<?xml version="1.0" encoding="UTF-8"?><!-- generator="wordpress.com" -->
<rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	>

<channel>
	<title>સુરત &amp;laquo; WordPress.com Tag Feed</title>
	<link>http://wordpress.com/tag/સુરત/</link>
	<description>Feed of posts on WordPress.com tagged "સુરત"</description>
	<pubDate>Mon, 13 Oct 2008 12:14:04 +0000</pubDate>

	<generator>http://wordpress.com/tags/</generator>
	<language>en</language>

<item>
<title><![CDATA[પાણી પણ હવે પાણીના મૂલે નહીં મળે , અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગરમાં પાણીનાં મીટર નખાશે  ]]></title>
<link>http://shaileshk.wordpress.com/?p=10</link>
<pubDate>Sat, 29 Mar 2008 04:45:30 +0000</pubDate>
<dc:creator>shaileshk</dc:creator>
<guid>http://shaileshk.gu.wordpress.com/2008/03/29/%e0%aa%aa%e0%aa%be%e0%aa%a3%e0%ab%80-%e0%aa%aa%e0%aa%a3-%e0%aa%b9%e0%aa%b5%e0%ab%87-%e0%aa%aa%e0%aa%be%e0%aa%a3%e0%ab%80%e0%aa%a8%e0%aa%be-%e0%aa%ae%e0%ab%82%e0%aa%b2%e0%ab%87-%e0%aa%a8%e0%aa%b9/</guid>
<description><![CDATA[રાજયની તમામ મહાનગરપાલિકામાં પાણી મીટ]]></description>
<content:encoded><![CDATA[<p>રાજયની તમામ મહાનગરપાલિકામાં પાણી મીટરથી આપવા માટેની યોજના રાજય સરકારની વિચારણામાં છે. આ અંગે પાણી પુરવઠા વિભાગે સર્વે કરી યોજના સરકારમાં મોકલી આપી છે. પુરવઠા વિભાગે આ પૂર્વે રાજયનાં કેટલાંક ગામડાઓમાં પ્રાયોગિક ધોરણે મીટર નાખતાં તેનાં પરિણામો સારાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.પ્રાપ્ત માહિતી અનુસાર કોલકાતા મહાનગરપાલિકાએ કોલકાતામાં એક લાખ ઘરમાં પાણીનાં મીટર લગાવવાનો નિણર્ય કર્યોછે. અગાઉ તેમણે પ્રાયોગિક ધોરણે તેનો અમલ કરી હવે સમગ્ર શહેરમાં તબક્કાવાર તેનો અમલ કરવાનો નિણર્ય કર્યોછે. કોલકાતામાં ૧ હજાર લિટર પાણી મફત આપવાની યોજના છે. ત્યાર બાદ દર હજાર લિટરે રૂ. ૧૦થી ૧૨ નક્કી કરાયા છે. </p>
<p>પાણી પુરવઠા વિભાગે રાજયમાં પાણી વિતરણ વ્યવસ્થા પાછળ થતો ખર્ચ પૂરેપૂરો વસૂલ કરી શકાય તે માટે મીટર લગાવવાં જરૂરી છે અને આ માટે પાણી પુરવઠા વિભાગે પ્રાયોગિક ધોરણે રાજયનાં કેટલાંક ગામડાંમાં મીટર લગાવ્યાં છે, જેનાં પરિણામ સારાં આવ્યાં હોવાથી મહાનગરોમાં આ યોજનાના અમલ માટેની દરખાસ્ત મોકલી છે. </p>
<p>વિશ્વના ઘણા દેશોમાં પાણીનાં મીટર લગાવવામાં આવ્યાં છે. ભારતમાં બેંગ્લોર તથા જમશેદપુરમાં ડેમથી પાણી છેક સુધી પહોંચીને વપરાય તે માટે સરળ ટેક્નિક ઊભી કરી છે. રાજયનાં લગભગ ૧૦ હજાર ગામોમાં પીવાનાં પાણીની વિતરણવ્યવસ્થા માટે રૂ. ૧૦,૦૦૦ કરોડનો ખર્ચ કરાયો છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં પીવાનું પાણી મીટરથી આપવા સરકારે ગંભીર વિચારણા હાથ ધરી છે.</p>
<p>પ્રોજેકટ રિપોર્ટમાં મીટર કઈ રીતે લગાવવું તેની માહિતી પણ આપી છે. પંપિંગ સ્ટેશનથી જતી પાઇપલાઇન પર વોટર મીટર લગાવાશે અને ત્યાર બાદ ઘરે-ઘરે પાણીનાં જોડાણ આગળ મીટર લગાવવાની યોજના છે.</p>
<p>આ અંગે ભૂતકાળમાં અમદાવાદના તાત્કાલીન મ્યુનિ. કમિશનર આર.કે. ત્રિપાઠીએ કોમર્શિયલ એકમોમાં મીટરથી પાણી આપવાની યોજના બનાવી હતી, પરંતુ તેમની બદલી થઈ જતાં પ્રો-રેટા આધારિત પાણી આપવાની યોજના હાલ અમલી છે.સરકાર દ્વારા જે વિચારણા ચાલે છે એમાં કોમર્શિયલ અને રેસિડેન્શિયલ તમામ એકમોમાં મીટરથી જ પાણી આપવાની યોજના છે. જેનાથી પાણીનો બગાડ અટકશે અને લોકો પાસેથી તેનું વળતર પણ વસૂલાશે.</p>
<p>મીટરથી પાણી આપવાની યોજનામાં પ્રોપર્ટી ટેકસનાં બિલમાંથી પાણીની રકમ અલગ કરી મીટરનું બિલ આપવામાં આવશે અને તેમાં નિયત કરેલ પાણીના કવોટાની ઉરચક રકમ લેવાશે અને ત્યાર બાદ મીટરના રીડિંગ મુજબ બિલ આપવામાં આવશે.</p>
<p>વોટર મીટરથી મ્યુનિ.ની આવક વધશે. સાથોસાથ પાણીની વિતરણવ્યવસ્થા પણ મજબૂત બનશે એવો દાવો સરકારનો છે. આ ઉપરાંત હાલ રાજયની સાત મહાનગરપાલિકામાં સરકાર દ્વારા નર્મદાનું પાણી આપવામાં આવે છે. સરકાર હવે ટૂંક સમયમાં નર્મદાનાં પાણીના દર પણ નક્કી કરવાની હોઈ મહાનગરપાલિકા ઉપર બોજો પડવાનો છે અને આ બોજો દૂર કરવા મ્યુનિ. પાસે ટેકસની રકમમાં વધારો કરવાને બદલે જે જેટલું પાણી વાપરે તેટલું બિલ ભરે એ દિશામાં આગળ વધવા વિચારણા ચાલી રહી છે.</p>
<p>વોટર મીટર કેવાં હશે?</p>
<p>સામાન્ય રીતે મીટરમાં ક્ષાર કે કચરો જવાથી મીટર બંધ થઈ જાય છે એવી દલીલ હાલના મ્યુનિ. અધિકારીઓ કરી રહ્યા છે. નવા મીટરમાં કચરો પ્રવેશતાં અટકી જશે અને સ્ટેનરની બોડી કે કાસ્ટ આયર્નનાં મીટર હોવાથી તે બગડશે નહીં. ઉપરાંત ન્યૂનતમ ૧૦ ઘનમીટર પાણી વહન કરવાની ક્ષમતા તેમાં હશે. </p>
<p>મીટરની અંદરની બોડી પ્લાસ્ટિકની હશે. પાણી પુરવઠા વિભાગે વોટર મીટરનો લાંબા સમયથી ઉપયોગ કર્યા બાદ કેટલાક ધારધોરણ નક્કી કરી વોટર મીટર નક્કી કર્યાં છે અને એકવાર મીટર લાગ્યા બાદ બે વર્ષ સુધી તેના નિભાવની જવાબદારી ઇજારદાર પાસે રહેશે. એટલું જ નહીં આ સમય દરમિયાન મીટર બગડી જાય તો વિનામૂલ્યે બદલવાની જોગવાઈ પ્રોજેકટમાં કરાઈ છે.</p>
<p>Divya Bhaskar</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[ગુજરાતી પારસી વાડિયા કુટુંબો: મુંબઈના વિકાસના પ્રણેતા]]></title>
<link>http://gujarat3.wordpress.com/2007/10/04/wadiamumbai2/</link>
<pubDate>Thu, 04 Oct 2007 04:26:46 +0000</pubDate>
<dc:creator>હરીશ દવે</dc:creator>
<guid>http://gujarat3.gu.wordpress.com/2007/10/04/wadiamumbai2/</guid>
<description><![CDATA[.
ગુજરાતી પારસી વાડિયા કુટુંબો: મુંબઈન]]></description>
<content:encoded><![CDATA[<p>.</p>
<p><span style="font-family:Shruti;"><span style="font-family:Shruti;">ગુજરાતી પારસી વાડિયા કુટુંબો: મુંબઈના વિકાસના પ્રણેતા</span><span></span><span><font face="Times New Roman"> </font></span></span></p>
<p><span style="font-family:Shruti;"><span></span></span><span style="font-family:Shruti;"><span></span></span><span style="font-family:Shruti;"><span></span></span><span style="font-family:Shruti;"><span></span></span><span style="font-family:Shruti;"><span></span></span><span style="font-family:Shruti;"><span></p>
<p style="margin:0;" class="MsoNormal">&#160;</p>
<p><span><font face="Times New Roman"> </font></span><span style="font-size:12pt;font-family:Shruti;"><strong>મુંબઈ શહેર</strong> આજે <strong>ભારત</strong>ની આર્થિક-વાણિજ્ય-વ્યાપારી પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે. <a target="_blank" href="http://gujarat1.wordpress.com/2007/07/31/indoeurope/" title="Mumbai/ Madhusanchay"><strong>મુંબઈ પ્રથમ કક્ષાના બંદર</strong> </a>તરીકેની નામના ધરાવે છે. </span></p>
<p><span style="font-size:12pt;font-family:Shruti;">મુંબઈની આ સિદ્ધિરુપ ખ્યાતિ પાછળ <strong>ગુજરાત</strong>ના <strong>સુરત</strong> શહેરના એક પારસી કુટુંબનું ગણના પાત્ર યોગદાન છે, તે વાતથી આપણે <strong>ગુજરાતી</strong> હોવા છતાં લગભગ અજાણ છીએ. આવો, જાણીએ આ વિસરાતી વાતને. </span></p>
<p><span style="font-size:12pt;font-family:Shruti;">મુંબઈનું બારું કે મુંબઈના જહાજ ઉદ્યોગથી લઈ <strong>ઈંગ્લેંડ</strong>ની યશકલગીરૂપ <strong>બ્રિટીશ નેવી</strong> તથા <strong>ઈંગ્લિશ એડમિરલ નેલ્સન</strong>ના <strong>ટ્રાફાલ્ગર યુદ્ધ</strong>ની વાત કરવી હોય તો તમારે એક નામથી શરૂઆત કરવી પડે </span><span style="font-size:12pt;font-family:'Times New Roman';">–</span><span style="font-size:12pt;font-family:Shruti;"> <strong>લવજી નસરવાનજી વાડિયા</strong>. </span></p>
<p><span style="font-size:12pt;font-family:Shruti;">તે સમય હતો <strong>સત્તરમી સદીના ઉત્તરાર્ધ</strong>નો. </span></p>
<p><span style="font-size:12pt;font-family:Shruti;">સુરતમાં ધીકતો જહાજવાડો. શેઠ ધનજીભાઈનો જહાજનો કારોબાર મોટો. તેમને ત્યાં લવજીભાઈ વાડિયા કારીગર. પોતાના કામમાં ખાં. અંગ્રેજોની આંખમાં વસી ગયા. ઈતિહાસ સાખ પૂરે છે કે અંગ્રેજો માટે નૌકાસૈન્ય હંમેશા મહત્વપૂર્ણ રહ્યું છે. બાહોશ અગ્રેજ અધિકારી સુરતી કારીગર લવજીને મુંબઈ લઈ ગયા. </span></p>
<p><span style="font-size:12pt;font-family:Shruti;"><strong>1735</strong>ની એ સાલ. </span></p>
<p><span style="font-size:12pt;font-family:Shruti;">બીજા વર્ષે તો લવજી વાડિયાની દેખરેખમાં મુંબઈમાં બારાં બનાવવાની શરૂઆત થઈ. વીસેક વર્ષે મુંબઈનો સૂકો ધક્કો તૈયાર થયો. લવજીએ જહાજો બાંધવા શરૂ કર્યાં. </span></p>
<p><span style="font-size:12pt;font-family:Shruti;"><strong>ઈસ્ટ ઈંડિયા કંપની</strong>એ લવજી વાડિયાના કૌશલ્યની કદર કરી તેમને </span><span style="font-size:12pt;font-family:'Times New Roman';">“</span><span style="font-size:12pt;font-family:Shruti;">માસ્ટર બિલ્ડર</span><span style="font-size:12pt;font-family:'Times New Roman';">”</span><span style="font-size:12pt;font-family:Shruti;"> તરીકેનું સન્માન આપ્યું. </span></p>
<p><span style="font-size:12pt;font-family:Shruti;">જહાજ ઉદ્યોગ અને બંદરનો વિકાસ પરસ્પર પૂરક બની રહેતાં<span>  </span>મુંબઈ શહેર દુનિયાના નકશા પર ઝળકી ઊઠ્યું. મુંબઈમાં વાડિયા કુટુંબની પેઢી દર પેઢીએ જહાજવાડાની કળા જાળવી. તેમના વંશવારસોએ <strong>ઈંગ્લેંડના રોયલ નેવી</strong> માટે ખડતલ યુદ્ધજહાજો બાંધી નામના મેળવી. </span></p>
<p><span style="font-size:12pt;font-family:Shruti;">1775-80 દરમ્યાન <strong>માણેકજી વાડિયા</strong>ની નિગરાનીમાં બ્રિટીશ રોયલ નેવી માટે એક ખાસ જહાજ બાંધવામાં આવ્યું. <strong>ઈંગ્લિશ એડમિરલ હોરેશિઓ નેલ્સન</strong>નું તે જહાજ. વાડિયા કુટુંબને અપ્રતિમ સિદ્ધિ મળી <strong>ટ્રાફાલ્ગર યુદ્ધ</strong> વખતે. </span></p>
<p><span style="font-size:12pt;font-family:Shruti;"><strong>1805</strong>નું વર્ષ. </span></p>
<p><span style="font-size:12pt;font-family:Shruti;"><strong>ફ્રાંસના શહેનશાહ</strong> <strong>નેપોલિયન બોનાપાર્ટ</strong>ના સમયમાં <strong>ઈંગ્લેંડ </strong>અને <strong>ફ્રાંસ </strong>વચ્ચે <strong>એટલાંટિક મહાસાગર</strong>માં <span> </span>ભારે દરિયાઈ યુદ્ધ ચાલે. </span></p>
<p><span style="font-size:12pt;font-family:Shruti;">એક તરફ <strong>ઈંગ્લેંડ</strong>નું<span>  </span>નૌકાસૈન્ય; બીજી તરફ <strong>ફ્રાંસ-સ્પે</strong>નનું સંયુક્ત તાકાતવર નૌકાસૈન્ય. એક તરફ માણેકજી વાડિયાએ બાંધેલા </span><strong><span style="font-size:12pt;font-family:'Times New Roman';">“</span><span style="font-size:12pt;font-family:Shruti;">વિક્ટરી</span><span style="font-size:12pt;font-family:'Times New Roman';">”</span></strong><span style="font-size:12pt;font-family:Shruti;"> જહાજના કપ્તાન એડમિરલ નેલ્સનનું નેતૃત્વ, બીજી તરફ વિશ્વવિજેતા થવાનાં સ્વપ્નાં જોતા ફ્રાંસના શહેનશાહ નેપોલિયન બોનાપાર્ટનું નેતૃત્વ.</span></p>
<p><span style="font-size:12pt;font-family:Shruti;"><span style="font-size:12pt;font-family:Shruti;">ટ્રાફાલ્ગર યુદ્ધમાં ફ્રાંસના શહેનશાહ નેપોલિયનની હાર થઈ. </span></span></p>
<p><span style="font-size:12pt;font-family:Shruti;"> <strong>એડમિરલ નેલ્સનના નેતૃત્વમાં ઈંગ્લેંડના રોયલ નેવીને સ્પેનની દક્ષિણે જિબ્રાલ્ટરની સામુદ્રધુની પર ટ્રાફાલ્ગર પાસેના સમુદ્રી યુદ્ધમાં ભવ્ય વિજય મળ્યો.</strong> </span></p>
<p><span style="font-size:12pt;font-family:Shruti;">પરિણામે વાડિયા કુટુંબને અને મુંબઈના જહાજવાડાને ઘણી પ્રતિષ્ઠા મળી. </span></p>
<p><span style="font-size:12pt;font-family:Shruti;">અંગ્રેજ શાસન દરમ્યાન મહત્વપૂર્ણ બંદર તરીકે વિકસેલા મુંબઈ શહેરની આગેકૂચ કદી રોકાઈ નથી. </span></p>
<p><span style="font-size:12pt;font-family:Shruti;"><strong>મુંબઈની વિકાસગાથામાં ગુજરાતી લવજી વાડિયા તથા તેમના વંશવારસોનું યોગદાન સુવર્ણ અક્ષરે આલેખાવું જોઈએ.</strong></span></p>
<p><span style="font-size:12pt;font-family:Shruti;"><strong>.</strong></span></p>
<p></span></span></p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[ગુજરાતમાં સોંઘવારી ?]]></title>
<link>http://gujarat1.wordpress.com/2007/01/17/songhavari/</link>
<pubDate>Wed, 17 Jan 2007 08:41:21 +0000</pubDate>
<dc:creator>હરીશ દવે</dc:creator>
<guid>http://gujarat1.gu.wordpress.com/2007/01/17/songhavari/</guid>
<description><![CDATA[.
અઢારમી સદીના છેલ્લા દશકાની ગુજરાતની ]]></description>
<content:encoded><![CDATA[<p>.</p>
<p>અઢારમી સદીના છેલ્લા દશકાની ગુજરાતની આર્થિક વ્યવસ્થામાં સૌને જરૂર રસ પડે.</p>
<p>ભારતમાં, ગુજરાતમાં પ્રથમ અંગ્રેજ કોઠી સુરતમાં સ્થપાઈ હતી. વળી સુરત મહત્વનું બંદર હોવાથી  અર્થવ્યવસ્થા પર સુરતનો ખાસ પ્રભાવ હતો. તે સમયે સુરતી રૂપિયાનું ચલણ મહત્વનું હતું.</p>
<p>રૂપિયાનો સિક્કો  ચાંદીનો બનતો. અર્ધો રૂપિયો(આઠ આની), પાવલી (ચાર આની) અને બે આની પણ ચાંદીના. પરંતુ એક આનીનો સિક્કો તથા પૈસો તાંબાનાં બનતાં.</p>
<p>એક રુપિયાના સોળ આના. પણ સૌથી નાનું ચલણ કોડીનું.</p>
<p>બે કોડીની એક બદામ. છ બદામની એક દમડી. સો બદામનો એક પૈસો.</p>
<p>તે સમયે ચાળીસ શેર બરાબર એક મણ. આમ, એક મણ બરાબર લગભગ વીસ કિલો ગણી શકાય.</p>
<p>તે સમયની સોંઘવારી આપણને આશ્ચર્યમાં ડૂબાદી દે!</p>
<p>ઘઉં ........................  ચાર આને મણ<br />
બાજરી ...................    ત્રણ આને મણ<br />
દૂધી/કોળું  ...............      બે આને મણ<br />
દૂધ ........................   છ આને મણ<br />
ખાંડ  ......................   બે રૂપિયે મણ<br />
તેલ  ......................   બે રૂપિયે મણ<br />
ઘી   .......................  ચાર રૂપિયે મણ</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[રમણભાઈ મહીપતરામ નીલકંઠ (રમણલાલ નીલકંઠ) ]]></title>
<link>http://gujarat1.wordpress.com/2006/09/24/r_nilakanth/</link>
<pubDate>Sun, 24 Sep 2006 03:34:38 +0000</pubDate>
<dc:creator>હરીશ દવે</dc:creator>
<guid>http://gujarat1.gu.wordpress.com/2006/09/24/r_nilakanth/</guid>
<description><![CDATA[.
નીલકંઠ કુટુંબને ગુજરાતમાં સૌ કોઈ ઓળખ]]></description>
<content:encoded><![CDATA[<p>.</p>
<p>નીલકંઠ કુટુંબને ગુજરાતમાં સૌ કોઈ ઓળખે. <strong>રમણભાઈ નીલકંઠ</strong> જાણીતા સાક્ષર. તેમના પિતા મહીપતરામ લેખક અને સમાજસુધારક. રમણભાઈ નીલકંઠના પત્ની <strong><a HREF="http://sureshbjani.wordpress.com/2006/08/31/vidyagauri_nilakantha">વિદ્યાગૌરી નીલકંઠ</a></strong> ગુજરાતના પ્રથમ સ્ત્રી-સ્નાતક. તેમનાં પુત્રી <strong>વિનોદિનીબહેન નીલકંઠ</strong> ગુજરાતના પ્રસિદ્ધ સ્ત્રી-લેખિકા તથા સમાજસેવિકા.</p>
<p>સાક્ષર <strong>રમણલાલ નીલકંઠ</strong>ના પિતાનું નામ  <strong>મહીપતરામ રૂપરામ નીલકંઠ. </strong></p>
<p>સમાજસુધારાના વિચારોનો વારસો રમણભાઈને પિતા તરફથી મળેલો.</p>
<p><strong>મહીપતરામ નીલકંઠ</strong> ઈ. સ. 1860માં <strong>ઈંગ્લેંડ</strong> ગયેલા. તે જમાનામાં દરિયો ઓળંગવો નિષેધ ગણાતો. વિદેશ જનારને જ્ઞાતિ તરછોડતી; તેનો સામાજિક બહિષ્કાર કરવામાં આવતો. એક વર્ષ માટે ઈંગ્લેંડ ગયેલા મહીપતરામને સમાજ તથા જ્ઞાતિએ ભારે હેરાન કર્યા હતા  તેમના કુટુંબને સમાજે બહિષ્કૃત કરેલું હતું. <strong>સુરત</strong>નું  વતની નીલકંઠ  કુટુંબ પાછળથી <strong>અમદાવાદ</strong>માં સ્થાયી  થયું  હતું.</p>
<p><strong>મુંબઈ</strong>થી 35 દિવસના દરિયાઈ પ્રવાસ પછી મહીપતરામ <strong>ઈંગ્લેંડ </strong>પહોંચેલા. મહીપતરામે પોતાના <strong>ઈંગ્લેંડ પ્રવાસ</strong>નું વર્ણન એક પુસ્તકમાં કરેલું છે.</p>
<p>આપણી <strong>ગુજરાતી ભાષાનું પ્રવાસવર્ણનનું તે પ્રથમ પુસ્તક.</strong> તે સમયની (1860) ભાષા અને સમાજની પરિસ્થિતિનો અભ્યાસ કરવામાં આ પુસ્તક ખૂબ ઉપયોગી છે. તે પુસ્તકના કેટલાક મઝાના અંશ – લેખકની મૂળ ભાષામાં જ- આપ સમક્ષ રાખું છું:</p>
<p>“અમારી આગબોટનું નામ ઑટવા હતું. ...  <strong>વિલાયતી </strong>વહાણના નોકરો ઉતારૂઓના સુખની સંભાળ લેવામાં કાંઈ મણા રાખતા નથી ... ઉતારૂઓની ચાકરી કરવાને નોકરો રાખેલા હોય છે ...તેમને ખાવાને દૂધ જોઈએ માટે દૂઝણી ગાયો રાખે છે. દહાડામાં ચાર વાર જમવાનું થાય છે ....અંગ્રેજ લોકો પોતાને ઘેર જેવું ખાય છે તેવુંજ અહીં પણ તેમને નિત્ય ઉનું અને તાજું મળે છે. આપણા લોકને એમનું ખપે નહીં માટે મેં મારું ખાવાનું તથા પાણી જુદાં લીધાં હતાં .... મેં મારે સારૂ એક અલાયદી ઓરડી લીધી હતી."</p>
<p>(<strong>નોંધ: મહીપતરામે પોતાની સાથે એક બ્રાહ્મણ રસોઈયો લીધો હતો. બન્ને માટે એક અલગ  કેબિન રાખેલી. તેમના પત્નીએ મહિનો ચાલે તેટલા ખોરાકપાણીની વ્યવસ્થા કરી આપેલી.</strong>) ....</p>
<p><strong> ઈંગ્લેંડ</strong> જતા રસ્તામા <strong>એડન</strong> તથા <strong>ઈજિપ્તની રાજધાની</strong> <strong>કેરો</strong>ની ઊડતી મુલાકાત:</p>
<p>”બુધવારે 4 એપ્રિલની સવારે અમે એડન પહોંચ્યા ... અમારા ઘણાક ગૃહસ્થો ગામ જોવા ગયા..કોઈ ગધેડાની સ્વારી કરી, કોઈ ખચ્ચરે ચઢ્યા.. ( લેખકે નોંધ્યું છે કે <strong>એડન</strong> તથા <strong>કેરો </strong>જેવા શહેરોમાં મોટા લોક પણ સવારી કરવા ગધેડાં પાળે છે...)</p>
<p>”રાતના બાર કલાકે અમે <strong>કેરો શહેર</strong>માં પહોંચ્યા. મારા ઓળખીતાઓ એક હોટેલમાં ગયા ત્યાં હું પણ તેમની સાથે ગયો. મુસાફરોને ઉતરવાને વાસ્તે જે ઘરો છે તેને હોટેલ કહે છે. તેની જોડે સરખાવતાં આપણી ધર્મશાળાઓ કેવળ જંગલી દીસે છે. સુખી લોકોનાં ઘરોમાં જેવો વગ અને સુખનાં સાધનો હોય છે તેવાંજ અહીં છે; ન્હાવાનું, સુવાની પથારી વગેરે જે જોઈએ તે આપે છે. ....”</p>
<p><strong>30 એપ્રિલ, 1860</strong> ના રોજ મહીપતરામ નીલકંઠ <strong>લંડન </strong>પહોંચ્યા ...</p>
<p>”<strong>લંડન</strong>માં હું વધારે ફર્યો .... છાકટા આદમી ઘણા દીઠામાં આવે છે અને ચીંથરીઆ અને ગંદા જંગલી છોકરા આપણી પાછળ બૂમો પાડતા દોડે છે. લંડનમાં ચોર તથા લુચ્ચા માણસો તથા અનીતિમાન બાઈડીઓ ઘણી છે..... મોટા બજારોની દુકાનો તથા ઈમારતો બહુ સોહામણી છે. ...  માલ વેચવાને ખૂબસુરત અને મીઠી બોલીની બૈરીઓ તથા માટીડા (ભાયડા) રાખ્યા હોય છે, અને તેમને ફાંકડા પોશાક પેહેરાવે છે .... ”</p>
<p>“<strong>લંડન</strong>ના મોટા રસ્તાઓમાં ગાડીઓની ઘણી ભીડ થાય છે ... ‘આમની બસ’ કરીને મોટી ગાડી હોય છે. ... ...તેમાં વીશ થી ચોવીશ માણસો માય છે .. ગાડીઓને બે કે વધારે ઘોડા જોડે છે. તે ઘોડા ઘણા જ કદાવર અને જોરાવર હોય છે....”</p>
<p>”એ લોકોના ઘર માંહેની હાલત જોતાં જ આપણા કરતાં તેઓ કેટલું વધારે સુખ ભોગવે છે તે જણાઈ આવે છે .... બેસવાના, સુવાના, લુગડાં પહેરવાના અને જમવા બેસવાના ઓરડા જુદા જુદા હોય છે ... જમવાની રીત ઘણી ભભકદાર છે. ટેબલ ઉપર સાફ ધોળું કપડું પાથરી તે ઉપર સુંદર ચીનાઈ રકાબીઓમાં ભાણું પીરસે છે. .... બાયડી ભાયડા જોડે બેસીને જમે છે ....”</p>
<p><strong>ઈંગ્લેંડના મહારાણી વિક્ટોરિયા</strong>ની <strong>લંડનના હાઈડ પાર્ક</strong>માં જાહેર સભા:</p>
<p>“<strong>તા. 23 જુન 1860</strong>ને શનિવારના રોજ બાર ઉપર ચાર કલાકે <strong>લંડનના હાઈડ પાર્ક </strong>નામે મોટા બાગમાં જે દેખાવ મેં જોયો તે કદી ભૂલનાર નથી ..... ફ્રાંસની ફોજ ઈંગ્લેંડ ઉપર ચઢાઈ કરશે તેવું કેટલાંક મહિના થયા ઘણાક લોક અહીં ધારે છે. થોડા મહિના ઉપર મહારાણીજીએ એક જાહેરનામું કર્યું હતું કે રૈયતે પોતેજ પોતાના ખરચથી એક વોલંટીઅર ફોજ ઊભી કરવી જોઈએ .... એ ઉપરથી અમીરો, જાગીરદારો, વેપારીઓ, દુકાનદારો, કારીગરો વગેરે હજારો માણસો પોતાને ખરચે લશ્કરી પોશાક વગેરે ખરીદ કરી ગામે ગામ અને ચકલે ચકલે પલટણો બાંધી તે માંહે સામીલ થયા. ... ”</p>
<p>“સરકારી નોકરો ત્યાં બીજા લોકોને દબાવી શકતા નથી. કોઈની આગળ કે પાછળ સિપાઈ ચાલતા નથી. .... મોટા વજીરોને બારણે પણ સરકારી સિપાઈને બેસાડતા નથી. મોટા મોટા શેઠ શાહુકારો તથા સરકારી અમલદારો એકલા ચાલી જતા જોવામાં આવે છે ... મોટા લશ્કરી અમલદારો, અમીરો અને રાજવંશીઓ પણ ઘણી જ સાદાઈ રાખે છે.”</p>
<p><strong>આભાર: </strong>ગુજરાત સાહિત્ય અકાદમી પ્રકાશિત “ઈંગ્લાંડની મુસાફરીનું વર્ણન”.<br />
આપ સૌને આ પુસ્તક વાંચવા મારી ખાસ ભલામણ છે.</p>
]]></content:encoded>
</item>

</channel>
</rss>
