<?xml version="1.0" encoding="UTF-8"?><!-- generator="wordpress.com" -->
<rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	>

<channel>
	<title>સંપાદકીય &amp;laquo; WordPress.com Tag Feed</title>
	<link>http://wordpress.com/tag/સંપાદકીય/</link>
	<description>Feed of posts on WordPress.com tagged "સંપાદકીય"</description>
	<pubDate>Tue, 07 Oct 2008 16:57:31 +0000</pubDate>

	<generator>http://wordpress.com/tags/</generator>
	<language>en</language>

<item>
<title><![CDATA[દ્વિતીય વર્ષના ઉષાકાળે]]></title>
<link>http://sureshbjani.wordpress.com/2007/05/28/second_yr/</link>
<pubDate>Mon, 28 May 2007 05:55:20 +0000</pubDate>
<dc:creator>સુરેશ</dc:creator>
<guid>http://sureshbjani.gu.wordpress.com/2007/05/28/second_yr/</guid>
<description><![CDATA[પ્રિય વાચકો, 
         આજે આ પ્રવૃત્તિને ]]></description>
<content:encoded><![CDATA[<h1><font color="#ff0000">પ્રિય વાચકો,</font> </h1>
<p>         આજે આ પ્રવૃત્તિને એક વર્ષ પૂરું થયું. <a target="_blank" href="http://sureshbjani.wordpress.com/2006/05/28/father_wallace/"><strong>ફાધર વાલેસ</strong></a> ની જીવનઝાંખીથી શરુ થયેલી યાત્રા <a target="_blank" href="http://sureshbjani.wordpress.com/2007/05/28/madhav_ramanuj/"><strong>માધવ રામાનુજ </strong></a> સુધી પહોંચી છે. સાથે ગુજરાતના ગાંધીયુગના મહાકવિ શ્રી.  <a target="_blank" href="http://sureshbjani.wordpress.com/2007/05/28/nhanalal/"><strong>ન્હાનાલાલ</strong></a> નો પરિચય પણ આજે મઠારીને ફરીથી પ્રકાશિત થાય છે. આ અમારે માટે બહુ આનંદની ઘટના છે. ગુજરાતી બ્લોગ જગતમાં પાયોનીયર કહી શકાય તેવાં, અને જેમના અમૂલ્ય સૂચનોથી હું અને મારા જેવા ઘણા બ્લોગ જગતમાં   પા પા પગલી કરતા થયા, એવાં એસ.વી. બહેને આ બ્લોગને સૌથી પહેલાં વધાવ્યો હતો. તેમના એ શબ્દો દોહરાવતાં મને ઘણો આનંદ થાય છે -</p>
<h2><font color="#0000ff">   "Let me be the first one to congratulate you. It is a great idea. Thank you for doing it."  -  S.V.   -   </font><font color="#000000"><em>May 28, 2006 @ </em></font><a href="http://sureshbjani.wordpress.com/2006/05/28/hello-readers/#comment-2"><em><font color="#b54141">11:31 am</font></em></a></h2>
<p>        અને <a target="_blank" href="http://www.forsv.com/guju/?p=493"><strong><font color="#ff0000">આ દીવસને અનુરૂપ રચના</font></strong></a>  તેમણે    પોતાના અત્યંત વ્યસ્ત જીવનમાંથી સમય કાઢીને એક દિવસ અગાઉથી પ્રેમપૂર્વક બનાવી છે - આ બ્લોગ પરની જ બધી સામગ્રી (! ) વાપરીને. આભાર એસ.વી. !</p>
<p>         '<strong><font color="#008000"> સ્ત્રી સારસ્વત સપ્તાહ'</font></strong> ને મળેલા આવકારથી પ્રેરાઇને આવતી કાલે  એક વધારે સ્ત્રી સારસ્વતની જીવનઝાંખી તમને વાંચવા મળશે. અને એ સાથે કુલ જીવનઝાંખીઓ <a target="_blank" href="http://sureshbjani.wordpress.com/anukram/"><strong>270 ની સંખ્યાએ</strong></a>  પહોંચશે. આ શુભ ઘડીએ મને એ જણાવતાં બહુ જ આનંદ થાય છે કે, મૂળ જામનગરના અને હાલ વ્યવસાય અર્થે દુબાઇ રહેતા <a target="_blank" href="http://jamnagar123.blogspot.com/"><strong><font color="#008000">જામનગરના 'જામસાબ' (!) શ્રી. નીલેશ વ્યાસ</font></strong></a>  અમારી સાથે ' તંત્રી ટોળી માં જોડાયા છે અને આવતીકાલની ટપાલ તેમના હસ્તે પીરસાશે.      </p>
<p>            આખા વર્ષ દરમિયાન આપ સૌએ આપેલા પ્રતિભાવ અને પ્રોત્સાહન બદલ અમે સૌ આપના અંતઃકરણ પૂર્વક ઋણી છીએ. આવનાર વર્ષમાં પણ આપ સૌનો આવો જ સહકાર મળશે તેની અમને ખાતરી છે.<br />
        આજના શુભ દિને અમે નીચે મુજબના નવા વિભાગો પણ શરુ કરી રહ્યા છીએ.</p>
<ol>
<li><strong><a target="_blank" href="http://sureshbjani.wordpress.com/?page_id=739"><font color="#0000ff">પુસ્તક પરિચય<br />
</font></a></strong>અમારા વાંચવામાં આવેલા<font color="#0000ff"> </font><font color="#000000">અને અમને બહુ જ ગમેલાં પુસ્તકોનો ટૂંક પરિચય અહીં આપવામાં આવશે.</font></li>
<li><a target="_blank" href="http://sureshbjani.wordpress.com/?page_id=738"><font color="#0000ff"><strong>વેબ પર જાણો અને માણો</strong><br />
</font></a>અમારા ધ્યાનમાં આવેલી ગુજરાતી સાહિત્ય રસિકોને રસ પડે અને કામમાં આવે તેવી વેબ સાઇટોનો ટૂંક પરિચય અને તેમની લીન્ક અહીં આપવામાં આવશે.</li>
<li><a target="_blank" href="http://sureshbjani.wordpress.com/author_study/"><font color="#0000ff"><strong>લેખક અભ્યાસ</strong><br />
</font></a>લેખકના જીવન અને કવન વિશેના અભ્યાસલેખો અહીં પ્રકાશિત કરવામાં આવશે. એક શરુઆત તરીકે શ્રી. ન્હાનાલાલ કવિ અને શ્રી. માધવ રામાનુજના સાહિત્યની એક નાનીશી ઝલક આજે પ્રકાશીત કરીએ છીએ.</li>
<li><a target="_blank" href="http://sureshbjani.wordpress.com/?page_id=774"><strong><font color="#0000ff">સારસ્વતોનું અવનવું</font></strong></a>  અહીં અવનવી , જાણવા જોગ માહિતી અવાર નવાર પ્રસીધ્ધ કરવામાં આવશે. શરુઆત કરી છીએ, <a target="_blank" href="http://sureshbjani.wordpress.com/2007/05/28/couples/"><font color="#ff6600">'સારસ્વત દંપતીઓ'</font></a>  થી .....</li>
</ol>
<p>         ઉપરોક્ત પહેલા ત્રણ વિભાગો માટે જો વાચકો ગુજરાતી યુનીકોડ ‘શ્રુતિ’ ફોન્ટમાં વિગતો ટાઇપ કરીને મોકલશે તો તે નામ સાથે પ્રસિધ્ધ કરવામાં આવશે.</p>
<p>      પહેલી ટપાલની સાથે આપેલી સૂચના અહીં ફરી દોહરાવીએ છીએ.</p>
<blockquote></blockquote>
<blockquote><p><em>"      સર્જકોના જીવનની માહિતીની સાથે તેમની રચનાનો પણ એકાદ ઘૂંટ પીવા મળે તો સોનામાં સુગંધ ભળે તે ભાવથી પ્રેરાઇને, જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં સર્જકની  થોડીક રચનાઓ અથવા તેની લીન્ક આપવા પણ અમે પ્રયત્ન કર્યો છે. જો આમ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે, કોઇ માહિતીદોષ જણાય,  કોઇ સુરુચિનો ભંગ થયેલો લાગે અથવા કોઇની લાગણી દુભાઇ હોય તો અને અમને જાણ કરશો. અમે સત્વરે  આ અંગે ઘટતું કરી આવી માહીતિ ને  અહીંથી વિદાય કરીશું.</em></p>
<p><em>        પણ અમને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના  પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.</em> "</p></blockquote>
<blockquote><p>      બીજી એક  વાત. કોઇ પણ ચીજ વિના મૂલ્યે મળતી નથી. આથી અમે પહેલી વાર આપ સૌ પાસે આ પ્રયત્નોના બદલામાં કંઇક મેળવવાની આશા રાખીએ છીએ ! અને તે છે.......... </p>
<ul>
<li>ગુજરાતી પ્રજાની અસ્મિતાને ગૌરવવાન બનાવવા આપણે સૌ સંકલ્પ કરીએ.</li>
<li>ગુજરાતી લોકો માત્ર લક્ષ્મીના પૂજારી નથી પણ સારસ્વતોનું પણ બહુમાન  કરે છે તેની જગને પ્રતીતિ કરાવવા આપણે સભાન રીતે અહર્નિશ પ્રયત્નો કરીએ.</li>
<li>દરેક વાચક ઓછામાં ઓછા દસ નવા વાચકોને આ બ્લોગ નિયમિત વાંચવા પ્રેરિત કરવા પ્રયત્ન કરે. અને બીજા ગુજરાતી બ્લોગો અને વેબ સાઇટોથી તેમને માહિતગાર કરે.</li>
<li>બ્લોગ કે વેબ સાઇટ ઉપર કોઇ પણ સાહિત્ય કે વ્યક્તિના જીવનની ઝલક જ આપી શકાય. આ માધ્યમ પુસ્તકોનો વિકલ્પ ન થઇ શકે. વાચકોને નમ્ર વીનંતિ કે, પોતાના ઘરમાં પોતાને ગમતા પુસ્તકોનું એક નાનું શું પુસ્તકાલય જરુર રાખે, જેથી નવી પેઢી આપણા અણમોલ સાહિત્યનું રસપાન કરવા પ્રેરાય.</li>
</ul>
<p>અસ્તુ.</p></blockquote>
<blockquote><p><a target="_blank" href="http://sureshbjani.wordpress.com/sankalan/"><strong><font color="#ff0000">તંત્રીમંડળ</font></strong></a>  વતી,</p>
<p>સુરેશ જાની</p></blockquote>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[પ્રથમ વર્ષ]]></title>
<link>http://sureshbjani.wordpress.com/2007/05/21/first_year/</link>
<pubDate>Mon, 21 May 2007 08:00:31 +0000</pubDate>
<dc:creator>સુરેશ</dc:creator>
<guid>http://sureshbjani.gu.wordpress.com/2007/05/21/first_year/</guid>
<description><![CDATA[&lt;     28 - મે , 2006    &gt;
          અહીં પહેલી ટપા]]></description>
<content:encoded><![CDATA[<h1 align="center"><font color="#ff00ff">&#60;     28 - મે , 2006    &#62;</font></h1>
<p>          અહીં પહેલી ટપાલ પ્રગટ કરી હતી. ' <a target="_blank" href="http://sureshbjani.wordpress.com/2006/05/28/father_wallace/"><strong>ફાધર વાલેસ </strong></a>' ની જીવનઝાંખી આપીને. તે વખતના થોડાક શબ્દો .......</p>
<p><em>"....   <strong><a target="_blank" href="http://sureshbjani.wordpress.com/2006/05/28/request/">પહેલો સર્જક પરિચય ફાધર વાલેસથી આપું છું. સ્પેનમાં જન્મેલી આ વિરલ વ્યક્તિએ માત્ર ગુજરાતી ભાષાને પોતીકી જ બનાવી નથી, પણ ભારતીય સંસ્કારોને ઘણા સારી રીતે સમજ્યા છે અને સમજાવ્યા છે. મારા જેવા ઘણાને યુવાનીમાં તેમના લેખોએ જીવનનું અમૂલ્ય માર્ગદર્શન આપ્યું છે. તેમને મારો આ બ્લોગ સાદર અર્પણ કરતાં મને અત્યંત આનંદ થાય છે.</a></strong></em></p>
<p><em><strong><a target="_blank" href="http://sureshbjani.wordpress.com/2006/05/28/request/">  --     આ એક બહુ જ મોટું કાર્ય મેં ઉપાડ્યું છે. પણ આપણા સાહિત્યકારોને આપણે નેટ ઉપર સન્માનિત કરવા હોય અને તેમને માટે ગુજરાતી વાચકોને માહિતગાર કરવા હોય તો આ એક મદદગાર સ્થળ બની રહેશે તેવી મને આશા છે</a></strong>."</em></p>
<p>       હવે થોડુક આ પ્રવૃત્તિ કેમ હાથ ધરી તે વિશે. મને કવિતા વાંચવી ગમે. વાંચતાં હંમેશ એમ થાય કે, આ કવિને આવો વિચાર આવે છે અને મને કેમ નથી આવતો? ! વળી એમ પણ વિચાર આવે કે, આ લોકોનું જીવન કેવું હશે? મારી પાસે 'ગુર્જર સાહિત્ય' ની ચોપડીઓનો સેટ હતો.તેમાં દરેક ચોપડીની પાછળ તે લેખકની જીવનઝાંખી અહીં આપીએ છીએ તેવા જ લગભગ બીબામાં આપેલી હતી. ઇતિહાસ અને જીવનચરિત્રો વાંચવા આમે ય મને ગમે. તરત જ બીજો વિચાર આવ્યો કે આ બધાને વહેંચું તો?  નવી નવી શરુ કરેલી બ્લોગીંગની પ્રવૃત્તિને કારણે આ વિચાર આવ્યો. અને તરત જ તેનું અમલીકરણ કર્યું. અને ફાધર વાલેસ મારા છાપે ચઢી ગયા !તેમની વેબ સાઇટ પરથી તેમનો સમ્પર્ક સાધ્યો અને તેમના ખુદના આશિર્વાદ પણ મને સાંપડ્યા.</p>
<p>         <strong><font color="#ff0000">આજથી સાત દિવસ પછી, એ ઘટનાને એક વર્ષ પૂરું થશે.</font></strong></p>
<p>          તે દિવસે હું એકલો આ કામ ખભે લઇને નીકળ્યો હતો. આજે અમે સાત જણ આ કામમાં યોગદાન આપી રહ્યા છીએ. આજની તારીખમાં <a target="_blank" href="http://sureshbjani.wordpress.com/anukram/"><strong>263</strong>  <strong>જીવનઝાંખી</strong> </a>આ બ્લોગ પર આકાર લઇ ચૂકી છે. તમારા બધાના સહકાર અને પીઠબળ વગર આ શક્ય ન બન્યું હોત. અમે આપ સૌએ પાઠવેલા પ્રતિભાવોથી અભિભૂત છીએ અને આપના અંતઃકરણપૂર્વક ઋણી છીએ.  </p>
<p>          આ પ્રસંગને અનુરૂપ એક વિશિષ્ઠ સપ્તાહનું આયોજન અમે કર્યું છે. આજથી શરુ કરીને સાત દિવસ સુધી દરરોજ એક સ્ત્રી - સારસ્વતની જીવનઝાંખી અહીં આપવામાં આવશે. આજની જીવનઝાંખી અમારી તંત્રી ટોળીના સૌથી યુવાન ( એટલે કે સૌથી છેલ્લા જોડાયેલા મિત્ર) <strong>શ્રી જય ભટ્ટે</strong> આપેલી છે - સુરતના સમર્થ વાર્તાકાર બહેનશ્રી <a target="_blank" href="http://sureshbjani.wordpress.com/2007/05/21/himanshi_shelat/"><strong>હિમાંશી શેલત</strong></a>  ની ...... </p>
<p>          આજથી આઠમા દિવસે ગુજરાતી નેટ  વાચકોને અમે થોડીક ખાસ આશ્ચ્રર્યકારી ભેટ  આપીશું.</p>
<p>-  <strong> અમીત પીસાવાડીયા, ઉર્મીસાગર, જય ભટ્ટ,</strong> <strong>જયશ્રી ભક્ત, જુગલકીશોર વ્યાસ,  સુરેશ જાની, હરીશ દવે......... </strong>      </p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[સુધારક સપ્તાહ]]></title>
<link>http://sureshbjani.wordpress.com/2007/02/25/sudharak_yug/</link>
<pubDate>Sun, 25 Feb 2007 13:03:40 +0000</pubDate>
<dc:creator>સુરેશ</dc:creator>
<guid>http://sureshbjani.gu.wordpress.com/2007/02/25/sudharak_yug/</guid>
<description><![CDATA[મિત્રો,    
&#8220;વીર સત્ય ને રસિક ટેકીપણુ]]></description>
<content:encoded><![CDATA[<p><font size="4">મિત્રો,  </font><font size="4">  </font></p>
<p><font size="4">"<strong>વીર સત્ય ને રસિક ટેકીપણું,  અરિ પણ ગાશે દિલથી</strong>." </font></p>
<p><font size="4"> આજે <a target="_blank" href="http://sureshbjani.wordpress.com/2007/01/19/narmad/"><strong>વીર નર્મદ</strong></a>  ની પૂણ્યતિથી છે. </font></p>
<p><font size="4">ગુજરાતના આ પનોતા પુત્રની યાદમાં <strong>'ગુજરાતી સારસ્વત પરિચય</strong> ' એક વિશિષ્ઠ સપ્તાહ ઉજવે છે. આ સપ્તાહ દરમિયાન અમે દરરોજ 'સુધારક યુગ' ના એક સાક્ષરની જીવનઝાંખી અહીં પ્રકાશિત કરીશું .  ગુજરાતી સાહિત્યના આ એવા વિદ્વાનો છે કે જેમણે નર્મદે પ્રગટાવેલી જ્યોતને પ્રજ્વલિત રાખી અને ગુજરાતના સાહિત્ય અને સમાજ જીવનમાં એક નવું પરિવર્તન , એક નવો રેનેસાં ઉદ્દીપિત કર્યો.  આપણી વહાલી <strong>'મા ગુર્જરી'</strong> ના મંદિરના પાયાની ઈંટો જેવા આપણા આ લાડીલા અને પૂજ્ય પૂર્વજોને સ્નેહાંજલી અર્પીને આપણે આપણું ઋણ અદા કરીએ.  </font></p>
<p><font size="4">આ સપ્તાહની પહેલી જીવનઝાંખી છે - </font></p>
<p><font size="6" color="#ff0000"><strong><a target="_blank" href="http://sureshbjani.wordpress.com/2007/02/25/bholanath_sarabhai/">ભોળાનાથ સારાભાઇ </a></strong></font></p>
<p><font size="4">મને જણાવતાં અત્યંત આનંદ થાય છે કે, આ આખા આયોજનનો યશ અમારા લાડીલા   સખા શ્રી. જુગલકિશોર વ્યાસ ને જાય છે. અમે લાડમાં તેમને જુગલકાકા કહીએ  છીએ !   </font></p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[દ્વિતીય શતક]]></title>
<link>http://sureshbjani.wordpress.com/2007/01/25/dwitiy_shatak/</link>
<pubDate>Thu, 25 Jan 2007 07:00:51 +0000</pubDate>
<dc:creator>સુરેશ</dc:creator>
<guid>http://sureshbjani.gu.wordpress.com/2007/01/25/dwitiy_shatak/</guid>
<description><![CDATA[        28મી મે 2006 ના રોજ શરુ કરેલી આ યાત્ર]]></description>
<content:encoded><![CDATA[<p>        28મી મે 2006 ના રોજ શરુ કરેલી આ યાત્રા લગભગ આઠ મહીના બાદ આ મુકામે પહોંચી છે. પહેલો પરિચય આદરણીય <a target="_blank" href="https://sureshbjani.wordpress.com/2006/05/28/father_wallace/">શ્રી. ફાધર વાલેસ </a>નો આપ્યો ત્યારે આ સંપાદનકાર્યમાં હું એકલો હતો. આજે મારી સાથે પાંચ સાથીદારો છે.</p>
<p>          આજનો પરિચય બે વિરલ પ્રતિભાઓથી આપીએ છીએ -  <a target="_blank" href="http://sureshbjani.wordpress.com/2007/01/25/jaya_bhikkhu/"><strong>સ્વ. શ્રી જયભિખ્ખૂ</strong> </a>અને તેમના પુત્ર <strong><a target="_blank" href="http://sureshbjani.wordpress.com/2007/01/25/kumarpal_desai/">શ્રી. કુમારપાળ દેસાઇ</a>. </strong> આ પિતા-પુત્રની જોડીએ ગુજરાતી સાહિત્યને 400 થી વધુ પુસ્તકોની લ્હાણ કરી છે. અને તેમનું કેટલું બધું સર્જન કાર્ય તો હજી ગ્રંથબધ્ધ પણ થયું નથી ! શ્રી. કુમારપાળ દેસાઇ ગુજરાતી સાહિત્ય પરિષના પમુખ તરીકે,  તેમની અમૂલ્ય વહીવટી કાર્યદક્ષતા અને બહોળા જ્ઞાન અને અનુભવનો લાભ મા ગુર્જરીની સેવામાં આપી રહ્યા છે તે આપણા સૌને માટે  બહુ જ આનંદની વાત છે.        </p>
<p>         સૌથી વધારે આનંદની વાત તો એ છે કે અમારા આ પ્રયાસોની ખાસ નોંધ લઇ તેમણે તેમના જીવન સૂત્ર જેવું નીચેનું વાક્ય આજના પ્રસંગે પ્રકાશિત કરવા સ્વમુખે આપ્યું છે :   <br />
      " <font color="#ff007f"> જીવન એટલે સત્યની ખોજ. અને એ ખોજ માટે વ્યક્તિ સતત પ્રયાસ કરે છે.એના ભીતરમાં વસતા આત્માનું સત્ય અને બાહ્ય વિશ્વનું સત્ય પામવાનો એનો પુરુષાર્થ હોય છે. અને એક ભૂમિકા એવી આવે છે કે જ્યારે આ બંને સત્ય વચ્ચે એક પરમ સંવાદ રચાય છે.અને એ સત્યના અંશોમાંથી માનવી પરમ સત્ય પ્રાપ્ત કરે છે.આની પ્રાપ્તિ માટે એને બાહ્ય-ભીતર જીવનને ઘડવું પડે છે.અને એ દ્વારા પરમ ચૈતન્યનો અનુભવ  કરીને  આપોઆપ પરમ સત્યની પ્રાપ્તિ કરે છે. " </font> </p>
<p>    આ માટે અમે સૌ તંત્રીમંડળના સભ્યો શ્રી. કુમારપાળ દેસાઇના અત્યંત ઋણી છીએ.         </p>
<p>આજે અહીં આપવામાં આવેલ પરિચયોની સંખ્યા 201 પર પહોંચી છે. મુલાકાતીઓ 20,000ની ઉપર થયા છે અને રોજ આશરે 200 વ્યક્તિઓ અહીં આપવામાં આવતા પરિચયો વાંચે છે. એન્ટાર્કટીકા(!) અને દક્ષિણ અમેરીકા સિવાય પૃથ્વીના બધા ખંડોમાં પથરાયેલા વ્હાલા ગુજરાતીઓ આ સામગ્રીનો લાભ લે છે. આપે એ પણ નોંધ્યું હશે કે માત્ર સંખ્યાથી જ સંતોષ ન માનતાં જેમ જેમ નવી માહીતિ ઉપલબ્ધ થાય તેમ તેમ,  આપવામાં આવેલ પરિચયો ફરીથી વાચકો સમક્ષ મૂકવાનો પ્રયત્ન પણ અમે આ સપ્ત્તાહથી શરૂ કર્યો છે. આ સાત દિવસોમાં ચાર જ પરિચયો નવા છે. બાકીના ચારની નવી આવૃત્તિ અમે ઘણા સુધારા વધારા સાથે પ્રસિધ્ધ કરી છે.</p>
<p>          મારા નમ્ર મન્તવ્ય પ્રમાણે ' <strong>ગુજરાતી નેટ જગત'</strong> એ ગુજરાતી સાહિત્યના વિકાસના ઇતિહાસમાં એક નવા યુગનો પ્રારંભ છે. હેમચન્દ્રાચાર્યની પ્રથમ પગલી અને દલપતરામ, દુર્ગારામ મહેતાજી અને નર્મદથી શરુ થયેલી આધુનિક ગુજરાતી સાહિત્યની અવિરત કૂચકદમ આ નવા માધ્યમના સહારે જેટની ગતિથી એકવીસમી સદીમાં આગળ ધસી રહી છે. આપણી વ્હાલી અને મહાન ભાષાના કસબીઓને સત્કારવાનો, સન્માનવાનો આ નમ્ર પ્રયત્ન છે. વિશ્વના કોઇ પણ ખૂણામાં બેઠેલો એક ગુજરાતી પણ આ નમનમાં અમારો ભાગીદાર થઇ શકે છે, તે કેટલી આનંદની વાત છે?</p>
<p>        અમને આ વાતનો બહુ જ આનંદ છે.  ઘણા મિત્રો કોમેન્ટમાં પણ બહુ જ મૂલ્યવાન પ્રદાન કરી, આપવામાં આવેલી સામગ્રીને વધુ સમૃધ્ધ કરવાનું પૂણ્યકાર્ય કરે છે. આવા પ્રતિભાવો આપીને અમારા ઉત્સાહને આપે વધાર્યો છે તે માટે અમે સૌ આપના ઋણી છીએ.</p>
<p>       આવનાર સમયમાં આ યાત્રાને અમે એવા પરિમાણમાં લઇ જવા માગીએ છીએ કે,  મા ગુર્જરીનો એક પણ સારસ્વત તેના સન્માન અને અભિવાદનના આ અભિયાનમાંથી બાકી ન રહી જાય. આ સંકલ્પની પરિપૂર્ણતા માટે આપના સાથ અને સહકારની અમને ખૂબ ખૂબ જરૂર છે. સ્વાભાવિક રીતે આ કાર્યમાં ઘણી બધી માહીતિ જરૂરી હોય છે. આથી આવી માહીતિ પુરી પાડીને આપ  સૌ અમૂલ્ય સહકાર આપી શકો છો. આપના મિત્રો અને સંબંધીઓને આ પરિચયના નાના શા ઝરણાની જાણ કરશો તો પણ મા ગુર્જરીની મહાન સેવા થશે. દરરોજ એક હજારથી વધુ ગુજરાતી મિત્રો આ ઝરણાના જળથી તેમની તૃષા સંતોષશે તો અમને અમીના ઓડકાર આવશે !</p>
<p>        જય જય ગરવી ગુજરાત .....  </p>
<p><strong><em>સુરેશ જાની</em></strong></p>
<p>'ગુજરાતી સારસ્વત પરિચય' અને 'ગુજરાતી પ્રતિભા પરિચય' ના તંત્રીમંડળ વતી...</p>
<p>અન્ય તંત્રીઓ</p>
<p><strong><em>અમિત પીસાવાડીયા         :        'ઊર્મિ સાગર'     :       જયશ્રી ભક્ત   </em></strong></p>
<p><strong><em>જુગલકિશોર વ્યાસ            :         હરીશ દવે</em></strong></p>
<p>      </p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[પ્રથમ શતક ]]></title>
<link>http://sureshbjani.wordpress.com/2006/09/21/pratham_shatak/</link>
<pubDate>Thu, 21 Sep 2006 17:02:38 +0000</pubDate>
<dc:creator>સુરેશ</dc:creator>
<guid>http://sureshbjani.gu.wordpress.com/2006/09/21/pratham_shatak/</guid>
<description><![CDATA[#  શ્રી. સુંદરમ્ ની જીવન ઝાંખી વાંચવા   ]]></description>
<content:encoded><![CDATA[<p align="center"><strong>#  <a target="_blank" href="http://sureshbjani.wordpress.com/2006/09/21/sundaram/">શ્રી. સુંદરમ્ ની જીવન ઝાંખી વાંચવા   અહીં 'ક્લિક' કરો.</a></strong> <strong># </strong>            </p>
<p> પ્રિય વાચક મિત્રો,</p>
<p>     'ગુજરાતી સારસ્વત પરિચય' ની 100મી  જીવનઝાંખી પ્રસિદ્ધ કરતાં અમને અત્યંત હર્ષ થાય છે.  ગાંધી યુગના મહાન કવિ અને ફિલસુફ સદ્ ગત શ્રી. સુંદરમ્ અહીં સ્થાન પામનાર 100મા સારસ્વત છે. અમે વિચાર્યું હતું કે આ ઘટનાને અમે એક નવા જ અભિગમથી  આપની સમક્ષ મૂકીએ. આ જીવન ઝાંખી અમારા પાંચેના સંયુક્ત પ્રયત્નનો પરિપાક છે. અને આ કારણે જ કદાચ આ જીવન ઝાંખી તમને બીજી ટપાલો કરતાં જરા જૂદી લાગશે.<br />
      જ્યારે સૌથી પહેલાં અહીં જીવનઝાંખી આપવાનું શરુ કર્યું ત્યારે અમને સ્વપ્ને ય ખ્યાલ નહોતો કે આટલે સુધી અમે પહોંચી શકીશું.  આપ સૌએ જે ઉત્સાહથી અહીં વારંવાર મુલાકાત લીધી છે અને ઘણી બધી ટિપ્પણી આપી અમારા ઉત્સાહને વધાર્યો છે એના વગર કદાચ આટલે સુધી અમે ન પહોંચી શક્યા હોત. આ માટે અમે આપ સૌના ઋણી છીએ.<br />
     “ગુજરાતી સારસ્વત પરિચય” તથા “ગુજરાતી પ્રતિભા પરિચય”થી આપ સુવિદિત છો. આ અમારે મન પવિત્ર જ્ઞાનયજ્ઞ છે. વિશ્વગુર્જરી અને આપણી મા ગુજરાતીની સેવામાં આ બે અમારા  મહત્વાકાંક્ષી અભિયાન છે. દેશ-વિદેશમાં સ્થિત ગુજરાતના હિતચિંતકોને તથા ગુજરાતી ભાષાના ચાહકોને અમારા આ પ્રયત્નનો લાભ મળશે તો અમને આનંદ થશે.<br />
     જો આપને આ પ્રયત્ન ગમ્યો હોય તો અમારી નમ્ર વીનંતિ છે કે, જેટલા બને તેટલા આપણા સમભાષી ભાઇ બહેનો આનો લાભ લેતાં થાય તે ઉદ્દેશ્યથી, આ વિષે ન જાણતા હોય તેવા આપના મિત્રો અને સંબંધીઓને આની જાણ કરશો અને મુલાકાત લેવા પ્રેરશો.<br />
    અમે અમારી પાસે પ્રાપ્ત સ્રોતોમાંથી ઉપલબ્ધ માહિતી મૂકતા જઈએ છે. આ સર્વે સ્રોતોનો વ્યક્તિગત આભાર માનવો શક્ય ન હોઈ અહીં સર્વ લેખકો, પ્રકાશકો, વિકેતાઓ, અને માહીતિ આપનાર વ્યક્તિઓનો જાહેર આભાર માનીએ છીએ.<br />
    જો આપને અહીં મૂકવામાં આવતી સામગ્રીમાં કોઇ કચાશ કે માહીતિ દોષ જણાય અથવા આપની પાસે કોઇ અગત્યની માહીતિ ઉમેરી શકાય તેવી હોય તો  અમારું ધ્યાન દોરશો. આ કાર્ય માટે પુસ્તક કરતાં ઘણો વિશેષ આ માધ્યમનો ફાયદો આપણે સૌ ઊઠાવીએ. આવા સૌ સહકારની અહીં જાહેરમાં નોંધ લેવામાં આવશે.<br />
    જો અહીં પીરસવામાં આવતી સામગ્રીમાં  કોઇના કોપી રાઇટ અથવા ગોપનીયતાનો ભંગ થતો કોઇને લાગે તો, દરિયા દીલ રાખીને 'ગમતાંનો ગુલાલ' કરવાની આ પ્રવૃત્તિને સહી લેવા વિનંતી છે. છતાં પણ અમારું ખાસ ધાન દોરવામાં આવશે તો તે માહીતિ અહીંથી દૂર કરવાની અમે બાંહેધરી આપીએ છીએ.<br />
    ગુજરાતી ભાષાની પ્રગતિમાં જેઓ સિંહ ફાળો આપી શકે તેવા મહત્વના સ્થાન પર વિરાજમાન છે, અથવા જેઓ જાણીતા સર્જકો છે,તે સૌ આ પ્રયત્નને  માત્ર 'વાહ' કહીને બીરદાવશે તો પણ અમારો ઉત્સાહ અનેક ગણો વધી જશે. સુજ્ઞેષૂ કિમ્ બહુના ?</p>
<p>'ગુજરાતી સારસ્વત પરિચય' ના તંત્રીમંડળ વતી</p>
<p>સુરેશ બી. જાની</p>
<p>તંત્રી મંડળના સભ્યો : -</p>
<p><strong>સુરેશ જાની   :   હરીશ દવે   :   અમિત પિસાવાડિયા   :   જયશ્રી ભક્તા   :   'ઊર્મીસાગર'</strong></p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[વાચકોને વિનંતિ ]]></title>
<link>http://sureshbjani.wordpress.com/2006/05/28/%e0%aa%b5%e0%aa%be%e0%aa%82%e0%aa%9a%e0%aa%95%e0%ab%8b%e0%aa%a8%e0%ab%87-%e0%aa%b5%e0%aa%bf%e0%aa%a8%e0%aa%82%e0%aa%a4%e0%aa%bf/</link>
<pubDate>Sun, 28 May 2006 18:25:29 +0000</pubDate>
<dc:creator>સુરેશ</dc:creator>
<guid>http://sureshbjani.gu.wordpress.com/2006/05/28/request/</guid>
<description><![CDATA[      પહેલો સર્જક પરિચય ફાધર વાલેસથી આપ]]></description>
<content:encoded><![CDATA[<p>      પહેલો સર્જક પરિચય ફાધર વાલેસથી આપું છું. સ્પેનમાં જન્મેલી આ વિરલ વ્યક્તિએ માત્ર ગુજરાતી ભાષાને પોતીકી જ બનાવી નથી, પણ ભારતીય સંસ્કારોને ઘણા સારી રીતે સમજ્યા છે અને સમજાવ્યા છે. મારા જેવા ઘણાને યુવાનીમાં તેમના લેખોએ જીવનનું અમૂલ્ય માર્ગદર્શન આપ્યું છે. તેમને મારો આ બ્લોગ સાદર અર્પણ કરતાં મને અત્યંત આનંદ થાય છે.</p>
<p>      વાંચકોને વિનંતિ કે સામાન્ય અંગે નોંધ આપવી હોય તો અહીં સ્વાગત વિભાગમાં આપે. ખાસ કોઇ વ્યક્તિની બાબતમાં નોંધ આપવી હોય તો તે વ્યક્તિ અંગેની પોસ્ટમાં આપે.</p>
<p>      આ એક બહુ જ મોટું કાર્ય મેં ઉપાડ્યું છે. પણ આપણા સાહિત્યકારોને આપણે નેટ ઉપર સન્માનિત કરવા હોય અને તેમને માટે ગુજરાતી વાંચકોને માહિતગાર કરવા હોય તો આ એક મદદગાર સ્થળ બની રહેશે તેવી મને આશા છે.</p>
<p>      આથી સર્વ મિત્રોને વિનંતિ કે આપણા આ ભવ્ય વારસાને એક જ સ્થળે સંગ્રહિત કરવામાં મને માહીતિ આપશો, અને કોઇની પાસે આપણા સર્જકોની છબીઓ હોય તો તે મને મોકલશો તો હું પોતે આભારિત તો થઇશ જ , પણ માગુર્જરીની પણ તમે સેવા કરી લેખાશે.</p>
<p>      જો બની શકે તો માહીતિ MS-WORD માં યુનીકોડમાં શ્રુતી ફોંટ માં ટાઇપ કરીને આપશો તો મારો ભાર ઓછો થશે. આમ ન થઇ શકે તો પણ કોઇ પણ માહીતિ આપતાં અચકાશો નહીં.</p>
]]></content:encoded>
</item>

</channel>
</rss>
