<?xml version="1.0" encoding="UTF-8"?><!-- generator="wordpress.com" -->
<rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	>

<channel>
	<title>સુવાક્યો &amp;laquo; WordPress.com Tag Feed</title>
	<link>http://wordpress.com/tag/સુવાક્યો/</link>
	<description>Feed of posts on WordPress.com tagged "સુવાક્યો"</description>
	<pubDate>Sat, 30 Aug 2008 11:25:07 +0000</pubDate>

	<generator>http://wordpress.com/tags/</generator>
	<language>en</language>

<item>
<title><![CDATA[આજનું વાક્ય]]></title>
<link>http://kartikm.wordpress.com/?p=335</link>
<pubDate>Tue, 15 Apr 2008 06:04:36 +0000</pubDate>
<dc:creator>Kartik Mistry</dc:creator>
<guid>http://kartikm.wordpress.com/?p=335</guid>
<description><![CDATA[* અંગ્રેજીમાં કહેવાય છે, QOTD (Quote Of The Day).
&#8220;Money]]></description>
<content:encoded><![CDATA[<p>* અંગ્રેજીમાં કહેવાય છે, QOTD (Quote Of The Day).</p>
<p>"Money will say more in one moment than the most eloquent lover can in years"</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[જીવનપ્રેરક સુવિચારો – સંકલિત]]></title>
<link>http://rdgujarati.wordpress.com/2006/11/16/jiven-praeak/</link>
<pubDate>Thu, 16 Nov 2006 02:06:52 +0000</pubDate>
<dc:creator>rdgujarati</dc:creator>
<guid>http://rdgujarati.wordpress.com/2006/11/16/jiven-praeak/</guid>
<description><![CDATA[જેના વડે મનુષ્ય જીવે છે તે સંસ્કૃતિ નથ]]></description>
<content:encoded><![CDATA[<p>જેના વડે મનુષ્ય જીવે છે તે સંસ્કૃતિ નથી, પણ જેને માટે મનુષ્ય જીવે છે તેનું નામ સંસ્કૃતિ! – કનૈયાલાલ મુનશી</p>
<p>ધન કરતાં જ્ઞાન એટલા માટે ઉત્તમ છે કે ધનની રક્ષા તમારે જ કરવી પડે છે. જ્યારે જ્ઞાન તો પોતે જ તમારી રક્ષા કરે છે. –સ્વામી રામતીર્થ</p>
<p>માણસને અસ્વસ્થ કોણ કરે છે ? બહારની પરિસ્થિતિ ? ક્દાચ ખરેખર તો એના માટે કારણભૂત હોય છે : એના પૂર્વગ્રહો, એની માન્યતાઓ, અપેક્ષાઓ, આગ્રહો, તોફાની વૃત્તિઓ તથા એનો દંભ અને એવું એકાકીપણું. – કાંતિલાલ કાલાણી</p>
<p>પુસ્તકનું મૂલ્ય રત્ન કરતાંય અધિક છે. રત્ન બહારની ચમક બતાવે છે. જ્યારે પુસ્તક અંત:કરણને ઉજ્જવળ કરે છે. – ગાંધીજી</p>
<p>પગમાં દોરી ગૂંચવાઈ હોય ત્યારે કૂદાકૂદ કરવાને બદલે શાંતિથી ઊભા રહેવું જોઈએ. જીવનમાં પણ સમસ્યાઓ ઊભી થાય ત્યારે શાંતિ, સમતા અને શ્રદ્ધાના આસન પર બેસતાં આવડે તો જ જલ્દી ઉકેલ મળે. – રવીન્દ્રનાથ ટાગોર</p>
<p>પ્રાર્થના જીવનનું એક જબરદસ્ત બળ છે. વિષમ પરિસ્થિતિમાં મૂકાયેલા, શોકમાં ડૂબેલા, હતાશ, પોતાને અસહાય અને અંધકારમાં ખોવાયેલા અનુભવતા મનુષ્યને, સાચા ઊંડા ભાવથી કરેલી પ્રાર્થના તેની સ્થિતિમાંથી ઊંચકી લઈ એક મહાન ચૈતન્ય સાથે તેનો સંબંધ જોડી આપે છે. – કુન્દનિકા કાપડિયા</p>
<p>કર્મ એ એવો અરીસો છે જે આપણને આપણું સ્વરૂપ બતાવી દે છે, માટે આપણે કર્મનો આભાર માનવો જોઈએ. – વિનોબા ભાવે</p>
<p>સજ્જ્નોનું લેવાનું પણ આપવા માટે જ હોય છે. જેમકે વાદળોનું, એ ધરતીની નદીઓથી પાણી લે છે અને પછી એને જ પાછું આપી દે છે. – કાલિદાસ<br />
<!--more વધુ આગળ વાંચો....--></p>
<p>જીવ એ શિવ છે નો અર્થ એ કે જીવિત વ્યક્તિ જ ઈશ્વર છે. જે ઈશ્વરને પ્રેમ કરે છે તેણે દુ:ખમાં, પીડામાં, ક્ષતિઓમાં, અતિરેકોમાં અને માનવસ્વભાવનાં ભયંકર રૂપોમાં પણ ઈશ્વરના દર્શન કરી તેની સાથે તાદાત્મ્ય સાધવું જોઈએ. –સ્વામી વિવેકાનંદ</p>
<p>માણસને જીવનનો અનુભવ શીખવનાર વિપત્તિ સિવાય કોઈ વિદ્યાલય આજ સુધી નથી ઉઘડ્યું. જેણે આ વિદ્યાલયની પદવી મેળવી તેના હાથમાં નિશ્ચિત્તપણે જીવનની લગામ સોંપી શકાય. – અજ્ઞાત</p>
<p>બરફનો ભૂતકાળ પાણી હોય છે અને બરફનું ભવિષ્ય પણ પાણી જ હોય છે. – અનિલ જોશી</p>
<p>કોઈ માણસ એમ કહે કે એણે કદી ભૂલ કરી નથી, તો ચોક્કસ માનજો કે એણે જાતે કદી કોઈ કામ કર્યું નથી. – થોમસ હકસલી</p>
<p>અસત્યના શરીર પર જ્યારે દંભના વસ્ત્રો ચડે છે ત્યારે એ અસત્યને ઓળખવામાં ભલભલા મહારથીઓ પણ થાપ ખાઈ જાય છે. –રત્નસુંદરવિજયજી</p>
<p>ચિંતા જ્યારે વધી જાય છે ત્યારે તેની શાખા-પ્રશાખા એટલી બધી ફૂટી નીકળે છે કે મગજ તેની સાથે દોડતાં દોડતાં થાકી જાય છે. – જયશંકર પ્રસાદ</p>
<p>સેવા હૃદય અને આત્માને પવિત્ર કરે છે. સેવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. સેવા જ જીવનનું પરમ લક્ષ્ય છે. – સ્વામી શિવાનંદ</p>
<p>મોટા માણસ ભૂલ ન કરે એવું માનવુંએ મૂર્ખાઈ છે ને નાના માણસમાં અક્ક્લ નથી હોતી, એમ માનવું એ પણ મૂર્ખાઈ છે. –<br />
રણછોડદાસજી મહારાજ</p>
<p>જેનામાં રમૂજવૃત્તિ નથી એણે હંમેશાં બીજાની દયા પર જ જીવવું પડે છે. –વિલિયમ રોસ્ટર</p>
<p>બીજા શું કરે છે તે સામું ન જોવું. પણ મારી શી ફરજ છે, તે વિચારનાર અને જીવનમાં ઉતારનાર મહાન બને છે. –<br />
સરદાર પટેલ</p>
<p>આપણું કર્તવ્ય છે કે આનંદિત રહેવું. જો આપણે પ્રસન્ન રહીશું તો અજ્ઞાતરૂપે પણ સંસારની સારી રીતે ભલાઈ કરી શકીશું. –<br />
સ્ટિવેન્સન</p>
<p>જીવનમાં સુખ અને લોહીનાં સગપણ કરતાં વેદનાનું સગપણ વધુ ટકે છે. – ખલિલ જિબ્રાન</p>
<p>કોઈ કામને કરતાં પહેલાં એની બાબતમાં વધુ પડતું વિચારતા રહેવાના કારણે એ કામ બગડી જાય છે. – ઈવા યંગ</p>
<p>અધૂરું કામ અને હારેલો દુશ્મન, આ બન્ને બુઝાયા વગરની આગની ચિનગારીઓ જેવાં છે. મોકો મળતાં જ એ આગળ વધશે અને એ બેદરકાર માણસને દબાવી દેશે. – તિરૂવલ્લુવર</p>
<p>ઈશ્વરે તમને જેવા બનાવ્યા હોય એ કરતાં સહેજ પણ ઊતરતા ન બનવું એમાં જ તમારું ગૌરવ છે. – પેરીકિલસ</p>
<p>જો આપણે પ્રસન્ન હોઈએ તો આખી પ્રકૃતિ આપણી સાથે હસતી હોય તેવું લાગે છે. – સ્વેટ માર્ડન</p>
<p>અહિંસા એટલે કાર્યોની અહિંસા, જીવદયા એટલે હૃદયની અહિંસા અને એકાંત એટલે વિચારોની અહિંસા તથા અપરિગ્રહ એ વ્યવહારની અહિંસા. – મહાવીર સ્વામી</p>
<p>સફળતા કદી કાયમી હોતી નથી, તે જ રીતે નિષ્ફળતા પણ કાયમ માટે રહેતી નથી. – કોલિન્સ</p>
<p>મનનો સ્વભાવ ચંચળ છે. જ્યારે કોઈ અઘટિત ઘટના બને છે ત્યારે મન ભય અને પ્રસન્નતાની વચ્ચે ડામાડોળ બનીને ફરતું રહે છે. – સ્વામી રામતીર્થ</p>
<p>વિજ્ઞાનની શોધ વડે માણસ પક્ષીની માફક આભમાં ઊડી શકે છે, માછલીની જેમ ઊંડા પાણીમાં જઈ શકે છે, પણ માનવી તરીકે પૃથ્વી પર કેમ જીવવું એ જ તેને આવડતું નથી. – બર્ટ્રાન્ડ રસેલ</p>
<p>માનવી જેવા વિચારોનું સેવન કરતો હોય છે તેવા વિચારોનાં આંદોલનો, મોજાં સ્વાભાવિક રીતે જ એની આજુબાજુના વાતાવરણમાં પ્રસરતાં હોય છે. – શ્રી મોટા</p>
<p>જો સફળતા મેળવવાની કોઈ પણ ચાવી હોય તો તે બીજા માણસનું દષ્ટિબિંદુ જાણી લઈને તેના અને તમારા દષ્ટિબિંદુથી આખી પરિસ્થિતિનો વિચાર કરવાની યોગ્યતા છે. – હેનરી ફોર્ડ</p>
<p>મને તમે ઉગારો એવી મારી પ્રાર્થના નથી, પણ હું તરી શકું એટલું બળ મને આપજો. – રવિન્દ્રનાથ ટાગોર</p>
<p>વૃક્ષો ફળો આવવાથી નીચા નમે છે. નવું જળ ભરાવાથી વાદળ ભારથી ઝૂકી જાય છે. સમૃદ્ધિ વધવાથી સત્પુરુષો વિનમ્ર બને છે. પરોપકારી પુરુષોનો આ સ્વભાવ હોય છે. – શ્રી ભર્તૃહરિ</p>
<p>કોની ઈચ્છાથી આ મન ભાગમભાગ કરે છે ? કોની નિયુક્તિથી આ પ્રાણ ચાલે છે ? કોની પ્રેરણાથી આ વાણી બોલાય છે ? અને કોની ઈચ્છાથી આંખ અને કાન કાર્ય કરે છે ? – કેનોપનિષદ</p>
<p>એક નાનકડી કીડી પાસે જાવ દિવસભરની તેની મહેનત જુઓ. તેની મહેનતમાંથી કાંઈક શીખો અને આળસને ખંખેરી નાંખો. –કોલિયર</p>
<p>આવતીકાલના ભવિષ્ય વિશે પોતે જ્ઞાત છીએ તેવું કદી ન માનવું, કારણકે મહાજ્ઞાની પંડિતને પણ ખબર નથી કે કાલે શું બનવાનું છે. – બાઈબલ</p>
<p>એક વાત દરેકે યાદ રાખવી જોઈએ કે અસફળતા પોતાના આંચલમાં સફળતાનાં ફૂલ લઈને જ આવે છે. – અજ્ઞાત</p>
<p>જેને પોતાના ગૌરવનું ભાન છે તે કોઈ ચીજ મફત મેળવવાને બદલે પોતાની મહેનતથી મેળવવાની ખેવના રાખે છે. – સ્વામી રામતીર્થ</p>
<p>સારા માણસની મૈત્રી ઉત્તમ ગ્રંથની સુંદરતા જેવી છે. જેમ તેનો ઊંડો અભ્યાસ કરીએ, તેમ તેમાંથી વધુ ને વધુ આનંદ આપે છે. – કોન્ફ્યુશિયસ</p>
<p>કોઈ પણ પરિસ્થિતિમાં ગમે ત્યાં હો પરંતુ મનમાં કમજોરી આવવા ન દો. જ્યાં રહો ત્યાં મસ્ત રહો. – બ્રહ્માનંદ સરસ્વતી</p>
<p>જે ક્ષણે તમે ઈશ્વર સિવાય કોઈનો ભરોસો નથી રાખતા તે જ ક્ષણેથી તમે શક્તિમાન બની જાઓ છો. તમારી બધી નિરાશા ગાયબ થઈ જાય છે. – ગાંધીજી</p>
<p>તમારા મોંમા શું જાય છે તે મહત્વનું નથી પણ તમારા મોમાંથી શું નીકળે છે તે મહત્વનું છે. – જે. કૃષ્ણમૂર્તિ</p>
<p>જીવન ઉપર તને પ્રેમ છે ? એમ હોય તો સમય ગુમાવતો નહિ, કારણકે જીવન સમયનું જ બનેલું છે. – ફ્રેન્કલિન</p>
<p>પરમ સત્યનું અસ્તિત્વ હૃદયમાં છે. જે વિચાર હૃદયથી રહિત છે તેને જાણવા માટે હૃદયમાં જ તદ્રુપ થઈ જવું જોઈએ. – રમણ મહર્ષિ</p>
<p>ઊડવા કરતાંય આપણે જ્યારે ઝૂકી જઈએ છીએ ત્યારે આપણે વિવેકની વધુ નિકટ હોઈએ છીએ. – વર્ડઝવર્થ</p>
<p>પથ્થર ભલે છેલ્લા ઘા થી તૂટે છે, પણ એની પહેલા ના ઘા તો નકામા નથી જ જતા. – વિનોબા ભાવે</p>
<p>જગતના દરેક જીવને ખુશી વહાલી છે. જે પોતાની ખુશી માટે બીજા જીવને મારે છે એ ક્યારેય ખુશ નથી રહી શકતો. –ગૌતમ બુદ્ધ</p>
<p>ભારતની દરેક ચીજ મને આકર્ષિત કરે છે. ભારતમાં એ બધું જ છે જે માનવીને પોતાની ઉચ્ચતમ આકાંક્ષાઓની પ્રાપ્તિ માટે અપેક્ષિત હોય. – મહાત્મા ગાંધી</p>
<p>‘લખવું’ એ શબ્દો હાથવગા હોવાને કારણે સૌથી સહેલી વાત છે. ‘સર્જન’ કરવું એ સૌથી અઘરું કામ છે. લખાણ અને સર્જન વચ્ચેનો ભેદ સમજવાની સજ્જતા આવી જાય તેને માટે ભવિષ્યનો માર્ગ ઠીક ઠીક સરળ થઈ જાય છે. – રમેશ પારેખ</p>
<p>તમે છીછરા પાણીથી કામ ચલાવી શકો એમ હો તો તમારે મજબૂત નાવ બાંધવાની જરૂર નથી. – ક્રિસ્ટોફર ફ્રાય</p>
<p>જે પરિશ્રમમાંથી આપણને આનંદ થાય છે, એ આપણા વ્યાધિ માટે રામબાણ દવા છે. – શેક્સપિયર</p>
<p>એક વાત જે હું દિવસની જેમ સાફ જોઉં છું, કે દુ:ખનું કારણ અજ્ઞાન છે. બીજું કશું નથી. – સ્વામી વિવેકાનંદ</p>
<p>સત્યનો એનાથી મોટો દાખલો શું હોઈ શકે છે કે જૂઠ બોલવા માટે પણ સત્ય જેવું વાતાવરણ ઊભું કરવું પડે છે. – પં. રામકિકર ઉપાધ્યાય</p>
<p>ઈનામ કે ધનદોલત તમને સામે ચાલી મળી આવશે પણ જ્ઞાન તો મહેનતથી મેળવવું પડશે. – યંગ</p>
<p>નમ્રતા એ સહુથી શ્રેષ્ઠ ગુણ છે. નમ્રતા બધું જ કરી શકે. એની અસર તાત્કાલિક બીજાઓ પર પડે છે. – રોબર્ટ કટલર</p>
<p>ફકત એ જ આળસુ નથી જે કંઈ જ નથી કરતો, આળસુ તો એ પણ છે જે વધુ સારું કામ કરી શકે છે, પણ કરતો નથી. –<br />
સૉક્રેટિસ</p>
<p>પરસ્પરનો સહયોગ અને શાંતિથી જ સમાજનું નિર્માણ થઈ શકે. – ડૉ. રાધાકૃષ્ણન</p>
<p>તર્કનું સત્ય નહિ પણ આત્માના મનોમંથનમાંથી જન્મેલું સત્ય જ પૂર્ણ સત્ય છે. – અરવિંદ ઘોષ</p>
<p>પ્રેમ જો તમારા સમગ્ર અસ્તિત્વનો પાયો બની જાય તો પછી કોઈ દુ:ખ તમને હેરાન નહિ કરી શકે. – જે. કૃષ્ણમૂર્તિ</p>
<p>ચંદ્ર અને ચંદન કરતાં પણ સજ્જનોની સંગતિ વિશેષ શીતળ હોય છે. – કવિ કાલિદાસ</p>
<p>જે લોકો બીજાની ભલાઈ કરવી પસંદ કરે છે તેના ભલા માટે જગતની સર્વ વસ્તુઓ કામ કરે છે. –જલારામબાપા</p>
<p>કેટલાક માણસો મૌન રહે છે તેનું કારણ એમને કહેવાનું નથી તે નહિ, પરંતુ ઘણું કહેવાનું હોય છે તે છે. – બેકન.</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[સુવિચારોનું સરોવર – સંકલિત ]]></title>
<link>http://rdgujarati.wordpress.com/2006/09/02/suvicharo-sarovar/</link>
<pubDate>Sat, 02 Sep 2006 01:39:58 +0000</pubDate>
<dc:creator>rdgujarati</dc:creator>
<guid>http://rdgujarati.wordpress.com/2006/09/02/suvicharo-sarovar/</guid>
<description><![CDATA[[ અગાઉ રીડગુજરાતી પર મૂકાયેલા સુવિચાર]]></description>
<content:encoded><![CDATA[<p>[ અગાઉ રીડગુજરાતી પર મૂકાયેલા સુવિચારોનું સંકલન ]</p>
<p>સાચું બોલવાની પણ એક રીત હોય છે. તે એવી રીતે બોલાવું જોઈએ કે તે અપ્રિય ન બને.<br />
–મોરારજીભાઈ દેસાઈ</p>
<p>મન પંચરંગી છે. ક્ષણે ક્ષણે તેના રંગ બદલાય છે. એક જ રંગના રંગાયેલા કોઈ વિરલા જ હોય છે.<br />
–કબીર</p>
<p>જગતમાં માણસ સિવાય જેમ બીજું કોઈ મોટું નથી, તેમ માણસના ચારિત્ર્ય સિવાય બીજું કાંઈ પણ મોટું નથી.<br />
–ડબલ્યુ એમ. ઈવાર્ટસ</p>
<p>બધે જ ગુણની પૂજા થાય છે, સંપત્તિની નહિ. પૂનમના ચંદ્ર કરતાં બીજનો ક્ષીણ ચંદ્ર જ વંદનીય ગણાય છે.<br />
–ચાણક્ય</p>
<p>પરાજય શું છે ? એ એક પ્રકારનું શિક્ષણ છે. કાંઈ પણ વધારે સારી વસ્તુ, સારી સ્થિતિ તરફ જવાનું તે પહેલું પગથિયું છે.<br />
–વેન્ડેલ ફિલિપ્સ</p>
<p>હંમેશા હસતા રહેવાથી અને ખુશનુમા રહેવાથી, પ્રાર્થના કરતાં પણ વધારે જલદી ઈશ્વરની નજીક પહોંચાય છે.<br />
–સ્વામી વિવેકાનંદ</p>
<p>બીજા કોઈ પણ સદગુણ કરતાં બીજાની વાત શાંતિથી સાંભળવાનો સદગુણ ઘણા થોડા માણસોમાં નજરે પડે છે.<br />
–ડેલ કાર્નેગી</p>
<p>સુંદર સત્યને થોડા શબ્દોમાં કહો પણ કુરૂપ સત્ય માટે કોઈ શબ્દ ન વાપરો.<br />
–ખલીલ જિબ્રાન</p>
<p>કળા એટલે પ્રત્યેક ચીજને, એટલે કે વિચારને, વાણીને, વર્તનને તેના યથાયોગ્ય સ્થાને મૂકવી.<br />
–જે. કૃષ્ણમૂર્તિ<br />
<!--more વધુ આગળ વાંચો....--></p>
<p>જેની પાસે ધૈર્ય છે અને જે મહેનતથી ગભરાતો નથી; સફળતા તેની દાસી છે.<br />
–દયાનંદ સરસ્વતી</p>
<p>આયુ, કર્મ, સંપત્તિ, વિદ્યા અને મરણ આ પાંચ – જીવ ગર્ભમાં રહે ત્યારે જ નિશ્ચિત થઈ જાય છે.<br />
–ચાણક્ય</p>
<p>જો માનવીને સુંદર ઘર બાંધતા આવડે તો તેવા ઘરમાં સુંદર રીતે જીવતાં કેમ ન આવડે ?<br />
–બબાભાઈ પટેલ</p>
<p>પ્રભુ છે અને સર્વત્ર છે. આ તથ્ય આપણે બોલીએ તો છીએ, પણ આપણું આચરણ એવું છે કે જાણે પ્રભુ ક્યાંય છે જ નહિ.<br />
–રવીન્દ્રનાથ ટાગોર</p>
<p>જો તમે મગજને શાંત રાખી શકતા હશો તો તમે જગને જીતી શકશો.<br />
–ગુરુ નાનક</p>
<p>માણસ ચંદ્ર લગી પહોંચ્યો. પણ પૃથ્વી પરના મનુષ્યના હૃદય સુધી પહોંચવાનું હજી બાકી છે.<br />
–ઉમાશંકર જોશી</p>
<p>કોઈનો સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે.<br />
–હરીન્દ્ર દવે</p>
<p>જે મિત્ર નથી, તે શત્રુ બનતો નથી પણ જે મિત્ર છે તે જ એક દિવસ શત્રુ બને છે.<br />
–ડૉંગરે મહારાજ</p>
<p>ધનસમૃદ્ધિ માણસને બદલી નથી નાખતી, પણ માણસનું અસલ સ્વરૂપ પ્રગટ કરી દે છે.<br />
–થોમસ પેઈન</p>
<p>ભૂલોને આવતી રોકવા બધાં બારણાં બંધ કરી દેશો તો પછી સત્ય ક્યાં થઈને આવશે ?<br />
–રવીન્દ્રનાથ ટાગોર</p>
<p>હું ભવિષ્યનો વિચાર કરતો નથી, કારણ હું વિચાર કરું એ પહેલાં તો એ આવી જાય છે.<br />
–આલબર્ટ આઈન્સ્ટાઈન</p>
<p>જ્ઞાન એ દોરો પરોવેલી સોય જેવું છે. દોરો પરોવેલી સોય ખોવાતી નથી તેમ જ્ઞાન હોવાથી સંસારમાં ભૂલા પડાતું નથી.<br />
–શ્રીમદ્ રાજચંદ્ર</p>
<p>આ દુનિયામાં ઘણી સહેલાઈથી છેતરી શકાય તેવી વ્યક્તિ જો કોઈ હોય તો તે આપણી જાત છે.<br />
–લાઈટૉન</p>
<p>દાન આપતી વખતે હાથમાં શું હતું એ નહિ, પણ દિલમાં શું હતું એ જોવાનું છે.<br />
–ફાધર વાલેસ</p>
<p>આ જગતમાં પરોપકાર સિવાય કોઈ ધર્મ નથી અને બીજાને દુ:ખ આપવા સમાન કોઈ પાપ નથી.<br />
–સંત તુલસીદાસ</p>
<p>બે ધર્મો વચ્ચે કદી પણ ઝઘડો થતો નથી, જે ઝઘડો થાય છે તે બે અધર્મો વચ્ચે થાય છે.<br />
–વિનોબાજી</p>
<p>વગર લેવેદેવે કોઈને કાંઈ સૂચન કરવું કે કોઈને સુધારવા મંડી પડવું એ અહંકારની પેદાશ છે.<br />
–શ્રી મોટા</p>
<p>જીભ એ બુદ્ધિના ખજાનાની ચાવી છે. ચાવી લગાડી ખજાનો ઉઘાડો નહિ ત્યાં લગી કેમ ખબર પડે કે અંદર શું છે ?<br />
–શેખ સાદી</p>
<p>મિત્ર પાસેથી ઉધાર પૈસા લેતા પહેલાં એ વિચારો કે તમને બંનેમાંથી કોની જરૂરિયાત વધારે છે ?<br />
–ગોનેજ</p>
<p>આત્મવિશ્વાસ જ અદ્દભુત, અદશ્ય અને અનુપમ શક્તિ છે જેને આધારે જ તમે તમારા ધ્યેય તરફ આગળ વધો છો. તે જ તમારો આત્મા છે, તે જ તમારો પથદર્શક છે.<br />
–સ્વેટ માર્ડન</p>
<p>જીવન શાંતિ માટે છે, જ્ઞાન માટે છે, પ્રકાશ માટે છે, સેવા અને સમર્પણ માટે છે.<br />
–ધૂમકેતુ</p>
<p>કાંટાળી ડાળને ફૂલો જેમ સુંદર બનાવી શકે છે તેમ એક સંસ્કારી સ્ત્રી એક ગરીબ માણસના ઘરને સુંદર અને સ્વર્ગ જેવું બનાવી શકે છે.<br />
–ગોલ્ડ સ્મિથ</p>
<p>ઘરનાં સભ્યોનો સ્નેહ ડૉકટરની દવા કરતાંય વધુ લાભદાયી હોય છે.<br />
–પ્રેમચંદ</p>
<p>દરેક નવજાત શિશુ પૃથ્વી પર એવો સંદેશો લઈને આવે છે કે ભગવાને હજી માણસને વિશે આશા ખોઈ નથી.<br />
–રવીન્દ્રનાથ</p>
<p>ચિંતા ચિતાથી પણ વધારે ખરાબ છે. કારણ કે ચિતા તો નિર્જીવ વસ્તુને બાળે છે પણ ચિંતા તો સજીવ શરીરને બાળે છે.<br />
–રહીમ</p>
<p>ખરો વિદ્યાભ્યાસ એ જ છે કે જેના વડે આપણે આત્માને, પોતાની જાતને, ઈશ્વરને અને સત્યને ઓળખીએ.<br />
–ગાંધીજી</p>
<p>જે મનુષ્ય ઘરને તીર્થ ન ગણે તે ગમે તેવા તીર્થમાં જાય તોય હૃદયથી ઠરે નહિ.<br />
–કાંતિલાલ કાલાણી</p>
<p>મૌનના ફળરૂપે પ્રાર્થના અને પ્રાર્થનાનું ફ્ળ શ્રદ્ધા. શ્રદ્ધાનું ફળ પ્રેમ અને પ્રેમનું ફળ સેવા.<br />
–મધર ટેરેસા</p>
<p>માણસની આંખ જીભ કરતાં અનેક વાર વધુ કહી આપે છે; અને સાચું કહી દે છે. એના સંદેશ વાંચતા શીખીએ.<br />
–ફાધર વાલેસ</p>
<p>મનુષ્ય તો કેવળ વચન જ દઈ શકે છે. તે વચનને સફળ કરવું જેના હાથમાં છે તેના પર જ ભરોસો રાખવો સારો છે.<br />
–રવીન્દ્રનાથ ટાગોર</p>
<p>તારું જો કશું યે ના હોય તો છોડીને આવતું, તારું જો બધુંયે હોય તો છોડી બતાવ તું !<br />
–રાજેશ વ્યાસ ‘મિસ્કીન’</p>
<p>જીવન એક આરસી જેવું છે. તેના તરફ મલકશો તો મોહક લાગશે, તેની સામે ઘૂરકશો તો તે બેડોળ લાગશે.<br />
–એડવિંગ ફોલિપ</p>
<p>કોઈની ટીકા કરીએ ત્યારે આપણી ઓછી અક્કલ કે અજ્ઞાનતાનું માપ ન નીકળી આવે તેની ખાસ તકેદારી રાખવી જોઈએ.<br />
–મોરારજી દેસાઈ</p>
<p>હિંમત એટલે શું ? એનો અર્થ એ કે પરિણામની પરવા કર્યા વિના તમે કાર્યસિદ્ધિ માટે મથ્યા રહો.<br />
–ચાલટેન હેસ્ટન</p>
<p>માનવીની મહત્તા એમાં નથી કે તે શું છે, બલકે તેમાં છે કે તે શું બની શકે તેમ છે.<br />
–ડૉ. રાઘાકૃષ્ણન</p>
<p>વિશ્વાસ એવી શક્તિ છે જે માનવીને જીવિત રાખે છે. વિશ્વાસનો અભાવ જ જીવનનું અવસાન છે.<br />
–વિલિયમ જેમ્સ</p>
<p>દુ:ખ અને મુશ્કેલી એ માનવીને શિક્ષણ આપતા બે શ્રેષ્ઠ ગુણ છે. જે માનવી સાહસ સાથે એને સહન કરે છે એ પોતાના જીવનમાં સફળતા મેળવે છે.<br />
–લોકમાન્ય ટિળક</p>
<p>દરેક બીજ એ ખેડૂતને મન ધાન્યભંડાર છે, તેમ દરેક પળ એ જ્ઞાનીને મન જ્ઞાનભંડાર છે. જે પળ આપે તે કોઈ ન આપે.<br />
–ધૂમકેતુ</p>
<p>આપણે જેમને સહુથી વધુ ચાહીએ છીએ તેમનામાં જ આપણને વધુ દુ:ખ આપવાની શક્તિ રહેલી હોય છે.<br />
–જોન ફ્લેયર</p>
<p>જેવી રીતે સ્વચ્છ દર્પણમાં મુખ ચોખ્ખું દેખાય છે એવી જ રીતે શુદ્ધ મનમાં જ્ઞાન પ્રગટ થાય છે.<br />
–શંકરાચાર્ય</p>
<p>જીવન ટૂંકું છે અને જંજાળ લાંબી છે. જંજાળ ટૂંકી હશે તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે.<br />
–શ્રીમદ્ રાજચંદ્ર</p>
<p>ઉત્તમ વસ્તુની ઉત્પત્તિ ઉચ્ચ સ્થાનોમાંથી જ થાય છે. ચંચળ ને ચમકતી વીજળીની ઉત્પતિ પણ ધરતીના તળિયેથી થોડી થાય છે ?<br />
–કવિ કાલિદાસ</p>
<p>જે આનંદ આપણે મેળવીએ છીએ તેનો થાક લાગે છે, પરંતુ જે આનંદ આપણે બીજાને આપીએ છીએ તેનો થાક લાગતો નથી.<br />
–આરિફશા</p>
<p>એક મનુષ્ય બીજાના મનની વાત જાણી શકે છે તો માત્ર સહાનુભૂતિથી અને પ્રેમથી; ઉંમર અને બુદ્ધિથી નહીં.<br />
–શરત્ચંદ્ર</p>
<p>સુખ પતંગિયા જેવું ક્ષણિક છે એની પાછળ પડો એટલું વધારે દોડાવે; પણ જો તમારું ધ્યાન બીજી બાબતોમાં પરોવશો તો આવીને હળવેથી તમારા ખભા પર બેસી જશે.<br />
–કવિ કલાપી</p>
<p>એવું કોઈ પણ માણસ જગતમાં જન્મ પામતું નથી કે જેને માટે કોઈ પણ કામ નિર્માણ ન થયું હોય.<br />
–લોવેલ</p>
<p>સમર્થ માટે કોઈ વસ્તુ ભારે નથી, વ્યવસાયીને કોઈ પ્રદેશ દૂર નથી, સુવિધાવાનો માટે કોઈ વિદેશ નથી અને પ્રિય વાણી બોલનાર માટે કોઈ પરાયું નથી.<br />
–ચાણક્ય</p>
<p>આપણી અડધી જિંદગી જૂની પેઢીને સમજવામાં જાય છે અને બાકીની અડધી નવી પેઢીને સમજવામાં જાય છે.<br />
–અર્લ વિલ્સન</p>
<p>જો બીજાએ તમને ઈજા કરી હોય તો એ ભૂલી જજો, પણ તમે જો કોઈને ઈજા કરી હોય તો એ કદી ભૂલતા નહિ.<br />
–ખલિલ જિબ્રાન</p>
<p>જો કોઈ ચીજ આપણી થઈને આપણી પાસે રહેતી હોય તો તે છે બીજાને આપણે જે આપ્યું છે તે.<br />
–લૂઈ જિન્સબર્ગ</p>
<p>આક્રમણ કરવાવાળા શત્રુથી ન ડરો પણ જે તમારી ખુશામત કરે છે તેવા મિત્રથી ડરો.<br />
–જનરલ એબ્રગોન</p>
<p>ભગવાને આપણને ઘણું સુખ આપ્યું છે. જે દુ:ખનો ઈલાજ નથી તે યાદ કરીને દુ:ખી થવા કરતાં ઈશ્વરે જે સુખ આપ્યું છે તે માટે તેનો પાડ માનીએ.<br />
–સરદાર પટેલ</p>
<p>જીવન એક બાજી છે, જેમાં હારજીત આપણા હાથમાં નથી, પણ બાજી રમવી આપણા હાથમાં છે.<br />
–જેરેમી ટેસર</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[સુવાક્યોનો સંચય ]]></title>
<link>http://rdgujarati.wordpress.com/2006/04/29/suvakyo-sanchay/</link>
<pubDate>Sat, 29 Apr 2006 01:59:30 +0000</pubDate>
<dc:creator>rdgujarati</dc:creator>
<guid>http://rdgujarati.wordpress.com/2006/04/29/suvakyo-sanchay/</guid>
<description><![CDATA[[રીડગુજરાતી પર સમગ્ર એપ્રિલ માસ દરમિય]]></description>
<content:encoded><![CDATA[<p><b>[રીડગુજરાતી પર સમગ્ર એપ્રિલ માસ દરમિયાન મૂકવામાં આવેલ સુવાક્યોનું સંકલન ]</b></p>
<p>આપણી ઈન્દ્રિયો જ આપણી શત્રુ છે પરંતુ જો તેમને જીતી લેવાય તો તે મિત્ર બની જાય છે. &#8211; ભગવાન શંકરાચાર્ય</p>
<p>ઈશ્વર એટલે એવું વર્તુળ જેનું કેન્દ્ર સર્વત્ર હોય છે પણ જેનો પરિઘ ક્યાંય હોતો નથી. &#8211; સેંટ ઑગસ્ટાઈન</p>
<p>વિરાટ આકાશમાં સહેજ આંખ ઊંચી કરીને દર્શન કરનાર વ્યક્તિ જો તેનું દર્શન સાક્ષાત્કાર સાથેનું હોય તો, ક્યારેય અભિમાની બની શકતો નથી. &#8211; કાકા કાલેલકર</p>
<p>માનવીની શાંતિની કસોટી સમાજમાં જ થઈ શકે. હિમાલયના શિખર પર નહિ. &#8211; ગાંધીજી</p>
<p>મહાન મનુષ્યને બે હૃદય હોય છે : એકમાંથી રક્તધારા વહે છે અને બીજામાંથી સ્નેહધારા ! &#8211; ખલિલ જિબ્રાન</p>
<p>નફરતને નફરતથી નથી મીટાવી શકાતી. એને ફકત પ્રેમથી ખતમ કરી શકાય છે. આજ શાશ્વત નિયમ છે. &#8211; ગૌતમ બુદ્ધ</p>
<p>આપણું ધાર્યું થાય તો હરિ કૃપા અને જો આપણું ધાર્યું હોય એમ ન થાય તો હરિ ઈચ્છા. &#8211; પૂ. મોરારિબાપુ</p>
<p>પતિને ખુશ રાખવા પત્નીએ પતિને બરાબર સમજવો અને થોડો પ્રેમ કરવો. પત્નીને પતિએ ખુશ રાખવા બહુ બધો પ્રેમ કરવો પરંતુ એને સમજવાની બિલકુલ કોશિશ ન કરવી &#8211; ગુલનાર બમ્મનજી</p>
<p>&#8216;મારા બાપા ખરું કહેતા હતા&#8217; એવું માણસને જ્ઞાન થાય છે ત્યાં સુધીમાં તો એનો દીકરો એવું વિચારતો થઈ ગયો હોય છે કે &#8216;મારા બાપા ખોટા છે.&#8217; &#8211; ચાર્લ્સ વર્ડઝવર્થ</p>
<p>જે બોલે છે એ જાણતો નથી અને જે જાણે છે એ બોલતો નથી. &#8211; રામદાસજી</p>
<p>સાચો અને જ્ઞાની માણસ દુ:ખ આવે ત્યારે એ કોઈનો વાંક નથી કાઢતો, બલકે, એ દુ:ખ આવવા પાછળ પોતાની કઈ ભૂલ છે એ શોધે છે. &#8211; સ્વામી વિવેકાનંદ</p>
<p>સેવા કરવા માટે પૈસાની જરૂર નથી. જરૂર તો છે આપણું સંકુચિત જીવન છોડવાની અને ગરીબો સાથે એકરૂપ થવાની &#8211; વિનોબા ભાવે<br />
<!--more--><br />
દરેક કામ હિંમત અને શાંતિથી કરો. એ જ સફળતાનું સાધન છે. &#8211;સ્વામી રામતીર્થ</p>
<p>નમ્રતા એ સહુથી શ્રેષ્ઠ ગુણ છે. નમ્રતા બધું જ કરી શકે. એની અસર તાત્કાલિક બીજાઓ પર પડે છે. &#8211; રોબર્ટ કટલર</p>
<p>જે લોકો બીજાની ભલાઈ કરવી પસંદ કરે છે તેના ભલા માટે જગતની સર્વ વસ્તુઓ કામ કરે છે. &#8211; જલારામ બાપા</p>
<p>સારા માણસો મજાકમાં જે બોલે છે, તે પથ્થરમાં લખેલા અક્ષર સમાન છે, પણ ખરાબ માણસ સોગંધ ખાઈને જે બોલે છે તે પાણીમાં લખેલા અક્ષર સમાન છે. &#8211; હિતોપદેશ</p>
<p>જે અન્યાય કરે છે તેને તું ક્ષમા આપ, જે તને પોતાનાથી વિખૂટા કરે છે તેની સાથે પ્રેમ કર અને જે તારા પ્રત્યે બૂરાઈ કરે છે તેના પ્રત્યે તું ભલાઈ કર. &#8211; મહમ્મદ પયગમ્બર</p>
<p>જેટલાં પુસ્તકો છપાય છે તેમાંના અડધા વેચાતાં નથી. વેચાયેલાંમાંથી અડધા વંચાતા નથી. વંચાયેલામાંથી અડધા સમજાતાં નથી. અને સમજાય છે તેમાંથી અડધા ખોટાં સમજાય છે. &#8211; જી.ઓ.પેયીની.</p>
<p>પૈસા કમાવવા માટે બુદ્ધિની જરૂર પડતી હશે, પણ એના સદુપયોગ માટે તો સંસ્કાર જ જોઈએ. &#8211; અજ્ઞાત</p>
<p>વિદ્યા એક વીંટી છે અને વિનય એક નંગ છે એ વિદ્યાની વીંટી વિનયરૂપી નંગથી શોભે છે. &#8211; ઈશ્વરભાઈ બ્રહ્મભટ્ટ</p>
<p>સાચું બોલનારને જૂઠની ખબર ન હોય એવું બની શકે છે, પણ જૂઠું બોલનારને 100 ટકા સત્યની ખબર હોવી જોઈએ. &#8211; ચંદ્રકાન્ત બક્ષી</p>
<p>એક જણ થાક્યા વિના સો વર્ષ સુધી દર મહિને યજ્ઞ કરે અને બીજો કદાપી ક્રોધ ન કરે. આ બેમાંથી અક્રોધી ચડિયાતો ગણાય. &#8211; મદનમોહન માલવીઆ.</p>
<p>જે અવારનવાર મૌન પાળે છે તેના જીવનમાં કલેશ ને સ્થાન નથી &#8211; ધમ્મપદ</p>
<p>લગ્ન સુખી થવા માટે નહીં પણ એકબીજાને વધુ સુખી કરવા માટે તમો પરણ્યાં છો &#8211; રવિશંકર મહારાજ</p>
<p>સૌને પોતાની પ્રગતિમાં રસ છે. બીજાની પ્રગતિમાં તમે જેટલો ફાળો આપશો, એટલી તમારી પ્રગતિ વધશે અને ઓછામાં ઓછો વિરોધ થશે. &#8211; જેને ર્ફાવલર</p>
<p>સંસારને જાણવાનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે તમે તમારી જાત ને જાણી લો &#8211; સ્વામી રામતીર્થ</p>
<p>દીવા ની પાસે એકલાં બેઠાં હોઈએ અને સાથે હાથમાં પુસ્તક હોય એના જેવો આનંદ દુનિયામાં એકેય નથી. &#8211; વિદ્રાન યોશીદા</p>
<p>માનવીનું અસ્તિત્વ એ કોઈ વાદના વિજય કરતાં વધારે અગત્યની વાત છે. &#8211; રસેલ</p>
<p>સંગીતની સમજણ અને સંગીત માણવું તે સાત પેઢીનાં પુણ્ય થાય ત્યારે આવે છે. &#8211; સામવેદ</p>
<p>જ્યારે ગુજરાતી ઘરમાં રહેતા કોઈ વૃદ્ધનું મૃત્યુ થાય છે ત્યારે ગુજરાતી સાહિત્ય એનો એક વાચક ગુમાવે છે. યુવાનોમાં ગુજરાતી સાહિત્યનું વાંચન વધે એ જરૂરી છે.  &#8211; સંજય છેલ</p>
<p>તમે ક્યાં જાઓ છો એ જાણવાની જરૂર નથી. તમે શા માટે જાઓ છો એ પણ જાણવાની જરૂર નથી. તમે આનંદથી નીકળી પડો એ જ મહત્વનું છે. &#8211; ઓશો</p>
<p>જીવનધોરણ ઊંચું લાવવા બધા મથે છે. ચિંતનનું ધોરણ ઊંચું લાવવા શું? &#8211; વિનોબા ભાવે</p>
<p>તમે એકલા પડો અને &#8216;એકલતા&#8217; લાગે તો તેનું નામ આસક્તિ અને તમે એકલા પડો અને &#8216;એકતા&#8217; લાગે તો તેનું નામ વિરક્તિ. &#8211; હીરાભાઈ ઠક્કર</p>
<p>ગટરમાં તો આપણે સૌ કોઈ ઊભા છીએ પણ આપણામાંથી કેટલાકની નજર આકાશના તારાંઓ ભણી હોય છે. &#8211; ઓસ્કાર વાઈલ્ડ</p>
<p>પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે ધર્મ &#8211; પ્રમુખસ્વામી મહારાજ</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[મેઘધનુષ - વજુ કોટક ]]></title>
<link>http://rdgujarati.wordpress.com/2006/02/15/megh-dhanush/</link>
<pubDate>Wed, 15 Feb 2006 17:09:58 +0000</pubDate>
<dc:creator>rdgujarati</dc:creator>
<guid>http://rdgujarati.wordpress.com/2006/02/15/megh-dhanush/</guid>
<description><![CDATA[એક મહાપુરુષે પોતાના ઓરડામાં પાટિયું ]]></description>
<content:encoded><![CDATA[<p>એક મહાપુરુષે પોતાના ઓરડામાં પાટિયું માર્યું હતું અને તેમાં લખ્યું હતું કે નિયમમાત્ર બહુ જ સાદા અને સમજી શકાય એવી ભાષામાં લખાયેલા હોય છે પણ એમનું રોજ પાલન કરવું એ જ અઘરામાં અઘરું કામ છે.</p>
<p>____</p>
<p>જીવનમાં ખરો રસ તો ત્યારે જ પેદા થાય છે કે જેને આપણા કરીને માન્યા હોય એવા માટે આપણે જીવતાં શીખીએ.</p>
<p>____</p>
<p>મધ્યાહ્નનાં સૂર્ય કરતા ઉદય પામતો સૂર્ય વધુ મોટો દેખાય છે છતાં એનો પ્રકાશ મધુર છે. આપણો પડછાયો તે ખૂબ જ મોટો કરી બતાવે છે અને એ રીતે આપણને સમજાવે છે કે આપણામાં મહાન બનવાની શક્યતાઓ છુપાયેલી છે.</p>
<p>____</p>
<p>ઉકરડા ઉપર થોડો કચરો કે ગંદકી વધારે પડે તો એના ઉપર કંઈ અસર થતી નથી. એને એ ખ્યાલ નથી આવતો કે પોતે વધુ બગડી ગયો છે, પણ ઉકરડા ઉપર જો એકાદ વરસાદ પડે તો વરસાદના સ્વચ્છ પાણીથી તે એટલો બધો અકળાઈ જાય છે કે એમાંથી વધુ દુર્ગંધ નીકળવા માંડે છે. સ્વચ્છ અને પવિત્ર વસ્તુને તે જીરવી શક્તો નથી અને સ્વચ્છ પાણીમાં જરા જેટલો કચરો પડે છે કે પાણી ધ્રુજી ઊઠે છે, અકળાઈ જાય છે અને એનાથી દુર્ગંધ સહન નથી થતી.<br />
જેઓ ઉકરડા જેવા છે તેઓ જો કંઈ ખરાબ કામ કરે તો એમનું અંત:કરણ બળતું નથી. એમાં જ એમને આનંદ આવે છે, પણ જેઓ સુવાસ ના સાથીદાર છે, જેમની વિચારમાળા હંમેશા શુધ્ધ અને પવિત્ર સુત્રથી ગૂંથાતી રહે છે, એવા માણસો જો જરા જેટલું ખરાબ કામ કરી બેસે તો પાછળથી એમનું હ્રદય બળવા માંડે છે અને તેઓ મનની શાંતિ ગુમાવી બેસે છે. સૂરીલી જિંદગીમાં જીવનાર ઉસ્તારના જીવનમાં એકાદ તાન બેસૂરી નીકળી જાય તો એનું હ્રદય સળગી જાય છે.</p>
<p>____<!--more--></p>
<p>વજુકોટકના ગજબ જવાબો</p>
<p>સ : મારો મિત્ર કહે છે ટાઢનું વજન સવા મણ, દસ શેર અને બે મુઠ્ઠી તો તે કેવી રીતે ?<br />
જ : જ્યારે ઠંડી પડે છે ત્યારે શ્રીમંત સવામણની રજાઈમાં પોઢે છે માટે ઠંડીનું વજન સવા મણ ગણાય. સાધારણ માણસ દસ શેરની રજાઈ વાપરે છે ત્યાં ટાઢનું વજન દસ શેર થયું, અને ગરીબ માણસ ટુંટિયું વાળી બે મુઠ્ઠી બંધ કરીને સુએ છે. માટે ત્યાં ટાઢનું વજન બે મુઠ્ઠી થયું.</p>
<p>સ : એક વખત હાથમાંથી ગયું તે શું ?<br />
જ : સમય; જીવનની જે પળ આજે ચાલી રહી છે તે કદી પાછી આવતી નથી.</p>
<p>સ : શ્રવણના માતા-પિતાનું નામ શું હતું ?<br />
જ : શ્રધ્ધા અને સંસ્કાર.</p>
<p>સ : પુરુષના જીવનમાં સ્ત્રીનું સ્થાન શું ?<br />
જ : પાનના બીડા ઉપર લવીંગનું સ્થાન છે તે.</p>
<p>સ : ટાલ પડવાનાં ત્રણ મુખ્ય કારણો ક્યાં ?<br />
જ : માથાભારે બૈરી, વધુ પડતી ચિંતા અને શરીરમાં રહેલી ખોટી ગરમી.</p>
<p>સ : બાળક એટલે ?<br />
જ : લગ્નજીવનનું વ્યાજ.</p>
<p>સ: શું ખાવાથી માણસો સુધરે છે ?<br />
જ : ઠોકર ખાવાથી.</p>
<p>સ : ઈશ્વર આપણા હ્રદયમાં કેવી રીતે છુપાયો છે ?<br />
જ : જેમ લાકડામાં અગ્નિ છુપાયો છે તેમ.</p>
<p>સ : સુખના શત્રુ કોણ ?<br />
જ : અસંતોષ, વહેમ અને શંકા</p>
<p>સ: કોણ જીર્ણ થતું નથી ?<br />
જ : આશા, તૃષ્ણા અને વાસના.</p>
<p>સ: કોણ કોઈનું સાંભળતું નથી.<br />
જ : ભૂખ્યું પેટ અને ગુસ્સે થયેલા શેઠ.</p>
<p>સ: કોણ કોઈની પરવા કરતું નથી ?<br />
જ : બાળક</p>
<p>સ: અંધકારમાં આપણને કોણ વધુ તેજસ્વી લાગે છે ?<br />
જ : આવતીકાલ</p>
<p>સ: દિલ તૂટી ગયું છે તો શું કરવું ?<br />
જ : આશાના મલમપટ્ટા બાંધવા.</p>
<p>સ: કાકા, મામા, ભાઈ, બહેન, બાપ હોવા છતાં માતાની ખોટ કેમ પુરાતી નથી ?<br />
જ : માતાનો પ્રેમ નિ:સ્વાર્થ હોય છે માટે.</p>
<p>સ : શૂરવીરનું પ્રથમ લક્ષણ કયું ?<br />
જ : ક્ષમા</p>
<p>સ: આ જગતમાં જાતજાતના વાદ ચાલે છે એમાં સૌથી સારો વાદ કયો ?<br />
જ : આશિર્વાદ</p>
<p>સ: તાજમહાલ શું છે ?<br />
જ : આંસુની ઈમારત.</p>
<p>સ: માણસ પર કયો ગ્રહ વધારે ખરાબ અસર કરે છે ?<br />
જ : પૂર્વગ્રહ</p>
<p>સ: સ્ત્રીનું હ્રદય જો પ્રેમની પવિત્ર શાળા હોય તો પુરુષનું હ્રદય ?<br />
જ : ધર્મશાળા.</p>
<p>સ: લગ્ન એટલે શું ?<br />
જ : બેમાંથી એક અને એકમાંથી અનેક !</p>
<p>સ: મોટામાં મોટી ભૂલ કઈ ?<br />
જ : કોઈપણ ભૂલ થયા પછી એને સુધારી લેવાનું ભૂલી જવું એ શું મોટામાં મોટી ભૂલ નથી ?</p>
<p>સ: યૌવન શું છે ?<br />
જ : યૌવન એ એવું વન છે કે જ્યાં અટવાઈ પડતાં વાર નથી લાગતી. નક્કી કરો કાંઈક અને નીકળો કાંઈક.</p>
<p>____</p>
<p>માણસના મન વિષે ઘણાએ વાતો કરી છે અને મોટે ભાગે મનની ચંચળ પ્રકૃતિ માટે ઘણું કહેવાયું છે. પણ આ ચંચળવૃત્તિ જ સાબિત કરી બતાવે છે કે મનમાં અદ્ભુત શકિત ભરી છે. જે એક પળ માટે પણ સ્થિર રહી શક્તું નથી અને જેની ઝડપ કોઈ પહોંચી શકે એમ નથી એવા આ મનમાં કેવી પ્રચંડ તાકાત ભરી હશે એની કોઈ કલ્પના થઈ શકે એમ નથી ! માણસોના બંધન અને મોક્ષનું કારણ મન છે એવા આ નાનકડા વાક્યમાં ગીતાકારે એક અજબ સનાતન સત્ય કહી દીધું છે. મનની અમાપ શક્તિ માટે આવું અપ્રતિમ પ્રમાણપત્ર આપીને ગીતાકારે ખરેખર છેલ્લો ચૂકાદો આપી દીધો હોય એમ સ્પષ્ટ દેખાય છે ! તનમાં ગમે એવી તાકાત ભરી હોય પણ મન જો નિર્મળ ન હોય તો તાકાતભર્યું તન તણખલું બની જાય છે. પણ મન જો મજબૂત બન્યું તો તણખલા જેવું તન પણ અનેક ચમત્કારો કરી બતાવે છે ! નિર્બળ મન એવો આપણે શબ્દપ્રયોગ કરતા આવ્યા છીએ, પણ મન કદી નિર્બળ છે જ નહીં. એની તાકાત આપણને નિર્બળ બનાવી દે છે.</p>
<p>____</p>
<p>આપણામાંના ઘણા પોતાની શક્તિ વિશે વધુ પડતો ખ્યાલ રાખતા હોય છે, પણ જ્યાં સુધી મુશ્કેલી નથી આવતી ત્યાં સુધી શક્તિનું સાચું માપ નીકળી શક્તું નથી. ઘણા એવો ફાંકો રાખતા હોય છે કે વ્યવસ્થા અને વહીવટમાં મને કોઈ પહોંચી ન શકે પણ તેઓનો ઘમંડ વધુ ટકતો નથી. પોતાની જાત વિશે વધુ પડતું માની બેસવું એ જરા વધુ પડતી મૂર્ખાઈ છે. કોઈ પોતાની જાતને ડાહ્યો માને એ માન્યતામાં પણ ડહાપણની થોડી ખામે રહેલી જ છે. પોતાની જાતને સંપૂર્ણ માની લેવી એ જ અપૂર્ણતાનું ઉઘાડું સર્ટિફિકેટ છે !</p>
<p>____</p>
<p>સુખી થવાનો માર્ગ એક જ છે. જ્યારે બે વ્યકિત મળે ત્યારે ત્રીજી વ્યકિતને સુખી કરવાનો વિચાર કરે.</p>
<p>____</p>
<p>આ વિશ્વમાં સૌથી વધુમાં વધુ રહસ્ય જો ક્યાંય છુપાવવામાં આવ્યું હોય તો તે માનવજીવનમાં છે, અને આ ગૂઢ રચનાને લીધે જ દરેકના જીવનમાં એક પ્રકારનો એક એવો રસ પેદા થાય છે કે જેને લીધે જીવવું ગમે છે અને બીજાનાં જીવન જાણવા ગમે છે.</p>
<p>____</p>
<p>આ દુનિયામાં પ્રેમથી મહાન બીજો કોઈ ચમત્કાર નથી. લોખંડના ટુકડામાંથી સોનું બની જાય એ ચમત્કાર છે પણ લોખંડ જેવું કઠોર હૈયું પ્રેમને લીધે મલમલ જેવું મુલાયમ બની જાય એ એના કરતાં મહાન ચમત્કાર છે.</p>
<p>____</p>
<p>બાળક જો નાના મોઢે મોટી વાતો કરે તો તે આપણને ગમતું નથી અને જરા ખૂંચે છે, અકુદરતી લાગે છે. એવી જ રીતે કોઈ મોટી ઉંમરની વ્યક્તિ, બાળક જેવું વર્તન દેખાડે તો સારી છાપ પડતી નથી. નિર્દોષ હોવાનો દેખાવ કરવો એ જ મોટામાં મોટો દોષ છે અને તમે પુણ્યશાળી છો એવી છાપ પાડવાનો પ્રયત્ન કરવો એમાં જ પાપ છુપાયેલું છે.</p>
<p>____</p>
<p>આપ આપના કાંડે ઊંચામાં ઊંચી જાતનું ઘડિયાળ બાંધો છો અને અમારી સાથે કે કોઈની સાથે વાતચીત કરતાં તમે વારંવાર ઘડિયાળ સામે જોયા કરો છો. અમને સમયની પડી નથી અને તમે સમય જોયા કરો એનો અર્થ એ નથી કે તમારો સમય કીમતી બની ગયો છે ! માણસ કેવી કીમતી ચીજ-વસ્તુઓ વાપરે છે એના ઉપરથી એની કિંમત અંકાતી નથી પણ તે પોતાના સમયની અને બીજાના સમયની કેવી કિંમત કરે છે એના ઉપરથી એની કિંમત થઈ શકે છે.</p>
<p>____</p>
<p>જીવનની સુવાસને આ પૃથ્વી પર આપણે એવી રીતે પાથરી જવી જોઈએ કે જેમાંથી બીજાને જીવવાની પ્રેરણા મળે. આપણા ગયા પછી આપણને યાદ કરીને સૌ ગૌરવ લઈ શકે. આપણું જીવન વડના ઝાડ જેવું વિશાળ હોવું જોઈએ કે જેની છાયા નીચે બાળકો ખેલીકૂદી શકે અને વૃધ્ધો દિવસના તાપમાં આશરો લઈ શકે.</p>
<p>[તંત્રી નોંધ (મૃગેશ શાહ) : બસ....બસ....બસ..... એમ થાય છે કે હજી શ્રી વજુ કોટક સાહેબના સુવાક્યો લખ્યા જ કરું...લખ્યા જ કરું.... પણ હવે બીજા ફરી ક્યારેક. આપને આ સુવિચારો કેવા લાગ્યાં ? કૉમેન્ટસ્ પ્લીઝ. ]</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[શબ્દનો સ્વયંવર - દિનેશ પંચાલ ]]></title>
<link>http://rdgujarati.wordpress.com/2006/02/11/shabd-swaya/</link>
<pubDate>Sat, 11 Feb 2006 13:08:28 +0000</pubDate>
<dc:creator>rdgujarati</dc:creator>
<guid>http://rdgujarati.wordpress.com/2006/02/11/shabd-swaya/</guid>
<description><![CDATA[[લેખક શ્રી દિનેશભાઈ પંચાલના પુસ્તક ‘શ]]></description>
<content:encoded><![CDATA[<p>[લેખક શ્રી દિનેશભાઈ પંચાલના પુસ્તક ‘શબ્દોનો સ્વયંવર’ ના કેટલાક અંશો મોકલનાર શ્રી ઉત્તમભાઈ ગજ્જર તરફથી સાભાર ]</p>
<ul>
<li>માણસ ઈશ્વરની ‘ઍસેટ્સ’ છે. યાદ રહે, માણસને કદાચ ઈશ્વર વિના પરવડી શકે, પરંતુ ઈશ્વરને માણસ વિના કદી ચાલવાનું નથી. અબજોપતી શેઠિયો તેના નોકર-ચાકર વિના લાચાર બની જાય છે !</li>
<li>કુદરતે માણસના પેટમાં ભુખનો ટાઈમબૉમ્બ ગોઠવ્યો છે. તે માણસને સતત પ્રવૃતિશીલ રાખે છે. દુનિયાની પ્રગતીનાં મૂળ દાળ-રોટીમાં પડ્યા છે.</li>
<li>દરેક પુસ્તકને બે કિંમત હોય છે. એક તેના પુઠાં પર છપાયેલી હોય છે અને બીજી, વાંચતી વેળાએ વાચકોના દિલમાં અંકાતી હોય છે. ઘણીવાર પુસ્તકોનું પુંઠું પાકું હોય છે પણ અંદરનું લખાણ કાચું હોય તેવા પુસ્તકો ઉધઈ સીવાય કોઈનો ઉધ્ધાર કરી શકતાં નથી.</li>
<li>માનવીનાં સત્કાર્યો તેને મૃત્યુ પછીય જીવાડે છે. દુષ્કર્મો જીવતે જીવત મારી નાખે છે. દેશનાં અનેક શહેરોમાં ‘મહાત્મા ગાંધી’ માર્ગ છે. ‘દાઉદ ઈબ્રાહિમ’ માર્ગ જોવા નહીં મળે ! કોઈ યુનિવર્સીટીનું નામ ‘ગોડસે યુનિવર્સીટી’ હોય એવું સાંભળ્યું છે ?<!--more--></li>
<li>જીવનનાં સર્વ સુખો પૈસામાં સમાયાં નથી. પૈસા ન હોવાનાં કેટલાંક સુખો હોય છે. મોંઘવારીનો આંક ગમે એટલો ઊંચો જાય, ભિખારીઓને તેની ચિંતા હોતી નથી. એમને ત્યાં ઈન્કમટૅકસની રેડ પડતી નથી. એમનાં સંતાનો વચ્ચે પ્રોપર્ટીના ઝઘડા થતા નથી. પેટ્રોલ કે રાંધણગેસ મળતાં બંધ થઈ જાય તોય એમનું રુંવાડુંય ફરકતું નથી. આવી નિરાંત હોવા છતાં માણસ ભિખારી બનવાનું પસંદ કરતો નથી. આળસુ માણસ પણ કદી એવી પ્રાર્થના કરતો નથી કે, ‘હે પ્રભુ ! મેં મન, વચન અને કર્મથી તારી ભક્તિ કરી હોય તો મને ભિખારી બનાવજે !’ ભિખારી બનવા માટે ઈશ્વરની મહેરબાનીની જરૂર નથી. ઘણી બાબતોમાં માણસ સ્વાવલંબી હોય છે.</li>
<li>દરેક માએ દીકરીઓને હવે જયાપાર્વતી વ્રતને બદલે જુડો-કરાટેના વર્ગમાં તાલીમ આપવાનો આગ્રહ રાખવો જોઈએ. એકવીસમી સદીમાં પ્રવેશી ચુક્યા પછીય સ્ત્રી આટલી અસલામત હોય તો એને સંસદમાં સ્થાન મળે તે કરતાં સમાજમાં સલામતીભર્યું સ્થાન મળે તે વધારે જરૂરી છે !</li>
<li>પુસ્તકો મધની શીશી જેવાં હોય છે. મધમાખીની મહેનતમાં માણસનું મૅનેજમેન્ટ ભળે ત્યારે થોડું મધ શીશીમાં ઠલવાય છે. કલ્પના કરો કે એક શીશી મધ માટે કેટલી મધમાખીઓ કામે લાગતી હશે ? લેખકની કેટલીય રાતોની મહેનત પર પ્રકાશક ઈંડા સેવતી મરધીની જેમ મહેનત કરે ત્યારે એક પુસ્તક તૈયાર થાય છે.</li>
<li>શ્રાધ્ધ એટલે આત્મચિંતનની ઘડી. પુર્વજોની સંસ્કાર-સૌરભને આપણા જીવનમાં કેટલી મહેકતી રાખી શક્યા છીએ, તે અંગેના આત્મચિંતનની ઘડી...ખુદનું જીવન રળિયાત કરવાની રીમાઈન્ડર નોટિસ....!</li>
<li>સમાજની માનસિકતા ટાલિયા જેવી છે. ટાલિયાઓની વસ્તીમાં કોઈને માથે વાળ ઉગે, તો બીજા ટાલિયાઓ એને પોતાનું અપમાન સમજે છે.</li>
<li>‘કમાવવું અને ઘર ચલાવવું’ એ બે વચ્ચે ફૂલ ચુંટવું અને ફૂલનો ગજરો બનાવવા જેટલો ફરક છે.</li>
<li>ઘણાં દંપતીઓની દશા એક ખુંટે (ખીલે) બંધાયેલા બે ઢોર જેવી હોય છે. તેઓ જિંદગીભર શિંગડા ભેરવતા રહે છે, પણ ખુંટો તોડી શકતાં નથી.</li>
<li>સત્યમાં એક સેન્ટીમીટરનોય કાપ મુક્યા વિના તે રજુ કરવું એ ઉમદા ગુણ કહેવાય; પણ દુનિયાદારીની ડિક્ષનેરીમાં એ મુર્ખતા ગણાય છે.</li>
<li>મહેમાનોને બગીચો બતાવવાનો હોય, ખાળકુવાનું ઢાંકણ ખોલીને ન બતાવાય !</li>
<li>પ્રેમને સમજવો અને ખુદ પ્રેમ કરવો, એ બે વચ્ચે રસગુલ્લાં બનાવવા અને રસગુલ્લાં ખાવાં જેટલો તફાવત છે.</li>
<li>આજની યુવા પેઢીને શાળામાં જ એ શીખવવા જેવું છે કે ભગવાનની મુર્તિ આગળ અગરબત્તી સળગાવવાને બદલે ઘરડાં મા-બાપના રૂમમાં કાચબા છાપ અગરબત્તી સળગાવશો તો વધારે પુણ્ય મળશે !</li>
</ul>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[સુવિચારોનું સંકલન - કિરીટ પરમાર ]]></title>
<link>http://rdgujarati.wordpress.com/2006/01/25/suvi-sanka/</link>
<pubDate>Wed, 25 Jan 2006 05:13:21 +0000</pubDate>
<dc:creator>rdgujarati</dc:creator>
<guid>http://rdgujarati.wordpress.com/2006/01/25/suvi-sanka/</guid>
<description><![CDATA[ક્ષમા એ વીરનું આભૂષણ છે, માત્ર શકિતશાળ]]></description>
<content:encoded><![CDATA[<p>ક્ષમા એ વીરનું આભૂષણ છે, માત્ર શકિતશાળી વ્યકિત જ ક્ષમા આપી શકે છે.</p>
<p>ગમે તેવી પરિસ્થિતિમાં હૈયુ મજબૂત હશે તો તમામ વિકલ્પોનો માનવી સામનો કરી શકશે</p>
<p>કેટલા આશ્ચર્યની વાત છે કે લોકો જિંદગી વધારવા માંગે છે, પણ સુધારવા નથી માગતા.</p>
<p>વિશ્વાસ જીવન છે, સંશય મૃત્યુ છે.</p>
<p>પસ્તાવું ન હોય તો કોઈ પણ કામ કરતાં પહેલાં એ અંગે દશવાર વિચારો.<br />
<!--more--><br />
આશાભરી વાતો કરવાથી આપણા મનના વિચાર આશાવાદી બને છે.</p>
<p>પૈસાદાર દોસ્ત બોલાવે તો જ ઘરે જાવ, ગરીબ દોસ્ત ન બોલાવે તો પણ તેને ઘરે જાવ.</p>
<p>ખુશ કરવાની કલા ખુશ રહેવામાં છે.</p>
<p>સાચો માણસ એ છે કે બુરાઈનો બદલો ભલાઈથી કરે છે.</p>
<p>પ્રેમ પ્રાપ્ત કરવો તેના કરતાં વિશ્વાસ પ્રાપ્ત કરવો વધુ અભિનંદનીય છે.</p>
<p>જાત ઉપર આધાર રાખનાર માનવી ચારિત્રયશીલ અને અભિનંદનીય છે.</p>
<p>તમારું ભાવિ તમે પોતે જ ઘડો.</p>
<p>એ વ્યકિત પરમ સુખી છે જેની પાસે વિવેકનો વાસ છે.</p>
<p>આપણી જરૂરિયાતો જેટલી ઓછી થતી જાય એટલા આપણે ઈશ્વરની નજીક જઈએ છીએ.</p>
<p>આપણું હ્રદય પ્રેમથી ભરેલું હોય ત્યારે સકળ સૃષ્ટિ સુંદરતાથી છવાઈ જાય છે.</p>
<p>જ્યાં સુધી તમારાથી બની શકે ત્યાં સુધી ભરપૂર ભલાઈ કરો.</p>
<p>વાણી જ માનવીનું એક એવું આભુષણ છે જે બીજા આભુષણોની માફક ઘસાતું નથી.</p>
<p>માણસને કામ નહીં પણ આરામ થકવી નાખે છે.</p>
<p>કાં અસાધારણ થજે અથવા નામોનિશાનથી મટી જજે પણ સૌના જેવો સાંજે સુનારો અને સવારે ઉઠનારો આદમી ન રહેતો !</p>
<p>એક ભયંકર ડાકુ કરતા એક ખરાબ પુસ્તક વધુ ભયંકર છે.</p>
<p>ચિંતાથી સુખ, બળ અને જ્ઞાનનો નાશ થાય છે.</p>
<p>ચિંતા એ આજ સુધી કોઈપણ કાર્યને પૂર્ણ કર્યું નથી.</p>
<p>જિંદગી પળવારમાં બુઝાઈ જનાર નાની જ્યોત નથી, રાહ દેખાડનાર મશાલ છે.</p>
<p>સમય અણમોલ ખજાનો છે, આથી દરેક ક્ષણને સંભાળીને રાખો અને તેનો સદ્ઉપયોગ કરો.</p>
<p>જુઠ ના અસંખ્ય રૂપો હોય છે, જ્યારે સત્યનું ફકત એક જ રૂપ હોય છે.</p>
<p>માંગ્યુ મળે તે આપણા હાથની વાત નથી, પણ આપણી પાસે જે નથી તેની તૃષ્ણા ન રાખવી એ તો આપણા હાથની વાત છે.</p>
<p>તમે જીવન એ રીતે જીવો કે કોઈ તમારું બુરું બોલે તો પણ લોકો માને નહીં.</p>
<p>સૂર્યની દ્રષ્ટિ જેમ વાદળોને વિખેરી નાખે છે તેવી જ રીતે સ્મિત મુશ્કેલીઓને વિખરી નાખે છે.</p>
<p>સુખી થવાનો સહેલામાં સહેલો રસ્તો એ જ છે બીજાને સુખ આપવું. ગામમાં આવેલી વાવમાં જઈને આપણે બોલીએ કે ‘તુ ચોર છે’ તો શું પડઘો આવે ? ‘તું ચોર છે’ આ સાંભળવું ગમશે ? ના. તો પછી શું બોલવું જોઈએ ? ‘તુ રાજા છે.’ તેવો જ અવાજ આવશે. આથી સાબિત થાય છે કે દુ:ખ આપવાથી, તેના પડઘા સ્વરૂપે આપણને દુ:ખ જ મળે છે. અને તે ન ગમતું હોય તો આપણે આપણે બીજાને સુખ આપવું, તેથી તેના પડઘા સ્વરૂપે આપોઆપ આપણને સુખ પ્રાપ્ત થાય. મોટામાં મોટો કોઈ ધર્મ હોય તો તે માનવ ધર્મ છે. માનવધર્મ એટલે આપણને જે ના ગમતું હોય તે બીજાને ના આપવું. જેમ કે દુ:ખ. જીવમાત્રને સુખ આપવું તે ધર્મ છે.</p>
<p>સંસારમાં આ પ્રમાણે રહેવું :</p>
<p>એટલા નરમ ના બનશો કે લોકો તમને ખાઈ જાય.<br />
એટલા ગરમ ના બનશો કે લોકો તમને સ્પર્શી પણ ન શકે.<br />
એટલા સરળ ના બનશો કે લોકો તમને બનાવી જાય.<br />
એટલા અતડા પણ ના બનશો કે લોકો તમને મળતા ખચકાય.<br />
એટલા ગંભીર ના બનશો કે લોકો તમારાથી કંટાળી જાય.<br />
એટલા છીછરા ના બનશો કે લોકો તમને ગણકારે જ નહીં.<br />
એટલા મોંધા પણ ના બનશો કે લોકો તમને બોલાવી પણ ના શકે.<br />
એટલા સસ્તા પણ ના બનશો કે લોકો તમને નચાવી જાય.</p>
<p>કોણ કહે છે કે લગ્નમાં સ્ત્રીના સ્વતંત્ર વ્યકિતત્વનો લોપ થાય છે ? દૂધમાં સાકર મળે ત્યારે એ મરી જતી નથી, જીવે છે – મધુરતારૂપે જીવે છે.</p>
<p>ઘણીવાર એવું બને છે કે આપણે મોજડીમાં જ મોહી પડીએ છીએ અને મુકુટ આપણી વાટ જોતો હોય છે.</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[મહાસાગરનાં મોતી ]]></title>
<link>http://rdgujarati.wordpress.com/2006/01/24/mah-moti/</link>
<pubDate>Tue, 24 Jan 2006 09:26:28 +0000</pubDate>
<dc:creator>rdgujarati</dc:creator>
<guid>http://rdgujarati.wordpress.com/2006/01/24/mah-moti/</guid>
<description><![CDATA[
લોકો કહે છે : અમુક વ્યકિતમાં વિશ્વાસ ર]]></description>
<content:encoded><![CDATA[<ul>
<li>લોકો કહે છે : અમુક વ્યકિતમાં વિશ્વાસ રાખો. પણ હું કહું છું: પહેલાં તમારી જાતમાં વિશ્વાસ રાખો. એ જ સાચો રસ્તો છે. તમારામાં શ્રધ્ધા રાખો. સઘળી શકિત તમારામાં જ રહેલી છે. તેના પ્રત્યે સભાન બનો, તેને બહાર લાવો. કહો કે <font face="Times New Roman">‘</font>હું બધું કરી શકીશ.<font face="Times New Roman">’</font> જો તમે દઢતાથી સર્પના ઝેરના અસ્તિત્વનો અસ્વીકાર કરો તો તે ઝેર પણ બિનઅસરકારક બની જાય. - સ્વામી વિવેકાનંદ</li>
<li>એ જ માણસ દરિદ્ર છે, જેની તૃષ્ણાઓ ઘણી મોટી છે. મન જો સંતુષ્ટ હોય તો કોણ ધનવાન અને કોણ દરિદ્ર ?- ભર્તૃહરિ</li>
<li>તમારું નિત્ય જીવન એ જ તમારું મંદિર અને તમારો ઘર્મ છે. તમે જો ઈશ્વરને ઓળખવા ઈચ્છતા હો તો તે માટે કૂટ પ્રશ્નો ઉકેલવાની ખટપટમાં પડશો નહીં, પણ તમારી ચોતરફ જુઓ. ઈશ્વર તમને તમારાં બાળકો સાથે રમતો જણાશે. આકાશમાં જુઓ, તમને એ વાદળાંમાં વિહરતો, વીજળીમાં હાથ પસારતો અને વરસાદની સાથે ઊતરતો જણાશે. તમે એને ફુલોમાં હસતો અને પછી વૃક્ષો પર ચડતો અને બધા પર હાથ ફેરવતો જોશો.-ખલિલ જિબ્રાન
<li>વિજ્ઞાનયુગનો આ અભિશાપ છે કે એણે દુ:ખોને ભૂલવા માટે એટલાં બધાં સ્થાનો ને સાધનો ઊભાં કરી દીધાં છે કે સમજણ દ્વારા દુ:ખોને પ્રસન્નતાપૂર્વક વેઠી લેવાની કળા એણે માણસ પાસેથી આંચકી લીધી છે.-રત્નસુંદર વિજય
<li>રોજ સવારે સ્મિતથી ઊજળા ચહેરા સાથે હું ઊઠું; મારે માટે નવી તક લઈ આવતા દિવસને હું સન્માનથી સત્કારું; મારા કાર્યને ખુલ્લું મન રાખી સ્વીકારું; મારાં નાનાં નાનાં કરતી વેળા પણ જે અંતિમ ધ્યેયને માટે હું કાર્ય કરું છું તેને સદાય નજરમાં રાખું; સહુ કોઈને હોઠ પર હાસ્ય અને હ્રદયમાં પ્રેમ રાખી મળું; દરેક વખતે નમ્ર, માયાળુ અને વિવેકી રહું; અને પરિશ્રમને અંતે જે નિદ્રાને નિમંત્રે છે અને સારું કામ કર્યાનો આનંદ લાવે છે તે થાકના ભારે રાતના ખોળામાં પોઢી જાઉં......આવી સમજદારીથી હું મારું જીવન પસાર કરવા માગું છું. - ટૉમસ ડેકર
<li>સઘળાં પાપોનું મૂળ એક જ છે: લોભ. એ બધાં પુણ્યોને નષ્ટ કરી દે છે. સૌથી મોટું કર્તવ્ય છે આત્મ-સંયમ. લોભ માણસને પાપ ભણી લઈ જાય છે, આત્મ-સંયમ માણસને મહાન ગૌરવ ભણી લઈ જાય છે.-મહાભારત
<li>ન બોલે તેને બોલાવજો, ન આવે તેને ઘરે જજો, રિસાય તેને રીઝવજો; અને આ બધું તેના ભલાને સારું નહીં, પણ તમારા ભલાને સારું કરજો. જગત લેણદાર છે, આપણે તેના કરજદાર છીએ.-ગાંધીજી
<li>તમારું કર્તવ્ય <font face="Times New Roman">‘</font>હોવાનું<font face="Times New Roman">’</font> છે, <font face="Times New Roman">‘</font>આ<font face="Times New Roman">’</font> કે <font face="Times New Roman">‘</font>તે<font face="Times New Roman">’</font> થવાનું નહિ. <font face="Times New Roman">‘</font>હું છું તે હું છું<font face="Times New Roman">’</font> <font face="Times New Roman">–</font> એમાં સમગ્ર સત્ય આવી જાય છે. <font face="Times New Roman">‘</font>શાંત રહો<font face="Times New Roman">’</font> <font face="Times New Roman">–</font> એ પધ્ધ્તિનો સાર છે.- રમણ મહર્ષિ
<li>જેમ આપણે આંતરિક રીત વધુ કંગાળ હોઈએ, તેમ આપણે વધુ ને વધુ લોકોને, પ્રતિષ્ઠાને, મિલક્તને, પ્રણાલિકાઓને વળગી રહીને બાહ્ય રીતે વધુ સંપન્ન થવા પ્રયત્ન કરીએ છીએ.- જે. કૃષ્ણમૂર્તિ
<li>આ પૃથ્વીને પહાડોનો ભાર નથી લાગતો, સમુદ્રનો ભાર નથી લાગતો, મહાકાય તોતિંગ વૃક્ષોનો ભાર નથી લાગતો, એને જે ભાર લાગે છે તે તો છે માનવીના મનનો, જે બીજાનાં દુ:ખો જોઈને દ્રવતું નથી.-નૈષધ ચરિત્ર
<li>હે ઈશ્વર, તું હરપળે અમને અદ્ભુત વસ્તુઓ તારી પ્રસાદીરૂપે આપી રહ્યો છે, એનો અમે દુર્વ્યય ન કરીએ. અમારામાંની પ્રત્યેક વસ્તુ તારા કાર્યમાં સહકાર આપો.- માતાજી
<li>જીવનનો આ બોધપાઠ છે કે આ દુનિયામાં હંમેશા દરેકે દરેક વસ્તુ માણસને નિરાશ કરે છે; માત્ર ભગવાન તેને કદી નિરાશ કરતો નથી.- જો તે સંપૂર્ણપણે ભગવાન તરફ વળે, તો.-શ્રી અરવિંદ</li>
</li>
</li>
</li>
</li>
</li>
</li>
</li>
</li>
</li>
</ul>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[ચિંતનના મોતી ]]></title>
<link>http://rdgujarati.wordpress.com/2006/01/24/chintan-moti/</link>
<pubDate>Tue, 24 Jan 2006 02:15:41 +0000</pubDate>
<dc:creator>rdgujarati</dc:creator>
<guid>http://rdgujarati.wordpress.com/2006/01/24/chintan-moti/</guid>
<description><![CDATA[

આપણે ‘ગઈકાલ’નું દેવું ભરવા ઘણી વખત આ]]></description>
<content:encoded><![CDATA[<ul>
<li>
<div>આપણે <font face="Times New Roman">‘</font>ગઈકાલ<font face="Times New Roman">’</font>નું દેવું ભરવા ઘણી વખત આપણે આપણી <font face="Times New Roman">‘</font>આવતી કાલ<font face="Times New Roman">’</font> પાસેથી ઉછીનું લઈએ છીએ.<font face="Times New Roman">-</font>ખલિલ જિબ્રાન</div>
</li>
<li>
<div>જેણે પોતાના મનને વશમાં કરી લીધું, દુનિયાની કોઈ શક્તિ એની જીતને હારમાં નથી બદલી શકતી.<font face="Times New Roman">-</font>ભગવાન બુધ્ધ</div>
</li>
<li>
<div>પૂર્ણ માનવી એ છે કે જે પૂર્ણ થયા પછી અને મોટો થયા પછી પણ નમ્ર રહે છે અને હરહંમેશ દરેકની સેવામાં રચ્યોપચ્યો રહે છે.<font face="Times New Roman">-</font>રોબર્ટ કટલર</div>
</li>
<li>
<div>એટલું યાદ રાખો કે આપણી ચિંતાઓ હંમેશા આપણી કમજોરીઓને કારણે જ હોય છે.<font face="Times New Roman">-</font>રુમાગો</div>
</li>
<li>
<div>જે લોકો નિ:સહાય લાચાર માનવી પર દયા નથી કરતા એવા લોકોએ શક્તિશાળીઓના અત્યાચાર સહન કરવાનો વારો આવે છે.<font face="Times New Roman">-</font>શેખસાદી</div>
</li>
<li>
<div>પોતાને મનગમતું કામ તો દરેક માનવી કરે પરંતુ ગમતું ન હોય તેને પણ મનગમતું બનાવવું જોઈએ.<font face="Times New Roman">-</font>કામળિયા કાળાભાઈ <font face="Times New Roman">‘</font>ઝલક<font face="Times New Roman">’</font></div>
</li>
<li>
<div>જીવનમાં શું નથી મળ્યું એનો હૈયા-બળાપો કર્યા કરતાં જે મળ્યું છે તે બદલ ઈશ્વરનો આભાર માની, મળેલાની મોજ માણો.<font face="Times New Roman">-</font>અજ્ઞાત</div>
</li>
<li>
<div>વિરાટ આકાશમાં સહેજ આંખ ઊંચી કરીને દર્શન કરનાર વ્યક્તિ જો તેનું દર્શન સાક્ષાત્કાર સાથેનું હોય તો, ક્યારેક અભિમાની બની શકતો નથી.<font face="Times New Roman">-</font>કાલેલકર</div>
</li>
<li>
<div>ધર્મ એટલે વ્યક્તિનો આંતરિક વિકાસ, અમુક સારી ગણાતી દિશામાં તેની જાગૃતિની વૃધ્ધિ.<font face="Times New Roman">-</font>જવાહરલાલ નહેરૂ</div>
</li>
<li>
<div>કેટલાક લોકોનો અભિગમ એવો હોય છે કે તેને પીંછાની દયા આવે છે પણ પંખી મરે છે તે દેખાતું નથી.<font face="Times New Roman">-</font>બર્ક</div>
</li>
<li>
<div>જીવનતો સૌ પોતપોતાની આશાએ જ જીવે છે પણ બીજાની આશાઓ સાકાર કરવા જ નિ:સ્વાર્થ થઈને જીવે છે તેને ઈતિહાસ આદર આપે છે અને જગત વંદન કરે છે.<font face="Times New Roman">-</font>ખલિલ જિબ્રાન</div>
</li>
<li>
<div>જયારે પણ ક્રોધ ચડે ત્યારે એક મિનિટ માટે જો પુનર્વિચાર કરવામાં આવે તો જગતના અડધા સંઘર્ષો અટકી શકે છે.<font face="Times New Roman">-</font>સ્વેટ માર્ડન</div>
</li>
<li>
<div>બધી કળાઓમાં જીવન જીવવાની કળા શ્રેષ્ઠ છે સારી રીતે જીવી જાણે તે જ સાચો કલાકાર છે.<font face="Times New Roman">-</font>થોરો</div>
</li>
<li>
<div>આકાશમાં ગતિ કરી રહેલાં પક્ષીઓ તમે જુઓ ને જીવનને પણ તેમ જ પ્રશાંત ગતિએ જીવતાં શીખો તો જગત થોડું વધુ સુંદર અને વધુ રસીક લાગશે.-લાઓત્સે</div>
</li>
</ul>
]]></content:encoded>
</item>

</channel>
</rss>
