હતી. આવા વિવાદાસ્પદ વિષય પર પુસ્તક ખરીદનારા કેટલા? ચમત્કાર થયો! પ્રથમ વર્ષમાં જ ત્રણ લાખ નકલો વેચાઈ ગઈ! વેચાણ ઉત્તરોત્તર વધતું જ ચાલ્યું. સાથે ગુલામીપ્રથા વિરુદ્ધ જનમત જાગૃત થતો ગયો. ગુલામીના મુદ્દા પર અમેરિકા બે ભાગમાં વહેંચાઈ ગયું; દક્ષિણના રાજ્યોને ગુલામીની પ્રથા ચાલુ રાખવી હતી, ઉત્તરના રાજ્યોને તે જંગલી પ્રથા ખપતી ન હતી. <strong>અમેરિકન પ્રેસિડેન્ટ લિંકન</strong> પાસે વિકલ્પ ન હતો. <strong>અમેરિકાના ઉત્તર અને દક્ષિણનાં રાજ્યો વચ્ચે આંતરવિગ્રહ થયો (1861-65)</strong>. ઉત્તરના હજારો વીર સિપાઈઓએ ઉમદા ધ્યેય કાજે શહાદત વહોરી તે ફળી. ઉત્તરના રાજ્યોની જીત થઈ. ગુલામીપ્રથા નાબૂદ થઈ.</p>
<p>કરૂણતા એ કે યુદ્ધસમાપ્તિ ટાંકણે જ લિંકનની હત્યા થઈ!</p>
<p>ગુલામીપ્રથાનો અંત આવ્યો. માનવસંસ્કૃતિની રક્ષા થઈ. શ્રેય કોને આપશું?</p>
<p><strong>“Beloved”</strong>ની કહાણી જુદી છે. પરંતુ, અનામિકા! હવે તું તારી આગવી દ્રષ્ટિથી તેને મૂલવી શકીશ. વિચારજે અને તારા મિત્રો સાથે ચર્ચા કરજે. ... સસ્નેહ આશીર્વાદ.</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[અનામિકાને પત્ર: 5]]></title>
<link>http://gujarat2.wordpress.com/2006/12/21/anamika5/</link>
<pubDate>Wed, 20 Dec 2006 22:53:46 +0000</pubDate>
<dc:creator>હરીશ દવે</dc:creator>
<guid>http://gujarat2.wordpress.com/2006/12/21/anamika5/</guid>
<description><![CDATA[.
પ્રિય અનામિકા,
ટોલ્સ્ટોયની કહાણી વાં]]></description>
<content:encoded><![CDATA[<p>.</p>
<p>પ્રિય અનામિકા,</p>
<p>ટોલ્સ્ટોયની કહાણી વાંચી તારી સ્ત્રીસહજ સંવેદનાઓ જાગી ઊઠી લાગી છે. તેં “અન્ના કેરેનિના” વિષે પૃચ્છા કરી છે. ચાલ, આજે અન્નાની વાત.</p>
<p>વર્ષો વીતી ગયાં છે અન્ના વાંચ્યે. વાર્તાના નોંધેલા મુદ્દા તથા આછી-પાતળી સ્મૃતિના આધારે તને અન્નાની વાર્તા કહીશ.  પહેલાં વાર્તાની પૂર્વભૂમિકા......</p>
<p>1872નું વર્ષ. રશિયાનું એક રેલ્વે સ્ટેશન.</p>
<p>મેદની એકઠી થયેલી છે. સંયોગવશ ટોલ્સ્ટોય ત્યાંથી પસાર થઈ રહ્યાં હોય છે. કૂતુહલવશ ટોસ્ટોય પણ ભીડ પાસે પહોંચે છે. આઘાત પામે છે. એક સ્વરૂપવાન યૌવનાનો  મૃતદેહ પડેલો છે. યુવતી ટ્રેઈન નીચે કૂદીને કપાઈ ગઈ છે. પોલિસ પૂછપરછ કરી રહી છે.</p>
<p>ટોલ્સ્ટોય હચમચી જાય છે. ભીની આંખે તેઓ યૌવનાના મૃતદેહને નિહાળ્યા કરે છે. ક્ષત-વિક્ષત દેહમાંથી યે ખૂબસૂરતી  છલકાઈ રહી છે. અપ્રતિમ દેહસૌંદર્યનો આવો અંજામ? શું જીવનની કરૂણતા આ રીતે પણ પ્રગટ થઈ શકે? ટોલ્સ્ટોય તે યુવતી વિષે માહિતી એકત્ર કરે છે.</p>
<p>તે સુંદર યુવતી હતી અન્ના. પરિણીત હતી. યુવાનીની સ્વચ્છંદતાનો અને દુ:ખી દાંપત્યજીવનનો ભોગ બનીને તેણે આત્મહત્યા કરી હતી. ટોલ્સ્ટોયના  મનમાં વાર્તા ઘુમરાવા લાગે છે અને સર્જન પામે છે નવલકથા: “અન્ના  કેરેનિના”.</p>
<p>ચાલો, આપણે “અન્ના કેરેનિના”નાં પૃષ્ઠો ઉથલાવીએ.</p>
<p>અન્નાના લગ્ન થયા છે એલેક્સી સાથે. પતિ-પત્ની પિટર્સબર્ગમાં રહે છે.</p>
<p>એલેક્સી ઉંમરમાં અન્ના કરતાં વીસેક વર્ષ મોટો છે. ઊંચી પદવી પર ઓફિસર છે. માન-મરતબો છે. નામ છે. તે પ્રેમાળ છે, પરંતુ કારકિર્દી બનાવવામાં એવો વ્યસ્ત છે કે તેનું અંગત જીવન ખાડે જતું જાય છે. ઉષ્માવિહીન દાંપત્યજીવનથી અન્ના દુ:ખી છે. સાત વર્ષના પુત્રના સહારે તે આશા રાખીને જીવન પસાર કરતી રહે છે.</p>
<p>અન્નાનો ભાઈ ઓબ્લોન્સ્કી વૈભવી પાટનગર મોસ્કોમાં રહે છે. ઓબ્લોન્સ્કીને વગદાર શ્રીમંતો સાથે ઘરોબો છે. કિટ્ટી તેની યુવાન સાળી છે, જે પોતાનું મિત્ર-વર્તુળ વધારી રહી છે. કિટ્ટી બે શ્રીમંતોથી આકર્ષાઈ છે, પરંતુ તેને સમજાતું નથી કે તે કોના પ્રેમમાં છે.....એક છે ઉમરાવ કાઉન્ટ વ્રોન્સ્કી; બીજો છે જમીનદાર લેવિન. રંગીન મિજાજ વ્રોન્સ્કી ભ્રમરવૃત્તિનો છે. લેવિન વિચારશીલ, ઠરેલ પ્રકૃતિનો છે.</p>
<p>એક વાર અન્ના મોસ્કો પોતાના ભાઈ ઓબ્લોન્સ્કીને ત્યાં આવે છે. બસ, પાર્ટી અને મોજશોખમાં તે ડૂબી જાય છે. તેના શુષ્ક જીવનમાં કૂંપળો ફૂટવા લાગે છે. એક ડાન્સ પાર્ટીમાં વ્રોન્સ્કી કિટ્ટીને પડતી મૂકી અન્નાને પોતાની પાર્ટનર બનાવે છે.</p>
<p>બસ, આ ટર્નિગ પોઈંટ છે. અન્ના વ્રોન્સ્કીના મોહક ઈશ્કમાં પાગલ બની બેસે છે. ભારે હૈયે પતિગૃહે પાછી તો ફરે છે, પણ ઘણું બધું ખોઈને ... તેની પાછળ પાછળ વ્રોન્સ્કી પણ પિટર્સબર્ગ પહોંચે છે. અન્નાના દાંપત્યજીવનમાં તોફાન જાગે છે. પતિ સમજાવે છે; અન્ના અંધ થતી જાય છે. સમાજમાં બદનામીના ડરથી એલેક્સી પત્નીને તલાક આપવા તૈયાર નથી. મજબૂર થઈ લાચાર એલેક્સી અન્નાની બેવફાઈ નિભાવ્યે જાય છે.</p>
<p>મોસ્કોમાં કિટ્ટી સમજદારીથી જીવન સંભાળી લે છે. તે ધીર, ગંભીર લેવિન સાથે પોતાનો સંસાર સજાવી લે છે. તેમનું દાંપત્ય જીવન સુખી બને છે.</p>
<p>અન્ના તમામ મર્યાદાઓ તોડીને વ્રોન્સ્કીને સર્વસ્વ અર્પણ કરે છે અને વ્રોન્સ્કીની પુત્રીને જન્મ આપે છે. પરંતુ લગ્નવિચ્છેદ સિવાય અન્ના વ્રોન્સ્કીનો સંસાર સજાવે કેવી રીતે? એલેક્સી તલ્લાક માટે તૈયાર નથી. પતિ અને પ્રેમી વચ્ચે અન્ના પિસાતી રહે છે..... રિબાતી રહે છે. છેવટે ધસમસતી ગુડ્ઝ ટ્રેઈન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવે છે.</p>
<p>ટોલ્સ્ટોયની આ કરૂણાંતિકા “અન્ના કેરેનિના” ઘણી પ્રસિદ્ધિ પામી છે.</p>
<p>વર્તમાન સમયમાં ગુજરાતી યુવાન-યુવતીઓ વિશ્વના ‘ક્લાસિક’ સાહિત્ય પ્રત્યે ઉદાસીન હોવાનું ઘણી વખત કહેવાય છે. તેઓ ઘણી વાર પ્રશ્નો કરે છે: સર, અમે શું વાંચીએ? કદાચ ગદ્ય કરતાં પદ્ય તરફ ઝોક વધ્યો છે. ભલે; તેમાં ખોટું કાંઈ નથી. પણ ‘ક્લાસિક’ ગદ્યનો રિશ્તો પણ રહેવો જોઈએ. દોસ્તો! મુનશી અને દર્શક વાંચો; શરદબાબુ અને પ્રેમચંદ વાંચો .... રોમાં રોલાં કે દોસ્તોએવ્સ્કી પણ વાંચો ..... જો બધાની કૃતિઓ વાંચવી શક્ય ન હોય તો તેમના વિષે જાણવાનું તો ન જ ચૂકો. કૃતિઓ અને કૃતિકારનો સાધારણ પરિચય તો અવશ્ય મેળવો જ. તે તમારા જીવનમાં રંગ પૂરશે! બસ, મારે આટલું જ જોઈએ છે!</p>
<p>સસ્નેહ આશીર્વાદ .</p>
]]></content:encoded>
</item>

</channel>
</rss>
